Ajuda ao próximo
Ajudar o próximo é mandamento de Deus e expressão prática da fé. A Bíblia ensina que a fé sem obras é morta — e que servir ao menor dos irmãos é servir a Cristo.
કારણ, હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કંઈક ખાવા આપ્યું; હું તરસ્યો હતો, ત્યારે કંઈક પીવાને આપ્યું; હું અજાણ્યો હતો, ત્યારે તમે મને અંદર આવકાયોઁ; મને કપડાંની જરૂર હતી, ત્યારે તમે મને કપડાં પહેરાવ્યાં; હું માંદો હતો, ત્યારે મારી ખબર લીધી, હું જેલમાં હતો, ત્યારે તમે મારી મુલાકાત લેવા આવ્યા.’
"ત્યારે ન્યાયીઓ તેને જવાબ આપશે, ‘પ્રભુ! અમે ક્યાંરે તમને ભૂખ્યાં જોઈને ખવડાવ્યું અથવા તરસ્યા જાણીને તમને પીવાને કંઈક આપ્યું; ક્યાંરે અમે તમને અજાણ્યા જોઈને અંદર આવકાયાઁ; ને કપડાંની જરૂર હતી, ત્યારે કપડાં પહેરાવ્યાં? અને ક્યાંરે અમે તમને બીમાર જોયા અથવા જેલમાં જોઈને તમારી મુલાકાત લીધી?’
"ત્યારે રાજા જવાબ આપશે હું તમને સાચે જ કહું છું કે, ‘જે કાંઈ આ મારાં નાનાં ભાઈઓ અને બહેનોમાંનાં એક માટે કર્યું તે, તમે મારા માટે કયુઁ.’
જેઓ, તમારી પાસે માગે તેમને આપો, અને જો કોઈ તારી પાસે ઉછીનું લેવાં આવે, તેમનાથી ન ફરો.
તેવીજ રીતે તમારો પ્રકાશ લોકોની આગળ એવો પ્રકાશવાં દો જેથી તેઓ તમારાંં સદાચરણો જોઈને સ્વર્ગમાંના તમારાં ઈશ્વર પિતાનો મહિમા કરે.
આપો ને, તમને અપાશે, સારું માપ, દાબેલું, હલાવેલું અને ઉભરાતું તમારા ખોળામાં ઠાલવી દેશે, જે માપ વડે તમે માપી આપશો તે જ માપમાં તમને પાછું માપી અપાશે.
ટોળાએ પૂછયું, "તો અમે શું કરીએ?"
યોહાને જવાબ આપ્યો, "જેની પાસે બે શટઁ હોય, તો જેની પાસે નથી તેમાંનું એક આપી દો, જેની પાસે ખોરાક હોય, તો તે પણ એમ જ કરે."
તમારી મિલ્કત વેચીને ગરીબોને આપો, જીણઁ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્વવ્ય પોતાને સારું મેળવો કે જે નિષ્ફળ નહિ જાય, જયાં કોઈ ચોર આવતો નથી અને કોઇ કીડા તેનો નાશ કરતા નથી. કેમકે જયાં તમારું દ્રવ્ય છે, ત્યાં તમારું ચિત હશે."
મારી આજ્ઞાઓ આ છે: કે જેમ મેં તમારાં પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો.
પોતાના મિત્રોને માટે પ્રાણ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઇનો નથી.
મેં જે કંઇ કયુઁ તેમાં મેં તમને બતાવ્યું કે આ પ્રકારની સખત મહેનતથી આપણે ગરીબોને મદદ કરવી જોઈએ, પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું તે તમારે યાદ રાખવું જોઈએ કે ‘લેવાં કરતાં આપવામાં વિશેષ ધન્યતા છે.’ "
જયારે પાઉલે વાત પુરી કયાઁ પછી, તેણે સવઁએ ઘુંટણે પડીને તેઓની સાથે પ્રાર્થના કરી. તેઓ સઘળા બહુ રડયા અને કોટે વળગીને તેને ચુંબન કયુઁ. પાઉલે કહ્યું હતું કે તમે મારું મોં ફરીથી જોવા પામશો નહિ એને લીધે તેઓ વધારે દુઃખી થયા. પછી તેઓ વહાણ સુધી તેની સાથે ગયા.
પ્રભુના લોકો જેને જરૂર છે તેની જરૂરિયાતો પૂરી પાડો. મહેમાનગતી કરવામાં તત્પર રહો.
આપણે જે શસક્ત છીએ તેઓએ અશકતોની નિર્બળતાને સહન કરવી, અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું.
એકબીજાનો ભાર ઊંચકો, અને એમ મસીહનો નિયમ સંપૂણઁ પાળશો.
જો કોઈ ચોરી કરતો હોય તો હવેથી તે ચોરી ન કરે, પણ તેને બદલે પોતાને હાથે કંઈક ઉપયોગી કામ કરવું, જેથી જેઓને જરૂર છે તેઓને મદદ કરવા માટે તારી પાસે કંઈક હોય.
તમારાં પોતાના હિત પર નહિ, પણ બીજાઓનાં હિત પર લક્ષ રાખો.
ભાઈઓ અને બહેનો, જો કોઇ કહે કે મને વિશ્વાસ છે પણ જો કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે ખરો? તમારાં કોઈ ભાઈ કે બહેન ખોરાક અને કપડાં વગરનાં હોય, અને તમારામાંનો એક કહે કે, "શાંતિએ જા, ખાઈ પીને તૃપ્ત થા!" તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો તેથી શો લાભ થાય? એ જ પ્રમાણે, વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિજીઁવ છે.
જો કોઈની પાસે દ્રવ્ય હોય, અને પોતાના ભાઈ કે બહેનને તંગીમાં જુએ છતાં તેના પર દયા ન કરે, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે?