Milagres de Jesus
Os Evangelhos registram dezenas de milagres realizados por Jesus — curas, ressurreições, domínio sobre a natureza e libertações. Cada milagre revelava sua divindade e compaixão.
Curas de cegos e surdos
Jesus devolveu a visão aos cegos e a audição aos surdos, manifestando seu poder sobre toda enfermidade e deficiência.
ઈસુ અંધ અને બોબડાંને સાજો કરે છે
ઈસુ ત્યાંથી જતા હતા ત્યારે બે અંધજનો તેમની પાછળ ગયા, બૂમ પાડી, "ઓ દાવિદનાં દીકરા, અમારા પર દયા કરો."
જયારે ઈસુ ઘરમાં ગયા, ત્યારે અંધજનો તેમની પાસે આવ્યા અને તેઓએ તેમને પૂછયું. "હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે ખરો?"
તેઓએ કહ્યું, "હા પ્રભુ"
પછી તે તેઓની આંખોને સ્પર્શ કરીને બોલ્યાં, "તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ." અને તેઓ દેખતાં થયા, ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી, જો જો આ વિષે કોઈ જાણે નહિ. પરંતુ તેઓએ બહાર જઈને તેમના વિષેના સમાચાર આખા પ્રદેશમાં ફેલાવી દીધા.
બે અંધજનોને દ્રષ્ટિ મળે છે
જયારે ઈસુ અને તેમના શિષ્યો યરીખોથી નીકળીને જતા હતા, ત્યારે મોટું ટોળું તેઓની પાછળ આવ્યું. રસ્તાની કોરે બે અંધજન બેઠાં હતા, અને જયારે તેઓએ સાંભળ્યું કે ઈસુ ત્યાં થઈને પસાર થાય છે ત્યારે તેઓએ બૂમ પાડી, "હે પ્રભુ! દાવિદના દીકરા, અમારા પર દયા કરો!"
ટોળાએ તેઓને ધમકાવીને છાના રહેવા કહ્યું, પણ તેઓ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યા. "પ્રભુ! દાવિદના દીકરા! અમારા પર દયા કરો!"
ઈસુ ઊભા રહ્યા અને તેઓને બોલાવ્યાં, "હું તારે માટે શું કરું? તારી શી ઈચ્છા છે?"
તેઓએ જવાબ આપ્યો, "પ્રભુ અમને અમારી દ્રષ્ટિ જોઈએ છે."
ઈસુને તેઓના પ્રત્યે અનુકંપા ઊપજી અને તેઓની આંખોને અડકયા. તરત જ તેઓ દેખતાં થયા અને તેમની પાછળ ગયા.
બેથસૈદામાં અંધને સાજાપણું
પછી તેઓ બેથસૈદા આવ્યા, ને કેટલાક લોકો એક અંધજનને ઈસુ પાસે લાવ્યાં અને ઈસુને વિનંતી કરી કે તે તેને સ્પર્શ કરે. ઈસુ તેના હાથ પકડીને તેને ગામ બહાર લઈ ગયાં. તે તેની આંખો પર થૂંકીને પોતાના હાથ તેના પર મૂક્યાં, ઈસુએ પૂછયું, "શું તું કાંઈ જોઈ શકે છે?"
તેણે ઊંચું જોઈને કહ્યું, "હા, હું માણસોને જોઉં છું, તેઓ ચાલતાં વૃક્ષ જેવા દેખાય છે."
ઈસુએ ફરીથી તે માણસની આંખો પર હાથ મૂક્યાં, ત્યારે તેની આંખો ઊઘડી ગઈ, તેની દ્રષ્ટી પાછી મળી, અને તે બધું સ્પષ્ટ જોવા લાગ્યો. ઈસુએ તેને ઘરે મોકલતા કહ્યું, "ગામમાં પણ જઈશ નહિ."
