Publicidade

Atos 5

અનાન્યા અને સાફિરા

1 અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફિરાએ સાથે મળીને મિલ્કતનો એક ટુકડો વેચી દિધો. 2 તેની પત્નીની સંમતીથી તેણે નાણાંનો કેટલોક હિસ્સો પોતાને માટે રાખ્યો પણ બાકીનાં પ્રેષિતોના પગ આગળ મૂક્યાં.

3 પછી પિતરે કહ્યું, "અનાન્યા, શેતાને તારું હૃદય કેમ કબજે કર્યું છે, કે તું પવિત્ર આત્માને જૂઠું બોલીને જમીનના નાણાંમાંથી થોડો હિસ્સો તારા માટે રાખ્યો છે? 4 તે વેચાયા પહેલાં તે તારી ન હતી? અને વેચ્યાં પછી નાણાં તારા હાથમાં ન હતા? તો પછી તેં આવું કેમ કર્યું? તું માણસો આગળ નહિ પણ ઈશ્વર આગળ જૂઠું બોલ્યો છે."

5 જયારે અનાન્યાએ આ સાંભળ્યું, ત્યારે તે પડી ગયો અને મરણ પામ્યો. અને જેઓએ આ સાંભળ્યું તે સર્વ ભયભીત થયા. 6 પછી કેટલાક જુવાનો આગળ આવ્યા, તેને કપડાંમાં વીંટાળ્યો અને બહાર લઈ જઈને દફનાવ્યો.

7 ત્રણેક કલાક પછી તેની પત્ની ત્યાં અંદર આવી, જે કાંઈ બન્યું હતું તેની તેને ખબર ન હતી. 8 પિતરે તેને પૂછયું, "મને કહે, શું તે અને અનાન્યાને જમીન માટે આટલી જ કિંમત મળી?"

તેણે જવાબ આપ્યો, "હા, તેટલી જ કિંમત."

9 પિતરે તેને કહ્યું, "ઈશ્વરના આત્માની કસોટી કરવાનો કેમ વિચાર કર્યા? જો જુવાનો તારા પતિને દફનાવવાં લઈ ગયેલાં માણસોના પગલાં બારણાં પાસે જ છે અને તેઓ તને પણ લઈ જશે."

10 તરત જ તે જમીન પર પડી ગઈ અને મરણ પામી. પછી તે જુવાનોએ અંદર આવીને તેને મરણ પામેલી જોઈ. તેને પણ બહાર લઈ જઈને તેના પતિની પાસે દફનાવી. 11 મંડળીમાં તથા જેઓએ આ બનાવ વિશે સાંભળ્યું, તે સર્વમાં ભારે ભય ફેલાઈ ગયો.

પ્રેષિતોએ ધણાને સાજા કર્યા

12 પ્રેષિતોએ ઘણાં અદભુત કામો અને ચમત્કારો કર્યા. અને બધા વિશ્વાસીઓ સોલોમોનની પરસાળમાં ભેગા થતાં હતાં. 13 લોકોને તેઓ પ્રત્યે માન હતુ, તોપણ તેઓ તેમની સાથે જોડાવાની હિંમત કરતા ન હતા. 14 છતાં, પ્રભુ પર વિશ્વાસ કરનારાં સંખ્યાબંધ પુરુષો અને સ્ત્રીઓ વિશ્વાસીઓની સંગતમાં ઉમેરાતાં ગયાં, 15 પરીણામે, લોકો બીમાર માણસોને ખાટલામાં અને પથારીઓમાં લાવીને રસ્તામાં સુવાડતા હતા જેથી પિતર ત્યાં થઈને પસાર થાય ત્યારે તેનો પડછાયો તેઓમાંના કેટલાક પર પડે. 16 યરુશાલેમ અને આસપાસના સ્થળોએથી સંખ્યાબંધ લોકો તેઓના બીમાર અને અશુધ્ધ આત્માઓથી પીડાતાં લોકોને લઈને આવતાં હતા અને તે બધાને સાજાં કરવામાં આવ્યા.

પ્રેષિતોની સતાવણી

17 પ્રમુખ યાજકને તથા તેના બધા મિત્રો જેઓ સાદૂકીઓમાંના પક્ષના હતાં, તેઓને બહુ જ ઈર્ષા આવી. 18 તેઓએ પ્રેષિતોને પકડીને જાહેર જેલમાં પૂર્યાં. 19 પરંતુ પ્રભુના દૂતે રાત્રે જેલનાં દરવાજા ખોલી નાખ્યા અને તેઓને બહાર કાઢયા, 20 "જાઓ, અને મંદિરમાં ઊભા રહીને લોકોને આ નવા જીવન વિશેની સઘળું કહો."

21 વહેલી સવારે જેમ તેઓને કહેવામાં આવ્યું હતું તેમ તેઓ મંદિરમાં આવીને લોકોને ઉપદેશ આપવાનું શરૂ કર્યું.

