Bíblia
A Bíblia é a Palavra de Deus — viva, eficaz e mais cortante que espada de dois gumes. Toda Escritura é inspirada por Deus e útil para ensinar, repreender, corrigir e instruir em justiça.
Inspiração divina
Toda Escritura é inspirada por Deus. Homens santos falaram da parte de Deus movidos pelo Espírito Santo.
દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાનાં શિક્ષણને અથેઁ ઉપયોગી છે; જેથી ઇશ્વરનો સેવક સંપૂણઁ તથા સવઁ સારાં કામ કરવાને સારું તૈયાર થાય.
તું બાળક હતો ત્યારથી તું પવિત્રશાસ્ત્ર જાણે છે, મસીહ ઈસુ પરના વિશ્વાસ દ્રારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે. દરેક શાસ્ત્ર ઇશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાનાં શિક્ષણને અથેઁ ઉપયોગી છે; જેથી ઇશ્વરનો સેવક સંપૂણઁ તથા સવઁ સારાં કામ કરવાને સારું તૈયાર થાય.
આ ઉપરાંત, તમારે જાણવું કે શાસ્ત્રમાનું એકે ભવિષ્યવચન કોઈ પ્રબોધકે પોતાના અથઁઘટનથી નથી આવ્યું. કેમકે કોઈ પણ ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે આવ્યું નથી, પરંતુ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરના વચનો બોલ્યાં.
ઈશ્વરની આગળ માન્ય થયેલા જેને શરમાવવાની કંઇ જરૂર ન હોય તેવી રીતે કામ કરનાર અને સત્યતા વચન સ્પષ્ટતાથી સમજાવનાર સેવક તરીકે પોતાને રજૂ કરવાને પ્રયત્ન કર.
તું અનુકૂળ કે પ્રતિકૂળ સમયોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર; ઠપકો આપ અને પ્રોત્સાહન આપ, કાળજીથી અને ધીરજથી ઈશ્વરનાં વચન શીખવ્યાં કર,
હું આવું ત્યાં સુધી, તું શાસ્ત્રવચન પર, બોધ કરવા પર અને શિક્ષણ આપવાં પર ધ્યાન આપજે.
Poder da Palavra
A Palavra de Deus é viva e eficaz. O céu e a terra passarão, mas as minhas palavras jamais passarão.
કેમકે ઈશ્વરનાં વચન જીવંત અને સક્રિય છે, તે કોઇ પણ બેધારી તલવાર કરતા પણ તીક્ષ્ણ હથિયાર કરતાં પણ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને, સાંધા અને મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હ્રદયના વિચારો અને વલણનો ન્યાય કરે છે.
આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ મારાંં વચનો કયારેય જતાં રહેશે નહિ.
ઈસુએ જવાબ આપ્યો, "એમ લખેલું છે: કે માણસ કેવળ રોટલીથી નહિ, પરંતુ ઈશ્વરના પ્રત્યેક વચન જે ઈશ્વરનાં મોંમાથી નિકળે છે તેથી જીવે છે."
તમારાંં વચનો સત્ય છે. સત્યથી તેઓને પવિત્ર કરો.
તમે પવિત્રશાસ્ત્રનો ખંતથી અભ્યાસ કરો છો, કેમકે તમે માનો છો કે તેમાં તમને અનંતજીવન છે. આ એ પવિત્રશાસ્ત્ર છે કે જે મારે વિશે સાક્ષી આપે છે.
પણ પ્રભુના સુસમાચારનું વચન સદાકાળ ટકે છે."
અને જે વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે તે જ છે.
Estudar e pregar
Os bereanos examinavam as Escrituras diariamente. Procura apresentar-te a Deus aprovado como obreiro que maneja bem a Palavra.
બરૈયાના યહુદી લોકો થેસ્સાલોનિકાના લોકો કરતાં વધુ ઉમદા સ્વભાવના હતા, કેમકે તેઓ ઉત્સાહથી સંદેશો સ્વીકારતા અને પાઉલ જે કહે છે તે સાચુ છે કે કેમ તે તપાસવા શાસ્ત્રનો દરરોજ અભ્યાસ કરતા હતા.
પાઉલે પોતાની રીત પ્રમાણે સભાસ્થાનમાં ગયો, અને ત્રણ વિશ્રામવાર સુધી તેણે તેઓની સાથે શાસ્ત્રમાંથી વાદવીવાદ કયોઁ. "ખુલાસો આપીને સિધ્ધ કયુઁ કે મસીહે દુઃખ સહન કરવું અને મુત્યુમાંથી સજીવન થવું. તેણે કહ્યું કે આ ઈસુ જેને હું પ્રગટ કરું છું તે એ જ મસીહ છે."
