1 આ પછી મેં બીજા એક દૂતને સ્વર્ગમાંથી ઊતરતાં જોયો. તેની પાસે મહાન અધિકાર હતો, અને તેના મહિમાથી પૃથ્વી પ્રકાશિત થઈ. 2 તેણે મોટે અવાજે બૂમ પાડી:
" ‘પડ્યું! પડયું મહાન બેબિલોન!’
તે ભૂતોનું નિવાસસ્થાન બન્યું છે,
અને દરેક અશુધ્ધ આત્માનું રહેઠાણ,
અને દરેક ધિક્કારપાત્ર પક્ષીઓનું રહેઠાણ થયું છે.
3 કેમકે તેના વ્યભિચારનો
કોપરૂપી દ્રાક્ષારસ બધી પ્રજાઓએ પીધો છે.
પૃથ્વીનાં રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યા છે.
સમગ્ર દુનિયાનાં વેપારીઓ તેના ભોગવિલાસથી શ્રીમંત બન્યા છે."
4 પછી મેં સ્વર્ગમાંથી બીજો અવાજ એમ કહેતા સાંભળ્યો:
"હે મારા લોક, તેનામાંથી નીકળી આવો
જેથી તમે તેના પાપનાં ભાગીદાર ન બનો,
જેથી તેના પર આવનાર કોઇ અનઁથ તમારી પર ન આવે.
5 કેમકે તેનાં પાપોનો ઢગલો આકાશ સુધી પહોંચ્યો છે.
અને ઈશ્વર તેના ગુનાઓને યાદ કયાઁ છે.
6 જેમ તેણે આપ્યું છે તેમ તમે તેને પાછું ભરી આપો;
અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું આપો,
જે પ્યાલું તેણે મેળવીને ભયુઁ છે તેમાં તેને સારું બમણું મેળવીને ભરો.
7 તેણે મોજશોખ અને ભોગવિલાસ કયોઁ,
તેટલી વેદના અને તેટલું દુઃખ તેને આપો.
તેણે પોતાનાં મનમાં બડાઈ મારે છે કે,
‘હું રાણી તરીકે બિરાજું છું.
હું વિધવા નથી;
હું કદી શોક નહિ કરું.’
8 એ માટે એક જ દિવસમાં તેના પર અનઁથો આવી પડશે.
મરણ, શોક, અને દુકાળ.
તેને અગ્નિથી બાળી નાખવામાં આવશે,
કેમકે તેનો ન્યાય કરનાર ઈશ્વર મહાશકિતશાળી છે.
9 "પૃથ્વીનાં જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા મોજશોખ કયોઁ, તેઓ જયારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે, ત્યારે તેઓ તેને માટે રડશે, વિલાપ કરશે, 10 ભયભીત થઈને તેઓ દૂર ઊભા રહેશે અને રડીને કહેશે:
" ‘તને અફસોસ! અફસોસ, મહાનગર,
તું બળવાન નગર બેબિલોન! એક ક્ષણમાં જ કેવી ભારે શિક્ષા થઈ છે!’
11 "પૃથ્વી પરના વેપારીઓ તેને લીધે વિલાપ કરશે કેમકે તેઓની વસ્તુઓ ખરીદનાર હવે કોઈ રહ્યું નથી. 12 સોનું, ચાંદી, હીરા, મોતી, શણના વસ્ત્રો, કિરમજી અને રકતરંગી રેશમી વસ્ત્ર, દરેક જાતનું સુગંધિત લાકડું, હાથી દાંતની ચીજવસ્તુઓ, લાકડાનું કિમતી કોતરણી કામ, પિતળ, લોખંડ, અને આરસપહાણની વસ્તુઓ; 13 મસાલા, સુગંધિત અત્તર, ધૂપ, તેલ, લોબાન, દ્રાક્ષારસ, જૈતતેલ, મેંદો, ઘઉં, પશુઓ, ઘેટાં, ઘોડાં, રથો, ગુલામો અને મનુષ્યોનાં જીવ એ તેમનો માલ હતો.
14 "તેઓ કહેશે, ‘તને ગમતા ફળો તારી પાસેથી જતા રહયાં છે. તારાં સર્વ ભોગવિલાસ અને ભવ્યતા અદ્રશ્ય થઈ ગયાં છે, જે કદી પાછા નહિ મળે.’ 15 એ ચીજવસ્તુઓ વેચીને શ્રીમંત બનેલાં વેપારીઓ તેની વેદનાની ધાકને લીધે રુદન તથા શોક કરતા દૂર ઊભા રહેશે, 16 અને પોકારશે,
" ‘શણના જાંબલી અને કિરમજી રંગના બારીક વસ્ત્રોમાં તથા હીરા,
મોતી અને સોનાનાં ઘરેણાંમાં સજજ થયેલા,
મહાનગર તને અફસોસ! અફસોસ!
17 એ મોટી સંપતિ એક ક્ષણમાં જ નષ્ટ થઈ ગઈ છે!’
"વળી વહાણોનાં નાખુદા, વેપારી વહાણોનાં કપ્તાનો તથા ચાલકો દૂર ઊભા રહીને 18 જયારે તેનો બળતો ધુમાડો ઊંચે જતો જોશે ત્યારે તેઓ રૂદનસહિત કહેશે, ‘શું આના જેવું અદભુત નગર બીજું કોઈ હતું?’ 19 શોક અને વિલાપ સાથે તેઓ પોતાનાં માથાં પર ધૂળ નાખીને કહેશે:
" ‘અફસોસ! અફસોસ છે તને, એ મહાનગર,
જેઓનાં સમુદ્ર પર સવઁ વહાણો હતા, જેની સંપતીથી સવઁ ધનવાન થયા!
એક ક્ષણમાં તેનો કેવો ભારે વિનાશ થયો!’
20 "ઓ સ્વર્ગ! તેનાં પર તું આનંદ કર!
તમે ઇશ્વરનાં લોકો આનંદ કરો!
પ્રબોધકો તથા પ્રેષિતો તમે આનંદ કરો!
જે ન્યાય તેણે તારા પર લાદેલો,
છેવટે તે જ ન્યાયથી ઈશ્વરે તેનો ન્યાય કયોઁ છે."
21 પછી એક શકિતશાળી દૂતે ઘંટીના પડ જેવો એક પથ્થર ઊંચકી લઈને સમુદ્રમાં ફેંકયો અને કહ્યું:
"એ જ ક્રૂરતાથી
મહાનગર બેબિલોનને ફેંકી દેવામાં આવશે,
અને તે ફરી કદી જોવામાં આવશે નહિ.
22 વીણાં કે વાંસળી કે રણશિંગડાંનાં સૂર,
પછી કદી એમાંથી સંગીતનાં સૂર સંભળાશે નહિ.
કોઈ પણ પ્રકારના ઉદ્યોગો તારામાં
જોવા મળશે નહિ અને
ઘંટીનો અવાજ
તારામાં ફરી કદી સંભળાશે નહિ.
23 દીવાનો પ્રકાશ, તેની રાત્રિઓ અંધકારમય થઈ જશે.
તારામાં કદી પ્રકાશશે નહિ.
વર અને વહુનો અવાજ,
તારામાં કદી સંભળાશે નહિ.
તારા વેપારીઓ જગતના મહાન લોકો હતા,
તારી મેલી વિદ્યાથી સવઁ રાજયના લોકો ભુલાવામાં પડયાં હતા.
24 પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓને મારી નાંખવામાં આવ્યા છે,
તે સવઁનું લોહી પણ તેમાંથી જડયું હતું."