1 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: "એક શ્રીમંત માણસ હતો, જેનાં કારભારી પર તહોમત મુકવામાં આવ્યું હતું કે તે તેની મિલ્કત ઉડાવી દે છે. 2 તેથી તેમણે તેને બોલાવીને કહ્યું: ‘તારે વિશે જે હું સાંભળું છું તે શું છે? તારા કારભારનો હિસાબ આપ કેમકે હવેથી તું કારભારી રહી શકશે નહિ.’
3 "કારભારીએ મનમાં કહ્યું કે, ‘હવે હું શું કરું? મારો માલીક મારી નોકરી લઇ છે, વળી મારામાં ખોદવાની શકિત નથી અને ભીખ માંગતા મને શરમ લાગે છે. 4 જયારે હું મારી નોકરી ગુમાવું ત્યારે લોકો પોતાના ઘરમાં મારો આવકાર કરે માટે મારે શું કરવું તેની મને ખબર છે.’
5 "તેથી તેણે તેના માલીકનાં દરેક દેણદારોને બોલાવ્યાં, અને તેણે પ્રથમને પૂછયું, ‘મારા ધણીનું તારે કેટલું દેવું છે?’
6 " ‘તેણે જવાબ આપ્યો, નવસો પીપ જૈતુન તેલ.’
"કારભારીએ તેને કહ્યું, ‘તારું ખાતુ લે, જલ્દીથી બેસીને ચારસો પચાસ લખ.’
7 "પછી તેણે બીજાને પૂછયું, ‘તારું કેટલું દેવું છે?’
" ‘તેણે જવાબ આપ્યો, એક હજાર ગુણ ઘઉં.’
"તેણે તેને પણ કહ્યું, ‘તારું ખાતુ લે ને આઠસો ગુણ ઘઉં લખ.’
8 "માલીકે અપ્રમાણીક કારભારીને આજ્ઞા કરી, કેમકે તે ચાલાકીથી વત્યોઁ હતો. કેમકે આ જગતના લોકો અજવાળાના લોકો કરતા વ્યવહારમાં હોશિયાર હોય છે! 9 હું તમને કહું છું કે દુન્યવી દ્રવ્ય વડે પોતાને સારું મિત્રો કરી લો, જેથી તે થઈ રહે, ત્યારે સાર્વકાલિક ઘરમાં તમારો આવકાર કરવામાં આવે.
10 "જે કોઇ, ખૂબ થોડામાં વિશ્વાસુ છે, તેઓ ઘણાંમાં પણ વિશ્વાસુ હોવાના; અને જે કોઇ બહું થોડાંમાં અપ્રામાણિક છે, તેઓ ઘણાંમાં પણ અપ્રમાણીક હોવાના. 11 તેથી જો તમે જગિક સંપત્તિ સંબંધી વિશ્વાસુ થયા નહિ તો સાચા દ્રવ્ય સંબંઘી તમારી પર કોણ ભરોસો કરશે? 12 અને જો તમે પરાઈ સંપત્તિ સંબંધી વિશ્વાસુ ન રહો, તો જે તમારી પોતાની સંપત્તિ છે તે તમને કોણ સોંપશે?
13 "કોઈ પણ બે માલિકની સેવા કરી શકે નહિ. તમે એકને ધિક્કારશો અને બીજાને પ્રેમ કરશો, અથવા તમે એકને સમપિઁત રહેશો અને બીજાને ધિક્કારશો. તમે ઈશ્વર અને સંપત્તિ બંનેની સેવા કરી શકતા નથી."
14 ફરોશીઓ કે જેઓ દ્રવ્યલોભી હતા, આ બધું સાંભળીને ઈસુની હાંસી ઉડાવવા લાગ્યા. 15 તેમણે તેઓને કહ્યું, "તમે એવા છો કે જે બીજાની નજરમાં પોતાને ન્યાયી દેખાડો છો, પણ ઈશ્વર તમારાંં હૃદયોને ઓળખે છે. લોકોની દ્રષ્ટિમાં જે માનપાત્ર ગણાય છે, તે ઈશ્વરની દ્રષ્ટિમાં કંટાળારૂપ છે.