ત્યારે ફિલિપ તે રથની પાસે દોડી ગયો, અને તેણે તે માણસને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતા સાંભળ્યો, ફિલિપે તેને પૂછયું. "તું જે વાંચે છે, તે શું તું સમજી શકે છે?"
તેણે કહ્યું, "કોઈનાં સમજાવ્યાં વગર હું તે કેવી રીતે સમજી શકું?" પછી તેણે ફિલિપને ઉપર પોતાની પાસે આવીને બેસવા આમંત્રણ આપ્યું.
શાસ્ત્રનો જે ભાગ ખોજો વાંચતો હતો તે આ પ્રમાણે હતો:
"ઘેટાંની જેમ મારી નાંખવાને તેમને લઈ જવામાં આવ્યા,
અને જેમ ઘેટું પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે,
તેમ તેમણે પોતાનું મોં ખોલ્યું જ નહિ.
ત્યારે ફિલિપે શાસ્ત્રના એ જ ભાગમાંથી શરૂ કરીને ઈસુ વિશેનાં સુસમાચાર તેને કહ્યાં.
તેમણે તેઓને કહ્યું, "તમે કેટલાં મુખઁ છો, અને પ્રબોધકોએ જે કહ્યું તે માનવામા કેટલાં ધીમાં છો! શું મસીહાએ પોતાના મહિમામાં પ્રવેશતાં પહેલાં આ બધું સહેવું પડશે?" અને મોશે અને બધા પ્રબોધકોનાં પુસ્તકોથી શરૂ કરીને બધા શાસ્ત્રમાંથી પોતાને વિશે જે કહેવામાં આવ્યું તેનો ખુલાસો કરી બતાવ્યો.
પછી ઈસુએ તેમની પાસે આવીને કહ્યું, "આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. તે માટે જાઓ, અને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો, પિતા, અને પુત્ર અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતાં જાઓ. અને મેં જે આજ્ઞાઓ તમને આપી તે સવઁ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને ખચીત હું જગતના અંત સુધી હંમેશા તમારી સાથે છું."
જઈને આ સંદેશ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે.’
Revelação e fidelidade
A Palavra do Senhor veio aos profetas. A graça de Deus se manifestou na Escritura para a salvação de todos.
Viver pela Palavra
Não só de pão vive o homem. Nada acrescentes nem diminuas. A Palavra é alimento, guia e espada do cristão.
આ પુસ્તકનાં ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે: જે કોઈ તેમાં વધારો કરશે તો ઈશ્વર તેના પર આ પુસ્તકમાં લખેલાં અનઁથો વધારશે. અને જો કોઈ આ ભવિષ્યવચનનાં પુસ્તકમાંથી કાંઈ પણ કાઢી નાંખશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી અને પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે.
મને નવાઈ લાગે છે કે જેણે તમને મસીહની કૃપાથી બોલાવ્યાં, તેને મૂકીને તેટલાં બધા વહેલા તમે કોઈ જુદા જ સુસમાચાર તરફ વળી ગયા છો. તે બીજા સુસમાચાર નથી; માત્ર કેટલાંએક તમને હેરાન કરે છે, અને મસીહનાં સુસમાચારને ઉલટાવી નાંખવા ચાહે છે. જે સુસમાચાર અમે તમને પ્રગટ કયાઁ છે, એ સિવાયના બીજા કોઈ પણ સુસમાચાર પ્રગટ હું કે આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ. હું ફરીથી કહું છું: તમે અમારી પાસેથી સાંભળ્યા છે તે વિના અન્ય સુસમાચાર જે કોઈ પ્રગટ કરે તેના પર ઈશ્વરનો શાપ ઊતરો!
અને આપણા પ્રભુની ધીરજ એ તારણ છે એમ માનો, આપણા વહાલાં ભાઈ પાઉલે પણ ઇશ્વરે આપેલા જ્ઞાનથી તમને લખ્યું હતું. તે પોતાના બધાં પત્રોમાં એ જ રીતે લખે છે, અને આ બાબતો વિશે વાત કરે છે, તેના પત્રોમાં કેટલીએક વાતો સમજવાને અઘરી છે અને જેમ બીજા શાસ્ત્રોની જેમ એ વાતોનો પણ અજ્ઞાન અને અસ્થિર લોકો પોતાના નાશને માટે મારી મચડીને અવળો અર્થ કરે છે.
