Corpo é o templo de Deus
O corpo do cristão é templo de Deus. Ele habita em nós pelo Espírito Santo, fazendo do crente morada viva e sagrada do Altíssimo.
Templo do Deus vivo
Vós sois o templo do Deus vivo. Deus disse: habitarei neles e entre eles andarei. O criador mora em sua criação redimida.
શું તમે નથી જાણતા કે તમે પોતે ઈશ્વરનું મંદિર છો, અને ઈશ્વરનો આત્મા તમારાંમાં રહે છે? જો કોઈ ઈશ્વરનાં મંદિરનો નાશ કરે છે, તો ઈશ્વર તેનો નાશ કરશે; કેમકે ઇશ્વરનું મંદિર પવિત્ર છે અને એ મંદિર તમે છો.
શું તમે નથી જાણતા કે તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, જે તમારામાં રહે છે અને જે તમને ઈશ્વર તરફથી મળ્યું છે? તમે તમારા પોતાના નથી; તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. તેથી તમારા શરીર વડે ઈશ્વરને માન આપો.
ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શી લેવાદેવા? કારણ આપણે તો જીવતાં ઈશ્વરનું મંદિર છીએ. જેમ ઈશ્વરે કહ્યું છે:
હું તેઓની સાથે રહીશ અને,
તેઓની વચ્ચે ચાલીશ,
અને હું તેઓનો ઈશ્વર થઈશ,
અને તેઓ મારા લોક થશે.
તેથી તમે હવે પરદેશી કે અજાણ્યા નથી, પણ ઈશ્વરના લોકો સાથે અને તેમના ઘરના લોકો સાથે સહનાગરીક છો. તમે જે પાયા પર બંધાયા છો તે પ્રેષિતોએ અને પ્રબોધકોએ નાંખેલો છે અને મસીહ ઈસુ પોતે જ ખૂણાનો મુખ્ય પથ્થર છે. અને તેમનામાં આખી ઈમારત એક સાથે જોડાયેલી છે અને પ્રભુમાં એક પવિત્ર મંદિર બનવા માટે વધી રહી છે. અને તેમનામાં તમે પણ એક નિવાસસ્થાન બનવા માટે એક સાથે બંધાઈ રહ્યા છો જેમાં ઈશ્વર તેમના આત્મા દ્રારા રહે છે.
દરેક મકાનને બાંધનાર કોઈક તો હોય છે જ, પરંતુ સર્વનો સર્જનહાર ઈશ્વર છે. જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવાં સારું ઈશ્વરના ઘરમાં મોશે વિશ્વાસુ સેવક તરીકે હતો. પણ મસીહ પુત્ર તરીકે ઇશ્વરનાં ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું ગૌરવ દ્રઢ રાખીએ, તો આપણે તેનું ઘર છીએ.
જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવાં સારું ઈશ્વરના ઘરમાં મોશે વિશ્વાસુ સેવક તરીકે હતો. પણ મસીહ પુત્ર તરીકે ઇશ્વરનાં ઘર પર વિશ્વાસુ હતા; જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું ગૌરવ દ્રઢ રાખીએ, તો આપણે તેનું ઘર છીએ.
Cristo em nós
Já não sou eu quem vive, mas Cristo vive em mim. A presença de Deus no crente é privilégio e responsabilidade sagrada.
હું મસીહની સાથે વધસ્તંભે જડાયો છું. અને હું જીવતો નથી, પણ મારામાં મસીહ જીવે છે. હવે હું શરીરમાં જે જીવન છે તે તો ઈશ્વરપુત્ર પરના મારા વિશ્વાસથી છે, જેણે મારા પર પ્રેમ કર્યો અને પોતાનું સ્વાપણઁ કર્યુ.
ઈસુએ જવાબ આપ્યો, "જેઓ મારા પર પ્રેમ કરે છે તેઓ મારો બોધ પાળશે. મારા પિતા તેઓ પર પ્રેમ કરશે, અને અમારું ઘર તેમની સાથે બનાવીશું.
તેથી ભાઈઓ અને બહેનો, ઈસુના રક્તથી આપણને પરમપવિત્રસ્થાનમાં પ્રવેશી શકીએ છીએ. કેમકે પોતાના શરીરરૂપી પડદામાં થઈને તેમણે આપણે માટે નવો અને જીવનદાયી માર્ગ ખોલી નાંખ્યો છે, અને આપણી પાસે ઈશ્વરના ઘર ઉપર એક મોટા યાજક છે. તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિમઁળ પાણીથી શરીરને ધોઈને આપણે ખરાં હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને ઈશ્વર પાસે જઈએ.
પણ તમે તો પસંદ કરેલાં લોક છો. તમે રાજાનાં યાજકો છો. પવિત્ર પ્રજા, ઈશ્વરના લોક, જેથી જેણે અંધકારમાંથી પોતાના અજાયબ પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદગુણો તમે પ્રગટ કરો.