1 મસીહ ઈસુનો ગુલામ પાઉલ, જેને પ્રેષિત થવા માટે બોલાવવામાં આવ્યો અને ઈશ્વરના સુસમાચાર માટે અલગ કરવામાં આવ્યો. 2 આ સુસમાચાર વિશે અગાઉથી નિયમસાસ્ત્રમાં પોતાના પ્રબોધકો મારફતે વચન આપ્યું હતું, 3 તેમાં પુત્ર વિશે, મનુષ્યદેહે તેઓ દાવિદ રાજાનાં વંશજ હતા, 4 પણ પવિત્રતાના આત્માના સામર્થ્ય વડે મરણમાંથી સજીવન થવાથી; તે મહા પરાક્રમી ઈશ્વરપુત્ર ઠર્યા છે. ઈસુ મસીહ આપણા પ્રભુ, 5 તેમના દ્રારા અમને કૃપા તથા પ્રેષિત પદ મળ્યું જેથી અમે વિદેશીઓને તેમના નામને ખાતર વિશ્વાસથી જે આજ્ઞાપાલન આવે છે તે અમે પામ્યા. 6 અને તમે પણ એવા વિદેશીઓમાં એક છો જેને ઈસુ મસીહ મારફતે તેડાયેલા છો.
7 રોમમાં રહેતા બધા લોકો જેમને ઈશ્વરે પ્રેમ કયોઁ છે, અને પોતાના પવિત્ર લોક થવા બોલાવવામાં આવ્યા છે:
આપણા ઈશ્વર પિતા તથા પ્રભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ.
8 સૌ પ્રથમ, હું તમારા બધા માટે ઈસુ મસીહ દ્રારા મારા ઇશ્વરનો આભાર માનું છું, કેમકે તમારો વિશ્વાસ આખા જગતમાં પ્રસિધ્ધ થયો છે. 9 ઈશ્વર, જેની સેવા હું મારા આત્મામાં પુત્રનાં સુસમાચાર પ્રગટ કરું છું તેઓ મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું. 10 ઈશ્વરની ઇચ્છા હોય તો છેવટે મને તમારી પાસે આવવાની તક મળે અને હું નિર્વિધ્ને આવી શકું, એવી મારી હંમેશની પ્રાર્થના છે.
11 તમને મળવાને હું ઘણો ઉત્સુક છું, એ માટે કે હું તમને વિશ્વાસમાં દ્રઢ કરી કોઈક આત્મિક દાન પમાડી શકું. 12 એટલે કે તમને અને મને એક બીજાના વિશ્વાસથી પરસ્પર ઉત્તેજન મળે. 13 પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને જણાવવાં માંગુ છું કે મેં ઘણીવાર તમારી પાસે આવવાનો પ્રયત્ન કયોઁ, પણ કાંઈ ને કાંઈ અવરોધને લીધે હું આવી શકયો નથી. જેમ મે બિજા વિદેશીઓમાં ફળ મેળવ્યું તેમ તમારામાં પણ ફળ મેળવું.
14 હું ગ્રીકો અને બિન ગ્રીકો, જ્ઞાનીઓ તેમજ મૂર્ખ બંન્નેનો ઋણી છું. 15 તેથી, હું તમો રોમનોને પણ સુસમાચાર પ્રગટ કરવા આતુર છું.
16 આ સુસમાચાર વિશે મને શરમ લાગતી નથી. કારણ કે વિશ્વાસ કરનાર સર્વને તારણ માટે ઈશ્વરનું એ સામથ્યઁ છે. પ્રથમ યહૂદી લોકોને પછી વિદેશીઓને. 17 કેમકે સુસમાચારમાં ઇશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયું છે, તે ન્યાયીપણું જે શરુઆતથી તે અંત સુધી વિશ્વવાસથી છે, જેમ લખેલું છે ન્યાયી વિશ્વાસથી જીવશે.
