Sabedoria
A sabedoria é um dos temas mais ricos da Bíblia. O temor do Senhor é seu princípio, e buscá-la vale mais que ouro ou prata. Deus promete dar sabedoria generosamente a quem pedir com fé.
O princípio da sabedoria
O temor do Senhor é o início de toda sabedoria verdadeira. Quem reverencia a Deus aprende a viver com discernimento e prudência.
યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે.
મૂર્ખો ડહાપણને તથા શિક્ષણને ધિક્કારે છે.
યહોવાહનો ભય એ ડહાપણનો આરંભ છે,
પવિત્ર ઈશ્વરની ઓળખાણ એ જ બુદ્ધિની શરૂઆત છે.
યહોવાહનો ભય ડહાપણનું શિક્ષણ છે,
પહેલા દીનતા છે અને પછી માન છે.
યહોવાહને માન આપવું એ બુદ્ધિની શરૂઆત છે.
જે લોકો તેમની સૂચનાઓનું પાલન કરે છે, તેઓ સમજદાર છે.
તેમની સ્તુતિ સર્વકાળ થશે.
પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે?
અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
મનુષ્ય ડહાપણની કિંમત જાણતો નથી;
પૃથ્વી પરના લોકોમાં જ્ઞાન મળતું નથી.
ઊંડાણ કહે છે, ‘તે મારી પાસે નથી;’
મહાસાગરો કહે છે, ‘તે મારી પાસે નથી.’
તે સોનાથી ખરીદી શકાય નહિ.
તેની કિંમત બદલ ચાંદી પણ પર્યાપ્ત નથી.
ઓફીરના સોનાને ધોરણે કે
મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
સોના કે હીરા સાથે તેની તુલના થઈ શકે તેમ નથી.
કે, ચોખ્ખા સોનાનાં આભૂષણ પણ તેને તોલે આવે નહિ.
પરવાળાં કે સ્ફટિકમણિનું તો નામ જ ના લેવું;
જ્ઞાનની કિંમત તો માણેક કરતાં પણ વધુ ઊંચી છે.
કૂશ દેશનો પોખરાજ પણ તેની બરોબરી કરી શકે નહિ,
શુદ્ધ સોનાથી પણ તેની બરોબરી થાય નહિ.
ત્યારે બુદ્ધિ ક્યાંથી આવે છે?
અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
કેમ કે દરેક સજીવ વસ્તુથી તે છુપાયેલું છે.
આકાશના પક્ષીઓથી પણ તે ગુપ્ત રખાયેલું છે.
વિનાશ તથા મૃત્યુ કહે છે,
‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’
Sabedoria como dom de Deus
A verdadeira sabedoria vem do alto. Deus a concede generosamente a quem pede com fé, sem lançar em rosto a fraqueza humana.
તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.
તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.
તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે; એટલે તેને તે આપવામાં આવશે.
કેમ કે યહોવાહ ડહાપણ આપે છે,
તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.
કેમ કે યહોવાહ ડહાપણ આપે છે,
તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.
જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે
અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
તો તને યહોવાહના ભયની સમજણ પડશે
અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.
હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું અને તમારી સ્તુતિ કરું છું,
કેમ કે, તમે મને ડહાપણ અને સામર્થ્ય આપ્યાં છે.
અમે જે તમારી પાસેથી માગ્યું હતું તે હવે તમે અમને જણાવ્યું છે;
તમે અમને રાજાની વાત જણાવી છે."
અને કહ્યું,
"ઈશ્વરનું નામ સદાસર્વકાળ સ્તુત્ય હો;
કેમ કે ડહાપણ તથા પરાક્રમ તેમના છે.
આ ચાર જુવાનોને ઈશ્વરે સર્વ વિદ્યામાં તથા ડહાપણમાં કૌશલ્ય આપ્યું. દાનિયેલ સર્વ સંદર્શનો તથા સ્વપ્નોનો મર્મ સમજતો હતો.
A sabedoria do alto
A sabedoria que vem de Deus é pura, pacífica, amável, cheia de misericórdia e de bons frutos. Ela se opõe à sabedoria terrena e mundana.
પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો શુદ્ધ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સેહેજ સમજે તેવું, દયાથી તથા સારાં ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ઢોંગ વગરનું છે.
પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો શુદ્ધ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સેહેજ સમજે તેવું, દયાથી તથા સારાં ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ઢોંગ વગરનું છે.
પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો શુદ્ધ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સેહેજ સમજે તેવું, દયાથી તથા સારાં ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ઢોંગ વગરનું છે.
તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે,
જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ.
પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને અવરોધરૂપ અને ગ્રીક લોકોને મૂર્ખતારૂપ લાગે છે.
પરંતુ જેઓને તેડવામાં આવ્યા, પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે. કારણ કે માણસો ના જ્ઞાન કરતાં ઈશ્વરની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે, અને માણસો ની શક્તિ કરતાં ઈશ્વરની નિર્બળતામાં વિશેષ શક્તિ છે.
કોઈ પોતે પોતાને છેતરે નહિ. જો આ જમાનામાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની માનતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું જરૂરી છે.
કોઈ પોતે પોતાને છેતરે નહિ. જો આ જમાનામાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની માનતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું જરૂરી છે.
તેઓનાં હૃદયો દિલાસો પામે અને ઈશ્વરનો મર્મ એટલે ખ્રિસ્તને સમજવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે, પ્રેમથી સંગતમાં રહે. તેમનાંમાં જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ ખજાનો ગુપ્ત રહેલો છે.
Direção e discernimento
Deus guia os humildes na justiça e ensina seu caminho aos mansos. Ele promete dirigir nossos passos quando confiamos nele de todo o coração.
તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ
અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.
તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર
અને તે તારા માર્ગો સીધા કરશે.
તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા;
યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.
કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ.
મારી નજર હું તારા પર રાખીને તને બોધ આપીશ.
તે નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
અને તે તેઓને તેઓના માર્ગે ચાલવાનું શીખવશે.
હે યહોવાહ, મને તમારા માર્ગ બતાવો;
તમારા રસ્તા વિષે મને શીખવો.
તમારા સત્યમાં મને દોરો અને મને શીખવો,
કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો;
હું આખો દિવસ તમારામાં આશા રાખું છું.
માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે
અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.
મને સવારે તમારી કૃપા અનુભવવા દો;
કારણ કે હું તમારા પર ભરોસો રાખું છું.
જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો,
કારણ કે હું મારું જીવન તમારા હાથોમાં મૂકું છું.
મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો,
કારણ કે તમે મારા ઈશ્વર છો.
તમારો ઉત્તમ આત્મા
મને સત્યને માર્ગે દોરી જાઓ.
હે યહોવાહ, તમારા નામને માટે મને જિવાડો;
તમારા ન્યાયીપણાથી મારો જીવ મુશ્કેલીમાંથી બચાવો.
હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો!
મારા શત્રુઓને લીધે
મને સરળ માર્ગે દોરી જાઓ.
A Palavra como fonte de sabedoria
A Palavra de Deus é lâmpada para os pés e luz para o caminho. Meditar nas Escrituras nos dá entendimento superior ao dos mestres.
મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે
અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.
મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે
અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.
તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે;
મારી આંખો ઉઘાડો.
તમારાં વચનો ખુલ્લો પ્રકાશ આપે છે;
તે ભોળા માણસ પણ સમજી શકે છે.
જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી,
જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી,
અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે.
યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે
અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે.
ખ્રિસ્તનું શિક્ષણ સર્વ જ્ઞાનમાં ભરપૂરતાથી તમારામાં રહે; ગીતો, સ્ત્રોત્રો તથા આત્મિક ગાયનોથી એકબીજાને શીખવો તથા બોધ કરો અને આભારસહિત તમારા હૃદયોમાં પ્રભુની સમક્ષ ગાન કરો.
