1 એક દિવસ ઈસુ મંદિરનાં આંગણાંમાં લોકોને શિક્ષણ આપતાં હતા અને સુસમાચાર પ્રગટ કરતાં હતા, ત્યારે મુખ્ય યાજકો, નિયમશાસ્ત્રના પંડિતો અને આગેવાનો સહિત તેમની પાસે આવ્યા. 2 તેઓએ કહ્યું, "અમને કહો તમે ક્યાં અધિકારથી આ કામો કરો છો? તેઓએ કહ્યું તમને આ અધિકાર કોણે આપ્યો?"
3 તેમણે જવાબ આપ્યો, "હું પણ તમને પ્રશ્ર પૂછીશ, મને કહો: 4 યોહાનનું બાપ્તિસ્મા સ્વગઁથી હતું કે માણસોથી?"
5 તેઓએ અંદરોઅંદર ચર્ચા કરી અને કહ્યું, "જો આપણે કહીએ કે, ‘સ્વગઁથી,’ તો તે પૂછશે, ‘તો પછી તમે તેના પર કેમ વિશ્વાસ કયોઁ નહી?’ 6 પણ જો આપણે કહીએ કે, ‘માણસોથી,’ તો બધા લોકો આપણને પથ્થરે મારશે, કારણ કે તેઓને ખાતરી છે કે યોહાન એક પ્રબોધક હતો."
7 તેથી તેઓએ જવાબ આપ્યો, "તે કયાંથી હતું તે અમે જાણતા નથી."
8 ઈસુએ કહ્યું, "તો હું પણ તમને કહેતો નથી કે હું કયાં અધિકારથી આ કામો કરું છું."
9 તેમણે લોકોને આ દ્રષ્ટાંત કહ્યું: "એક માણસે દ્રાક્ષાવાડી રોપી, કેટલાક ખેડૂતોને તે ઇજારે આપી અને લાંબા સમયને માટે બહાર ગયો. 10 કાપણીના સમયે તેણે પોતાના એક નોકરને ઇજારદાર પાસે મોકલ્યો કે તેઓ તેને દ્રાક્ષાવાડીનાં થોડા ફળ તેને આપે. પણ ઇજારદારોએ તેને માર માયોઁ અને ખાલી હાથે પાછો મોકલી દીધો. 11 પછી તેણે બીજા એક નોકરને મોકલ્યો, પણ તેને પણ તેઓએ માર્યો, અને અપમાન કરીને ખાલી હાથે મોકલી દીધો. 12 તેણે હજુ ત્રીજાને પણ મોકલ્યો, અને તેઓએ તેને ઘાયલ કરીને બહાર ફેંકી દીધો.
13 "ત્યારે દ્રાક્ષાવાડીના માલીકે કહ્યું ‘હું શું કરું? હું મારા પ્રિય દીકરાને મોકલીશ, જેને હું પ્રેમ કરું છું; કદાચ તેઓ તેનો આદર કરશે.’
14 "પણ જયારે ઇજારદારોએ તેને જોયો, ત્યારે તેઓએ વાત કરી. ‘આ વારસદાર છે, તેઓએ કહ્યું. ચાલો, તેને મારી નાખીએ, અને વારસો આપણો થશે.’ 15 તેથી તેમણે તેને દ્રાક્ષાવાડીની બહાર ફેંકીને તેને મારી નાંખ્યો.
"હવે, દ્રાક્ષાવાડીનો માલિક તેઓને શું કરશે? 16 તે આવીને તે ઇજારદારોને મારી નાંખશે અને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે."
જયારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તેઓએ કહ્યું, "ઈશ્વર એવું ન થાઓ!"
17 ઈસુએ તેઓની તરફ સીધું જોઈને પૂછ્યું, તો પછી જે લખેલું છે તેનો શો અર્થ છે:
" ‘જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કયોઁ હતો
તે ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો?’ "
18 "એ પથ્થર સાથે જે કોઈ અફળાશે, તેના ટુકડે ટુકડા થઇ જશે વળી એ જેનાં પર તે પડશે તેનો ભુકકો થઈ જશે."
19 નિયમશાસ્ત્રના પંડિતોઓ અને મુખ્ય યાજકોએ તેમને તરત જ પકડવાનો માગઁ શોધ્યો, કેમકે તેઓએ જાણતા હતા કે આ દ્રષ્ટાંત તેઓ તેમની વિરુદ્ધ બોલ્યા છે. પરંતુ તેઓ લોકોથી બીતા હતા.
