1 એક વખત ઈસુ ગન્નેસરેતના સરોવર કાંઠે ઊભા હતા, લોકો તેમની આજુબાજુ ટોળા વળી ઈશ્વરનાં વચનો સાંભળતા હતા. 2 માછીમારોએ બે હોડીઓને કિનારે લાંગરેલી તેમણે જોઈ, જેઓ પોતાની જાળો ધોતાં હતા. 3 તેમાંની એક હોડી સિમોનની હતી, તેઓ તેના પર ચઢયો. અને તેને હોડી થોડે દૂર હંકારવા કહ્યું અને તેમણે બેસીને લોકોને હોડીમાંથી શિક્ષણ આપ્યું.
4 તેમના બોલી રહ્યા પછી, તેમણે સિમોનને કહ્યું, "હવે ઊંડા પાણીમાં લઈ જાઓ અને પકડવા માટે જાળ નાંખો."
5 સિમોને જવાબ આપ્યો, "માલીક! અમે આખી રાત ખૂબ જ મહેનત કરી અને કશું જ પકડાયું નથી, તોપણ, તમારાં કહેવાથી, હું જાળો નાંખીશ."
6 જયારે તેઓએ એમ કયું, ત્યારે તેમાં એટલી બધી માછલીઓ ભરાઈ કે તેમની જાળો તૂટવા લાગી. 7 તેથી તેઓના સાથીઓ બીજી હોડીમાં હતાં તેઓને મદદ માટે ઇશારો કયોઁ અને તેઓ આવ્યા અને બંને હોડીઓ એટલી બધી ભરાઈ કે તેઓ ડુબવા લાગી.
8 જયારે સિમોન પિતરે આ જોયું, તે ઈસુના ઘુંટણે નમી પડયો અને બોલ્યો, "ઓ પ્રભુ, મારી પાસેથી દુર જાઓ, હું પાપી માણસ છું." 9 માછલાંનો આટલો મોટો જથ્થો પકડયો તેથી પિતર અને તેના સાથીઓ અચરત થઈ ગયા. 10 ઝબદીના દીકરા યાકોબ અને યોહાન સિમોનના ભાગીદારો હતા.
ત્યારે ઈસુએ પિતરને કહ્યું "ગભરાઈશ નહિ! હવેથી તું લોકોને પકડનાર થશે." 11 તેથી તેઓ તેઓની હોડીને ખેચીને કાંઠા પર મુકી, બધું મૂકીને તેમની પાછળ ગયા.
12 જયારે ઈસુએ એક શહેરમાં હતાં, ત્યારે રકતપિતથી ઢંકાયેલો એક માણસ આવ્યો. જયારે તેણે ઈસુને જોયા, ત્યારે તેણે જમીન પર ઊંધે મોં પડીને તેમને વિનંતી કરી, "પ્રભુ! જો તમે ચાહો તો તમે મને શુધ્ધ કરી શકો છો."
13 ઈસુએ તેમનો હાથ લાંબો કયોઁ અને માણસને અડકીને કહ્યું, "હું ચાહું છું, તું શુધ્ધ થા!" અને તરત જ તેનો રકતપિત જતો રહ્યો.
14 પછી ઈસુએ તેને હુકમ કયોઁ, "જો જો આ વાત કોઈને ન કહેતો, પણ જઈને, તારી જાતને યાજકને બતાવ અને તેઓને સાક્ષી તરીકે શુધ્ધિકરણ માટે મોશેએ આજ્ઞા આપી હતી તે બલિદાનો ચઢાવ."
15 છતાં પણ તેમના સંબંધીના સમાચાર વધારે ફેલાઈ ગયા, તેથી લોકોનાં ટોળેટોળાં તેમને સાંભળવા તથા રોગથી સાજા થવા આવ્યા. 16 પરંતુ તે એકાંત સ્થળો પર જઈને પ્રાર્થના કરતા.
