1 સહીસલામત કિનારે આવ્યા પછી અમને ખબર પડી કે એ માલ્ટા ટાપુ કહેવાય છે. 2 ટાપુ વાસીઓએ અમારા પ્રત્યે ખૂબ જ મમતા દર્શાવી. વરસાદ અને ઠંડી હોવાને કારણે તેઓએ કિનારા પર તાપણું સળગાવ્યું અને અમારો આવકાર કયોઁ. 3 પાઉલે થોડાંક લાકડાં એકઠા કરીને તાપણામાં મૂક્યાંં ગરમીને લીધે એક ઝેરી સાપ તાપણામાંથી બહાર નીકળી આવ્યો અને તેના હાથે વીંટળાઈ વળ્યો. 4 ટાપુના લોકો તેના હાથ પર સાપને લટકતો જોઈને એકબીજાને કહેવા લાગ્યા: "આ માણસ ખૂની હોવો જોઈએ. જો કે સમુદ્રમાંથી તે બચી ગયો પણ ન્યાય તેને જીવતો રહેવા દેશે નહિ." 5 પણ પાઉલે સાપને અગ્નિમાં ઝાટકી નાંખ્યો, અને તેને જરા પણ ઈજા થઈ નહિ. 6 પણ લોકો ધારતા હતા કે તેને સોજો ચડી જશે અથવા એકાએક પડીને મરી જશે. પણ ઘણીવાર સુધી રાહ જોવા છતાં તેઓએ જોયું કે તેને કંઇ પણ ઇજા થઇ નથી કશું જ નુકશાન થયું નહિ. ત્યારે તેઓના વિચાર બદલાઈ ગયા અને તેઓએ કહ્યું કે તે કોઈ દેવ છે.
7 ત્યાં એ ટાપુની પાસે મુખ્ય અધિકારી પબ્લિયુસની જમીન આવેલી હતી. તેણે ઉમળકાભેર અમારો તેના ઘરમાં આવકાર કર્યો અને ત્રણ દિવસ સુધી અમને મહેમાન તરીકે રાખ્યાં. 8 પબ્લિયુસનો પિતાને તાવ અને મરડાની બિમારી હતી. પાઉલે તેને જોવા માટે ગયો અને પ્રાથઁના કરીને તેના પર હાથ મૂકીને તેને સાજો કર્યો. 9 જયારે આવું બન્યું ત્યારે ટાપુ પરના બીજા પણ બિમાર આવ્યા અને સાજાં કરવામાં આવ્યા. 10 તેઓએ અમને પુષ્કળ માન આપ્યું, અને જયારે અમે મુસાફરી શરૂ કરી ત્યારે, તેઓએ અમારી સફરને માટે તમામ સામગ્રી આપી.
11 ત્રણ મહિના પછી એક વહાણમાં બેસીને અમે મુસાફરી શરૂ કરી. એ વહાણ શિયાળો ગાળવાં માટે ટાપુમાં રોકાયું હતું, એ આલેકઝાન્ડ્રિયા વહાણ પર જોડિયાં દેવ નું નિશાન હતું. 12 અમે સિરાકુસ ગયા અને ત્યાં ત્રણ દિવસ રોકાયા. 13 ત્યાંથી અમે મુસાફરી શરુ કરીને રેગિયુમ આવ્યા. બીજા દિવસે દક્ષિણ તરફથી પવન વાવા લાગ્યો, અને બીજે દિવસે અમે પુતોલી પહોંચ્યા. 14 ત્યાં અમને કેટલાક ભાઈઓ અને બહેનો મળ્યા. તેઓએ અમને એક અઠવાડિયું એમની સાથે વિતાવવા આમંત્રણ આપ્યું. અને એટલા માટે રોમ આવ્યા. 15 ભાઈઓ અને બહેનોને અમારા આગમનની જાણ થતાં તેઓ આપિયસનું બજાર તેમજ ત્રણ સરાઈ સુધી અમને સામે મળવા આવ્યા. તેઓને જોઈને પાઉલે ઈશ્વરનો આભાર માન્યો અને તેને ઉત્તેજન મળ્યું. 16 જયારે અમે રોમ આવી પહોંચ્યા, ત્યારે સૈનિકના પહેરા નીચે પાઉલને પોતાની રીતે રહેવાની છૂટ આપવામાં આવી.
