Publicidade

Romanos 7

નિયમના બંધનમાંથી મુકિત, મસીહ સાથે બંધાયેલા

1 ભાઈઓ અને બહેનો, એ શું તમે નથી જાણતા? હું નિયમશાસ્ત્ર જાણનારાઓ માટે બોલું છું, વ્યકિત જયાં સુધી જીવે છે ત્યાં સુધીજ નિયમ તેના પર સત્તા ચલાવે છે 2 દાખલા તરીકે એક પરણિત સ્ત્રી પતિ જીવંત હોય ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે, પરંતુ જો તેનો પતિ મરણ પામે, તો તેના પતિ સાથેના બંધાયેલા નિયમથી મુક્ત બને છે. 3 તેથી, પતિ જીવતો હોય ત્યારે જો પત્ની બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે વ્યભિચારી કહેવાય, પરંતુ તેના પતિના મરણ પછી તે નિયમથી મુક્ત બને છે અને જો તે બીજા પુરૂષ સાથે લગ્ન કરે તો તે વ્યભિચારીણી નથી.

4 તો, મારા ભાઈઓ અને બહેનો, મસીહના શરીર દ્ગારા તમે પણ આ જ રીતે નિયમશાસ્ત્રને આધીન મૃત્યું પામ્યા, જેથી તમે બીજાના એટલે, જે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે તેમના થાઓ. જેથી આપણે ઇશ્વરને માટે ફળ આપી શકીએ. 5 પણ જયારે આપણે દેહના રાજ્યમાં હતા, ત્યારે નિયમ વડે ઉત્તેજિત પાપી વાસનાઓ આપણામાં કામ કરતી હતી, જેથી આપણે મરણને માટે ફળ ઉપજાવિએ, 6 પરંતુ હવે, જેના બંધનમાં હતો, તેના માટે મૃત્યું પામ્યા, એટલે હવે આપણે નિયમથી મુક્ત થયા છીએ જેથી આપણે પવિત્ર આત્માની નવીન પધ્ધતિથી સેવા કરીએ, અને નિયમશાસ્ત્રની જૂની પધ્ધતિથી નહિ.

નિયમ અને પાપ

7 તો આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ! છતાં, જો નિયમ ન હોત તો પાપ શું છે તે મેં જાણ્યું ન હોત. કેમકે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે "લોભ ન કર" તો મને ખબર ન હોત કે લોભ ખરેખર શું છે. 8 પણ પાપે પ્રસંગ મળવાથી આજ્ઞા વડે મારામા દરેક પ્રકારનો લોભ ઉત્પન્ન કયોઁ કેમકે નિયમ વિના પાપ નિજીઁવ હતું. 9 એક સમય હું નિયમ વિના જીવતો હતો; પણ જયારે આજ્ઞા આવી, એટલે પાપ સજીવન થયું અને હું મૃત્યું પામ્યો. 10 મને માલુમ પડ્યું કે જે આજ્ઞા જીવનને અર્થે હતી, તે મરણ લાવનાર બની. 11 કારણ કે પાપે આજ્ઞા દ્વારા પ્રસંગ મળતા, મને છેતયોઁ, અને આજ્ઞા દ્વારા મને મારી નાંખ્યો. 12 તો પછી, નિયમશાસ્ત્ર પવિત્ર છે, અને આજ્ઞા પવિત્ર, ન્યાયી અને હિતકારક છે.

13 તો પછી, જે હિતકારક છે તે શું મારા માટે મૃત્યુરૂપ બન્યું? ના! તોપણ પાપ તે પાપ તરીકે જ ઓળખાય તે માટે તેણે મારા મૃત્યુ માટે જે સારું છે તેનો ઉપયોગ કર્યો, જેથી પાપની આજ્ઞાથી સંપૂણઁ પાપી બની જાય.

14 આપણે જાણીયે છીએ કે નિયમ આત્મિક છે; પણ હું દૈહિક છું, અને પાપને ગુલામ તરીકે વેચાયેલો છું! 15 હું જે કરું છું તે હું સમજી શકતો નથી, હું જે કરવા ઈચ્છું છું તે હું કરી શકતો નથી, પરંતુ જે હું ધિક્કારું છું તે જ હું કરું છું. 16 અને જો હું જે કરવા માગતો નથી તે કરું છું, તો હું સ્વીકારુ છું કે નિયમ સારો છે. 17 તો હવે જે તે કરે છે તે હું પોતે નથી, પણ મારામાં રહેલું પાપ છે તે જ તે કરે છે. 18 હું જાણું છું કે મારાંમાં એટલે મારા દેહમાં કાંઈ સારું વસતું નથી. હું સારું કરવાની ઈચ્છા રાખું છું, પણ તે પ્રમાણે કરી શકતો નથી. 19 પણ જે સારું કરવાની હું ઈચ્છા રાખું છું, તે હું કરતો નથી, પણ ભૂંડું જે મારે ન કરવું જોઈએ, તે હું કર્યા કરું છું. 20 હવે જે હું ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી, પણ મારાંમાં રહેલું પાપ તે કરે છે.

21 તેથી મને આ નિયમ કાયઁ કરતું દેખાય છે: હું સારું કરવાની ઇચ્છા રાખું છું, ત્યારે દુષ્ટતા મારી સાથે હોય છે. 22 કેમકે મારા અંતઃકરણમાં હું ઇશ્વરનાં નિયમમાં આનંદ માનું છું. 23 પણ હું મારામાં એક અલગ નિયમને કાયઁ કરતો જોઉં છું જે મારા મનનાં નિયમ સામે લડે છે અને મારામાં કામ કરતા પાપનાં નિયમનો કેદી બનાવે છે. 24 હું કેવો દુભાઁગ્ય માણસ છું મને આ મરણનાં શરીરમાંથી મને કોણ છોડાવશે! 25 આપણા પ્રભુ ઈસુ મસીહ દ્ગારા મને છોડાવનાર ઇશ્વરનો આભાર માનું છું!

હું મારા મનમાં ઇશ્વરનાં નિયમનો ગુલામ છું પણ મારા પાપી સ્વભાવમાં પાપનાં નિયમનો ગુલામ છું.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-