ઈસુએ બહેરાં બોબડાંને સાજો કયોઁ
પછી ઈસુ તૂરથી નીકળીને સિદોન ગયા, ત્યાંથી દકાપોલિસનાં માર્ગે ગાલીલ સરોવર પાસે આવી પહોંચ્યા. લોકો એક બહેરાં બોબડાંને તેમની પાસે લાવ્યા અને વિનંતી કરી કે તે તેના ઉપર હાથ મૂકે અને સાજો કરે.
ઈસુ તેને ટોળામાંથી એકાંતમાં લઈ ગયા, તેના બંને કાનમાં આંગળીઓ નાંખી અને થૂંકીને તેની જીભને અડકયા; પછી આકાશ તરફ જોઈને તેમણે ઊંડો નિઃસાસો નાંખ્યો અને કહ્યું, "એફફાથા!" (એટલે "ઊઘડી જા"). તે વખતે તરત તેના કાન ખુલી ગયા, તેની જીભ છૂટી ગઈ અને તે સ્પષ્ટ બોલવાં લાગ્યો.
ઈસુએ કોઈને ન કહેવા માટે આજ્ઞા કરી છતાં, પણ જેટલું તેમણે કયું એટલું લોકો વધારેને વધારે ફેલાવતાં ગયા. તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા અને કહેતાં, "તેમણે બધું સારું જ કયુંઁ છે, તેઓએ કહ્યું, તે બહેરાંને સાંભળતા અને બોબડાંને બોલતા કરે છે."
અંધ બાર્તિમાયને દ્રષ્ટિદાન
પછી તેઓ યરીખો આવ્યા. ત્યાંથી ઈસુ, તેમના શિષ્યો, મોટું ટોળાની સાથે શહેરની બહાર જતા હતા, ત્યારે રસ્તાની બાજુએ તિમાયનો દીકરો બાર્તિમાય નામે અંધ ભિખારી બેઠો હતો. જયારે તેણે સાંભળ્યું કે તે નાઝરેથના ઈસુ છે, ત્યારે તે બૂમ પાડવા લાગ્યો, "ઓ ઈસુ! દાવિદના દીકરા મારા પર દયા કરો!"
કેટલાક લોકોએ તેને ધમકાવ્યો ને કહ્યું કે, છાનો રહે, પરંતુ તે વધારે જોરથી બૂમ પાડવાં લાગ્યો, "ઓ દાવિદના દીકરા મારા પર દયા કરો!"
ઈસુએ ઊભા રહીને કહ્યું, "એને બોલાવો!"
લોકોએ તે અંધજનને બોલાવ્યો, "ખુશ થા, ચાલ! તે તને બોલાવે છે." તેણે પોતાનું ઝભ્ભો બાજુમાં ફેંકી દઈ તે કૂદીને પોતાના પગ પર ઊભો થયો અને ઈસુની પાસે આવ્યો.
ઈસુએ તેને કહ્યું, "તારી શી ઈચ્છા છે? તારે માટે હું શું કરું?"
તેણે કહ્યું, "રાબ્બી, હું જોવા માંગુ છું!"
ઈસુએ કહ્યું, "જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે." તરત જ તે માણસ જોવા લાગ્યો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.
અંધ ભિખારીને દ્રષ્ટિ મળે છે
જયારે ઈસુ યરીખો આવ્યા, ત્યારે એક અંધજન રસ્તાની કોરે બેસીને ભીખ માગતો હતો. પસાર થઈ રહેલાં ટોળાંને સાંભળીને તેણે પૂછયું આ શું થઈ રહ્યું છે. તેઓએ તેને કહ્યું કે, "નાઝરેથના ઈસુ ત્યાં થઈને જઈ રહ્યા છે."
તેણે બૂમ પાડી, "ઓ ઈસુ! દાવિદના દીકરા! મારા પર દયા કરો!"
જેઓ આગળ જતાં હતા તેઓએ તેને ધમકાવીને છાનો રહેવા કહ્યું, પણ તેણે વધારે મોટેથી બૂમ પાડી, "ઓ દાવિદના દીકરા! મારા પર દયા કરો!"
