10 Milagres de Jesus na Bíblia: Lista com versículos e explicação
Os milagres de Jesus são muito mais do que demonstrações de poder sobrenatural; eles são sinais que confirmam sua divindade e missão. Ao longo dos Evangelhos, vemos Cristo curando enfermos, dominando a natureza e vencendo a morte.
Neste guia, selecionamos 10 milagres de Jesus na Bíblia, organizados com referências e uma breve explicação sobre o impacto espiritual de cada um deles.
Os principais milagres de Jesus nos Evangelhos
1. Transformação da Água em Vinho
Referência: João 2:1-11
Explicação: Ocorreu nas Bodas de Caná. Sendo o seu primeiro milagre público, Jesus demonstrou autoridade sobre a matéria e a natureza, revelando sua glória aos discípulos e abençoando a instituição da família.
ઈસુ પાણીનો દ્રાક્ષારસ બનાવે છે
ત્રીજે દિવસે ગાલીલના કાનામાં લગ્ન હતું, ત્યાં ઈસુના મા હતા. અને ઈસુ અને તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ હતું. "જયારે દ્રાક્ષારસ ખૂટી પડયો." ઈસુનાં મા તેમને કહે છે, તેઓની પાસે દ્રાક્ષારસ નથી.
ઈસુએ જવાબ આપ્યો કે, બાઈ, "તમે મને કેમ સામીલ કરો છો? મારો સમય હજુ આવ્યો નથી."
તેમના માએ નોકરોને કહ્યું, "જે કંઇ તેઓ તમને કહે, તે કરો."
હવે ત્યાં પથ્થરની છ કોઠીઓ હતી: યહૂદીઓનાં ધાર્મિક પ્રસંગોમાં તે ઉપયોગમાં લેવાતી હતી, દરેક કોઠીમાં આશરે સો લીટર પાણી સમાતું હતું.
ઈસુએ નોકરોને કહ્યું, "આ કોઠીઓ પાણીથી ભરી દો." તેથી તેઓએ તે છલોછલ ભરી દીધી.
પછી તેમણે તેમને કહ્યું, "હવે થોડું કાઢીને જમણના કારભારી પાસે લઇ જાઓ, તેઓએ તેમ કયુઁ,"
જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો. આ ક્યાંંથી આવ્યો તેની તેને ખબર ન હતી, પણ જે નોકરોએ પાણી કાઢયું હતું તેઓ જાણતા હતા, પછી તેમણે વરરાજાને બાજુમાં બોલાવ્યો. અને કહ્યું, "દરેક માણસ પ્રથમ ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે અને મહેમાનોએ સારી રીતે પીધા પછી હલકા પ્રકારનો આપે છે, પરંતુ તેં અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખ્યો છે!"
ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડયો, અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કયોઁ.
2. Cura do cego de nascença
Referência: João 9:1-12
Explicação: Jesus usa lodo para curar um homem que nunca havia enxergado. Este milagre prova que Ele é a Luz do Mundo e tem poder para restaurar o que nasceu com defeito.
ઈસુ જન્મથી અંધ માણસને સાજો કરે છે
જયારે તેઓ જતાં હતા, ત્યારે તેમણે એક જન્મથી અંધ માણસને જોયો. તેમના શિષ્યોએ તેમને પૂછયું, "રાબ્બી કોના પાપે, આ માણસના કે તેનાં માબાપનાં, કે તે અંધ જન્મ્યો?"
ઈસુએ કહ્યું, "આ માણસના કે તેના માબાપનાં પાપે નહિ, પણ તે એટલા માટે કે ઈશ્વરના કાયોઁ તેનાથી પ્રગટ થાય. જયાં સુધી દિવસ કહેવાય છે, ત્યાં સુધી આપણે તેમના કામ કરવા જોઈએ. રાત આવે છે જયારે કોઇ કામ નઇ કરી શકે. જયારે હું જગતમાં છું, ત્યાં સુધી હું જગતનો પ્રકાશ છું."
આ કહી રહ્યા પછી, તેમણે જમીન પર થૂંકી, લાળથી તેમણે થોડો કાદવ બનાવ્યો, અને માણસની આંખો પર લગાવ્યો. તેને કહ્યું, "જા, શિલોઆહના કુંડમાં જઈને ઘો." (શિલોઆહ એટલે મોકલાયેલ.) તેથી તે માણસ ગયો અને ધોઈ, અને તે દેખતો થઈને ઘરે આવ્યો.
તેના પડોશીઓ તથા જેઓએ તેને અંધ ભિખારી તરીકે જોયો હતો, "શું આ, આ એ જ માણસ નથી કે જે બેસીને ભીખ માંગતો હતો?" કેટલાકે દાવો કયોઁ કે તે એ હતો,
બીજાઓએ કહ્યું "ના, તે માત્ર તેના જેવો દેખાય છે."
પણ તેણે કહ્યું, "હું એ જ માણસ છું."
તેઓએ પૂછયું, "તારી આંખો કેવી રીતે ઉઘડી?"
તેણે જવાબ આપ્યો, "જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ કરીને મારી આંખો પર ચોપડ્યો. તેમણે કહ્યું કે, ‘શિલોઆહના માં જઈને ધો.’ તેથી હું ગયો અને હું જોઈ શકયો."
તેઓએ તેને પૂછયું, "તે માણસ કયાં છે?"
તેણે કહ્યું, "મને ખબર નથી."
3. Multiplicação dos pães e peixes
Referência: Mateus 14:13-21
Explicação: Com apenas cinco pães e dois peixes, Jesus alimentou mais de 5 mil homens. Este sinal revela Cristo como o Pão da Vida, aquele que supre todas as nossas necessidades.
ઈસુ પાંચ હજારને જમાડે છે
જયારે ઈસુએ જે બન્યું હતું તે સાંભળ્યું, તેઓ હોડીમાં ઉજજડ જગ્યાએ એકાંતમાં ગયા, આ વિષે સાંભળીને ટોળું નગરમાંથી પગ રસ્તે તેમની પાછળ ગયા. જયારે ઈસુ ઉતયાઁ અને મોટું ટોળું જોયું, ત્યારે તેમને તેઓના પ્રત્યે કરુણા ઊપજી અને તેઓમાંના રોગીઓને સાજા કર્યા.
સાંજ પડી, ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, "આ સ્થળ ઉજજડ છે, અને હવે ઘણું મોડું થઇ ગયું છે. ટોળાને વિદાય કરો, જેથી તેઓ ગામોમાં જઈને પોતાને સારું ખોરાક ખરીદી લે."
ઈસુએ જવાબ આપ્યો, "તેઓને જવાની જરૂર નથી. તમે તેઓને કંઈક ખાવાનું આપો!"
તેઓએ જવાબ આપ્યો કે, અહીં અમારી પાસે તો માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.
તેમણે કહ્યું, "તે અહીં મારી પાસે લાવો." અને તેણે લોકોને ઘાસ પર બેસી જવા જણાવ્યું. તેમણે પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો, અને રોટલી ભાંગી. પછી તેમણે તે શિષ્યોને આપીને શિષ્યોએ લોકોને આપી. તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી. સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જેઓ જમ્યાં તેઓ લગભગ પાંચ હજાર પુરુષો હતા.
4. Jesus acalma a tempestade
Referência: Marcos 4:35-41
Explicação: Com uma ordem, o vento e o mar se aquietam. O milagre ensina sobre a paz que excede o entendimento e a autoridade do Messias sobre a criação.
ઈસુએ તોફાન શાંત પાડયું
તે દિવસે સાંજ પડતાં તેમણે પોતાના શિષ્યોને કહ્યું, "ચાલો, આપણે સરોવરને પેલે પાર જઈએ." જનસમુદાયને પાછળ રહેવા દઈને શિષ્યો એમનેએમ તેમને લઈને હોડીમાં નીકળી પડયાં, બીજી હોડીઓ પણ તેઓની સાથે હતી. પવનનું ભારે તોફાન આવ્યું, મોજાં હોડી પર ઉછળવા લાગ્યાં, હોડી પાણીથી ભરાઈને ડૂબવા લાગી. હોડીના પાછલાં ભાગમાં ઓશીકા પર માથું ટેકવી ઈસુ ઊંઘતા હતા. શિષ્યોએ મને જગાડયા ને તેમને કહ્યું, "ગુરુજી! જો અમે ડૂબીએ તો તેની તમને શું કાંઈ ચિંતા નથી?"
"તેઓ ઊઠયાં અને પવનને ધમકાવ્યો અને મોજાને કહ્યું, શાંત થા!" પછી તરત જ પવન બંધ થયો અને સંપૂર્ણ શાંતિ થઈ.
પછી તેમણે શિષ્યોને કહ્યું, "તમે શા માટે આટલા બધાં ગભરાઈ ગયા? શું હજીયે તમને વિશ્વાસ નથી?"
તેઓ ભયભીત થઈને એકબીજાને કહેવા લાગ્યા, "આ તે કોણ છે? પવન અને મોજા પણ તેમનું માને છે!"
5. Cura da mulher com fluxo de sangue
Referência: Marcos 5:25-34
Explicação: Uma cura que aconteceu pelo toque da fé. Jesus mostra que está atento ao sofrimento individual e que a fé é o canal para receber o milagre.
ટોળામાં એક સ્ત્રી તે બાર વર્ષથી રકતસ્ત્રાવથી પીડાતી હતી. ઘણાં ડોકટરોની સારવારમાં તેણે પોતાનું સવઁ ખરચી નાંખ્યાં છતાં, સારું થવાને બદલે તેની સ્થિતિ વધારે બગડી ગઈ હતી. ઈસુ વિશે સાંભળીને ટોળામાં થઈને તે તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને સ્પર્શ કયોઁ. કેમકે તેણે વિચાયુઁ હતું કે: "જો હું માત્ર તેમના વસ્ત્રને જ સ્પર્શ કરું તો, પણ સાજી થઈશ." તરત જ તેનો રકતસ્ત્રાવ બંધ થયો અને તેને શરીરમાં ખાતરી થઈ કે તે સાજી થઈ છે.
તરત જ ઈસુને ખબર પડી કે તેમના માંથી પરાક્રમ નીકળ્યું છે, તેમણે ટોળાં તરફ ફરીને પૂછયું. "મારા વસ્ત્રને કોણે સ્પર્શ કર્યો?"
શિષ્યોએ કહ્યું, "આટલા બધા લોકો તમારાં પર પડાપડી કરે છે," છતાં તમે પૂછો છો કે, "કોણે મને સ્પર્શ કયોઁ?"
એ કોણ કયુઁ તે જોવા, ઈસુએ ચારે તરફ નજર ફેરવી. તે સ્ત્રી પોતાને જે થયું હતું તે જાણીને ભયથી ધ્રૂજીને આવીને તેની આગળ પડીને તેણે તેમને બધું સાચેસાચું કહી દીધું. તેમણે તેને કહ્યું, "દીકરી, તારા વિશ્વાસથી તું સાજી થઈ છે, શાંતિએ જા ને રોગથી મુક્ત થા."
6. Libertação do endemoninhado Gadareno
Referência: Marcos 5:1-20
Explicação: Jesus liberta um homem dominado por uma legião de espíritos. É a prova clara de sua autoridade absoluta sobre o reino das trevas.
અશુધ્ધ આત્મા વળગેલા માણસને સાજાપણું
તેઓ સરોવરને સામે કિનારે ગેરસાનીઓના પ્રદેશમાં ગયા. ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે કબરોમાંથી અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળવા આવ્યો. તે કબરોમાં રહેતો હતો, તેને કોઇ સાંકળોથી પણ બાંધી શકતો ન હતો. કેમકે તેને ઘણીવાર હાથ-પગમાં સાંકળો તથા બેડીઓથી બાંધવામાં આવ્યો હતો, પણ તે સાંકળો અને બેડીઓ તોડી નાંખતો. કોઈ તેને વશ રાખી શક્તું નહોતું. તે રાતદિવસ કબરોમાં તથા પહાડોમાં ચીસો પાડતો, પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.
ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો, અને તેમની આગળ ઘૂંટણે પડયો તેણે ભયંકર ચીસ પાડીને કહ્યું, "ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના પુત્ર! તમારે અને મારે શું? ઈશ્વરની ખાતર મને પીડા ન દો." ઈસુએ તે અશુધ્ધ આત્માને ધમકાવતાં કહ્યું, "આ માણસમાંથી બહાર નીકળ."
ઈસુએ પૂછયું, "તારું નામ શું છે?"
અશુધ્ધ આત્માએ જવાબ આપ્યો, "મારું નામ સેના છે, કારણ અમે અનેક છીએ." તેણે ઈસુને વારંવાર વિનંતી કરીને કહ્યું, અમને આ જગ્યાથી કાઢી ન મૂકો.
