Publicidade

Lucas 18

વારંવાર વિનંતી કરતી વિધવાનું દ્રષ્ટાંત

1 સતત પ્રાર્થના કરતાં રહેવું જોઈએ અને કાયર થવું નહિ, એ સમજાવવા માટે ઈસુએ પોતાના શિષ્યોને આ દ્રષ્ટાંત કહ્યું. 2 તેમણે કહ્યું "એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે ઈશ્વરથી ડરતો ન હતો અને લોકો શું વિચારતા તે ગણકારતો ન હતો. 3 અને તે શહેરમાં એક વિધવા રહેતી હતી, તે વારંવાર પોતાની વિનંતી લઇને તેની પાસે આવતી હતી, મારા વાદીની પાસેથી મને ન્યાય અપાવ.

4 "થોડા સમય સુધી તેણે નકાયુઁ પણ આખરે તેણે પોતાના મનમાં કહ્યું કે જો ‘હું ઈશ્વરથી બીતો નથી અને માણસ મારા વિશે શું વિચારે છે એ ગણકારતો નથી 5 તોપણ આ વિધવા મને હેરાન કરે છે. તેથી હું જોઈશ કે તેને ન્યાય મળે, રખેને તે વારંવાર આવીને મને થકવે.’ "

6 અને પ્રભુએ કહ્યું, "અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. 7 અને શું તમને એમ નથી લાગતું કે ઈશ્વરે પોતાના પસંદ કરેલાં કે જેઓ તેમને રાતદિવસ વિનવે છે, તેઓને શું ન્યાય નહિ આપશે? તેમના વિશે તે ખામોશી રાખશે? 8 હું તમને કહું છું કે તેઓને તે જલ્દી ન્યાય આપશે. છતાં પણ, જયારે માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેમને વિશ્વાસ મળશે કે શું?"

ફરોશી અને જકાતદારનું દ્રષ્ટાંત

9 જેઓ પોતાના ન્યાયીપણા વિશે અભિમાન કરતા હતા, અને બીજાને તિરસ્કારતા હતા, તેઓને ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું. 10 "બે માણસો પ્રાર્થના કરવા મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો જકાતદાર. 11 ફરોશીએ ઊભા રહીને મનમાં પ્રાર્થના કરતાં કહ્યું: ‘હે ઈશ્વર! હું તમારો આભાર માનું છું કે બીજાનાં જેવો લુંટારો, દુષ્ટતા કરનાર, કે વ્યભિચાર કરનાર કે આ જકાતદારના જેવો હું નથી. 12 અઠવાડિયે બે વાર હું ઉપવાસ કરું છું અને મને જે મળે છે તેનો દસમો ભાગ આપું છું.’

13 "પણ જકાતદાર દૂર ઊભો રહ્યો, તેણે આકાશ તરફ ઊંચું પણ ન જોવા ચાહતા, તેણે પોતાની છાતી કુટીને કહ્યું, ‘હે ઈશ્વર! મુજ પાપી પર દયા કરો!’

14 "હું તમને કહું છું કે પેલા કરતાં એ માણસ ઈશ્વરની આગળ ન્યાયી ઠરી ઘરે ગયો. કારણ કે, જે કોઇ પોતાને ઊંચો કરે છે તેને નમ્ર કરવામાં આવશે અને જે કોઇ પોતાને નમ્ર કરશે તેને ઊંચો કરવામાં આવશે."

નાના બાળકો અને ઈસુ

15 લોકો પોતાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં કે તેઓ તેમના પર પોતાના હાથ મુકે. જયારે શિષ્યોએ આ જોયું, ત્યારે તેઓએ તેમને ધમકાવ્યા. 16 પરંતુ ઈસુએ બાળકોને પોતાની પાસે બોલાવ્યાં અને કહ્યું, "નાના બાળકોને મારી પાસે આવવાં દો અને તેઓને રોકશો નહિ! કેમકે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. 17 હું તમને સાચું કહું છું કે; જે કોઇ ઈશ્વરનું રાજ્ય બાળકની જેમ નહિ સ્વીકારે તે તેમાં પ્રવેશી શકશે નહિ."

ધનવાન અને ઈશ્વરનું રાજ્ય

18 એક અધિકારીએ તેમને પૂછયું, "ઉત્તમ ગુરુજી! અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?"

19 ઈસુએ જવાબ આપ્યો, "તું મને ઉત્તમ કેમ કહે છે? ઈશ્વર એકલા જ ઉત્તમ છે, અને બીજું કોઈ નહિ. 20 તું આજ્ઞાઓ જાણે છે: તું વ્યભિચાર ન કર, તું ખૂન ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, તારા માતા અને પિતાનું સન્માન કર."