ઈસુ થોભી ગયા તેમણે માણસને પોતાની પાસે લાવવાનો હુકમ કયોઁ. જયારે તે પાસે આવ્યો, ત્યારે ઈસુએ તેને પૂછયું, "હું તારે માટે શું કરું? તારી શી ઈચ્છા છે?"
તેણે જવાબ આપ્યો "પ્રભુ, હું દેખતો થાઉ!"
ત્યારે ઈસુએ તેને કહ્યું, "તું દેખતો થા; તારા વિશ્વાસે તને સાજો કયોઁ છે." તરત તે દેખતો થયો અને ઈશ્વરની સ્તુતિ કરતો કરતો ઈસુની પાછળ ગયો. જયારે બધા લોકોએ એ જોયું ત્યારે તેઓએ પણ ઈશ્વરની સ્તુતિ કરી.
ઈસુ જન્મથી અંધ માણસને સાજો કરે છે
જયારે તેઓ જતાં હતા, ત્યારે તેમણે એક જન્મથી અંધ માણસને જોયો. તેમના શિષ્યોએ તેમને પૂછયું, "રાબ્બી કોના પાપે, આ માણસના કે તેનાં માબાપનાં, કે તે અંધ જન્મ્યો?"
ઈસુએ કહ્યું, "આ માણસના કે તેના માબાપનાં પાપે નહિ, પણ તે એટલા માટે કે ઈશ્વરના કાયોઁ તેનાથી પ્રગટ થાય. જયાં સુધી દિવસ કહેવાય છે, ત્યાં સુધી આપણે તેમના કામ કરવા જોઈએ. રાત આવે છે જયારે કોઇ કામ નઇ કરી શકે. જયારે હું જગતમાં છું, ત્યાં સુધી હું જગતનો પ્રકાશ છું."
આ કહી રહ્યા પછી, તેમણે જમીન પર થૂંકી, લાળથી તેમણે થોડો કાદવ બનાવ્યો, અને માણસની આંખો પર લગાવ્યો. તેને કહ્યું, "જા, શિલોઆહના કુંડમાં જઈને ઘો." (શિલોઆહ એટલે મોકલાયેલ.) તેથી તે માણસ ગયો અને ધોઈ, અને તે દેખતો થઈને ઘરે આવ્યો.
Curas de paralíticos e enfermos
Paralíticos caminharam, leprosos ficaram limpos e todo tipo de doença foi curada pelo toque e pela palavra de Jesus.
રકતપિતવાળો એક માણસ આવ્યો અને તેમની આગળ ઘુંટણે પડીને કહ્યું, "પ્રભુ, તમે ચાહો તો મને શુધ્ધ કરી શકો છો."
ઈસુએ તેમનો હાથ લાંબો કયોઁ અને માણસને સ્પર્શ કર્યો અને કહ્યું, "હું ચાહું છું, શુધ્ધ થા." અને તે જ ક્ષણે તે પોતાના રકતપિતથી શુધ્ધ થયો. પછી ઈસુએ તેને કહ્યું, "જો જે તું કોઈને ન કહેતો. પણ જા, યાજકને પોતાને દેખાડને તેઓને માટે સાક્ષી તરીકે મોશેએ કરેલી આજ્ઞા પ્રમાણે તે અપઁણ ચઢાવ."
કેટલાક લોકો લકવાગ્રસ્ત એક માણસને પથારીમાં સૂતેલો તેમની પાસે લાવ્યાં, જયારે ઈસુએ તેઓનો વિશ્વાસ જોયો, ત્યારે તેમણે તે માણસને કહ્યું, "દીકરા, હિંમત રાખ: તારાં પાપ માફ કરવામાં આવ્યા છે."
ત્યારે કેટલાક નિયમશાસ્ત્રનાં પંડિતોએ પોતાને કહેવા લાગ્યા, "આ માણસ ઈશ્વર નિંદા કરે છે!"