16 "નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોએ યોહાન સુધી બોધ કયોઁ. તે વખતથી ઈશ્વરના રાજયનાં સુસમાચાર પ્રગટ કરવામાં આવ્યા, અને દરેક જણ તેમાં બળપૂર્વક પ્રવેશવા મથી રહ્યા છે. 17 નિયમશાસ્ત્રની એક પણ માત્રા ટળી જાય તે કરતાં આકાશ અને પૃથ્વીનું ટળી જવું સહેલું છે.
18 "જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને અન્ય સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર કરે છે, અને જે માણસ છૂટાછેડા અપાયેલી સ્ત્રી સાથે પરણે, તે વ્યભિચાર કરે છે."
19 "એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના કિમતી વસ્ત્રો પહેરતો ને નિત્ય મોજમઝામાં રહેતો હતો. 20 તેના દરવાજા પાસે લાઝરસ નામે એક ભિખારી પડી રહેતો હતો, તેને આખા શરીરે ફોલ્લાં હતા. 21 અને શ્રીમંત માણસનાં ટેબલ પરથી પડેલા ટુકડા ખાવાની ઇચ્છા રાખતો હતો; કૂતરાં પણ આવીને તેના ફોલ્લાં ચાટતાં હતાં.
22 "જયારે સમય આવ્યો અને ભિખારી મરણ પામ્યો અને સ્વર્ગના દૂતો તેને અબ્રાહમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત માણસ પણ મરણ પામ્યો, ને તેને દફનાવવામાં આવ્યો. 23 હાદેસમાં તે વેદના સહેતાં, તેણે ઉપર જોયું ને ઘણે દૂર અબ્રાહમની ગોદમાં લાઝરસને જોયો. 24 તેથી તેણે બૂમ પાડી, ‘પિતા અબ્રાહમ, મારા પર દયા કરો ને લાઝરસને અહીં મારી પાસે મોકલો કે તે તેની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે કારણ હું અહીં આ આગમાં વેદના ભોગવી રહ્યો છું.’
25 "પણ અબ્રાહમે જવાબ આપ્યો, ‘દીકરા, તારા જીવન દરમ્યાન તું તારા સારા વાનાં પામ્યો હતો, પણ લાઝરસ ખરાબ વાનાં પામ્યો, હવે તે અહીં દિલાસો પામે છે અને તું વેદનામાં છે. 26 અને તે સવઁ ઉપરાંત અમારી ને તારી વચ્ચે ઊંડી ખાઈ આવેલી છે, તેથી અહીંથી જો કોઈ તમારી પાસે આવવાં ઈચ્છે તો તેઓ આવી શકતા નથી, કે ત્યાંથી અહીં અમારી પાસે આવી શકતાં નથી.’
27 "ત્યારે તેણે જવાબ આપ્યો કે, ‘હું તમને વિનંતી કરું છું કે લાઝરસને મારા કુટુંબમાં મોકલો; 28 કેમકે મારે પાંચ ભાઈઓ છે તેથી તે તેઓને ચેતવણી આપે કે તેઓ પણ આ વેદનાની જગ્યાંએ આવી ન પડે.’
29 "અબ્રાહમે જવાબ આપ્યો, ‘મોશે અને પ્રબોધકો તેઓની પાસે છે. તેઓનું તેમને સાંભળવા દો.’
30 " ‘તેણે કહ્યું, ના,’ અબ્રાહમ પિતા, ‘મૂએલામાંથી જો કોઈ તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરશે.’
31 "તેમણે તેને કહ્યું, ‘જો તેઓ મોશે અને પ્રબોધકોનું સાંભળતા નથી તો મૂએલાંમાંથી ઊઠીને કોઈ તેઓની પાસે જાય તોપણ તેઓ માનવાના નથી.’ "