જ્યારે તું ચાલતો હોઈશ ત્યારે તેઓ તને માર્ગદર્શન આપશે;
જ્યારે તું ઊંઘતો હશે ત્યારે તેઓ તારી ચોકી કરશે;
અને જ્યારે તું જાગતો હશે ત્યારે તેઓ તારી સાથે વાતચીત કરશે.
Sabedoria prática para o dia a dia
A sabedoria se aplica em cada decisão: nas finanças, nos relacionamentos, no trabalho e no uso do tempo. Vivamos como sábios, não como insensatos.
તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.
તો સાંભળો કે તમે નિર્બુદ્ધોની જેમ નહિ, પણ ચોકસાઈથી બુદ્ધિવંતોની રીતે ચાલો; સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.
સલાહ સાંભળીને શિખામણ સ્વીકાર;
જેથી તું તારા આયુષ્યનાં અંતિમ ભાગમાં જ્ઞાની થાય.
સલાહ સાંભળીને શિખામણ સ્વીકાર;
જેથી તું તારા આયુષ્યનાં અંતિમ ભાગમાં જ્ઞાની થાય.
જે ડહાપણ મેળવે છે તે પોતાના આત્માને જ ચાહે છે.
જે વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે.
દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે
માટે ચતુરની સૂચના પ્રમાણે તારે યુદ્ધ કરવું.
કેમ કે ચતુર માણસની સલાહ પ્રમાણે તું યુદ્ધ કરશે
અને વધારે સલાહકારીઓમાં સલામતી છે.
જે ક્રોધ કરવામાં ધીમો છે તે વધારે સમજુ છે,
પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને પ્રદર્શિત કરે છે.
અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે;
પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે.
પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે,
પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં સાચો છે,
પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે.
અહંકાર આવે છે ત્યારે અપમાન પણ આવે છે,
પણ નમ્ર જનો પાસે ડહાપણ હોય છે.
જ્ઞાની હૃદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે,
પણ લવરી કરનારો મૂર્ખ પાયમાલ થશે.
બુદ્ધિશાળી વ્યક્તિ ડહાપણ પ્રાપ્ત કરવા મથે છે
અને જ્ઞાની વ્યક્તિના કાન ડહાપણ શોધે છે.
મૂર્ખને બુદ્ધિમાં રસ નથી હોતો,
પણ તેને ફક્ત પોતાનાં મંતવ્યોને જ રજૂ કરવાં હોય છે.
મૂર્ખ ચૂપ રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે,
જ્યાં સુધી તે બોલે નહિ, ત્યાં સુધી તે શાણો લેખાય છે.
જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્ધત્તાની વૃદ્ધિ કરે
અને બુદ્ધિમાન માણસને માર્ગદર્શન મળે.
બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો. તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો.
બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો. તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો.
તમે જે કંઈ કરો તે માણસોને માટે નહિ, પણ જાણે પ્રભુને માટે કરો છો, એમ સમજીને સઘળું ખરા જીવથી કરો; કેમ કે તમે જાણો છો કે બદલામાં તમને પ્રભુ પાસેથી વારસો મળશે; કેમ કે તમે તો ખ્રિસ્ત પ્રભુની સેવા કરો છો.
O valor da sabedoria
A sabedoria é mais preciosa que rubis. Quem a encontra, encontra a vida e alcança o favor do Senhor. Nada se compara a ela.
જે માણસને ડહાપણ મળે છે,
અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે.
કારણ કે જેઓને હું મળું છું તેઓને જીવન મળે છે,
તેઓ યહોવાહની કૃપા પામશે.
સોના કરતાં ડહાપણ મેળવવું એ કેટલું ઉત્તમ છે.
ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે યોગ્ય છે.
માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે,
પણ તેનાં પગલાં ચલાવવાનું કામ યહોવાહના હાથમાં છે.
માણસો મનમાં સંકલ્પ કરે છે,
પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાહના હાથમાં છે.
દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે,
પરંતુ જ્ઞાનની ઉત્તમતા એ છે કે, તે પોતાના માલિકના જીવની રક્ષા કરે છે.
"અગાઉના દિવસો હાલનાં કરતાં વધારે સારા હતા એનું કારણ શું છે?"