ત્યાં પહાડની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરી રહ્યું હતું. અશુધ્ધ આત્માએ આજીજી કરી, "અમને તે ભૂંડોનાં ટોળામાં પેસવા દો કે અમે તેઓમાં જઈએ." ઈસુએ તેઓને જવા દીધા, તેથી અશુધ્ધ આત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠાં, અને લગભગ બે હજાર ભૂંડોનું આખું ટોળું સરોવરમાં ધસી પડયું અને ડુબી ગયું.
પેલા ભૂંડ ચરાવનારાં નાઠાં, શહેરમાં જઈને તે બધું તેઓએ કહી જણાવ્યું, અને ગામડાંમાં નાસી ગયા અને તે જોવાને માટે લોકો ઊમટી પડયાં. તેઓ ઈસુ પાસે આવ્યા, ત્યારે પેલા ભૂત વળગેલા માણસને વસ્ત્રો પહેરેલો તથા સંપૂર્ણ સ્વસ્થ બેઠેલો જોઈ; તેઓ ભયભીત થયા. આ અશુધ્ધ આત્મા વળગેલો કેવી રીતે સારો થયો હતો, તે તથા ભૂંડો વિશેની વાત જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવ્યું. ત્યારે લોકોએ ઈસુને તે પ્રદેશમાંથી ચાલ્યા જવા વિનંતી કરી.
જયારે ઈસુ હોડીમાં ચઢતા હતા, ત્યારે અશુધ્ધ આત્માઓથી મુક્ત થયેલા માણસે તેમની સાથે જવા વિનંતી કરી. ઈસુએ તેને ના પાડી અને કહ્યું, "તારા ઘરે તારાં સગા વહાલાં પાસે જા અને ઈસુએ તેમને માટે કેટલું બધું કયુઁ હતું તે કહી સંભળાવ્યું." તેથી તે માણસ દકાપોલિસ ગયો અને ઈસુએ જે મહાન કૃત્યો તેના માટે કર્યા હતાં તે કહેવાં લાગ્યો, તેની વાત સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
7. Ressurreição da filha de Jairo
Referência: Marcos 5:21-43
Explicação: Jesus demonstra que a morte para Ele é como o sono. Ele restaura a vida de uma criança, trazendo esperança para uma família desesperada.
યાઈરસની પુત્રી અને રકતસ્ત્રાવવાળી સ્ત્રી
ઈસુ હોડીમાં બેસીને સરોવરને સામે કિનારે પહોંચ્યા, જયારે એ તે સરોવર પાસે હતાં ત્યારે મોટો સમુદાય તેમની આસપાસ એકઠો થઈ ગયો. એટલામાં યહુદી સભાસ્થાનનો આગેવાન, યાઈરસ દોડતો આવ્યો, અને ઈસુની આગળ નમી પડયો. વ્યાકુળ હદયે તેણે આજીજી કરી, "મારી નાની દીકરી મરવાની અણી પર છે; મહેરબાની કરી આપ આવો અને તેના પર હાથ મૂકો કે તે સાજી થઈને જીવતી થાય." ઈસુ તેની સાથે ગયા અને.
મોટું ટોળું તેમની પાછળ જઈને તેમના પર પડાપડી કરી. ટોળામાં એક સ્ત્રી તે બાર વર્ષથી રકતસ્ત્રાવથી પીડાતી હતી. ઘણાં ડોકટરોની સારવારમાં તેણે પોતાનું સવઁ ખરચી નાંખ્યાં છતાં, સારું થવાને બદલે તેની સ્થિતિ વધારે બગડી ગઈ હતી. ઈસુ વિશે સાંભળીને ટોળામાં થઈને તે તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને સ્પર્શ કયોઁ. કેમકે તેણે વિચાયુઁ હતું કે: "જો હું માત્ર તેમના વસ્ત્રને જ સ્પર્શ કરું તો, પણ સાજી થઈશ." તરત જ તેનો રકતસ્ત્રાવ બંધ થયો અને તેને શરીરમાં ખાતરી થઈ કે તે સાજી થઈ છે.
તરત જ ઈસુને ખબર પડી કે તેમના માંથી પરાક્રમ નીકળ્યું છે, તેમણે ટોળાં તરફ ફરીને પૂછયું. "મારા વસ્ત્રને કોણે સ્પર્શ કર્યો?"