તેઓના વિચારો જાણીને, ઈસુએ કહ્યું, "તમે આવાં દુષ્ટ વિચારો મનમાં શા માટે કરો છો? સહેલું શું છે, એમ કહેવું કે ‘તારાં પાપ તને માફ થયાં છે.’ અથવા એમ કહેવું કે, ‘ઊઠ અને ચાલ?’ પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે." તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, "ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા." ત્યારે માણસ ઉઠીને પોતાને ઘેર ગયો.
અને ત્યાં સુકાઈ ગયેલાં હાથવાળો એક માણસ હતો. ઈસુ પર આરોપ મૂકવા સારું તેઓએ તેમને પૂછયું, "વિશ્રામવારે સાજો કરવો એ શું નિયમશાસ્ત્ર પ્રમાણે યોગ્ય છે?"
તેમણે તેમને કહ્યું, "જો તમારે કોઇને એક ઘેટું હોય અને વિશ્રામવારે સવારે તે ખાડામાં પડી જાય, તો શું તમે તેને પકડીને બહાર નહિ કાઢો? તો માણસ ઘેટાં કરતાં કેટલો વિશેષ મૂલ્યવાન છે! માટે નિયમ પ્રમાણે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે."
પછી તેમણે પેલા માણસને કહ્યું, "તારો હાથ લાંબો કર." તેથી તેણે તે લાંબો કર્યા અને બીજાના જેવો સંપૂર્ણ તે સાજો થયો.
ત્યાં સિમોનની સાસુ સખત તાવથી પથારીમાં હતી, તરત તેઓએ ઈસુને તે વિશે વાત કરી. તેઓ તેની પાસે ગયા, અને તેનો હાથ પકડીને તેને બેઠી થવા મદદ કરી, તેનો તાવ ઊતરી ગયો અને તે તેમની સેવા કરવા લાગી.
રકતપિતનો રોગી શુધ્ધ કરાયો
એક વાર રકતપિતનો રોગી ઈસુ પાસે આવીને ઘૂંટણે પડયો અને સાજા થવા આજીજી કરવા લાગ્યો, "જો તમે ચાહો તો મને શુધ્ધ કરી શકો છો."
ઈસુનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું, હાથ લાંબો કરી તેને સ્પર્શ કરી તે બોલ્યાં, "હું ચાહું છું કે તું શુધ્ધ થા." તત્કાળ તેનો રકતપિત જતો રહ્યો અને તે માણસ સાજો થયો.
કેટલાંક માણસો તેમની પાસે એક લકવાગ્રસ્ત થયેલા માણસને લાવ્યા, જેને ચાર માણસો ઉંચકીને લઈ ગયા હતાં. ટોળાને કારણે તેઓ ઈસુ પાસે પહોંચી શક્યા નહિ, તેથી તેઓએ ઈસુની ઊપર નું છાપરું ઉકેલીને તે માણસને પથારી સાથે તેમની આગળ ઉતાર્યો. તેઓનો દ્રઢ વિશ્વાસ જોઈને ઈસુએ લકવાગ્રસ્ત માણસને કહ્યું, "દીકરા, તારાં પાપ માફ કરવામાં આવ્યા છે."
ત્યાં બેઠેલાં કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ પોતાના મનમાં વિચાયુઁ, "આ માણસ આવી રીતે કેમ બોલે છે? આ તો ઈશ્વર નિંદા છે! એક, એટલે ઈશ્વર, એકલા ઈશ્વર સિવાય બીજો કોણ પાપ માફ કરી શકે?"
ઈસુએ તેઓના મનના વિચારો પોતાના આત્મામાં જાણી લઈને તરત તેમને કહ્યું, "એવા વિચારો મનમાં શા માટે કરો છો? સહેલું શું છે? એટલે લકવાગ્રસ્તને એમ કહેવું કે તારાં પાપ તને માફ થયાં છે અથવા એમ કહેવું કે ‘ઊઠ! તારી પથારી ઊંચકીને ચાલ?’ પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે." "તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા." તે ઊભો થયો અને બધાનાં દેખતાં પથારી ઊંચકીને બહાર ચાલ્યો ગયો, લોકો સ્તબ્ધ થઈ ગયા, ઈશ્વરની સ્તુતિ કરતાં તેઓ કહેવા લાગ્યા કે, "આવું અમે કદી જોયું નથી."
