Publicidade

Lucas 13

પસ્તાવો કરો અથવા નાશ પામો

1 હવે તે સમયે ત્યાં ઊભા રહેલાઓમાંથી કેટલાક હાજર હતા પિલાતે ગાલીલીઓનું લોહી તેઓના બલિદાનો સાથે ભેળવી દીધું તેઓ વિશે ઈસુને કહી જણાવ્યું. 2 ઈસુએ જવાબ આપ્યો કે, "શું તમે એમ ધારો છો કે ગાલીલના અન્ય ગાલીલીઓ કરતાં તેઓ વધારે પાપી હતા તેથી તેઓ આ રીતે સહન કયુઁ? 3 હું તમને કહું છું કે ના! પણ જો તમે પસ્તાવો નહિ કરો તો તમે પણ નાશ પામશો. 4 અથવા જયારે શિલોઆહનો બુરજ અઢાર માણસો પર તૂટી પડયો અને તેઓ માયાઁ ગયા, શું તમે એમ ધારો છો કે તેઓ યરુશાલેમમાંનાં બિજા સવઁ રહેવાસીઓ કરતાં વધારે અપરાધી હતા? 5 હું તમને કહું છું કે ના! પણ જો તમે પસ્તાવો નહિ કરો તો તમે પણ નાશ પામશો."

6 પછી તેમણે આ દ્રષ્ટાંત કહ્યું, "એક માણસ પાસે પોતાની દ્રાક્ષાવાડીમાં અંજીર રોપેલી હતી અને તે તેના પર ફળ શોધવા ગયો પણ તેને કંઇ ન મળ્યું. 7 આખરે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, ‘ત્રણ વરસથી આ અંજીર પરથી ફળ શોધતો આવું છું પણ એકે ફળ મળ્યું નથી તેને કાપી નાંખ! તે નકામી જમીન કેમ રોકે છે?’

8 "એ માણસે જવાબ આપ્યો, ‘સાહેબ, એક વર્ષ તેને રહેવા દો. હું તેની આસપાસ ખોદીશ અને તેને ખાતર નાંખીશ. 9 જો આવતા વષેઁ તેને ફળ આવે તો ઠીક અને જો ન આવે તો પછી તેને કાપી નાંખજે.’ "

ઈસુ વિશ્રામવારે અપંગ સ્ત્રીને સાજી કરે છે

10 ઈસુએ સાબ્બાથવારે એક સભાસ્થાનમાં શીખવતા હતા. 11 અને ત્યાં એક સ્ત્રી ત્યાં હતી જે અઢાર વષઁથી અપંગ હતી. અને તે વાંકી વળી ગઈ હતી અને ટટ્ટાર રહી શકતી ન હતી. 12 જયારે ઈસુએ તેને જોઈ, ત્યારે તેમણે તેને આગળ બોલાવીને કહ્યું, "સ્ત્રી, તું તારી માંદગીમાંથી મુકત થઈ ગઈ છે," 13 પછી તેમણે તેનાં પર હાથ મુકયાં અને તરત જ તે ટટ્ટાર થઇ અને ઈશ્વરની સ્તુતિ કરી.

14 ઈસુએ સાબ્બાથવારે સાજી કરી હતી માટે સભાસ્થાનનાં આગેવાન ગુસ્સે ભરાયા, અને લોકોને કહ્યું, "કામ કરવા માટે છ દિવસ છે, એ દિવસોમાં તમે આવો અને સાજા થાઓ, પણ સાબ્બાથવારે નહિ."

15 પ્રભુએ તેમને જવાબ આપ્યો, "તમે દંભીઓ! તમારામાંનો દરેક પોતાના બળદ અથવા ગધેડાને ગમાણમાંથી છોડી ને સાબ્બાથવારે પાણી પીવાં માટે નથી લઈ જતા? 16 તો શું આ સ્ત્રી, જે અબ્રાહમની પુત્રી છે જેને શેતાને અઢાર વર્ષ સુધી બાંધી રાખી હતી, તેને સાબ્બાથવારે બંધનમાંથી મુક્ત ન કરવી જોઈએ?"

17 જયારે તેમણે આ કહ્યું, ત્યારે તેમના બધા વિરોધીઓ શરમિંદા થયા. પણ તેમણે જે અદભુત કૃત્ય કયાઁ તેનાથી બધા લોકો ખુશ થઈ ગયા.

