1 જયારે ધાંધલ શાંત પડયાં, પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેમને ઉત્તેજન આપ્યું, વિદાય આપીને મકદોનિયા તરફ જવા નીકળ્યો. 2 તેણે વિસ્તારમાંથી પસાર થઇને લોકોને ઉત્તેજનના ઘણાં શબ્દો કહયાં અને અંતે તે ગ્રીસ પોહચ્યો. 3 ત્યાં તે ત્રણ માસ સુધી રહ્યો, પછી તે જળમાર્ગે સિરીયા જવા નિકળ્યો, કેટલાક યહૂદીઓએ તેની વિરુધ્ધ કાવતરું ઘડયું હતુ, તેથી તેણે મકદોનિયા થઈને પાછા જવાનો નિર્ણય કર્યો. 4 તેની સાથે બરૈયાના પુર્હસનો દીકરો સોપાતર, થેસ્સાલોનિકીઓમાંના અરિસ્તાર્ખસ અને સેકુંદસ, દર્બેનો ગાયસ, તિમોથી, આસિયાના તુર્ખીકસ અને ત્રોફીમસ હતા. 5 આગળ જઈને તેઓ ત્રોઆસમાં અમારી રાહ જોતાં હતા. 6 બેખમીર રોટલીનું પર્વ પૂરું થયું ત્યારે અમે ફિલિપ્પીથી વહાણમાં બેસીને નીકળ્યાં અને પાંચ દિવસ પછી ત્રોઆસમાં તેઓની પાસે આવી પહોંચ્યા. ત્યાં અમે સાત દિવસ રોકાયા.
7 અઠવાડિયાને પ્રથમ દિવસે અમે રોટલી ભાંગવાને માટે એકઠા થયા. પાઉલે ઉપદેશ આપ્યો. બીજે દિવસે તે ત્યાંથી જવાનો હતો, તેથી તેણે મધરાત સુધી ઉપદેશ ચાલુ રાખ્યો. 8 અમે ઉપલી મેડીમાં એકઠા થયા હતા, ત્યાં ઘણાં દીવા સળગતાં હતા. 9 પાઉલનું ભાષણ ચાલતું હતું. તે દરમિયાન બારીએ બેઠેલા યુતુખસ નામનાં એક જુવાન ભર ઊંઘમાં હતો ત્યારે તે ત્રીજે માળેથી નીચે પડયો અને મૂએલો ઉપાડયો. 10 પાઉલે જુવાન પર પડીને તેને બાથમાં લીધો અને કહ્યું, "ચિંતા કરશો નહિ, તે જીવે છે." 11 પછી તે ઉપર ગયો અને રોટલી ભાંગીને ખાધી અને પરોઢ સુધી વાત કરી અને પછી વિદાય લીધી. 12 લોકો તે જુવાનને જીવતો ઘરે લઇ ગયા, અને તેઓ ઘણો દિલાસો પામ્યા.
13 અમે આગળ જઈને વહાણમાં આસસ ગયા, જયાં અમે પાઉલને વહાણમાં લેવાનાં હતા. તે પગપાળા જવાનો હોવાથી તેણે આ વ્યવસ્થા કરી હતી. 14 જયારે તે અમને આસસમાં મળ્યો ત્યારે ત્યાંથી અમે તેને વહાણમાં લઇને મિતુલેને ગયા. 15 બીજે દિવસે અમે હંકારીને ખીઓસ આવી પહોંચ્યા. બીજે દિવસે અમે સામોસ ગયા અને પછીના દિવસે મિલેતસ ગયા. 16 પાઉલે આસિયામાં સમય ગાળવો ન પડે માટે એફેસસને બાજુ પર મુંકીને વહાણમાં જવાનું નક્કી કયુઁ, કેમકે શકય હોય તો પચાસમાના દિવસે તે યરુશાલેમ પહોંચવાની ઉતાવળ હતી.
17 મિલેતસથી, પાઉલે એફેસસની મંડળીના વડીલોને સંદેશો મોકલ્યો. 18 જયારે તેઓ આવ્યા, ત્યારે તેણે તેઓને કહ્યું: "તમે જાણો છો કે આસિયા પ્રાંતમાં આવ્યો તે બધો સમય હું તમારી સાથે રહીને કેવી રીતે વત્યોઁ છું. 19 મેં ખુબજ નમ્રતાથી અને આંસુસહિત, અને મારા યહૂદી વિરોઘીઓના કાવતરાઓથી, કઠીન પરિક્ષણો વચ્યે પ્રભુનું કામ કર્યું છે. 20 તમે જાણો છો કે તમારા માટે ઉપયોગી કંઇ પણ ઉપદેશ આપવામાં હું અચકાયો નથી પણ જાહેરમાં કે ઘરે ઘરે ઉપદેશ આપ્યો છે. 21 મેં યહૂદીઓ અને ગ્રીકોને કહ્યું છે કે તેઓએ પસ્તાવો કરીને ઈશ્વર તરફ ફરી આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવો જોઈએ.