શિષ્યોએ કહ્યું, "આટલા બધા લોકો તમારાં પર પડાપડી કરે છે," છતાં તમે પૂછો છો કે, "કોણે મને સ્પર્શ કયોઁ?"
એ કોણ કયુઁ તે જોવા, ઈસુએ ચારે તરફ નજર ફેરવી. તે સ્ત્રી પોતાને જે થયું હતું તે જાણીને ભયથી ધ્રૂજીને આવીને તેની આગળ પડીને તેણે તેમને બધું સાચેસાચું કહી દીધું. તેમણે તેને કહ્યું, "દીકરી, તારા વિશ્વાસથી તું સાજી થઈ છે, શાંતિએ જા ને રોગથી મુક્ત થા."
હજી ઈસુ તે સ્ત્રી સાથે વાત કરતા હતા, તે જ વખતે સભાસ્થાનના આગેવાન યાઈરસના ઘરેથી માણસો આવ્યા, "તેઓએ ખબર આપી કે દીકરી મૃત્યુ પામી છે, હવે ઈસુને તસ્દી આપવાની જરૂર નથી."
પરંતુ તેઓની વાત પ્રત્યે ધ્યાન આપ્યા સિવાય ઈસુએ કહ્યું, "તું ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ."
પછી ઈસુએ ટોળાને ત્યાં અટકાવીને પિતર, યાકોબ અને યોહાન કે જે યાકૂબનો ભાઈ સિવાય બીજા કોઈને પોતાની સાથે આવવાં દીધા નહિ. જયારે તેઓએ સભાસ્થાનનાં આગેવાનના ઘરમાં આવ્યા, ત્યારે ઈસુએ આવીને જોયું તો શોરબકોર મચી ગયો હતો. વિલાપ અને રડારોળ થઈ રહ્યાં હતાં. ઈસુએ ઘરમાં જઈને લોકોને કહ્યું, "આટલો બધો શોરબકોર અને વિલાપ શા માટે! છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે!" તેઓએ તેમને હસી કાઢયાં.
ઈસુએ બધાને બહાર કાઢયા, તેઓના ગયા પછી છોકરીનાં માતાપિતાને અને ત્રણ શિષ્યોને લઈને, જે ઓરડીમાં તે હતી ત્યાં તે ગયા. તેમણે તેનો હાથ પકડીને કહ્યું, "તાલીથાકૂમ!" જેનો અર્થ થાય છે, ("છોકરી, હું તને કહું છું, ઊઠ!"). તરત તે ઊભી થઈ અને ચાલવા લાગી. તેઓ જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયાં (તે છોકરી બાર વરસની હતી). ઈસુએ તેઓને કડક સૂચના આપી, જે કાંઈ બન્યું છે તે કોઈને કહેશો નહિ. તેને ખાવા માટે કાંઈક આપો.
8. Jesus anda sobre as águas
Referência: Mateus 14:22-33
Explicação: Ao caminhar sobre o Mar da Galileia, Jesus mostra que não está sujeito às leis da física. O episódio também serve para tratar a fé e a dúvida no coração de Pedro.
ઈસુ પાણી પર ચાલે છે
ટોળાને વિદાય કયાઁ પછી તરત જ ઈસુએ શિષ્યોને હોડીમાં બેસાડીને સામે કિનારે તેમની આગળ મોકલ્યા, તેઓને વિદાય કયાઁ પછી, તેઓ પોતે પહાડ પર પ્રાર્થના કરવા માટે ગયા. તે મોડી રાત્રે તેઓ ત્યાં એકલા હતા. અને હોડી પહેલેથીજ જમીનથી ઘણી દૂર હતી, પવન સામો હોવાને કારણે તોફાની મોજાંઓમાં સપડાઈ ગઈ હતી.
સવારના થોડા સમય પહેલાં સરોવર પર ચાલીને ઈસુ તેઓની પાસે જતા હતા. જયારે શિષ્યોએ તેમને પાણી પર ચાલતાં જોઈને તેઓ બી ગયાં, તેઓએ કહ્યું "તે કોઈ ભૂત છે!" ને બીકથી તેઓએ બુમ પાડી.
પણ ઈસુએ તરત તેઓને કહ્યું, "ગભરાશો નહિ, હિંમત રાખો! એ તો હું છું!"