એવું તું ન પૂછ કારણ કે આ વિશે પૂછવું તે ડહાપણ ભરેલું નથી.
કેમ કે જે માણસો પર ઈશ્વર પ્રસન્ન છે તેઓને તે બુદ્ધિ જ્ઞાન તથા આનંદ આપે છે. પણ પાપીને તે ફોગટ પરિશ્રમ આપે છે જેથી ઈશ્વરને પ્રસન્ન કરનારને માટે તે ઢગલેઢગલા સંગ્રહ કરીને આપે, એ પણ વ્યર્થ તથા પવનથી મૂઠ્ઠી ભરવા જેવું છે.
જે કંઈ કામ તારે હાથ લાગે તે સામર્થ્યથી કર, કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.
A sabedoria e a soberania de Deus
Os caminhos de Deus são mais altos que os nossos. Sua sabedoria é insondável, eterna e infinitamente superior ao entendimento humano.
"કેમ કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.
"કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી" એમ યહોવાહ કહે છે.
તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું?
યહોવાહ તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના છેડા સુધી ઉત્પન્ન કરનાર તે છે,
તે કદી નિર્બળ થતા નથી કે થાકતા નથી; તેમની સમજણની કોઈ સીમા નથી.
તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું?
યહોવાહ તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના છેડા સુધી ઉત્પન્ન કરનાર તે છે,
તે કદી નિર્બળ થતા નથી કે થાકતા નથી; તેમની સમજણની કોઈ સીમા નથી.
હું થાકેલાઓને આશ્વાસનના શબ્દો બોલી શકું માટે,
પ્રભુ યહોવાહે મને શીખેલાની જીભ આપી છે.
તે દર સવારે મને જગાડે છે અને મારા કાનને ઉઘાડે છે કે હું શીખેલાની જેમ સાંભળું.
જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે અને ઘોડાઓ પર આધાર રાખે છે, તેઓને અફસોસ છે;
અને તેઓ રથો પુષ્કળ હોવાથી તેઓના પર ભરોસો રાખે છે અને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે.
પણ તેઓ ઇઝરાયલના પવિત્રની તરફ દૃષ્ટિ કરતા નથી, કે યહોવાહને શોધતા નથી.
તેમ છતાં ઈશ્વર જ્ઞાની છે, તે આફત લાવશે અને પોતાના શબ્દો પાછા લેશે નહિ.
અને તે દુષ્ટોનાં કુટુંબની સામે અને પાપ કરનારને મદદ કરનારાની સામે તે ઊઠે છે.
આ જ્ઞાન પણ સૈન્યોના યહોવાહ પાસેથી મળે છે,
જે સલાહ આપવામાં અદ્દભુત છે અને બુધ્ધિમાં ઉત્તમ છે.
યહોવાહનો આત્મા, જ્ઞાન તથા સમજનો આત્મા,
વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, ડહાપણ તથા યહોવાહના ભયનો આત્મા તેના પર રહેશે.
તે યહોવાહના ભયમાં હરખાશે;
અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇનસાફ કરશે નહિ અને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ;
ત્યારે યહોવાહ તને નિત્ય દોરશે અને તારા આત્માનાં સૂકા પ્રદેશને તૃપ્ત કરશે
અને તારાં હાડકાં મજબૂત કરશે. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો
અને ઝરાના અખૂટ ભંડાર જેવો થશે.
આહા! ઈશ્વરની બુદ્ધિની, અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ન્યાયચુકાદો કેવાં ગૂઢ અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે!
તે એકલા જ્ઞાની ઈશ્વરને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ સુધી મહિમા હો. આમીન.
આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.
હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે!
તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે;
તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
આપણા પ્રભુ કેવા મહાન છે અને ઘણા પરાક્રમી છે;
તેમના ડહાપણની કોઈ સીમા નથી.
તમારા બોધથી મને દોરવણી આપશો
અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો
કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય.
ન્યાયી પોતાને મુખે ડહાપણ ભરેલી વાત કરે છે
અને તેની જીભે તે સદા ન્યાયની બાબત બોલે છે.