ઈસુ વિશ્રામવારે સાજાપણું આપે છે,
ઈસુ ફરી એક વાર સભાસ્થાનમાં ગયા, ત્યાં સુકાઈ ગયેલાં હાથવાળો એક માણસ હતો. કેટલાક ઈસુ પર આરોપ મૂકવાનું કારણ શોધી રહ્યા હતા, તેથી તેઓ વિશ્રામવારે તેને સાજો કરશે કે કેમ તે જોવા માટે તેઓએ તેની પર નજીકથી નજર રાખી કે તેઓ તેમના પર દોષ મૂકે. ઈસુએ સુકાઈ ગયેલાં હાથવાળા માણસને કહ્યું, "બધાની સમક્ષ ઊભો રહે!"
પછી તેમણે તેઓ તરફ ફરીને કહ્યું, "નિયમ પ્રમાણે વિશ્રામવારે ભલાં કામ કરવા કે નુકશાનકારક? એ દિવસે જીવને બચાવવો કે મારવો?" પણ તેઓ ચૂપ રહ્યા.
તેઓના હૃદયની કઠણતાને લીધે દુઃખી થઈને તેમણે ગુસ્સાભરી નજરે ચોતરફ જોયું અને તે માણસને કહ્યું, "તારો હાથ લાંબો કર." તેણે હાથ લાંબો કયોઁ અને તેનો હાથ સંપૂણઁ સાજો થઈ ગયો.
ઈસુ રકતપિતયા માણસને સાજો કરે છે
જયારે ઈસુએ એક શહેરમાં હતાં, ત્યારે રકતપિતથી ઢંકાયેલો એક માણસ આવ્યો. જયારે તેણે ઈસુને જોયા, ત્યારે તેણે જમીન પર ઊંધે મોં પડીને તેમને વિનંતી કરી, "પ્રભુ! જો તમે ચાહો તો તમે મને શુધ્ધ કરી શકો છો."
ઈસુએ તેમનો હાથ લાંબો કયોઁ અને માણસને અડકીને કહ્યું, "હું ચાહું છું, તું શુધ્ધ થા!" અને તરત જ તેનો રકતપિત જતો રહ્યો.
કેટલાક લોકો લકવાગ્રસ્ત એક માણસને પથારીમાં લાવ્યાં. ઘરમાં લઇ જઈને ઈસુની આગળ તેને મૂકવાનો પ્રયત્ન કયોઁ. જયારે ટોળાને લીધે તેઓ તેમ કરવા માટે તેઓને કોઇ રસ્તો સૂઝયો નહિ ત્યારે તેઓ છાપરા પર ગયા અને ઈસુની સામે ભીડની વચ્યે તેને પથારીથી નીચે ઉતાયોઁ.
જયારે ઈસુએ તેઓનો વિશ્વાસ જોયો ત્યારે તેમણે કહ્યું, "મિત્ર! તારાં પાપ તને માફ થયાં છે."
ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતોએ માંહોમાંહે વિચારવા લાગ્યા, "આ માણસ કોણ છે જે ઈશ્વર નિંદા કરે છે? એકલા ઈશ્વર સિવાય બીજો કોણ પાપ માફ કરી શકે?"
ઈસુએ તેઓના વિચારો જાણીને કહ્યું, "એવા વિચારો મનમાં શા માટે કરો છો? ‘તારાં પાપ તને માફ થયાં છે’ કે ‘ઉઠ અને ચાલ’ એમ કહેવું, આ બેમાંથી શું સહેલું છે? પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા. તરત તે તેઓની આગળ ઊભો થયો, ને જેના પર તે સુતો હતો તે ઊંચકીને, ઈશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘરે ગયો.
