Irrepreensível
Ser irrepreensível não é ser perfeito — é viver com integridade diante de Deus e dos homens. A Bíblia nos chama a buscar uma vida reta, pura e sem manchas visíveis de hipocrisia.
O padrão divino
Deus é perfeito e chama seus filhos à integridade. A palavra de Deus é purificada e Ele é escudo dos que caminham na retidão.
Buscar a perfeição em Cristo
Todos tropeçamos em muitas coisas, mas o alvo é a maturidade. Cristo é a fonte da salvação eterna para todos os que lhe obedecem.
આપણે બધા ઘણી રીતે ભૂલો કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂણઁ છે, અને તે પોતે પોતાના આખા શરીરને અંકુશમાં રાખવાને શકિતમાન છે.
ઈશ્વરપિતાની દ્રષ્ટિમાં શુધ્ધ અને સાચી ધામિઁકતા એ છે કે અનાથોની અને વિધવાઓની તેઓનાં દુઃખને સમયે મુલાકાત લેવી અને જગતની દુષ્ટતાથી પોતાને નિષ્કલંક રાખે.
દરેક ઉત્તમ તથા સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને તે સ્વગીઁય પ્રકાશનાં પિતા પાસેથી આવે છે, જે પડછાયાની જેમ બદલાતા નથી.
એક વાર પરિપૂર્ણ થયા પછી, પોતાની આજ્ઞા પાળનારા સવઁને સારું અનંતકાલિક તારણ આપનાર બન્યા;
ઈસુએ જવાબ આપ્યો, "જો તું સંપૂર્ણ થવા માંગતો હોય, તો જા, ને તારી જે સંપતી છે તે વેચી દે, અને ગરીબોને આપી દે, અને સ્વર્ગમાં તને સંપતિ મળશે. પછી આવ ને મારી પાછળ ચાલ."
Vida íntegra
Que a vossa alegria seja completa! Vivam em harmonia, sejam irrepreensíveis — transformados pela renovação da mente.
તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂણઁ થાય, એ માટે મે તમને એ વચનો કહ્યાં છે.
હજી સુધી મારે નામે તમે કાંઇ માંગ્યું નથી; માંગો અને તમને મળશે, અને તમારો આનંદ સંપૂણઁ થશે.
આ જગતના રૂપનું તમે અનુકરણ ન કરો, પરંતુ તમારા મનથી નવીનતા દ્ગારા રૂપાંતર પામો. જેથી તમે ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા જાણી શકો.
ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ મસીહને નામે હું તમને વિનંતી કરું છું કે, તમે બધા એકબીજા સાથે એકમતના થાઓ, અને તમારામાં કોઇ ભાગલા ન પડે, પણ મનમાં અને વિચારમાં પૂણઁ રીતે એક થાઓ.
અને આ બધા ઉપરાંત પ્રેમ પહેરો, જે સંપૂણઁતા એકતામાં બાંધે છે.
તેથી, જો તમને મસીહમાં એક થવાથી કંઈ ઉતેજન, જો તેમના પ્રેમનો કંઈ દિલાસો, જો કંઈ આત્માની સંગત, જો કંઈ દયા અને કરુણા હોય, તો મારો આનંદ એવી રીતે સંપૂણઁ કરો કે, તમે એક જ મનનાં બનો, એક સરખો પ્રેમ રાખો, એક જ આત્માના ને એક જ દિલના બનો. સ્વાર્થી મહત્વાકાંક્ષા કે વ્યથઁ અભિમાનથી કંઈ ન કરો. તેના બદલે, નમ્ર ભાવથી પોતના કરતાં બીજાઓને ઉત્તમ ગણવાં, તમારાં પોતાના હિત પર નહિ, પણ બીજાઓનાં હિત પર લક્ષ રાખો.
એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:
જે પોતે ઈશ્વર હોવા છતાં,
તેમણે ઈશ્વર સાથે સમાનતાને પોતાના લાભ માટે ઉપયોગમાં લેવા ઇચ્છયું નહિ;
તેના બદલે તેમણે પોતાને ખાલી કર્યા,
તેમણે દાસનું રૂપ ધારણ કયુઁ,
અને તેઓ માણસની સમાનતામા આવ્યા,
અને તેઓ દેખાવમાં માણસના જેવા બન્યા,
અને પોતાને નમ્ર કયાઁ,
મરણને આધીન થયા,
ક્રૂસના મરણને.
