1 પછી પ્રમુખ યાજકે સ્તેફનને પૂછયું, "આ આરોપો શું સાચાં છે?"
2 તેનો જવાબ આપતાં તેણે કહ્યું, "ભાઈઓ અને પિતાઓ મારું સાંભળો! આપણો પૂર્વજ, અબ્રાહમ હારાન (હાલ સિરિયા) માં રહેતો હતો તે પહેલાં મેસોપોટેમિયા (હાલ ઇરાક) માં રહેતો હતો. ત્યારે મહિમાવાન ઈશ્વરે તેને દર્શન દઈને કહ્યું: 3 ‘તારો દેશ અને તારા લોકોને છોડ,’ ઇશ્વરે કહ્યું, અને જે દેશ હું તને બતાવું ત્યાં જા.
4 "ત્યારે ખાલદીઓનો દેશ છોડી દઈને તે હારાનમાં જઈ વસ્યો. તેના પિતાનાં મૃત્યુ પછી, ઈશ્વરે તેને હાલ જે દેશમાં તમે રહો છો ત્યાં મોકલ્યો. 5 તેણે તેને કોઇ વારસો આપ્યો નહિ, પગ મૂકવા માટે પૂરતી જગ્યા પણ ન આપી. આ સમય સુધી અબ્રાહમને કોઈ સંતાન ન હતું છતાં ઈશ્વરે વચન આપ્યું હતું કે તેને તથા તેના સંતાનોને આ દેશ વતન તરીકે અપાશે. 6 ઈશ્વરે તેની સાથે આ રીતે વાત કરી: ‘તારાં સંતાનો ચારસો વર્ષ સુધી પોતાના દેશમાં પરદેશી રહેશે અને તેઓને ગુલામ બનાવવામાં આવશે અને તેમની સાથે ખરાબ વતઁન કરવામાં આવશે. 7 પણ તેઓને ગુલામ બનાવનાર, પ્રજાને હું શિક્ષા કરીશ, ઈશ્વરે કહ્યું, અને ત્યાર પછી તેઓ તે દેશમાંથી બહાર આવશે અને આ જગ્યાએ મારું ભજન કરશે.’ 8 પછી તેમણે અબ્રાહમને સુન્નતનો કરાર ઠરાવી આપ્યો. અને અબ્રાહમ ઇસહાકનો પિતા બન્યો, અને તેના જન્મના આઠમે દિવસે તેની સુન્નત કરવામાં આવી. પછી ઈસહાક યાકોબનો પિતા બન્યો, અને યાકોબથી બાર પૂર્વજોનો પિતા બન્યો.
9 "આ પૂર્વજોએ યોસેફ પર અદેખાઈ રાખીને તેને ઈજિપ્તમાં ગુલામ તરીકે વેચી દીધો પણ ઈશ્વર તેની સાથે હતા. 10 અને તેને સર્વ સંકટોમાંથી છોડાવ્યો. તેમણે જોસેફને એવું જ્ઞાન આપ્યું કે ઈજિપ્તનો રાજા ફારુન તેના પર પ્રસન્ન થયો. અને ફારૂને તેને ઇજિપ્ત અને તેના આખા મહેલ પર અધિકારી નિમ્યો.
11 "એવામાં આખા ઈજિપ્તમાં અને કનાન દેશમાં દુકાળ પડયો જેને કારણે અને આપણા પૂર્વજો પર સંકટ આવી પડ્યું તેઓને ખોરાક ના મળ્યો. 12 જયારે યાકોબે સાંભળ્યું કે ઈજિપ્તમાં અનાજ છે, તેથી તેણે આપણા પૂર્વજોને ત્યાં પહેલીવાર મોકલ્યા. 13 તેમની બીજી મુલાકાત વખતે યોસેફે પોતાના ભાઈઓને કહ્યું તે કોણ છે, અને ફારુનને યોસેફના કુટુંબની જાણ થઈ. 14 ત્યાર પછી, યોસેફે તેના પિતા યાકોબ તથા તેનાં આખા કુટુંબને, બધા મળીને પંચોતેરને મોકલ્યા. 15 જયારે યાકોબ ઈજિપ્તમાં આવ્યો, ત્યારે ત્યાં તે તથા આપણા પૂર્વજો મૃત્યુ પામ્યા. 16 તેઓના શરીરોને શખેમમાં લાવવામાં આવ્યા અને જે કબર અબ્રાહમે હમોરના પુત્રો પાસેથી કંઇક નાણું આપી ખરીદી હતી, તેમાં દફનાવવામાં આવ્યા.