18 જે લોકો પોતાના દુષ્ટતાથી સત્યને દબાવી દે છે તેઓના બધા અધમીઁ કાયોઁ અને દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયો છે. 19 કેમકે ઈશ્વર વિશે જે જાણે છે તે તેઓ માટે સ્પષ્ટ છે, કેમકે ઈશ્વરે જ તેઓને સ્પષ્ટ કર્યુ છે. 20 કારણ કે જગતની ઉત્પતિ થઇ ત્યારથી ઈશ્વરના અદ્રશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ સ્પષ્ટ રીતે દેખાય છે અને જે કાંઈ સૃજયું છે, તેથી લોકો કાંઈ જ બહાનું કાઢી શકશે નહિ.
21 કારણ કે તેઓ ઈશ્વરને જાણતા હોવા છતાં પણ તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ, કે તેમનો આભાર માન્યો નહિ. પણ તેઓના વિચારો વ્યથઁ થઇ ગયા અને તેમના મુખઁ મન અંધકારમય થઇ ગયા. 22 પોતે જ્ઞાની છે એવો દાવો કર્યા છતાં પણ તેઓ મૂર્ખ બન્યા. 23 અને અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે નાશવંત માનવી, પશુ, પક્ષી અને પેટે ચાલનારાં પ્રાણીઓનાં આકારની મૂર્તિઓ બનાવી.
24 તેથી ઈશ્વરે તેઓના હ્રદયની દુર્વાસના પ્રમાણે જાતીય અપવિત્રતાને સોંપી દીધા. જેથી તેઓ એકબીજા સાથે તેમના શરીરોને ભ્રષ્ટ કરે. 25 તેઓએ ઈશ્વરના સત્યને બદલી તેઓએ જુઠાણાંને પસંદ કર્યું. તેઓએ સર્વનાં સર્જનહારની ભકિત કરવાને બદલે સર્જનહારે સર્જેલી વસ્તુઓની ભકિત કરી; જે સદાકાળ સ્તુતિપાત્ર છે. આમીન.
26 આના કારણે ઈશ્વરે તેઓને શરમજનક વાસનાઓને સોંપી દીધા. તેઓની સ્ત્રીઓ પણ કુદરતી જાતીય સબંધોને બદલે અસ્વભાવીક સબંધો બનાવ્યાં. 27 એ જ રીતે પુરુષોએ પણ સ્ત્રીઓ સાથે કુદરતી જાતીય સંબંધથી જોડાવાને બદલે એકબીજા માટે વાસનાથી સળગી ઊઠયાં. માણસને માણસની વિરુધ્ધમાં શરમજનક કૃત્ય કરીને તેઓએ પોતાની ભૂલની સજા ભોગવી.
28 વધુમાં, જેમ ઈશ્વરનું જ્ઞાન રાખવાનું યોગ્ય ન માન્યું, તેમ ઈશ્વરે તેઓને ભ્રષ્ટ મનને સોંપી દીધા, જેથી તેઓ જે ન કરવું જોઈએ તે કરે. 29 તેઓનાં જીવન સર્વ પ્રકારની દુષ્ટતા અને પાપથી એટલે કે અધમીઁપણું, દુરાચાર, લોભ, તિરસ્કાર, ઈર્ષા, ખૂન, લડાઈ, જૂઠ અને કડવાશથી ભરપૂર બની ગયાં, 30 તેઓ ચાડી ચુગલી કરનારાં, નિંદાખોર, ઈશ્વરને ધિક્કારનારા, ઉધ્ધત, અભિમાની, બડાઈખોર, કપટી, તેઓ માબાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં થયા 31 તેઓ અણસમજુ, વિશ્વાસઘાતી, નિષ્ઠુર અને નિર્દય થયા, 32 જો કે તેઓ ઈશ્વરના ન્યાયી નિયમને જાણે છે કે જે લોકો આવા કામો કરે છે તેઓ મૃત્યું ને પાત્ર છે, છતાં તેઓ ફક્ત તે જ કામો કરવાનું ચાલુ રાખે છે એટલું જ નહિ, પણ જેઓ તે કામો કરે છે તેમને પણ ઉત્તેજન આપે છે.