20 તેના પર નજર રાખીને તેઓએ જાસૂસોને મોકલ્યા, જેઓ સારા હોવાનો ઢોંગ કરતા હતા. તેઓને આશા હતી કે ઈસુએ જે કહ્યું તેમની વાતમાં સપડાવશે, તેથી તેઓ તેમને રાજયપાલની સત્તા તથા અધિકારમાં સોંપી શકે. 21 જાસૂસોએ તેમને પ્રશ્ન કર્યો, "ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે જે સાચું અને યોગ્ય છે તે તમે બોલો છો, અને તમે પક્ષપાત કરતા નથી, પણ તમે સત્યથી ઈશ્વરના માર્ગોનું શિક્ષણ આપો છો. 22 તો આપણે કૈસરને કર આપવો યોગ્ય છે કે નહિ?"
23 તેમણે તેઓની દ્ગિધા જોઈને તેઓને કહ્યું, 24 "મને એક સિક્કા બતાવો. એના પર કોની છાપ અને કોના લેખ છે?"
તેઓએ જવાબ આપ્યો, "કૈસરના."
25 તેમણે તેમને કહ્યું, "તો કૈસરનું છે તે કૈસરને, અને જે ઈશ્વરનું છે, તે ઈશ્વરને પાછું આપો."
26 તેમણે જાહેરમાં જે કહ્યું તેમાં તેઓ તેમને ફસાવી શકયા નહિ. અને તેમના જવાબથી અચરત પામીને તેઓ ચૂપ થઈ ગયા.
27 કેટલાક સાદૂકીઓ, જેઓ કહે છે પુનરુત્થાન નથી તેઓ પ્રશ્ન સાથે ઈસુ પાસે આવ્યા. 28 તેઓએ કહ્યું, "ગુરુજી, મોશેએ અમારા માટે એવુ લખ્યું છે કે જો કોઇ માણસનો ભાઈ મૃત્યું પામે ને તેની પત્નિ નિઃસંતાન હોય, તો તે માણસ તે વિધવા સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે. 29 હવે સાત ભાઈઓ હતાં. પહેલો સ્ત્રીને પરણ્યો અને નિઃસંતાન મરણ પામ્યો. 30 પછી બીજો 31 અને ત્રીજો પણ તેને પરણ્યો, એ પ્રમાણે સાતેય પરણ્યા અને નિઃસંતાન મરણ પામ્યા. 32 છેલ્લે, તે સ્ત્રી પણ મરણ પામી. 33 તો પછી હવે, પુનરુત્થાન વખતે તે કોની પત્ની થશે? કારણ કે તે સાતેયએ તેની સાથે લગ્ન કયુઁ હતું?"
34 ઈસુએ જવાબ આપ્યો, "આ યુગના લોકો પરણે છે ને પરણાવે છે. 35 પણ જેઓ આવનાર યુગમાં, મરણમાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતાં નથી ને પરણાવતાં નથી. 36 તેઓ દૂતો જેવા છે અને તેઓ ફરીથી મરનાર નથી. તેઓ પુનરુત્થાનના સંતાન હોવાથી તેઓ ઈશ્વરનાં સંતાન છે. 37 મોશેનાં લખાણો પણ આ બાબતને સત્ય ઠરાવે છે, બળતાં ઝાડવાનાં પ્રકરણમા મોશેએ પણ બતાવ્યું કે મૂએલાં સજીવન થાય છે, કેમકે તે પ્રભુને, અબ્રાહમનાં ઈશ્વર, અને ઇસહાકનાં ઈશ્વર, અને યાકોબનાં ઈશ્વર, તરીકે સંબોધે છે. 38 તે મૂએલાંઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો છે, કેમકે તેમનાં માટે સઘળાં જીવે છે."
39 કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ કહ્યું, "ગુરુજી, તમે ઠિક કહ્યું!" 40 અને કોઇએ તેમને વધારે પ્રશ્ન પૂછવાની હિંમત કરી નહિ.
41 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, "મસીહ દાવિદનો દીકરો છે એવું કેમ કહેવાય છે? 42 ગીતશાસ્ત્રના પુસ્તકમાં દાવિદ પોતે જ જાહેર કરે છે:
" ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું,
43 "જ્યાં સુધી હું તારા શત્રુઓને તારે માટે પાયાસન ન કરું
ત્યાં સુધી મારે જમણે હાથે બેસ." ’
44 દાવિદ તેમને ‘પ્રભુ’ કહે છે. તો તે તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?"
45 જયારે બધા લોકો સાંભળતાં હતા, ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, 46 "નિયમશાસ્ત્રના પંડિતોથી સાવધાન રહો, તેઓને લાંબા ઝભ્ભા પહેરીને આસપાસ ફરવાનું અને બજારોમાં લોકોના વંદન ઝીલવાનું ગમે છે. અને સભાસ્થાનોમાં મુખ્ય આસનો અને ભોજન સમારંભોમાં માનભયાઁ સ્થાનો પસંદ કરે છે. 47 તેઓ વિધવાઓના ઘર ગળી જાય છે અને દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરે છે. આ માણસોને ભારે શિક્ષા ભોગવવી પડશે!"