17 "અબ્રાહમના વંશજોનું જે વચન ઈશ્વરે આપ્યું હતું તે પૂર્ણ થવાનો સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ ઈજિપ્તમાં તેઓની વૃધ્ધિ થતી ગઈ. 18 પછી ઈજિપ્તમાં એક નવો રાજા સત્તા પર આવ્યો, જે યોસેફને ઓળખતો ન હતો. 19 તે આપણા લોકો સાથે કપટથી વત્યાઁ અને આપણા પૂવઁજોને દુઃખ દીધું જેથી તેઓ પોતાના નવજાત બાળકોને બહાર ફેકી દે જેથી તેઓ મરી જાય.
20 "તે સમયે મોશેનો જન્મ થયો, અને તે કોઇ સામાન્ય બાળક ન હતો. તેનાં પરિવારે ત્રણ મહિના સુધી સંભાળ રાખી. 21 જયારે તેને બહાર રાખવામાં આવ્યો, ત્યારે ફારુનની પુત્રીએ તેને લિધો અને પોતાના પુત્ર તરીકે ઉછેર્યો. 22 તેને ઈજિપ્તની બધીજ વિદ્યા શીખવવામાં આવી, મોશે વાણી અને કાર્યમાં બાહોશ બન્યો.
23 "જયારે મોશે ચાળીસ વર્ષનો થયો, ત્યારે તેણે તેના ઇઝરાયેલી એટલે પોતાના લોકોને મળવાનું નક્કી કયુઁ. 24 તેણે જોયું કે તેઓમાંના એક પર ઈજિપ્તવાસીને અન્યાય કરતો જોયો આથી તેણે તેનો બચાવ કયોઁ અને ઇજિપ્તવાસીને મારી નાખીને બદલો લીધો. 25 મોશેએ ધાયુઁ હતું કે તેના પોતાના લોકો સમજશે કે ઈશ્વરે તેમને બચાવવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે પણ તેઓ સમજ્યાં નહિ. 26 બીજા દિવસે મોશેએ બે ઇઝરાયેલીને લડતાં જોયા તેણે તેઓને શાંત પડતા કહ્યું, ‘ભલા માણસ, તમે ભાઈઓ છો તો તમે એકબીજાને કેમ નુકશાન પહોંચાડવા માંગો છો?’
27 "પરંતુ જે માણસ બીજા સાથે ખરાબ વતઁન કરતો હતો તેણે મોશેને ધક્કો મારીને કહેવા લાગ્યો, ‘તને અમારા ઉપર અધિકાર ચલાવવા અને અમારો ન્યાય કરવા તને કોણે નીમ્યો છે? 28 ગઈ કાલે પેલા ઈજિપ્તવાસીને તેં મારી નાખ્યો, એમ શું તું મને પણ મારી નાખવા માગે છે!’ 29 જયારે મોશેએ આ સાંભળ્યું ત્યારે તે મિદ્યાનમાં નાસી ગયો, જયાં તે પરદેશી તરીકે રહયો ત્યાં તેને બે દીકરા થયા.
30 "ચાળીસ વર્ષ વીતી ગયા પછી, સિનાઈ પર્વત પાસે અરણ્યમાં એક દૂતે બળતાં ઝાડની જવાળામાં તેને દર્શન દીધું. 31 જયારે તેણે આ જોયું ત્યારે તે દ્વશ્ય જોઇને આશ્ચર્ય પામ્યો. જયારે તે નિહાળવાં પાસે જતો હતો. ત્યારે તેણે પ્રભુને કહેતા સાંભળ્યાં: 32 ‘હું તારા પૂર્વજોનો ઈશ્વર એટલે અબ્રાહમનાં, ઇસહાકનાં તથા યાકોબનો ઈશ્વર છું.’ મોશે ભયથી ધ્રુજી ઊઠ્યો, ને જોવાની હિંમત કરી શકયો નહીં.
