Publicidade

Hebreus 9

પૃથ્વી પરના મુલાકાત મંડપમાંની આરાધના

1 હવે પ્રથમ કરારમાં આરાધનાને લગતાં નિયમો હતા અને પૃથ્વીનાં પરના પવિત્રસ્થાન પણ હતા. 2 મુલાકાતમંડપ ઊભો કરવામાં આવ્યો હતો. તેના પહેલાં ભાગને પવિત્રસ્થાન કહેતા હતા, ત્યાં સોનાનું સ્ટેન્ડ, ટેબલ અને અર્પિત રોટલી હતાં. 3 અને બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો, તેને પરમપવિત્રસ્થાન તરીકે ઓળખાતો હતો. 4 તે ભાગમાં સોનાની ધૂપવેદી તથા સોનાથી મઢેલો કરારકોશ હતાં. આ કરારકોશમાં માન્ના ભરેલું સુવર્ણ પાત્ર, કળીઓ ફૂટેલી આરોનની લાકડી, અને દસ આજ્ઞાઓ લખેલ બે શિલાપાટીઓ મૂકેલાં હતાં. 5 કરારકોશ પર મહિમાદર્શક કરુબીમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી. પરંતુ હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી.

6 આ રીતે સર્વ વસ્તુઓ ગોઠવાઈ ગયા પછી, યાજકો નિયમીત રીતે આગલા ભાગમાં સેવા કરવા માટે જતા. 7 પરંતુ અંદરના ભાગમાં માત્ર પ્રમુખયાજક જ જઈ શકતા અને તે પણ વર્ષમાં એક જ વાર, અને કયારેય પણ રકત વિના નહિ, જે તે પોતાનાં તથા લોકોનાં અજ્ઞાનતામાં કરેલાં પાપોને માટે અર્પણ કરતા. 8 આ બધી બાબતો દ્વારા પવિત્ર આત્મા દર્શાવે છે કે જયાં સુધી પહેલો મંડપ કાયઁરત હતો ત્યાં સુધી પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવાનો માર્ગ ખુલ્લો થયો ન હતો. 9 આ વતઁમાન સમય માટે એક ઉદાહરણ છે, જે બલિદાનો તથા અર્પણો કરવામાં આવતા હતા, તે ભજન કરનારાઓનું અંતઃકરણને શુધ્ધ કરવા માટે સમર્થ ન હતાં. 10 એ તો ખોરાક પાણી, સ્નાન ક્રિયા અને અનેક પ્રકારના બાહ્ય શુધ્ધિને લગતાં નવા નિયમો આવતા સુધીજ ચલાવવાને ઠરાવેલાં હતાં.

મસીહનું રક્ત

11 પણ મસીહ જયારે સારી બાબતો સંબંધી પ્રમુખયાજક તરીકે આવ્યા, ત્યારે જે માનવી હાથોથી બનાવેલો નહિ, જે આ સૃષ્ટિનો ભાગ નથી એવા વધુ મહાન અને સંપૂર્ણ એવા મંડપમાં પ્રવેશ્યા. 12 તેઓ બકરાં કે વાછરડાંના રકતથી પ્રવેશ્યા નહિ; પણ પોતાના રકત દ્રારા એક જ વાર પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યા, આમ સનાતન ઉધ્ધાર મેળવ્યો. 13 બળદ અને બકરાનું રક્ત તથા વાછરડીની રાખ કે જે લોકો વિધિપૂવઁક અશુધ્ધ છે તેમના પર છાંટીને તેમને પવિત્ર કરવામાં આવે છે, જેથી તેઓ બહારથી શુધ્ધ થાય. 14 તો પછી, મસીહનું રકત જેમણે સનાતન આત્માથી પોતાનું દોષરહિત અપઁણ ઇશ્વરને આપ્યું, તે આપણા અંતઃકરણને મૃત્યું તરફ દોરી જતા કાયોઁથી શુધ્ધ કરશે, જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ. તે કેટલું બધું વિશેષ છે.

15 એ જ કારણથી પહેલાં કરારના સમયમાં થયેલા પાપોની મુક્તિ મેળવવા માટે ખંડણી તરીકે મૃત્યું પામ્યા અને જેને બોલાવાયેલા છે તેઓને વચન પ્રમાણે અનંતકાલિક વારસો પામે, તે માટે મસીહ નવા કરારના મધ્યસ્થ બન્યા.

16 વસિયત નામાંના કિસ્સામાં, તે કરનારનું મરણ પુરવાર કરવું જરૂરી છે. 17 કેમકે વસિયતનામું કરનાર વ્યકિત મરણ પામે પછી જ તેનો અમલ થઈ શકે છે. જયાં સુધી તે વ્યકિત જીવે છે ત્યાં સુધી તેનો અમલ થતો નથી. 18 એ જ કારણથી પહેલો કરાર પણ રક્ત વિના અમલમાં આવ્યો ન હતો. 19 જયારે મોશેએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સવઁ લોકોને કહી સંભળાવ્યા પછી તેણે વાછરડાંનું લોહી, પાણી અને કિરમજી ઊન તેણે ઝૂફાની ડાળી સાથે લીધું અને તેણે ઓળિયા પર તથા લોકો પર છાંટયું. 20 તેમણે કહ્યું, "આ કરારનું રક્ત છે, જેની આજ્ઞા પાળવાનું ઈશ્વરે કહ્યું છે." 21 એ જ પ્રમાણે તેણે તે રકત મુલાકાતમંડપ પર તથા સેવામાં વપરાતાં સર્વ પાત્રો પર છાંટયું હતું. 22 હકિકતમાં, નિયમશાસ્ત્ર પ્રમાણે લગભગ દરેક વસ્તુ રકતથી શુધ્ધ કરવી જરૂરી છે, અને રકત વહેવડાવ્યાં વગર માફી મળતી નથી.

23 પણ સ્વર્ગીય વસ્તુઓના નમૂનાને આ બલિદાનોથી શુધ્ધ કરવાની જરૂર હતી, તો પછી સ્વગીઁય વસ્તુઓને તો વિશેષ બલિદાન વડે શુધ્ધ કરવાની જરૂર હતી. 24 કેમકે મસીહ માનવી હાથોએ બનાવેલ પવિત્રસ્થાનમાં ગયા નહિ, જે ખરાનો નમૂનો હતો; પણ તે સ્વગઁમાં ગયા, જેથી હવે તે આપણે માટે ઈશ્વરની હજૂરમાં હાજર થાય. 25 વળી જેમ પ્રમુખયાજક દર વર્ષે બીજાનું રકત લઈને પરમપવિત્રસ્થાનમાં વષોઁવષઁ જતો હતો તેમ ઈસુ વારંવાર પોતાનું બલિદાન આપવાં સ્વગઁમાં ગયા નથી. 26 નહિ તો, જગતના આરંભથી મસીહે ઘણીવાર દુઃખ સહન કરવું પડત, પણ હવે છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે એક જ વખત પ્રગટ થયા છે. 27 જેમ માણસને એક જ વાર મરવાનું અને પછી તેનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, 28 તેમ મસીહે પણ ઘણા લોકોનાં પાપ દૂર કરવા માટે એક જ વાર બલિદાન આપ્યું; અને તે બીજી વાર પણ પ્રગટ થશે, પાપ વેઠવા માટે નહિ, પરંતુ જેઓ તેમની રાહ જુએ છે તેમના માટે તારણ લાવવાં માટે.

Veja também

Publicidade
Hebreus
Ver todos os capítulos de Hebreus
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-16_18-40-07-