રાઇનાં બી નું દ્રષ્ટાંત અને ખમીર

18 પછી ઈસુએ કહ્યું, "ઈશ્વરનું રાજ્ય શેનાં જેવું છે? હું તેને શેની સાથે સરખાવું? 19 એ રાઈના બી જેવું છે, જેને એક માણસે પોતાના બગીચામાં વાવ્યું, તે ઊગીને મોટું વૃક્ષ બન્યું અને તેની ડાળીઓ પર આકાશના પક્ષીઓએ માળા બાંધ્યા."

20 ફરીથી તેમણે પૂછયું, "ઈશ્વરના રાજ્યને હું શાની સાથે સરખાવું? 21 તે ખમીર જેવું છે, એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં ભેળવ્યું, અને તે બધો ખમીરવાળો થયો."

સાંકળો દરવાજો

22 પછી ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતાં માર્ગમાંના ગામોમાં ને શહેરોમાં તે બોધ આપતાં ગયા. 23 એક જણે તેમને પૂછયું, "પ્રભુ, શું બહુ થોડા લોકો જ તારણ પામશે?"

તેમણે તેમને કહ્યું, 24 "સાંકડાં દરવાજામાંથી પ્રવેશવાનો પ્રયત્ન કરો, કેમકે હું તમને કહું છું કે ઘણાં પ્રયત્ન કરશે, પણ પ્રવેશી શકશે નહિ. 25 એક વાર ઘર માલિક ઊઠીને દરવાજો બંધ કરી દેશે, ત્યારે તમે બહાર ઊભા રહીને દરવાજો ખટખટાવતાં આજીજી કરશો કે: ‘પ્રભુ, અમારે માટે દરવાજો ઉઘાડો.’

"પણ તે જવાબ આપશે કે, ‘હું તમને ઓળખતો નથી અથવા તમે કયાંથી આવો છો.’

26 "ત્યારે તમે કહેશો કે, ‘અમે તમારી સાથે ખાધું અને પીધું, અને તમે અમારી શેરીઓમાં બોધ કયોઁ.’

27 "પણ તે જવાબ આપશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે કયાંથી આવો છો. રે ભૂંડું કરનારાઓ! તમે બધાં મારી પાસેથી જાઓ!’

28 "જયારે તમે અબ્રાહમ, ઇસહાક, યાકોબ અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો અને પોતાને બહાર કાઢી મૂકેલાં જોશો, ત્યારે તમે રડશો ને દાંત પીસશો. 29 લોકો પૂવઁ અને પશ્ચિમથી અને ઉત્તર અને દક્ષિણથી આવશે, ઈશ્વરના રાજયમાં મિજબાનીમાં પોતપોતાને સ્થાને બેસશે. 30 ખરેખર, જેઓ છેલ્લાં છે તેઓ પહેલાં થશે, અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે."

ઈસુનું યરુશાલેમ માટે દુઃખ

31 તે જ સમયે કેટલાક ફરોશીઓએ આવીને ઈસુને કહ્યું, "આ જગ્યાંએથી બીજે ચાલ્યા જાઓ. કારણ કે હેરોદ રાજા તમને મારી નાખવા માગે છે."

32 તેમણે જવાબ આપ્યો, "જાઓ, જઈને તે શિયાળને કહો કે, અશુધ્ધ આત્માના બંધનમાંથી મુક્ત કરવાનું અને માંદગીમાંથી લોકોને સાજા કરવાનું હું આજે ને કાલે પણ ચાલુ રાખવાનો છું અને ત્રીજે દહાડે હું મારું કામ પૂર્ણ કરીશ. 33 હા આજે, કાલે ને પરમ દિવસે હું ગમે તે હાલમાં ચાલુ રાખીશ, કેમકે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મારી નંખાશે નહિ.

34 "ઓ યરુશાલેમ! યરુશાલેમ! પ્રબોધકોને મારી નાંખનાર અને તારી પાસે મોકલનારને પથ્થરે મારી નાંખનાર, જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો નીચે એકઠાં કરે છે, તેમ મેં પણ તારાં સંતાનોને એકત્ર કરવા કેટલું બધું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ. 35 જુઓ તમારું ઘર તમારે સારું ઉજજડ મુકાયું છે. તેથી હું તમને કહું છું કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે.’ એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ."

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-