33 "પછી પ્રભુએ તેને કહ્યું, તારા ચંપલ કાઢ, કેમકે જે ભૂમિ પર તું ઊભો છે, તે પવિત્ર છે. 34 ઈજિપ્તમાં રહેતાં મારા લોકોનું દુઃખ મેં સાચે જ જોયું છે. ‘તેમના નિસાસા મેં સાંભળ્યા છે અને તેઓને મુક્ત કરવા હું નિચે ઊતર્યો છું. હવે આવ અને હું તને ઈજિપ્તમાં પાછો મોકલીશ.’
35 "આ એ જ મોશે છે જેનો તેઓએ નકાર કરીને કહ્યું હતું કે, ‘અમારા પર અધિકાર ચલાવવા અને અમારો ન્યાય કરવા તને કોણે નીમ્યો છે?’ ઈશ્વરે, તેને ઝાડીમાં દૂત દ્વારા દેખાયા તેને ઈશ્વરે, અધિકારી અને ઉધ્ધારક તરીકે મોકલી આપ્યો હતો. 36 ઈજિપ્તમાં, લાલ સમુદ્રમાં અને ચાળીસ વર્ષો સુધી અરણ્યમાં નોંધપાત્ર ચમત્કારો કરીને મોશે તે લોકોને દોરી લઈ ગયો.
37 "આ એ મોશે છે કે જેણે ઇઝરાયેલીઓને કહ્યું કે ‘ઈશ્વર તમારાં પોતાના લોકોમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારા માટે ઊભો કરશે.’ 38 તે અરણ્યની મંડળીમાં હતો, જે સિનાઈ પર્વત પર તેની સાથે વાત કરનાર દૂત સાથે અને આપણા પૂર્વજો સાથે હતો, અને તેને આપણને પહોંચાડવા માટે જીવંત વચનો આપ્યા.
39 "પરંતુ આપણા પૂર્વજોએ તેમને પાળવાનો ઈન્કાર કયોઁ, તેના બદલે તેઓએ તેમનો નકાર કયોઁ અને તેમના હ્રદયો ઈજિપ્ત તરફ પાછા ફયાઁ. 40 તેઓએ આરોનને કહ્યું, ‘અમારી આગળ ચાલે એવો દેવ બનાવ, કેમકે, અમને ઈજિપ્તમાંથી બહાર લઈ આવનાર મોશેનું શું થયું તે અમે જાણતા નથી!’ 41 તે સમયે તેઓએ વાછરડાંના આકારની મૂર્તિ બનાવી, તેને બલિદાન ચઢાવ્યું અને પોતાના હાથે બનાવેલી આ કૃતિમાં તેઓએ આનંદ કયોઁ. 42 પણ ઈશ્વર તેઓથી વિમુખ થઈ ગયા અને તેઓને ત્યજી દીધા જેથી તેઓ આકાશના સૈન્ય સૂર્ય, ચંદ્ર અને તારાઓની પૂજા કરે. પ્રબોધકોના પુસ્તકમાં લખેલું છે તે પ્રમાણે:
" ‘ઓ ઇઝરાયેલીઓ, અરણ્યમાં ચાળીસ વર્ષો સુધી
શું તમે મને બલિદાન ચઢાવ્યાં હતાં?
43 તમે મોલેખનો મંડપ,
અને તમારે દેવ રેફાનનાં તારા એટલે કે ની પૂજા કરવા માટે
બનાવેલી મૂર્તિઓ ઉપાડી ગયા છો,
તેથી હું તમને બેબિલોનને પેલે પાર બંદીવાસમાં મોકલી દઈશ.’
