19 મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા
અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.
20 દ્રાક્ષારસ પીનારાઓની
અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.
21 કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે
અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.
22 તારા પોતાના પિતાનું કહેવું સાંભળ
અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.