22 "અને હવે, હું પવિત્ર આત્માની દોરવણીથી યરુશાલેમ જાઉં છું. ત્યાં મને શું થશે તે હું જાણતો નથી; 23 હું ફકત એટલું જ જાણું છું કે પવિત્ર આત્મા મને ચેતવણી આપે છે કે દરેક શહેરમાં મારે જેલ અને સતાવણી સહન કરવાનાં છે. 24 પણ હું મારો જીવ વહાલો ગણીને તેની દરકાર કરતો નથી; મારો એક માત્ર ધ્યેય દોડ પુરી કરવાનો પ્રભુ ઈસુએ સોંપેલા કાર્યને પૂર્ણ કરવાનો છે. તે કાયઁ અને ઈશ્વરની મહાન કૃપાની સુવાર્તાની સાક્ષી આપું.
25 "હું જાણું છું કે તમારાંમાંનો કોઇ પણ, જેમને મેં રાજ્યનો ઉપદેશ આપ્યો છે તેઓમાંથી કોઈ પણ મને ફરીથી જોનાર નથી. 26 તેથી હું તમને જાહેર કરું છું કે હું તમારા કોઈનાં પણ લોહી માટે નિદોઁષ છું. 27 કેમકે મેં તમને ઈશ્વરનો સંપૂર્ણ ઇરાદો તમારી આગળ પ્રગટ કરવામાં કોઇ સંકોચ કયોઁ નથી. 28 તમે પોતાના પર અને પવિત્ર આત્માએ તમને જે ટોળા પર અધ્યક્ષ નિમ્યા છે તે વિશે સાવધાન રહો. ઈશ્વરનની મંડળીના પાળક બનો જેને તેમના પોતાના લોહી દ્વારા ખરીદી છે. 29 હું જાણું છું કે મારા ગયા પછી ક્રૂર વરુઓ તમારાંમાં ઊભા થશે. તેઓ ટોળા પ્રત્યે જરા પણ દયા બતાવશે નહિ. 30 વળી ખુદ તમારાં પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે કે જેઓ સત્યનો અવળો અર્થ કરીને શિષ્યોને પોતાની પાછળ ગેરમાર્ગે દોરી જશે. 31 તેથી સાવધ રહો! અને યાદ રાખો કે ત્રણ વરસ સુધી મેં રાતદિવસ આંસુઓ વહેવડાવીને તમને દરેકને ચેતવવાનું બંધ કયુઁ નથી.
32 "હવે હું તમને ઈશ્વરની તથા તેમની કૃપાના વચનને સોંપુ છું. જે તમને મજબૂત બનાવી શકે છે અને પવિત્ર થયેલા બધાં લોકોમાં તમને વારસો આપી શકે. 33 મેં કોઇના ચાંદી કે સોના કે વસ્ત્રનો લોભ કયોઁ નથી. 34 વળી તમે જાણો છો કે મારી તથા મારા સાથીદારોની જરૂરિયાત પૂરી પાડવા માટે મેં મારે હાથે જ મહેનત કરી છે. 35 મેં જે કંઇ કયુઁ તેમાં મેં તમને બતાવ્યું કે આ પ્રકારની સખત મહેનતથી આપણે ગરીબોને મદદ કરવી જોઈએ, પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું તે તમારે યાદ રાખવું જોઈએ કે ‘લેવાં કરતાં આપવામાં વિશેષ ધન્યતા છે.’ "
36 જયારે પાઉલે વાત પુરી કયાઁ પછી, તેણે સવઁએ ઘુંટણે પડીને તેઓની સાથે પ્રાર્થના કરી. 37 તેઓ સઘળા બહુ રડયા અને કોટે વળગીને તેને ચુંબન કયુઁ. 38 પાઉલે કહ્યું હતું કે તમે મારું મોં ફરીથી જોવા પામશો નહિ એને લીધે તેઓ વધારે દુઃખી થયા. પછી તેઓ વહાણ સુધી તેની સાથે ગયા.