44 "મોશેને બતાવેલ ઈશ્વરના નમૂનો જોયો હતો તે પ્રમાણે, બનાવેલો કરારનો મુલાકાતમંડપ અરણ્યમાં આપણા પૂર્વજોની સાથે હતો. 45 આપણા પૂવઁજોએ યહોશુઆના માગઁદશઁન હેઠળ મુલાકાતમંડપ મેળવ્યો, જયારે તેઓએ તે વતન પ્રાપ્ત કરીને પોતાની સાથે લાવ્યા, ત્યારે જેઓને ઈશ્વરે તેઓને તેમની આગળથી હાંકી કાઢયા હતા. અને તે દાવિદનાં સમય સુધી દેશમાં રહ્યો હતો. 46 જે ઈશ્વરની કૃપા પામ્યો હતો, અને તેણે યાકોબનાં ઈશ્વરને માટે નિવાસસ્થાન બનાવવા રજા માંગી. 47 પણ સોલોમોને તેમને સારું ઘર બાંધ્યું.
48 "તોપણ પરાત્પર ઈશ્વર માનવીના હાથે બાંધેલા ઘરોમાં રહેતાં નથી, જેમ પ્રબોધક કહે છે:
49 " ‘સ્વર્ગ મારું રાજ્યાસન છે
પૃથ્વી મારું પાયાસન છે.
તો તમે મારે માટે કેવું ઘર બાંધવાના?
પ્રભુ કહે છે,
અથવા મારું વિશ્રામસ્થાન કયું હોય?
50 એ બધાંને શું મેં મારા હાથે બનાવ્યાં નથી?’
51 "ઓ હઠીલા લોકો, તમારા હૃદય અને કાન હજી સુધી સુન્નત થયેલા નથી, તમે તમારાં પૂર્વજો જેવા જ છો, તમે હંમેશા પવિત્ર આત્માનો વિરોધ કરો છો. 52 શું કોઈ એવો પ્રબોધક છે જેને તમારાં પૂર્વજોએ સતાવ્યો ન હોય? તેમણે ન્યાયીનાં આગમન સંબંધીની ભવિષ્યવાણી ઉચ્ચારી તેઓને તમે મારી નાખ્યા, અને હવે તમે તેને પણ દગો દઈને તેમને મારી નાખ્યાં છે. 53 નિયમ તમને દૂતો દ્વારા મળ્યો હતો, તેનું તમે પાલન કર્યું નથી."
54 જયારે સભાના સભ્યોએ આ સાંભળ્યું, ત્યારે તેઓ સ્તેફનના આ આક્ષેપોથી ક્રોધે ભરાયા અને તેની સામે દાંત પીસવાં લાગ્યા. 55 પણ સ્તેફન પવિત્ર આત્માથી ભરપૂર હતો, તેણે ઊંચે આકાશ તરફ એકીટશે જોઈને ઈશ્વરનો મહિમા નિહાળ્યો તથા ઈસુને ઈશ્વરના જમણે હાથે ઊભેલા જોયા. 56 તેણે કહ્યું, "જુઓ! આકાશ ખુલ્લું થયેલું તથા માણસના દીકરાને ઈશ્વરપિતાના જમણે હાથે ઊભેલા હું જોઉં છું."
57 આ સાંભળીને તેઓએ પોતાના કાન બંધ કર્યા, અને મોટેથી બૂમ પાડીને તેના પર એક સાથે ધસી આવ્યા. 58 તેઓ તેને શહેરની બહાર ઘસડી લઈ ગયા અને પથરા મારવાં લાગ્યા. તે દરમ્યાન સાક્ષીઓએ પોતાનાં કપડાં શાઉલ નામે એક જુવાનનાં પગ આગળ મૂક્યાંં હતાં.
59 જયારે તેઓ તેનાં પર પથ્થરો ફેંકી રહ્યા હતા, ત્યારે સ્તેફને પ્રાર્થના કરી, "પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કરો." 60 પછી તે ઘુંટણે પડયો અને મોટે ઘાંટે બોલ્યો, "હે પ્રભુ, આ પાપી કૃત્યનો દોષ તમે તેઓના માથે ના મૂકશો." એ પ્રમાણે બોલીને તે ઊંઘી ગયો.