બીજા એક વિશ્રામવારે તેમણે સભાસ્થાનમાં ગયા અને શિક્ષણ આપતાં હતા, ત્યાં એક માણસ હતો, જેનો જમણો હાથ સુકાઈ ગયેલો હતો. અને ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતો ઈસુ પર આરોપ મૂકવાનું કારણ શોધી રહયાં હતા, તેથી તેઓ વિશ્રામવારે સાજો કરશે કે કેમ તે જોવા માટે તેમના પર નજીકથી નજર રાખતા હતા. પણ ઈસુ તેઓ શું વિચારતા હતા તે જાણી ગયા અને પેલા સુકાયેલા હાથવાળા માણસને કહ્યું, "ઉઠ ને બધાની સામે ઊભો રહે!" તેથી તે ઉઠીને ત્યાં ઊભો રહ્યો.
પછી ઈસુએ તેઓને કહ્યું, "હું તમને પૂછું છું કે; વિશ્રામવારે શું ઉચિત છે? સારું કરવું કે ભૂંડુ કરવું? જીવ બચાવવો કે તેનો નાશ કરવો?"
ચારેબાજુ સર્વની સામે નજર કરીને તે માણસને કહ્યું, "તારો હાથ લાંબો કર!" તેણે તેમ કયું, અને તેનો હાથ સંપૂણઁ સાજો થઈ ગયો.
સૂબેદારનો વિશ્વાસ
જેઓ સાંભળતા હતા તેઓને આ બધું કહી રહયાં પછી ઈસુ કપરનાહૂમ આવ્યા. ત્યાં એક સૂબેદારનો નોકર હતો જે તેના માલીકને ઘણો વહાલો હતો. તે બિમાર હતો અને મરવાની અણી પર હતો. સૂબેદારે ઈસુ વિશે સાંભળ્યું ત્યારે તેણે કેટલાક યહૂદી વડીલોને ઈસુ પાસે મોકલીને તેમને કહેવડાવ્યું કે, આવો અને તેના નોકરને સાજો કર. જયારે તેઓ ઈસુ પાસે આવ્યા તેઓએ આગ્રહથી તેમને વિનંતી કરી, "આ કરવાં એને એ માણસ લાયક છે. કેમકે તે આપણા દેશને પ્રેમ કરે છે અને તેણે આપણું સભાસ્થાન બંધાવી આપ્યું છે." તેથી ઈસુ તેઓની સાથે ગયા.
તેઓ તેના ઘરેથી બહુ દૂર ન હતા, ત્યારે સૂબેદારે તેમના મિત્રોને મોકલીને કહેવડાવ્યું, "પ્રભુ! તમે તકલીફ ન લેશો. તમે મારા છાપરા નીચે આવો એવો હું યોગ્ય નથી, એટલા માટે મેં તમારી પાસે આવવાને પોતાને યોગ્ય ગણ્યો નહિ. પણ તમે શબ્દ બોલો અને મારો નોકર સાજો થઈ જશે. કારણ કે હું મારા અધિકારીઓના હાથ નીચે છું, મારી નીચે સૈનિકો છે. હું આને કહું કે, ‘જા!’ અને તે જાય છે અને પેલાને કહું કે ‘આવ!’ અને તે આવે છે. હું મારા નોકરને કહું છું કે ‘આ કર!’ અને તે તે કરે છે."
આ સાંભળીને ઈસુ તેનાથી નવાઈ પામ્યા અને તેમણે પાછળ આવતાં ટોળાં તરફ ફરીને કહ્યું, "હું તમને કહું છું કે, આટલો મોટો વિશ્વાસ મને ઇઝરાયેલમાં પણ જડયો નથી." ત્યારે જે માણસોને મોકલ્યાં હતાં તેઓ પાછા આવ્યા, ને નોકરને સાજો થયેલો જોયો.