કેમકે ભૂતકાળમાં જે લખવામાં આવ્યું હતું તે બધુ આપણને શીખવવા માટે લખવામાં આવ્યું હતુ, જેથી શાસ્ત્રોમાં શિખવવામાં આવેલી ધીરજ અને તેઓના ઉત્તેજનથી આપણને આશા મળે.
તો પછી, જેમનાં પર તેઓએ વિશ્વાસ કયોઁ નથી, તેને તેઓ તેમને કેવી રીતે વિનંતી કરશે? અને જેના વિશે સાંભળ્યું નથી કેવી રીતે તેઓ તેમના પર વિશ્વાસ કરશે? અને કોઈ કહે નહિ ત્યાં સુધી તેઓ કેવી રીતે સાંભળશે? અને જો કોઈને મોકલવામાં ન આવે તો તે કેવી રીતે ઉપદેશ કરશે? જેમ લખેલું છે તેમ: સુસમાચાર લાવનારાનાં પગલાં કેવાં સુંદર છે!
પરંતુ બધાં ઇઝરાયેલીઓએ સુસમાચારનો સ્વીકાર કયોઁ નહિ. યશાયા કહે છે કે "પ્રભુ! અમારા સંદેશ પર કોણે વિશ્વાસ કયોઁ છે?" એ પ્રમાણે, સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે, અને મસીહના વચન દ્ઘારા સંદેશો સાંભળવામાં આવે છે.
આ સુસમાચાર વિશે મને શરમ લાગતી નથી. કારણ કે વિશ્વાસ કરનાર સર્વને તારણ માટે ઈશ્વરનું એ સામથ્યઁ છે. પ્રથમ યહૂદી લોકોને પછી વિદેશીઓને. કેમકે સુસમાચારમાં ઇશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયું છે, તે ન્યાયીપણું જે શરુઆતથી તે અંત સુધી વિશ્વવાસથી છે, જેમ લખેલું છે ન્યાયી વિશ્વાસથી જીવશે.
આપણે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છે. જેથી આપણે સમજી શકીએ કે ઈશ્વરે આપણને વિના મૂલ્યે શું આપ્યું છે. માનવી જ્ઞાન દ્ઘારા શીખવેલી ભાષામાં નહિ, પણ આત્મા દ્ઘારા શીખવેલા શબ્દોથી આત્મિક વાસ્તવિકતાઓ સમજાવીએ છીએ. જે વ્યકિતમાં આત્મા નથી તે ઈશ્વરના આત્મા તરફથી આવતી વાતો સ્વીકારતો નથી, પણ તેને તે મૂર્ખતા ભરેલી લાગે છે. અને તેને સમજી શકતો નથી કેમકે તેઓ ફકત આત્માથી જ પારખી શકાય છે.
કેમકે ઈશ્વરના જ્ઞાન પ્રમાણે જગતે પોતાના જ્ઞાનથી તેમને ઓળખ્યા નહિ, તેથી જે ઉપદેશ આપવામાં આવ્યો હતો તેની મૂખઁતા દ્રારા વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું ઇશ્વરને પસંદ પડયું.
યહૂદીઓ ચિહ્નની માગણી કરે છે, અને ગ્રીકો જ્ઞાન શોધે છે. પણ અમે તો ક્રૂસે જડાયેલા મસીહને પ્રગટ કરીએ છીએ, જે યહૂદીઓને ઠોકરરૂપ અને વિદેશીઓને મૂખઁતારૂપ છે. પણ જેને ઈશ્વરે તેડયા છે એટલે કે યહૂદીઓ અને ગ્રીકો બંને, તેમના માટે મસીહ ઈશ્વરનું સામર્થ્ય અને ઈશ્વરનું જ્ઞાન છે.
કારણ કે બાપ્તિસ્મા આપવાં માટે મસીહે મને મોકલ્યો નથી. પણ સુસમાચાર પ્રગટ કરવા જ્ઞાનને વાકછટાથી નહિ, રખેને મસીહના ક્રૂસનુ સામથ્યઁ વ્યથઁ જાય.
પણ તમે તો પસંદ કરેલાં લોક છો. તમે રાજાનાં યાજકો છો. પવિત્ર પ્રજા, ઈશ્વરના લોક, જેથી જેણે અંધકારમાંથી પોતાના અજાયબ પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદગુણો તમે પ્રગટ કરો.