ત્યારે પિતરે તેમને જવાબ આપ્યો, "પ્રભુ! જો એ તમે હો, તો મને કહો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું."
તેમણે એ કહ્યું, "આવ!"
તેથી પિતર હોડીમાંથી ઊતરીને પાણી પર ચાલીને ઈસુની તરફ આવવાં લાગ્યો. પણ જયારે તેણે પવન જોયો, ત્યારે તે ડરી ગયો અને ડુબવા લાગ્યો. ને બૂમ પાડી ઊઠયો, "પ્રભુ, મને બચાવો!"
તરત જ ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેમણે કહ્યું, "ઓ અલ્પવિશ્વાસી! તેં કેમ સંદેહ આણ્યો?"
અને જયારે તેઓ હોડીમાં ચઢી ગયા, પવન શાંત થઈ ગયો. અને હોડીમાં જેઓ હતા તેઓએ તેમની આરાધના કરી, કહ્યું, "સાચે જ તમે ઈશ્વરપુત્ર છો."
9. Cura do paralítico
Referência: Marcos 2:1-12
Explicação: Jesus cura o corpo, mas primeiro perdoa os pecados. Este milagre estabelece que sua missão principal é a reconciliação espiritual do homem com Deus.
લકવાનાં રોગીને સાજાપણું
કેટલાક દિવસો પછી ઈસુ કપરનાહૂમ પાછા આવ્યા, લોકોએ સાંભળ્યું કે તેઓ ઘરમાં છે. લોકોનાં ટોળેટોળાં આવવાં લાગ્યા જે ઘરમાં તે હતા, તે ખીચોખીચ ભરાઈ ગયું, આંગણાંમાં પણ જગા ન રહી ત્યાં ઈસુએ વચનનો ઉપદેશ આપ્યો. કેટલાંક માણસો તેમની પાસે એક લકવાગ્રસ્ત થયેલા માણસને લાવ્યા, જેને ચાર માણસો ઉંચકીને લઈ ગયા હતાં. ટોળાને કારણે તેઓ ઈસુ પાસે પહોંચી શક્યા નહિ, તેથી તેઓએ ઈસુની ઊપર નું છાપરું ઉકેલીને તે માણસને પથારી સાથે તેમની આગળ ઉતાર્યો. તેઓનો દ્રઢ વિશ્વાસ જોઈને ઈસુએ લકવાગ્રસ્ત માણસને કહ્યું, "દીકરા, તારાં પાપ માફ કરવામાં આવ્યા છે."
ત્યાં બેઠેલાં કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ પોતાના મનમાં વિચાયુઁ, "આ માણસ આવી રીતે કેમ બોલે છે? આ તો ઈશ્વર નિંદા છે! એક, એટલે ઈશ્વર, એકલા ઈશ્વર સિવાય બીજો કોણ પાપ માફ કરી શકે?"
ઈસુએ તેઓના મનના વિચારો પોતાના આત્મામાં જાણી લઈને તરત તેમને કહ્યું, "એવા વિચારો મનમાં શા માટે કરો છો? સહેલું શું છે? એટલે લકવાગ્રસ્તને એમ કહેવું કે તારાં પાપ તને માફ થયાં છે અથવા એમ કહેવું કે ‘ઊઠ! તારી પથારી ઊંચકીને ચાલ?’ પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે." "તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા." તે ઊભો થયો અને બધાનાં દેખતાં પથારી ઊંચકીને બહાર ચાલ્યો ગયો, લોકો સ્તબ્ધ થઈ ગયા, ઈશ્વરની સ્તુતિ કરતાં તેઓ કહેવા લાગ્યા કે, "આવું અમે કદી જોયું નથી."
10. Ressurreição de Lázaro
Referência: João 11:1-44
Explicação: O milagre mais impactante antes da crucificação. Ao ressuscitar alguém morto há quatro dias, Jesus declara: "Eu sou a ressurreição e a vida".
લાજરસનું મરણ
હવે લાઝરસ નામનો એક માણસ બિમાર હતો. તે મરિયમ અને તેની બહેન માર્થાનાં ગામ બેથાનિયા નો હતો. આ એ જ મરિયમ હતી, જેણે પ્રભુના પગ પર અતિમૂલ્યવાન અત્તર રેડીને પોતાના વાળથી તે લૂંછયા હતા. હવે તેનો ભાઈ લાઝરસ માંદો પડયો. તેથી બહેનોએ ઈસુ પર ખબર મોકલાવી, "પ્રભુ, જેને તમે પ્રેમ કરો છો તે માંદો છે."