17 ત્રણ દિવસ પછી પાઉલે સ્થાનિક યહૂદી આગેવાનોને બોલાવ્યાં. જયારે તેઓ ભેગા થયા ત્યારે પાઉલે તેઓને કહ્યું, "મારા ભાઈઓ, જો કે મેં આપણા લોકોનું કે આપણા પૂવઁજોના નિયમની વિરુદ્ધ કશું કર્યું નથી; મને યરુશાલેમમાં પકડીને રોમનોનાં હાથમાં સોંપવામાં આવ્યો હતો. 18 તેઓ મારી તપાસ કરીને મને છોડવા માંગતા હતા, કેમકે મુત્યુદંડ થાય એવો કોઇ ગુનો ન હતો. 19 યહૂદીઓએ વિરોધ કયોઁ તેથી મારે કૈસર પાસે અપીલ કરવી પડી. હું મારા પોતાના લોકો પર કોઇ આરોપ મૂકવાનો ન હતો. 20 એ જ કારણથી મે તમને મળવા અને તમારી સાથે વાત કરવા વિનંતી કરી છે, ઇઝરાયેલની આશાને લીધે મને આ સાંકળોથી બાંધવામાં આવ્યો છે."
21 તેઓએ જવાબ આપ્યો, "યહૂદિયામાંથી અમને તારા વિશે કોઈ પત્રો મળ્યાં નથી તથા ત્યાંથી આવેલા અમારા લોકોમાંથી કોઇએ તારા વિશે કંઇ ખરાબ કહ્યું નથી કે અહેવાલ આપ્યો નથી. 22 પણ તું શું માને છે તે વિશે અમે સાંભળવા માંગીએ છીએ. કેમકે અમે જાણીએ છીએ કે દરેક જગ્યાએ લોકો આ પંથની વિરુદ્ધ બોલે છે."
23 તેઓએ એક ચોકકસ દિવસે પાઉલને મળવાનું નક્કી કયુઁ અને વધું સંખ્યામાં લોકો તે જયાં રહેતો હતો ત્યાં આવ્યા. દિવસે ઘણાં લોકો પાઉલના ઘરમાં એકઠા મળ્યાં. તેણે સવારથી સાંજ સુધી તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સાક્ષી આપીને મોશેનાં નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનાં લખાણોમાંથી ઈસુ વિશે સમજાવવાનો પ્રયાસ કયોઁ. 24 કેટલાએકે તેની વાત માની પણ બિજાઓએ વિશ્વાસ ન કર્યો. 25 તેઓ એકમતના ન થયા અને ત્યાંથી જવા લાગ્યા પણ તે પહેલાં પાઉલે તેમને એક વાત કહી: "પવિત્ર આત્માએ યશાયા પ્રબોધકની મારફતે આપણા પૂર્વજોને સત્ય જે કહ્યું હતું:
26 " ‘આ લોકની પાસે જા ને કહે,
"તમે સાંભળશો પણ સમજશો નહિ,
અને જોશો પણ તમને સૂઝશે નહિ."
27 કેમકે આ લોકોના હૃદયો જડ થઈ ગયાં છે,
તેઓના કાન બહેર મારી ગયા છે
તેઓએ પોતાની આખો બંધ કરી છે
નહીતો તેઓ આંખોથી જુએ, કાનથી,
સાંભળે, મનથી
સમજે અને પાછા ફરે, અને
હું તેઓને સાજા કરું.’
28 "તેથી હું તમને જણાવવાં માગું છું કે ઈશ્વરનું તારણની વિદેશીઓ પાસે પહોંચાડવામાં આવ્યું છે અને તેઓ સાંભળશે." 29 પાઉલે એ કહ્યું ત્યારે યહૂદીઓ અંદરોઅંદર ઉગ્ર વાદવિવાદ કરતા જતા રહ્યા.
30 બે વરસ સુધી પાઉલ ત્યાં પોતાના ભાડાનાં ઘરમાં રહ્યો, અને તેની પાસે આવનારાંઓનો તે આદરસત્કાર કરતો હતો. 31 પુરી હિમતથી અને કોઇ પણ અવરોધ વગર તેણે ઈશ્વરનાં રાજ્યનો પ્રચાર કયોઁ અને પ્રભુ ઈસુ મસીહ વિશે શિખવ્યું!