17 એક દિવસ ઈસુ શિક્ષણ આપતાં હતા, અને ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો બેઠાં હતા. તેઓ ગાલીલના દરેક ગામમાંથી અને યહૂદિયા અને યરુશાલેમથી આવ્યા હતા. અને માંદાઓને સાજા કરવા સારું પ્રભુનું પરાક્રમ ઈસુ સાથે હતું. 18 કેટલાક લોકો લકવાગ્રસ્ત એક માણસને પથારીમાં લાવ્યાં. ઘરમાં લઇ જઈને ઈસુની આગળ તેને મૂકવાનો પ્રયત્ન કયોઁ. 19 જયારે ટોળાને લીધે તેઓ તેમ કરવા માટે તેઓને કોઇ રસ્તો સૂઝયો નહિ ત્યારે તેઓ છાપરા પર ગયા અને ઈસુની સામે ભીડની વચ્યે તેને પથારીથી નીચે ઉતાયોઁ.
20 જયારે ઈસુએ તેઓનો વિશ્વાસ જોયો ત્યારે તેમણે કહ્યું, "મિત્ર! તારાં પાપ તને માફ થયાં છે."
21 ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતોએ માંહોમાંહે વિચારવા લાગ્યા, "આ માણસ કોણ છે જે ઈશ્વર નિંદા કરે છે? એકલા ઈશ્વર સિવાય બીજો કોણ પાપ માફ કરી શકે?"
22 ઈસુએ તેઓના વિચારો જાણીને કહ્યું, "એવા વિચારો મનમાં શા માટે કરો છો? 23 ‘તારાં પાપ તને માફ થયાં છે’ કે ‘ઉઠ અને ચાલ’ એમ કહેવું, આ બેમાંથી શું સહેલું છે? 24 પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા. 25 તરત તે તેઓની આગળ ઊભો થયો, ને જેના પર તે સુતો હતો તે ઊંચકીને, ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘરે ગયો. 26 દરેક આશ્વયઁ પામ્યાં અને ઈશ્વરની સ્તુતિ કરી, તેઓ ભયભીત થઇને કહ્યું આજે આપણે અદભુત બાબતો જોઈ છે."
27 આ પછી, ઈસુ બહાર ગયા, અને તેમણે એક જકાતદારને જોયો, તે જકાતનાકા પર બેઠેલો હતો, તેનું નામ લેવી હતું. ઈસુએ તેને કહ્યું, "મારી પાછળ આવ!" 28 અને લેવી ઉઠયો, બધું મૂકીને તેમની પાછળ ગયો.
29 પછી લેવીએ પોતાના ઘરે ઈસુના માટે ભોજન સમારંભ રાખ્યો, અને કર ઉઘરાવનારાઓનું મોટું ટોળું અને બીજા અન્ય તેઓની સાથે જમતા હતા. 30 પણ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો કે જેઓ તેમના સંપ્રદાયના હતા તેમના શિષ્યોને ફરીયાદ કરી કે, "તમે કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓની સાથે ખાઓ છો અને પીઓ છો?"
31 ઈસુએ તેમને જવાબ આપ્યો, "જેઓ તંદુરસ્ત છે તેઓને ડોકટરની જરૂર નથી, પણ માંદાને છે; 32 હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવવા માટે બોલાવવા આવ્યો છું."
33 તેઓએ તેમને કહ્યું, "યોહાનનાં શિષ્યો વારંવાર ઉપવાસ તથા પ્રાર્થના કરે છે. ફરોશીઓના શિષ્યો પણ એમ જ કરે છે પણ તમારા તો ખાયા ને પીયા કરે છે."
34 ઈસુએ જવાબ આપ્યો, "શું વર મિત્રોની સાથે હોય ત્યાં સુધી તેઓની પાસે ઉપવાસ કરાવી શકો? 35 પણ એવો વખત આવશે કે, જયારે વરરાજાને તેઓની પાસેથી લઇ લેવામાં આવશે એ દિવસોમાં તેઓ ઉપવાસ કરશે."
36 તેમણે તેઓને આ દ્રષ્ટાંત આપ્યું, "કોઈ નવા વસ્ત્રમાંથી કટકો ફાડીને જૂના વસ્ત્ર પર થીંગડું મારતું નથી. જો દે તો તે નવું વસ્ત્ર ફાડશે, અને વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવશે. 37 અને કોઈ નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં ભરતો નથી, નહિ તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાંખશે, દ્રાક્ષારસ ઢળી જશે અને મશકો નાશ પામશે; 38 ના, નવો દ્રાક્ષારસ નવી મશકોમાં જ ભરાય. 39 અને કોઇ જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્રાક્ષારસ પીવાં માંગશે નહિ. ‘કેમકે તેઓ કહેશે કે જૂનો સારો છે.’ "