જયારે તેમણે આ સાંભળ્યું ત્યારે ઈસુએ કહ્યું, "મરણ થાય એવી આ માંદગી નથી, પણ તે ઈશ્વરના મહિમાને માટે છે, તેથી ઈશ્વર પુત્રનો મહિમા થાય." હવે ઈસુ માર્થા તથા તેની બહેન અને લાઝરસ પર પ્રેમ રાખતાં હતા. તેથી જયારે ઈસુએ સાંભળ્યું કે લાઝરસ બિમાર છે ત્યારે તે જયાં હતા ત્યાં બે દિવસ વધારે રહ્યા. અને ત્યાર પછી તેના શિષ્યોને કહ્યું, "ચાલો, આપણે પાછા યહૂદિયા જઈએ."
તેઓએ કહ્યું, પણ "રાબ્બી, હજી થોડા સમય પહેલાં જ યહૂદીઓએ તમને પથ્થરે મારવાની કોશિશ કરતા હતા, અને તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?"
ઈસુએ જવાબ આપ્યો, "દિવસનાં બાર કલાક અજવાળું નથી હોતું? જે કોઇ દિવસે ચાલશે તે ઠોકર ખાશે નહિ, કેમકે તેઓ આ જગતનો પ્રકાશ જુએ છે. જયારે વ્યકિત રાત્રે ચાલે છે તે ઠોકર ખાય છે, કેમકે તેનાંમાં પ્રકાશ નથી."
તેમણે આ કહયાં પછી, તેઓ તેઓને કહેવા લાગ્યા કે "આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે. પણ હું તેને જગાડવા જાઉ છું."
તેમના શિષ્યોએ જવાબ આપ્યો, "પ્રભુ જો તે ઉંઘી ગયો હોય તો તે સાજો થશે" ઈસુ તો તેના મરણ વિશે કહેતા હતા, પણ તેમના શિષ્યોને લાગ્યું કે તેઓ સામાન્ય ઉંઘ વિશે કહે છે.
તેથી ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું, "લાઝરસ મરણ પામ્યો છે. અને હું ત્યાં ન હતો એ માટે હું હષઁ પામું છું, એ માટે કે તમે વિશ્વાસ કરો, પણ ચાલો, આપણે તેની પાસે જઈએ."
થોમા જે દીદીમસ કહેવાતો હતો તેણે બીજા શિષ્યોને કહ્યું, "ચાલો, આપણે પણ જઈએ, અને તેમની સાથે મરી જઈએ."
ઈસુ લાઝરસની બહેનોને દિલાસો આપે છે
ઈસુ ત્યાં પહોંચ્યા પછી તેમને ખબર પડી કે લાઝરસને કબરમાં મૂક્યાંને ચાર દિવસ થઈ ગયા છે. હવે બેથાનિયા યરુશાલેમથી ત્રણ કિલોમીટર દૂર હતું. અને ઘણાં યહૂદીઓ લાઝરસ ગુમાવવાને લિધે, માર્થા અને મરિયમને દિલાસો આપવાં આવ્યા હતા. જયારે માર્થાને સાંભળ્યું કે ઈસુ આવ્યા છે ત્યારે તે તેમને મળવા બહાર ગઈ, પણ મરિયમ ઘરમાં જ રહી.
માર્થાએ ઈસુને કહ્યું, "ગુરુજી, તમે અહીં હોત તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત. પરંતુ હું જાણું છું કે હજુ પણ જો તમે ઈશ્વર પાસે કાંઈ પણ માંગશો તો, તે તમને આપશે."
ઈસુએ તેને કહ્યું, "તારો ભાઈ ફરીથી સજીવન થશે."
માર્થાએ જવાબ આપ્યો, "હા, પુનરુત્થાનમાં છેલ્લે દિવસે મારો ભાઈ પાછો ઊઠશે તે હું જાણું છું."
ઈસુએ તેને કહ્યું, "પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે. અને જે કોઈ મારા પર વિશ્વાસ રાખીને જીવે છે તે કદી મરશે નહિ. શું તું એવો વિશ્વાસ કરે છે?"
