14 જે દિવસે હું જન્મ્યો તે દિવસ શાપિત થાઓ.
જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાઓ.
15 ‘તને દીકરો થયો છે’ એવી વધામણી,
જેણે મારા પિતાને આપી અને અતિશય આનંદ પમાડ્યો તે માણસ શાપિત થાઓ.
16 જે નગરો યહોવાહે નષ્ટ કર્યા છે અને દયા કરી નહિ.
તેઓની જેમ તે માણસ નાશ પામે. તે માણસ સવારમાં વિલાપ અને બપોરે રણનાદ સાંભળો.
17 કેમ કે, ગર્ભસ્થાનમાંથી જ મને બહાર આવતાની ઘડીએ જ તેણે મને મારી ન નાખ્યો, એમ થાત તો, મારી માતા જ મારી કબર બની હોત,
તેનું ગર્ભસ્થાન સદાને માટે રહ્યું હોત.
18 શા માટે હું કષ્ટો અને દુ:ખ સહન કરવા ગર્ભમાંથી બહાર આવ્યો,
જેથી મારા દિવસો લજ્જિત થાય?"