1 મારા ભાઈઓ, તમારામાંથી ઘણાએ શિક્ષક ન બનવું જોઈએ, કારણ કે તમે જાણો છો કે આપણે જેઓ શિક્ષણ આપીએ છીએ તેમનો ન્યાય વધું કડક રીતે થશે. 2 આપણે બધા ઘણી રીતે ભૂલો કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂણઁ છે, અને તે પોતે પોતાના આખા શરીરને અંકુશમાં રાખવાને શકિતમાન છે.
3 જયારે આપણે ઘોડાઓને અંકુશમાં રાખવા માટે તેમના મોમાં લગામ ઘાલીએ છીએ, ત્યારે આપણે આખા પ્રાણીને ફેરવી શકીએ છીએ. 4 અને ઉદાહરણ તરીકે એક જહાંજ લો, જો કે તે મોટા હોય અને ભારે પવનથી ધકેલાય છે, તોપણ તેને એક નાનાં સુકાનથી સુકાનીની મરજી હોય તેમ ચલાવવામાં આવે છે. 5 એ જ પ્રમાણે જીભ પણ શરીરનો એક નાનો અવયવ છે, છતાં પણ તે મોટી બડાઈ મારે છે. અગ્નિના એક નાનું તણખલું કેવાં મોટા જંગલમાં આગ લગાડે છે તેનો વિચાર કરો. 6 જીભ પણ અગ્નિની છે, શરીરનાં અવયવોમાં દુષ્ટતાનું જગત છે. તે આખા શરીરને ભ્રષ્ટ કરે છે, તે આખા જીવનને આગ લગાડે છે, અને તે પોતે નરકની આગમાં ભસ્મીભૂત કરવામાં આવેલી છે.
7 દરેક પ્રકારનાં પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં અને જળચર પ્રાણીઓ વશ થાય છે અને માણસોએ તેમને વશ કર્યા છે, 8 પણ કોઈ માણસ જીભને વશ કરી શકતો નથી. તે એક અશાંત દુષ્ટતા છે, તે પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.
9 જીભથી આપણે આપણા પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, અને તે દ્રારા આપણે માણસોને શાપ પણ આપીએ છીએ. 10 સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે, મારા ભાઈઓ અને બહેનો, આવું તો ન જ થવું જોઈએ 11 શું ઝરણું એક જ મુખમાંથી મીઠું અને ખારું પાણી આપી શકે? 12 મારા ભાઈઓ અને બહેનો, શું અંજીર જૈતફળ અથવા દ્રાક્ષાવેલા પરથી અંજીર મેળવી શકાય? તેમજ ખારા પાણીનું ઝરણ મીઠું પાણી આપી શક્તું નથી.
13 તમારામાં જ્ઞાની અને સમજુ કોણ છે? તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે. 14 પણ જો તમારાં હ્રદયમાં કડવાશ, ઈષાઁ અને સ્વાથીઁ મહત્વાકાંક્ષા હોય, તો તેના વિશે બડાશ મારો નહિ કે સત્યનો ઇનકાર ન કરો. 15 આવું "જ્ઞાન" સ્વગઁથી ઉતરેલું નથી પણ તે પૃથ્વી પરનું છે, અનાધ્યાત્મિક અને શેતાની છે. 16 કારણ કે જયાં અદેખાઈ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂંડાઈ છે.
17 પરંતુ સ્વર્ગમાંથી આવતું જ્ઞાન નિર્મળ છે; અને શાંતિપ્રિય, વિચારશીલ, આધીન, નમ્ર, સારા ફળથી ભરપૂર, નિષ્પક્ષપાત અને દંભરહિત છે. 18 વળી સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, ને ન્યાયપણું લણે છે.