32 જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે,
તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.
33 તેને ઘા તથા અપમાન જ મળશે,
અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.
34 કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે;
અને તે વૈર વાળતી વખતે જરાય દયા રાખશે નહિ.
35 તે કોઈ બદલો સ્વીકારશે નહિ,
તું તેને ઘણી ભેટો આપશે, તો પણ તે સંતોષ પામશે નહિ.