અને ત્યાં એક સ્ત્રી ત્યાં હતી જે અઢાર વષઁથી અપંગ હતી. અને તે વાંકી વળી ગઈ હતી અને ટટ્ટાર રહી શકતી ન હતી. જયારે ઈસુએ તેને જોઈ, ત્યારે તેમણે તેને આગળ બોલાવીને કહ્યું, "સ્ત્રી, તું તારી માંદગીમાંથી મુકત થઈ ગઈ છે," પછી તેમણે તેનાં પર હાથ મુકયાં અને તરત જ તે ટટ્ટાર થઇ અને ઈશ્વરની સ્તુતિ કરી.
ઈસુ ફરોશીનાં ઘરે
એક સાબ્બાથવારે ઈસુ એક ફરોશી આગેવાનને ઘરે જમવા ગયા, તેઓ તેમના પર તાકી રહયાં હતા. ત્યાં તેમની આગળ જલંદર રોગવાળો એક માણસ હતો. ઈસુએ ફરોશીઓને તથા નિયમના પંડિતોને પૂછયું, "સાબ્બાથવારે કોઈ માણસને તેના રોગમાંથી સાજો કરવો એ યોગ્ય છે કે નહિ?" પણ તેઓ ચૂપ રહયાં. માટે પેલા રોગી માણસનો હાથ પકડીને સાજો કરી તેને ઘરે મોકલ્યો.
ઈસુ દશ રકતપિતયાઓને સાજા કરે છે
યરુશાલેમ તરફ જતાં તેઓ ગાલીલ અને સમરૂનની વચ્યેની સરહદ પરથી ગયા. જયારે તે એક ગામમાંથી જતાં હતા, ત્યારે દસ માણસો જેમને રકતપિત થયો હતો, તેમને મળ્યાં, તેઓ દૂર ઊભા રહ્યા. અને મોટે અવાજે બૂમ પાડી, "ઓ ઈસુ, માલીક, અમારા પર દયા કરો!"
જયારે ઈસુએ તેમને જોયા, ત્યારે તેમણે કહ્યું, "જાઓ, પોતાને યાજકોને બતાવો." અને તેઓ જતાં જતાં શુધ્ધ થયા.
તેઓમાંનો એક, પોતે સાજો થઈ ગયો છે, એ જોઈને મોટે સાદે ઈશ્વરની સ્તુતિ કરતો ઈસુ પાસે પાછો આવ્યો. તે ઈસુની આગળ પડી ગયો અને તેમનો આભાર માન્યો, અને તે સમરૂની હતો.
ઈસુએ પૂછયું, "શું સવઁ દશેયને શુધ્ધ કરવામાં આવ્યા ન હતા? તો બીજા નવ કયાં છે? ઈશ્વરને મહિમા આપવાં શું આ એક પરદેશી સિવાય કોઇ જ પાછો ન આવ્યો?" પછી તેમણે તેને કહ્યું, "ઊઠ અને જા. તારા વિશ્વાસે તને સાજો કર્યો છે."
કુંડે સાજાપણું
થોડા સમય પછી, ઈસુ યહૂદીઓનાં એક પવેઁ યરુશાલેમ ગયા. હવે ત્યાં યરુશાલેમનાં ઘેટાં દરવાજા પાસે એક કુંડ છે, કે જેને અરામીકમાં બેથઝાથા કહેવામાં આવે છે, અને જે પાંચ પરસાડોથી ઘેરાયેલો હતો, અહીંયા અંધ, લંગડા, અને લકવાવાળા લોકો મોટી સંખ્યામાં પડી રહેતાં હતા, અને કુંડમાં પાણી હાલે તેની રાહ જોતાં હતા, ઈશ્વરનો દૂત કોઈ કોઈ વાર આવીને પાણી હલાવતો હતો. તે વખતે જે માણસ, પહેલો કુંડમાં ઊતરતો તે સાજો થતો. ત્યાં એક જણ હતો જે આડત્રીસ વરસથી પીડાતો હતો. જયારે ઈસુએ તેને ત્યાં પડેલો જોયો અને તે ઘણા લાંબા સમયથી એવો જ હતો, તે જોઇને તેમણે તેને પૂછયું, "શું તું સાજો થવા ચાહે છે?"