જયારે પ્રમુખ યાજકે તથા તેના સાથીઓ આવ્યા, ત્યારે તેઓએ ન્યાયસભા એટલે કે ઇઝરાયેલના વડીલોની આખી સભાને બોલાવી અને પ્રેષિતોને જેલમાંથી બોલાવી મંગાવવાનો હુકમ કર્યા. 22 સિપાઈઓ જેલમાં ગયા, તેઓ તેમને ત્યાં મળ્યા નહિ. તેથી તેઓએ પાછા આવીને જાણ કરી કે, 23 "અમે જેલનાં દરવાજા બરાબર બંધ કરેલાં જોયા અને રક્ષકો બહાર ઊભા રહીને ચોકી કરતા હતા, પરંતુ જયારે અમે દરવાજો ખોલ્યો ત્યારે તેઓમાંનો કોઈ અંદર ન હતો." 24 જયારે મંદિરનાં સરદારે તથા મુખ્ય યાજકોએ આ સાંભળી ત્યારે તેઓ વિમાસણમાં પડી ગયા. હવે આનું પરિણામ શું આવશે.

25 એટલામાં એક જણે આવીને કહ્યું, જુઓ! જે માણસોને જેલમાં પૂરવામાં આવ્યા હતા, તેઓ મંદિરમાં ઊભા રહીને લોકોને બોધ કરે છે. 26 ત્યારે સરદાર પોતાના સિપાઈઓ સાથે જબરદસ્તી કર્યા વિના પ્રેષિતોને લઈ આવ્યો. કેમકે તેઓને ડર હતો કે લોકો તેઓને પથ્થરે મારશે.

27 તેઓએ પ્રેષિતોને લાવીને ન્યાયસભા સમક્ષ રજૂ કર્યા. પ્રમુખ યાજકે તેઓને પૂછયું. 28 "તેણે કહ્યું, અમે તમને સખત હુકુમ કર્યો હતો કે આ નામથી ઉપદેશ કરવો નહિ, પણ તમે તો આખા યરુશાલેમને તમારાં બોધથી ગજાવી મૂકયું છે, અને એ માણસનાં મૃત્યુ માટે અમને દોષિત ઠરાવો છો."

29 પિતરે અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, "અમારે માણસો કરતા ઈશ્વરનું વધારે માનવું જોઈએ. 30 આપણા પૂર્વજોનાં ઈશ્વરે ઈસુને મરણમાંથી સજીવન કર્યા. જેને તમે ક્રૂસ પર જડીને મારી નાખ્યા. 31 ઈશ્વરે તેમને પોતાને જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઊંચા કર્યા છે કે જેથી ઇઝરાયેલીઓને પસ્તાવો કરાવે અને તેઓના પાપની માફી આપે. 32 આ બધી વાતોનાં અમે સાક્ષી છીએ, તથા ઈશ્વરે પોતાની આજ્ઞા માનનારાઓને જે પવિત્ર આત્મા આપ્યો છે તે પણ સાક્ષી છે."

33 જયારે તેઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને તેઓને મારી નાખવાનું તેઓએ નક્કી કર્યું. 34 પણ ગમાલ્યેલ નામે એક ફરોશી, નિયમશાસ્ત્રનો પંડિત હતો, અને બધા લોકો તેને માન આપતાં હતાં. તે સભામાં ઊભો થયો અને તેણે માણસોને થોડીવાર માટે બહાર કાઢવાનો હુકમ કર્યો. 35 પછી તેણે સભાને કહ્યું, "ઇઝરાયેલી માણસો, આ લોકોને તમે જે કાંઈ કરવા ધારો છો તે વિશે સાવચેત રહો. 36 થોડા સમય પહેલાં થિયુદાસ નામનાં માણસે પોતે મહાન હોવાનો દાવો કયોઁ અને તેની સાથે લગભગ ચારસો જેટલાં માણસો જોડાયાં હતા તે માર્યો ગયો અને તેના સાથીદારો પણ વેરવિખેર થઈ નાશ પામ્યા. 37 એના પછી વસ્તી ગણતરીનાં દિવસોમાં સમયે ગાલીલના યહૂદાએ બળવો કયોઁ, તેણે પણ ઘણાં લોકોને પોતાની પાછળ ખેંચ્યા. તે પણ માર્યો ગયો અને તેના અનુયાયીઓ પણ વિખેરાઈ ગયા. 38 તેથી, આ કિસ્સામાં મારી સલાહ છે કે આ માણસોને એકલાં છોડી દો! તેમને જવા દો! જો તેમનો હેતુ અથવા કાયઁ માનવયોજિત હશે તો તે પડી ભાંગશે. 39 પણ જો તે ઈશ્વરયોજિત હશે તો તમે આ માણસોને રોકી શકશો નહિ; તમે ફક્ત ઈશ્વરની વિરુદ્ધ લડનારા ગણાશો."

40 તેઓએ તેમની વાત સ્વીકારી. તેઓએ પ્રેષિતોને અંદર બોલાવીને માર માર્યો. પછી તેઓને આજ્ઞા આપી કે, વાત કરતાં પણ તમારે ઈસુનું નામ કદી લેવું નહિ. એમ કહીને તેઓને છોડી મૂક્યાં.

41 અને તેઓ આનંદ કરતા હતાં કે તેમના નામને લીધે અપમાન સહન કરવાને પોતે યોગ્ય ગણાયા. અને પ્રેષીતો સભા છોડી ને ચાલ્યા ગયા. 42 તેઓએ દરરોજ મંદિરમાં તથા ઘરે ઘરે ઈસુ એ જ મસીહ છે, એવા સુસમાચાર પ્રગટ કરવાનું બંધ કયુઁ નહિ.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_18-40-07-