1 જયારે અપોલસ કરિંથમાં હતો ત્યારે પાઉલ અંદરના પ્રદેશમાં પસાર થઈને એફેસસ ગયો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા. 2 તેણે તેઓને પૂછયું, "તમે વિશ્વાસ કર્યા ત્યારે શું તમે પવિત્ર આત્મા પામ્યા?"
તેઓએ જવાબ આપ્યો, "ના, અમે પવિત્ર આત્મા છે એવું સાંભળ્યું પણ નથી."
3 તેથી પાઉલે પૂછયું, "તો તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?"
તેઓએ જવાબ આપ્યો, "યોહાન બાપ્તિસ્તનું."
4 પાઉલે કહ્યું, "યોહાનનું બાપ્તિસ્મા પસ્તાવાનું બાપ્તિસ્મા હતું. તેણે લોકોને કહ્યું મારી પાછળ જે આવે છે એટલે ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ." 5 આ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુના નામે બાપ્તિસ્મા લીધું. 6 જયારે પાઉલે તેઓના માથા પર હાથ મૂક્યાં ત્યારે પવિત્ર આત્મા તેઓના પર ઊતરી આવ્યો અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવાં તથા પ્રબોધ કરવા લાગ્યા. 7 એ બધા મળીને બારેક પુરુષો હતા.
8 પાઉલે સભાસ્થાનમાં જઈને ત્રણ મહિના સુધી હિંમતથી બોધ કરતો, અને ઈશ્વરના રાજ્ય વિશે વાદવિવાદ કરતો. 9 પણ, કેટલાકે હઠીલા થઇ; તેઓએ વિશ્વાસ કરવાનો ઇનકાર કયોઁ. અને જાહેરમા ઈસુનાં માગઁની નિંદા કરી. તેથી પાઉલ તેઓને છોડી ને ગયો. અને શિષ્યોને પોતાની સાથે લઈને તે તુરાનસના સભાગૃહમાં દરરોજ ચચાઁ કરતો. 10 એ પ્રમાણે બે વરસ સુધી ચાલ્યું, આસિયા પ્રદેશમાં રહેતા સર્વ ગ્રીક અને યહૂદી લોકોએ પ્રભુનો સંદેશો સાંભળ્યો.
11 વળી ઈશ્વરે પાઉલથી અસાધારણ ચમત્કારો કયાઁ. 12 એટલે સુધી કે હાથરૂમાલ અને વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લઇ જતાં ને તેમને અડકાડતા ને તેઓના રોગ દુર થતા અને અશુધ્ધ આત્મા તેઓમાંથી નીકળી જતા.
13 કેટલાક ભટકતાં યહૂદી ભૂવાઓ પણ અશુધ્ધ આત્માઓને કાઢવા માટે ઈસુના નામનો ઉપયોગ કરવા લાગ્યા. તેઓ કહેતાં કે, "પાઉલ જેમને પ્રગટ કરે છે તે ઈસુના નામમાં હું તને હુકમ કરું છું કે તું બહાર નીકળી જા." 14 સ્કેવા નામનાં એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરાઓ આ પ્રમાણે કરતા હતા. 15 એક દિવસે અશુધ્ધ આત્માએ તેઓને કહ્યું, "હું ઈસુને ઓળખું છું અને પાઉલને પણ ઓળખું છું. પણ તમે કોણ છો?" 16 પછી અશુધ્ધ આત્મા વળગેલો એ માણસ તેઓ પર કૂદી પડયો અને તેઓ બધાને હરાવ્યાં અને તેઓને એવા માર્યા કે લોહીલુહાણ થઈને તેઓ ઘરમાંથી નવસ્ત્ર નાઠાં.
17 જયારે એફેસસમાં રહેતા યહૂદીઓ અને ગ્રીકોમાં આ વાતની ખબર પડી, ત્યારે તેઓ સવઁને ડર લાગ્યો, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવાન મનાયું. 18 હવે જેઓ વિશ્વાસ કરતાં હતાં તેઓમાંના ઘણાંએ આવીને તેઓ જે કામ કરતા હતા તે તેઓએ જાહેરમાં કબૂલ કર્યા. 19 ઘણાં જાદુગરોએ પોતાના પુસ્તકો લાવીને સહુનાં દેખતાં જાહેરમા બાળી નાંખ્યાં. એ પુસ્તકોની કિંમત ગણી તો એકંદરે પચાસ હજાર ચાંદીના સિક્કા જેટલી થઈ. 20 આમ ઈશ્વરનો સંદેશો પ્રબળ રીતે આખા પ્રદેશમાં ફેલાઈ ગયો.
21 એ બધુ બન્યા પછી, પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈ યરુશાલેમ જવાનું નક્કી કર્યું અને કહ્યું કે, "મારે રોમ પણ જવું જોઈએ." 22 તેણે પોતાના બે સહાયકો તિમોથી તથા એરાસ્તસને મકદોનિયા મોકલ્યા, જયારે પોતે થોડો વધું સમય આસિયામાં રહ્યો.