તેથી ઈશ્વરે તેમને ઉચ્ચ સ્થાનો પર ઊંચા કર્યા,
અને બીજા સર્વ નામો કરતાં તેમને શ્રેષ્ઠ નામ આપ્યું,
કે સ્વર્ગમાં, પૃથ્વી પરના અને પૃથ્વીની નીચેનાં,
સર્વ ઈસુને નામે ઘુંટણે પડે,
અને દરેક જીભ કબૂલ કરે કે, ઈસુ મસીહ પ્રભુ છે.
જેથી ઈશ્વર પિતાનો મહિમા થાય.
તેથી, મારા વહાલાં મિત્રો, જેમ તમે હંમેશા આજ્ઞાનું પાલન કયુઁ છે, કેવળ મારી હાજરીમાંજ નહિ પણ મારી ગેરહાજરીમાં, ભય તથા કંપારી સહીત તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. કેમકે ઈશ્વર પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે.
તમે જે કાંઈ કરો તે વાદવિવાદ અને દલીલ વગર બધું કરો, જેથી તમે નિદોઁષ અને શુધ્ધ બનો, "વિકૃત અને કુટીલ પેઢીમાં ઈશ્વરનાં નિદોઁષ બાળકો" બનો, પછી તમે આકાશના તારાઓની જેમ તેમની મધ્યે ચમકશો. જો તમે જીવન આપનાર વચનને દ્રઢતાથી વળગી રહો, તો મસીહના દિવસે હું એવું અભિમાન કરી શકું કે હું વૃથા દોડયો નથી કે મહેનત કરી નથી. પણ જો તમારા વિશ્વાસનાં બલિદાન અને સેવા પર મને પેયાપઁણ તરીકે રેડવામાં આવે, તોપણ હું આનંદ પામું છું અને તમ સવઁની સાથે હરખાઉં છું. તેથી તમે પણ મારી સાથે આનંદ પામો અને હરખાઓ.
પ્રભુ ઈસુની ઇચ્છા હશે તો જલ્દીથી હું તિમોથીને તમારી પાસે મોકલીશ. જેથી તમારાં વિશેનાં સમાચાર કહેશે ત્યારે મને આનંદ થશે. કેમકે તમારી કાળજી બરાબર રાખી શકે એના જેવો બીજો કોઇ મારી પાસે નથી. કેમકે દરેક વ્યક્તિ મસીહ ઈસુના હિત પર નહિ, પણ પોતના જ હિત પર ધ્યાન આપે છે. પણ તમે જાણો છો કે તિમોથીએ પોતાને સાબિત કયોઁ છે, કારણ કે જેમ પુત્ર તેના પિતા સાથે સેવા કરે છે તેમ તેણે મારી સાથે સુસમાચારના કાયઁમાં સેવા કરી છે. એ માટે હું આશા રાખું છું, કે મારી સાથે શું થવાનું છે તે હું જાણીશ કે તરત હું તેને મોકલી દઈશ. અને વળી પ્રભુમાં વિશ્વાસ રાખું છું કે હું પોતે પણ તમારી પાસે વહેલો આવીશ.
પણ મને એમ લાગે છે કે એપાફ્રાદિતસને તમારી પાસે પાછો મોકલું. તે મારો ભાઈ સાથી કાયઁકર અને સાથી સૈનીક છે, તેમજ તમારો સંદેશવાહક, જેને તમે મારી જરૂરીયાતો પુરી કરવા માટે મોકલ્યો છે. કારણ કે તે તમારા બધા માટે ઝંખે છે, અને તમે સાંભળ્યું છે કે તે બીમાર છે તેથી તે ઉદાસ છે. ખરેખર તે બીમાર હતો અને મરણની અણી પર હતો. પણ ઈશ્વરે તેના પર દયા કરી, અને ફકત તેના પર જ નહિ, અને મારા પર પણ, જેથી મને શોક પર શોક ન થાય. એથી તેને તમારી પાસે પાછો મોકલવા હું ખૂબ આતુર છું. જેથી જયારે તમે તેને ફરીથી જુઓ ત્યારે તમે ખુશ થાઓ અને મારી ચિંતા ઓછી થાય. તો પછી ઉમળકાથી પ્રભુમાં તેનો આવકાર કરો ને તેમના જેવા લોકોને માન આપો, કેમકે મસીહનાં કાયઁ માટે તે લગભગ મરવાનો હતો, અને તમે પોતે મને જે મદદ આપી શકયા ન હતા તેની ભરપાઈ કરવા માટે તેણે પોતાનો જીવ જોખમમાં મૂકયો.
સાવધ રહો કે તમે ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો. પરંતુ હંમેશાં એકબીજાનું અને સર્વનું ભલું કરવા કોશિશ કરો.