માર્થાએ જવાબ આપ્યો, "હા, પ્રભુ, હું વિશ્વાસ કરું છું કે તમે જ મસીહ, ઈશ્વરપુત્ર છો. જે જગતમા આવનાર છે."
આ કહી રહ્યા પછી, તે ચાલી ગઈ અને તેની બહેન મરિયમને બાજુ પર બોલાવીને કહ્યું, "ગુરુજી અહીં છે, અને તને બોલાવે છે." જયારે મરિયમે એ સાંભળ્યું, તે જલ્દી ઉઠીને તરત જ તેમની પાસે ગઈ. ઈસુ હજી ગામમાં આવ્યા ન હતાં, પણ બહાર જયાં માર્થા તેમને મળી હતી તે જગ્યાએ હતા. જયારે યહૂદીઓ મરિયમની સાથે ઘરમાં હતાં, અને તેને દિલાસો આપતાં, તેઓએ જોયું કે તે કેવી જલ્દી ઊઠી અને બહાર ગઇ, તેઓ તેની પાછળ ગયા, એવું ધારીને કે તે કબરે રડવા જાય છે.
જયારે મરિયમ ઈસુ જે જગ્યાએ હતા ત્યાં પહોંચી અને તેમને જોયા, તે તેમને પગે પડી અને કહ્યું, "ગુરુજી, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ."
જયારે ઈસુએ તેને રડતી જોઈ, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતાં તેઓને પણ રડતાં જોઈને, "તેઓ આત્મામાં ખૂબ જ નિસાસો નાખીને વ્યાકુળ થયા." તેમણે પૂછયું,
"તમે તેને કયાં મૂકયો છે?" તેઓએ જવાબ આપ્યો, "આવો અને જુઓ, પ્રભુ,"
ઈસુ રડ્યા!
ત્યારે યહૂદીઓએ કહ્યું, "જુઓ, તેમણે તેને કેવો પ્રેમ કયોઁ!"
પણ તેઓમાંના કેટલાકે કહ્યું, "જેણે આંધળા ની આંખો ખોલી તે શું આ માણસને મરતા બચાવી ન શક્યાં હોત?"
ઈસુ લાજરસને મૂએલામાંથી ઊઠાડે છે
ઈસુ, ફરી એક વાર ખૂબ દુઃખી થયા, કબરે આવ્યા. તે ગુફા હતી. જેના પ્રવેશ આગળ પથ્થર મૂકેલો હતો. તેમણે કહ્યું, પથ્થર દૂર કરો.
મરનારની બહેન માર્થાએ કહ્યું, "ગુરુજી હવે તો દુર્ગંધ આવતી હશે, તેને ત્યાં આવ્યા ને ચાર દિવસ થઈ ગયા છે."
ત્યારે ઈસુએ કહ્યું, "જો તું વિશ્વાસ કરશે તો તું ઈશ્વરનો મહિમા જોશે એવું મેં શું તને નથી કહ્યું?"
ત્યારે તેઓએ પથ્થર ખસેડયો, પછી ઈસુએ ઊંચે જોઈને કહ્યું, "હે પિતા, તમે મારું સાંભળ્યું છે તેથી હું તમારો આભાર માનું છું. તમે હંમેશાં મારું સાંભળો છો એ હું જાણું છું, પણ અહીં ઊભા રહેલાઓને લીધે મેં તમને એવું કહ્યું, જેથી તેઓ વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે."
જયારે તેમણે એ કહ્યાં પછી, ઈસુએ મોટે અવાજે કહ્યું, "લાઝરસ, બહાર આવ!" ત્યારે મરેલો માણસ બહાર આવ્યો. તેના હાથ અને પગ શણના કાપડથી વીંટળાયેલા હતાં, અને તેના મોંને ફરતે રૂમાલ હતો.
ઈસુએ તેઓને કહ્યું, "કબરના કપડાં ઉતારો અને તેને જવા દો."
Conclusão
Os milagres de Jesus revelam sua autoridade sobre a natureza, as enfermidades, o mundo espiritual e até a morte. Eles não são apenas demonstrações de poder, mas sinais que apontam para sua identidade e missão.
Ao estudar esses milagres, é possível compreender melhor o papel de Jesus e a mensagem central do Evangelho.
Se este conteúdo ajudou você a entender os milagres de Jesus na Bíblia, compartilhe este artigo para que mais pessoas também conheçam esses ensinamentos.