21 તેણે કહ્યું, "આ બધું હું બાળપણથી પાળતો આવ્યો છું."

22 જયારે ઈસુએ આ સાંભળ્યું, ત્યારે તેમણે તેને કહ્યું "હજું પણ તારામાં એક બાબત ખૂટે છે, તારી પાસે જે સર્વ છે તે વેચીને ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપત્તિ મળશે. પછી આવ ને મારી પાછળ ચાલ."

23 જ્યારે તેણે આ સાંભળ્યું, ત્યારે તે ખૂબ જ ઉદાસ થયો, કારણ તે બહુ ધનવાન હતો. 24 ઈસુએ તેની તરફ જોઈને કહ્યું, "ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું મુશ્કેલ છે! 25 ખરેખર, ધનવાન માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો તેના કરતાં ઊંટ માટે સોયના નાકામાં થઈને જવું સહેલું છે."

26 જેઓએ આ સાંભળ્યું તેઓએ પૂછયું કે, "તો કોણ તારણ પામી શકે?"

27 ઈસુએ જવાબ આપ્યો, "માણસો માટે જે અશક્ય છે, તે ઈશ્વર માટે શકય છે."

28 પિતરે તેમને કહ્યું, "અમે અમારું બધું જ છોડી ને તમારી પાછળ આવ્યા છીએ."

29 ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે જ કહું છું કે "ઈશ્વરના રાજ્યને ખાતર જે કોઈએ પોતાનાં ઘરનો, પત્નીનો, ભાઈઓનો, માતા-પિતાનો કે બાળકોનો ત્યાગ કયોઁ હશે 30 તેને આ યુગમાં અનેકગણું મળશે અને આવનાર યુગમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ."

મરણ વિશે ઈસુની ત્રીજી આગાહી

31 ઈસુએ બારેને એક બાજુમાં લઈ જઈ તેઓને કહ્યું, "આપણે યરુશાલેમ જઈએ છીએ, અને પ્રબોધકોએ માણસના દીકરા વિશે જે લખેલું છે તે સવઁ પૂર્ણ થશે. 32 તેમને વિદેશીઓને સોંપી દેવામાં આવશે. તેઓ તેમની મશ્કરી કરશે, તેમનું અપમાન કરશે, અને તેમના પર થૂંકશે. 33 તેઓ તેમને કોરડા મારશે અને મારી નાંખશે. અને ત્રીજે દિવસે તેઓ સજીવન થશે."

34 પણ શિષ્યો આમાંનું કંઇ પણ સમજી શક્યાં નહિ. તેનો અથઁ તેમનાથી ગુપ્ત રખાયલો હતો, અને તેઓ જે કહેતા હતા તે તેઓ સમજયા નહિ.

અંધ ભિખારીને દ્રષ્ટિ મળે છે

35 જયારે ઈસુ યરીખો આવ્યા, ત્યારે એક અંધજન રસ્તાની કોરે બેસીને ભીખ માગતો હતો. 36 પસાર થઈ રહેલાં ટોળાંને સાંભળીને તેણે પૂછયું આ શું થઈ રહ્યું છે. 37 તેઓએ તેને કહ્યું કે, "નાઝરેથના ઈસુ ત્યાં થઈને જઈ રહ્યા છે."

38 તેણે બૂમ પાડી, "ઓ ઈસુ! દાવિદના દીકરા! મારા પર દયા કરો!"

39 જેઓ આગળ જતાં હતા તેઓએ તેને ધમકાવીને છાનો રહેવા કહ્યું, પણ તેણે વધારે મોટેથી બૂમ પાડી, "ઓ દાવિદના દીકરા! મારા પર દયા કરો!"

40 ઈસુ થોભી ગયા તેમણે માણસને પોતાની પાસે લાવવાનો હુકમ કયોઁ. જયારે તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછયું, 41 "હું તારે માટે શું કરું? તારી શી ઈચ્છા છે?"

તેણે જવાબ આપ્યો "પ્રભુ, હું દેખતો થાઉ!"

42 ત્યારે ઈસુએ તેને કહ્યું, "તું દેખતો થા; તારા વિશ્વાસે તને સાજો કયોઁ છે." 43 તરત તે દેખતો થયો અને ઈશ્વરની સ્તુતિ કરતો કરતો ઈસુની પાછળ ગયો. જયારે બધા લોકોએ એ જોયું ત્યારે તેઓએ પણ ઈશ્વરની સ્તુતિ કરી.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-