1 જે અરસામાં હેરોદ રાજાએ મંડળીના કેટલાંક લોકોને સતાવવાનો ઇરાદો કયોઁ. 2 તેણે યોહાનનાં ભાઈ યાકોબને તરવારથી મારી નંખાવ્યો. 3 જયારે તેણે જોયું કે હેરોદે જોયું કે યહૂદીઓમાં આ વાત માન્ય છે, તેથી બેખમીર રોટલીનાં પર્વની ઉજવણી દરમ્યાન તેણે પિતરની પણ ધરપકડ કરવાનું નક્કી કયુઁ. 4 ધરપકડ કયાઁ પછી તેને જેલમાં નાંખ્યો. અને ચાર ચાર સિપાઇઓની ચાર ટુકડિઓને તેની રક્ષા કરવા સોંપ્યા. પાસ્ખાપર્વ પછી તેને જાહેરમા મુકદમા માટે બહાર લાવવાનો હેરોદ ઇરાદો રાખતો હતો.
5 પિતરને જેલમાં રાખ્યો હતો પણ મંડળી તેના માટે આગ્રહપૂર્વક ઇશ્વરને પ્રાર્થના કરતી હતી.
6 હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સૈનિકો વચ્યે ઊંઘતો હતો. તેને બે સાંકળોથી બાંધવામાં આવ્યો હતો. અને બીજા સૈનિકો દરવાજા પર ચોકી કરતા હતા. 7 અચાનક પ્રભુનો એક દૂત પ્રગટ થયો અને કોટડીમાં પ્રકાશ થઇ રહ્યો, તેણે પિતરને કૂખમાં મારીને જગાડ્યો, અને કહ્યું, "જલદી, ઊઠ!" અને પિતરના કાંડા પર બાંધેલી સાંકળો નીકળી પડી.
8 ત્યારે દૂતે તેને કહ્યું, "તારા કપડાં અને ચંપલ પહેર અને પિતરે તેમ કયુઁ. હવે તારો ઝભ્ભો પહેરીને મારી પાછળ ચાલ." 9 જેલની બહાર નીકળીને પિતર તેની પાછળ ગયો. પણ તેને ખબર ન હતી કે દૂત જે કહી રહ્યો હતો તે ખરેખર બની રહ્યું છે. તેણે વિચાયુઁ કે તે કોઇ દર્શન જોઈ રહ્યો છે. 10 પહેલી અને બીજી ચોકી વટાવીને તેઓ નગરનાં રસ્તા પર જવાનાં લોખંડના દરવાજે આવ્યા, એ દરવાજો તેઓને માટે આપોઆપ ઊઘડી ગયો, અને તેઓ તેમાંથી પસાર થયા, જયારે તેઓ એક શેરીના લાંબા ભાગ સુધી ચાલ્યા, ત્યારે અચાનક દૂત તેને છોડી ને ચાલ્યો ગયો.
11 જયારે પિતરને ભાન આવ્યું અને કહ્યું, હવે હું જાણું છું કે, "પ્રભુએ પોતાના દૂતને મોકલીને મને હેરોદના હાથમાંથી અને યહૂદીઓની સઘળી ધારણાંથી છોડાવ્યો છે."
12 જયારે તેને એ વાત સમજાય, ત્યારે તે યોહાન માર્કની માતા મરિયમને ઘરે ગયો, જયાં ઘણાં લોકો પ્રાર્થના માટે એકઠા થયા હતા. 13 પિતરે બહારનો દરવાજો ખટખટાવ્યો. ત્યારે રોદા નામે એક દાસી તે ઉઘાડવાં માટે આવી. 14 જયારે તેણે પિતરનો અવાજ ઓળખ્યો એટલે તે એવી હરખઘેલી થઈ ગઈ કે બારણું ખોલવાને બદલે તે પાછી દોડી ગઇ અને કહ્યું પિતર દરવાજા પાસે છે.
15 તેઓએ તેને કહ્યું, "તું તો ઘેલી છે!" પણ તેણે એ વાત ફરી મક્કમતાથી કહ્યું કે તેમજ છે, ત્યારે તેઓએ કહ્યું, "એ તેનો દૂત હશે."
16 પણ પિતર દરવાજો ખટખટાવતો રહ્યો, જયારે તેઓએ દરવાજો ખોલ્યો અને તેને જોયો, ત્યારે તેઓ આશ્વયઁચકિત થઇ ગયા. 17 પિતરે શાંત રહેવા હાથથી ઈશારો કર્યો તથા ઈશ્વરે કેવી રીતે તેનો જેલમાંથી છુટકારો કર્યો એ વિશે વિગતવાર કહી જણાવ્યું. અને તેણે કહ્યું કે તેઓ યાકોબને તથા બીજા ભાઈઓને અને બહેનોને આ વાત કહેજો. અને પછી તે બીજી જગ્યાએ જવા માટે નીકળી ગયો.
18 સવાર થતાં સૈનિકોમાં ભારે ખળભળાટ મચી ગયો કે પિતરનું શું થયું હશે? 19 હેરોદે તેને ઘણો શોધ્યો પણ તે ન મળ્યો, તેણે ચોકીદારોની પૂછપરછ કરી અને તેઓને મારી નાંખવાનો હુકમ કયોઁ.
પછી હેરોદે યહૂદિયાથી કાઈસારિયા ગયો અને ત્યાં રહ્યો. 20 તે તૂર અને સિદોનના લોકો સાથે ઝઘડો કરતો; હવે તેઓ ભેગા થયા અને તેને મળવા ગયા. પણ આવેલા લોકોએ રાજાનાં વિશ્વાસુ અંગત કારભારી બ્લાસ્તસને પોતાના પક્ષનો કરી લીધો અને તેઓએ શાંતિ માટે વિનંતી કરી, કારણ કે તેઓનાં ખોરાક માટે રાજાનાં દેશ પર આધાર રાખતાં હતાં.
21 નક્કી કરેલાં દિવસે હેરોદે પોતાનો રાજવી પોષાક પહેરીને રાજ્યાસન પર બેઠો અને જાહેરમા લોકોને ભાષણ આપ્યું. 22 તેઓ પોકારી ઊઠયાં, "આ તો ઈશ્વરની વાણી છે, માણસની નથી." 23 હેરોદે ઈશ્વરને મહિમા ન આપ્યો તેથી તરત જ પ્રભુના દૂતે તેને માયોઁ અને કીડાથી ખવાઇ જઈને તે મરણ પામ્યો.
24 પણ ઈશ્વરની વાત પ્રસરતી અને વૃધ્ધિ પામતી ગઈ.
25 બાર્નાબાસ અને શાઉલ પોતાનું સેવાકાર્ય પૂરું કરીને યોહાન, જે માર્ક કહેવાતો હતો, તેને પોતાની સાથે લઈને યરુશાલેમથી પાછા ફર્યા.