જ્ઞાનનો પુરસ્કાર
1 મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે
અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,
2 ડહાપણની વાત સાંભળશે
અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે;
3 જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે
અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
4 જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે
અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;
5 તો તને યહોવાહના ભયની સમજણ પડશે
અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.
6 કેમ કે યહોવાહ ડહાપણ આપે છે,
તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.