23 એ જ અરસામાં એ માર્ગ વિશે ભારે ધમાલ થઈ. 24 દેમેત્રિયસ નામનાં એક સોની હતો, તે આર્તિઁમિસના ચાંદીનાં મંદિરો બનાવતો હતો. અને તે તેના કારીગરોને કામ અપાવતો હતો. 25 તેમાં તેણે પોતાના કારીગરોને તથા એના જેવા બીજા કારીગરોને ભેગા કયાઁ અને કહ્યું, "મિત્રો, તમે જાણો છો કે આ ધંધાથી આપણને સારી કમાણી થાય છે. 26 તમે જોયું છે અને સાંભળ્યું છે તે પરથી તમે સારી રીતે જાણો છો કે આ માણસ પાઉલે માત્ર એફેસસમાં જ નહિ પરંતુ સમગ્ર આસિયા પ્રદેશમાં લોકોને એવું ઠસાવી દીધું છે અને ગેરમાગેઁ દોયાઁ છે કે માણસોનાં હાથથી બનાવેલાં દેવો તે ઈશ્વર નથી. 27 આપણા વ્યવસાયનાં નામની પ્રતિષ્ઠાનો જ ભય છે એમ નહિ, પણ એને લીધે મહાન દૈવી આર્તિઁમિસના મંદિરની બદનામી થશે અને જે દેવી આતિઁમિસ જેની આરાધના આસિયામાં અને આખી દુનિયામાં થાય છે તેનો મહિમા છિનવાય જશે."
28 એ સાંભળીને લોકો ક્રોધે ભરાયા અને પોકારવાં લાગ્યા કે, "એફેસસની મહાદેવી આર્તિઁમિસની જય!" 29 આખા શહેરમાં ખળભળાટ મચી ગયો, અને લોકોએ ગાયસને અને અરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ મકદોનિયામાં હતા તેઓને પકડીને બધા ભેગા મળીને સભાગૃહમાં દોડી ગયા. 30 પાઉલ લોકોની ભીડમાં જવા માગતો હતો પણ શિષ્યોએ તેને જવા દીધો નહિ. 31 પ્રાંતના કેટલાક અધિકારીઓ અને પાઉલના મિત્રોએ તેને સંદેશ મોકલીને, સભાગૃહમાં ન જવાની વિનંતી કરી.
32 સભામાં ગડબડ થઇ, કેટલાક કંઇક બૂમ પાડતાં હતા, અને કેટલાએક બિજી બૂમ પાડતા. કેટલાક લોકોને તો પોતે ત્યાં શા માટે આવ્યા હતા તેની જ ખબર ન હતી. 33 ટોળામાંના યહૂદીઓએ એલેકઝાંડરને આગળ ધકેલી દિઘો અને બૂમ પાડીને તેને આદેશ આપીને તેણે લોકોને શાંત રહેવા ઈશારો કરીને જણાવ્યું જેથી તે પોતાનો બચાવ કરી શકે. 34 પણ જયારે તેઓએ જાણ્યું કે તે યહૂદી છે, ત્યારે તેઓએ બે કલાક સુધી એક અવાજે પોકારો કયોઁ "એફેસસની મહાદેવી આર્તિઁમિસની જય."
35 નગરપતિએ લોકોને શાંત પાડયાં અને કહ્યું, "ઓ એફેસસના લોકો! શું આખી દુનીયા જાણતી નથી કે એફેસસ શહેર આર્તિઁમિસના મંદિરનું અને આકાશમાંથી પડેલી મૂર્તિનું પૂજનારું છે. 36 તેથી આ હકિકતમાં બે મત છે જ નહિ. તેથી તમારે શાંત રહેવું જોઈએ અને કંઇ પણ ઉતાવળે કરવું નહિ. 37 તમે જે માણસોને અહીં લાવ્યાં છો, છતાં તેઓએ મંદિરોને લૂટનારા નથી અને આપણા દેવીની નિંદા કરી નથી. 38 તેથી જો દેમેત્રિયસ અને તેના સાથી કારીગરોને લોકોની વિરુદ્ધ કંઈ હોય તો અત્યારે અદાલત ચાલુ છે ને તેઓ ન્યાયાધીશો સમક્ષ પોતાની ફરીયાદ કરી શકે છે. 39 એ સિવાય બીજા કોઈ બાબત હોય તો તેનો નિણઁય કાનૂની સભામાં થવો જોઈએ. 40 આજે વગર કારણે આજે જે ધમાલ થઈ તેને માટે આપણ પર હુલ્લડનો આરોપ લાગવાનો ભય છે. એમ થાય તો આપણે તેના માટે કોઇ કારણ આપી શકીશું નહિ, કેમકે તેનું કોઇ કારણ નથી." 41 આ કહયાં પછી તેણે સભાને બરખાસ્ત કરી.