1 થિઓફિલ, મેં મારા પહેલાના પુસ્તકમાં, ઈસુએ જે કરવાનું અને શીખવવાનું શરૂ કર્યુ તે બધું લખ્યું છે. 2 તેમને સ્વગઁમાં લઇ લેવામાં આવ્યા ત્યાં સુધી, તેમણે પવિત્ર આત્મા દ્રારા પોતાના પસંદ કરેલાં પ્રેષિતોને સુચનાઓ આપી. 3 દુઃખ સહયા પછી તેમણે તેઓને પોતાને પ્રગટ કયાઁ અને તેઓને ખાતરી કરાવી કે તે પોતે જીવંત છે તેમણે ચાલીસ દિવસ સુધી તેઓને દશઁન આપ્યું અને ઈશ્વરના રાજ્ય વિશે શિક્ષણ આપ્યું. 4 એક પ્રસંગે જયારે તે તેઓ સાથે ભોજન કરી રહ્યા હતા, ત્યારે તેમણે તેઓને આજ્ઞા આપી, "યરુશાલેમ છોડશો નહિ પણ મારા પિતાએ જે દાન આપવાનું વચન આપ્યું છે, જેની વાત તમે મને કહેતા સાંભળ્યો છે તેની રાહ જો જો. 5 કેમકે યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું હતું પણ ટૂંક સમયમાં તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો."
6 પછી તેઓ તેમની આસપાસ ભેગા થયા અને તેમને પૂછયું, "પ્રભુ, શું તમે ઇઝરાયેલની રાષ્ટ્રની ફરીથી સ્થાપવાના કરવાનાં છો?"
7 તેમણે તેઓને કહ્યું, "પિતાએ પોતાના અધિકાર હેઠળ જે સમય કે વિધિઓ નક્કી કરેલાં છે, એ જાણવાનું તમારું કામ નથી." 8 "પણ જયારે પવિત્ર આત્મા તમારાં પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરુશાલેમ, યહૂદિયા, સમરૂન તથા પૃથ્વીનાં છેડા સુધી તમે મારા સાક્ષી થશો."
9 એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતાં જ તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને વાદળે તેમને તેઓની નજરથી છુપાવી દીધા.
10 તેઓ આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા હતા, તેવામાં તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં બે પુરુષોને તેમની બાજુમાં ઊભા રહેલાં જોયા. 11 તેઓએ કહ્યું, "ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? આ જ ઈસુ, જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઇ લેવામાં આવ્યા છે, જેમ તમે તેમને સ્વગઁમાં જતાં જોયા તે જ રીતે તેઓ પાછા આવશે."
12 પછી પ્રેષિતો જૈતુન નામના પહાડથી યરુશાલેમ પાછા ગયા. જે શહેરની વિશ્રામવારને મજલ જેટલે દુર હતું 13 જયારે તેઓ પોહચ્યા, ત્યારે તેઓ નિવાસસ્થાને ઉપલી મેડીમાં તેઓ ગયા.
પિતર, યોહાન, યાકોબ, આન્દ્રિયા,
ફિલિપ, અને થોમાસ,
બર્થોલ્મી, અને માથ્થી,
અલ્ફીનો દીકરો યાકોબ, સિમોન ઝેલોટીસ તથા યાકોબનો ભાઈ યહૂદા હતા.
14 વળી ઈસુની મા મરિયમ, બીજી કેટલીક સ્ત્રીઓ તથા ઈસુના ભાઈઓ પણ ત્યાં હતાં, તેઓ બધા એક ચિતે પ્રાર્થનામાં લાગુ રહ્યાં.
15 તે દિવસોમાં પિતર લગભગ એકસો વીસ વિશ્વાસીઓ મધ્યે પિતર ઊભો થયો, 16 અને કહ્યું "ભાઈઓ અને બહેનો, તે ઈસુને પકડાવી દેશે એવું યહૂદા વિશેનું જે ભવિષ્યવચન પવિત્ર આત્માએ દાવિદ રાજા મારફતે કહેલું હતું તે પૂર્ણ થવાની જરૂર હતી. 17 તે આપણામાંનો એક હતો અને આપણી સેવામાં તેને ભાગ મળ્યો હતો."
18 તેના દુષ્ટ કાયઁના બદલામાં મળેલાં પૈસામાંથી તેણે એક ખેતર ખરીદ્યું. ત્યાં તે ઊંધે માથે પટકાયો તેનું પેટ ફાટી ગયું અને આંતરડાં બહાર નીકળી ગયાં. 19 યરુશાલેમમાં બધા લોકોએ આ વાત સાંભળી તેથી તેઓએ તે ખેતરને અકેલ્દામાં એટલે લોહીનું ખેતર એવું નામ આપ્યું.
20 કેમકે પિતરે કહ્યું, ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખેલું છે.
" ‘તેનું સ્થાન ઉજજડ થાવ;
અને તેમાં કોઈ વસે નહિ,’
અને,
" ‘તેનું કાર્ય બીજા કોઈને સોંપવામાં આવે.’
21 માટે, પ્રભુ ઈસુ આપણી વચ્યે રહેતા હતા તે દરમ્યાન જે માણસો આપણી સાથે રહ્યા છે તેમાંથી એકને પસંદ કરવો જરૂરી છે. 22 યોહાન બાપ્તિસ્માથી શરુ કરીને ઈસુને આપણી પાસેથી ઉપર લઇ લેવામાં આવ્યા. કેમકે આમાનાં એકે આપણી સાથે તેમના પુનરુત્થાનનો સાક્ષી હોવો જોઈએ."
23 તેથી તેઓએ યોસેફ યુસ્તસ કે જે બસઁબાસ પણ કહેવાતો હતો તે અને માથ્થિયાસ એ બે જણના નામ રજૂ કર્યા. 24 ત્યારે તેઓએ પ્રાર્થના કરી કે, "હે અંતર્યામી પ્રભુ, આ બે માણસોમાંથી તમે કોને પસંદ કર્યા છે તે અમને બતાવો. 25 આ પ્રેષિતોનું સેવા કાયઁ સંભાળવાને માટે જે યહૂદા પતિત થઈને તેના પોતાના સ્થાને ગયો છે." 26 પછી તેઓએ ચિઠ્ઠીઓ નાંખી તેમાં માથ્થિયાસનાં નામની ચિઠ્ઠી નીકળી, તેથી અગિયાર પ્રેષિતોમાં ઉમેરાયો.