Publicidade

Apocalipse 11

બે સાક્ષીઓ

1 પછી મને લાકડી જેવું એક માપદંડ આપવામાં આવ્યું, અને મને કહેવામાં આવ્યું કે, "જા વેદીનું તથા ઈશ્વરના મંદિરનું માપ લે અને ઉપાસના કરનારાઓની ગણતરી કર. 2 પરંતુ બહારનાં આંગણાને બાકાત રાખ; તેનું માપ ન લઈશ, કારણ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. બેંતાળીસ મહિના સુધી તેઓ પવિત્ર નગરને ખૂંદી નાંખશે. 3 અને હું મારા બે સાક્ષીઓને નિયુક્ત કરીશ, અને તેઓ ટાટ પહેરીને એક હજાર બસો સાઠ દિવસ સુધી પ્રબોધ કરશે." 4 તેઓ "બે જૈતવૃક્ષ" અને બે સ્ટેન્ડ, અને "તેઓ પૃથ્વીનાં ઈશ્વરની સમક્ષ ઊભા રહે છે." 5 જો કોઈ તેમને ઈજા કરવાનો પ્રયત્ન કરે છે, તો તેઓનાં મુખમાંથી અગ્નિ નીકળી છે અને તેમના દુશ્મનનો નાશ કરે છે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે, તો તેણે આજ રીતે માયાઁ જવું જોઈએ 6 તેઓ પાસે આકાશ બંધ કરવાની સત્તા છે. જેથી તેઓ ભવિષ્યવાણી કરે તે દરમિયાન વરસાદ વરસે નહિ; અને તેઓ પાસે પાણીને લોહીમાં ફેરવી નાંખવાની અને પૃથ્વી પર જયારે ચાહે ત્યારે દરેક પ્રકારની આફત લાવવાની સત્તા છે.

7 હવે જયારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે, ત્યારે ઊંડાણમાંથી બહાર આવતું પ્રાણી તેમના પર હુમલો કરશે, અને તેઓને હરાવીને મારી નાંખશે. 8 અને તેમના મૃતદેહો મહાન નગરના ચોકમાં પડશે, જેને સદોમ અને ઈજિપ્તની ઉપમા આપવામાં આવી છે, જયાં તેઓના પ્રભુને ક્રૂસે જડાવવામાં આવ્યા હતા. 9 સાડા ત્રણ દિવસ સુધી દરેક જાતિમાંથી, કુળોમાંથી, ભાષાઓ અને સર્વ દેશોમાંથી કેટલાક લોકો આવશે અને તેમનાં મૃતદેહો જોશે, અને તેમને દફન કરવાનો ઈન્કાર કરશે. 10 પૃથ્વી પરના રહેવાસીઓ તે દિવસે આનંદ કરશે, અને એકબીજાને ભેટો મોકલીને ઉજવણી કરશે, કેમકે આ બે પ્રબોધકોએ પૃથ્વી પર રહેનારાંઓને પિડા આપી હતી.

11 પરંતુ સાડા ત્રણ દિવસ પછી ઈશ્વર તરફથી તેઓનામાં જીવનનો શ્વાસ આવ્યો, અને તેઓ પોતાના પગ પર ઊભાં રહ્યાં, અને તેઓને જોનારાઓને ઘણું ભય લાગ્યું. 12 પછી સ્વર્ગમાંથી મોટો અવાજ તેમને એમ કહેતાં સાંભળ્યો, "અહીં ઉપર આવો." અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચઢી ગયા, અને તેઓના શત્રુઓએ તેઓને જોયા.

13 તે જ ઘડીએ મહાભયંકર ધરતીકંપ થશે, અને શહેરનો દસમો ભાગ તુટી પડ્યો. અને ધરતીકંપમાં સાત હજાર માણસો મરણ પામ્યા, અને જેઓ બચી ગયા હતાં તેઓ ભયભીત થયા અને સ્વર્ગીય ઈશ્વરનો મહિમા કયોઁ.

14 બીજી આફત પસાર થઈ ગઈ છે; ત્રીજા આફત જલ્દી જ આવી રહી છે.

સાતમું રણશિંગડું

15 સાતમાં દૂતે તેનુ રણશિંગડું વગાડયું, અને આકાશમાં મોટાં અવાજો થયાં, જેણે કહ્યું:

"આ જગતનું રાજ્ય આવ્યું છે,

આપણા પ્રભુ અને તેમના મસીહનું,

અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે."

16 અને જે ચોવીસ વડીલો, કે જેઓ ઈશ્વરની સમક્ષ બેઠેલાં હતાં, તેઓએ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી, 17 કહ્યું,

"હે સર્વશકિતમાન પ્રભુ ઈશ્વર! અમે તમારો આભાર માનીએ છીએ,

કે જે છે અને જે હતાં,

કેમકે તમે મહાસામર્થ્ય ધારણ કર્યું છે

અને રાજ કરવાનું શરું કયુઁ છે.

18 પ્રજાઓ ક્રોધે ભરાઈ,

અને તમારો કોપ આવ્યો છે.

મૂએલાઓનો ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે.

અને તમારાં સેવકો પ્રબોધકોને, પ્રતિફળ આપવાનો

અને તમારા નામનો ભય રાખનાર,

અને નાનાં તથા મોટાં,

અને જેઓ પૃથ્વીનો નાશ કરનાર છે તેમનો નાશ કરવાનો સમય આવ્યો છે."

19 પછી સ્વર્ગમાં ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું, અને તેમના મંદિરમાં તેમનો કરારકોશ દેખાયો, અને વીજળીના ચમકારા, ગર્જનાના કડાકા, અને ધરતીકંપ અને ભારે કરાં પડયાં.

Veja também

Publicidade
Bíblia Online Bíblia Online

Bíblia Online • Versão: 2026-06-15_21-32-39-