પછી તું યહોવાહમાં આનંદ કરીશ
અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.
હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો;
મારી આગળ તમારો માર્ગ સીધા કરો.
તમે મને જીવનનો માર્ગ જણાવશો; તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે; તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારાં સુખદાયક વાનાં છે.
તેઓ રડતાંકકળતાં વિનંતીઓ કરતાં આવશે.
હું તેમને ઠોકર ન વાગે એવા સપાટ રસ્તે વહેતાં ઝરણાં આગળ ચલાવીશ. કેમ કે હું ઇઝરાયલનો પિતા છું,
એફ્રાઇમ મારો જયેષ્ઠ દીકરો છે."
હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ તેના હાથમાં નથી. માણસ પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી.
ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીને ઉત્પન્ન કરી છે, પોતાના ડહાપણથી પૃથ્વીને સ્થાપી છે અને પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યું છે.
આવતી કાલની બડાશ મારીશ નહિ,
કારણ કે આવતીકાલે શું થઈ જશે તે તું જાણતો નથી.
દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી,
પણ જેઓ યહોવાહને શોધે છે તેઓ આ સઘળી બાબતો સમજે છે.
હવે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં, જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે, આપણે સારુ પુષ્કળ કરી શકે છે, તેમને ઈશ્વરને ખ્રિસ્ત ઈસુમાં તથા વિશ્વાસી સમુદાયમાં સર્વકાળ પેઢી દરપેઢી મહિમા હો. આમીન.
આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. બે કે ત્રણ સાક્ષીઓની સાબિતીઓથી દરેક વાત સ્પષ્ટ કરાશે.
વળી જે ઉપદેશ બાળકોની માફક સમજાવીને તમને અપાય છે, તે તમે ભૂલી ગયા, એટલે, ‘ઓ, મારા પુત્ર, તું પ્રભુની શિક્ષાને તુચ્છ ન ગણ અને તે ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. કેમ કે જેનાં પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે, જે પુત્રનો તે અંગીકાર કરે છે, તે દરેકને તે કોરડા મારે છે.’"
છેવટે, ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ઉચિત, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે તથા જો કોઈ સદગુણ, જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.
તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.
દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
એ માટે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તે એક ડાહ્યા માણસની જેમ છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.
કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ.
દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.’"
યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને
આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે.
વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે;
અને પાકી વયમાં સમજણ હોય છે.
પરંતુ જ્ઞાન તથા બળ તો ઈશ્વરનાં જ છે.
સમજ અને સત્તા તો તેમની પાસે જ છે.
ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,
હા, "હું જાણું છું કે એમ જ છે.
પરંતુ માણસ ઈશ્વરની આગળ કેવી રીતે ન્યાયી ઠરે?
જો તે તેમની સાથે દલીલ કરવાને ઇચ્છે,
તો હજાર પ્રશ્રનોમાંથી એકનો પણ જવાબ તે તેમને આપી શકશે નહિ.
ઈશ્વર જ્ઞાની તથા પરાક્રમી છે,
તેમની સામે થઈને કોણ આબાદાની પામ્યો છે?
હે મનુષ્ય, તેણે તને જણાવ્યું છે,
કે સારું શું છે;
ન્યાયથી વર્તવું,
દયાભાવ રાખવો,
તથા તારા ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવું,
યહોવાહ તારી પાસે બીજું શું માગે છે.
તેણે ન્યાયાધીશોને કહ્યું, "તમે જે ન્યાય કરો તે વિચારીને કરજો કેમ કે તમે માણસો તરફથી ન્યાય કરતા નથી પણ ઈશ્વરના નામે ન્યાય કરો છો; યાદ રાખજો કે તમે જ્યારે ઇનસાફ કરો ત્યારે ઈશ્વર તમારી સાથે હોય છે.
હવે તમે તો નથી જાણતા કે કાલે શું થવાનું છે. તમારી જિંદગી શાના જેવી છે? કેમ કે તમે તો ધુમ્મસ જેવા છો, કે જે થોડીવાર દેખાય છે પછી અદ્રશ્ય થાય છે.