"સાહેબ," પીડીતે જવાબ આપ્યો, "કુંડમાં જયારે પાણી હાલે છે ત્યારે મને મદદ કરનાર કોઈ હોતું નથી. જયારે હું તેમાં ઊતરવા પ્રયત્ન કરું છું તે પહેલાં બીજો કોઈ તેમાં ઊતરી પડે છે."
પછી ઈસુએ તેને કહ્યું, "ઊભો થા, તારી પથારી લઈને ચાલ્યો જા." તરત જ તે માણસ સાજો થઈ ગયો; તે પોતાની પથારી લઈને ચાલ્યો.
જે દિવસે આ બન્યું તે સાબ્બાથ હતો.
ફરી એક વાર તેઓ ગાલીલનાં કાનાની મુલાકાત કરી, જયાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો. ત્યાં એક અમીર અધિકારી હતો જેનો દીકરો કપરનાહૂમમાં બિમાર પડેલો હતો. જયારે આ માણસે સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તે તેમની પાસે જઈને વિનંતી કરી કે આવીને મારા દીકરાને સાજો કર, જે મરવાની અણી પર હતો.
ઈસુએ તેને કહ્યું, "ચિન્હો તથા ચમત્કારો જોયા વિના તમે કદી વિશ્વાસ કરવાના નથી!"
અમીર અધિકારીએ તમને કહ્યું, "સાહેબ, મારો દીકરો મરણ પામે, તે પહેલાં આવો."
ઈસુએ જવાબ આપ્યો, "જા, તારો દીકરો જીવે છે."
તે માણસે ઈસુના શબ્દો લઇને ગયો. હજી તો તે માર્ગમાં હતો, એટલામાં તેના નોકરો તેને સામાચાર સાથે મળ્યાં, કે "તમારો દીકરો જીવતો રહયો છે."
જયારે તેણે તેઓને દીકરાના સારા થવાનો સમય પૂછયો, ત્યારે તેઓએ તેને કહ્યું, "ગઈ કાલે બપોરનાં એક વાગે તેનો તાવ ઊતરી ગયો."
તેથી પિતાને સમજાયું કે આ તે જ સમય હતો જયારે ઈસુએ તેને કહ્યું હતું કે, "તારો દીકરો જીવશે." તેથી તેણે તથા તેના આખા કુટુંબે વિશ્વાસ કયોઁ.
યહૂદિયાથી ગાલીલમાં આવ્યા પછી ઈસુએ કરેલો આ બીજો ચમત્કાર હતો.
A mulher com fluxo de sangue
Uma mulher que sofria há doze anos tocou a orla do manto de Jesus e foi curada instantaneamente pela sua fé.
ત્યાર પછી એક સ્ત્રી જેને બાર વરસથી રકતસ્ત્રાવનો રોગ હતો તેણે પાછળથી આવીને તેમનાં ઝભ્ભાની કીનારીને સ્પર્શ કર્યો; તેણે મનમાં કહ્યું, "જો હું માત્ર તેમના ઝભ્ભાને સ્પર્શ કરું, તો હું સાજી થઈશ."
ઈસુએ ફરીને તેને જોઈને, તેમણે કહ્યું "દીકરી, હિંમત રાખ! તારા વિશ્વાસે તને સાજી કરી છે." અને તે જ ક્ષણે સ્ત્રી સાજી થઈ ગઈ.
ટોળામાં એક સ્ત્રી તે બાર વર્ષથી રકતસ્ત્રાવથી પીડાતી હતી. ઘણાં ડોકટરોની સારવારમાં તેણે પોતાનું સવઁ ખરચી નાંખ્યાં છતાં, સારું થવાને બદલે તેની સ્થિતિ વધારે બગડી ગઈ હતી. ઈસુ વિશે સાંભળીને ટોળામાં થઈને તે તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને સ્પર્શ કયોઁ. કેમકે તેણે વિચાયુઁ હતું કે: "જો હું માત્ર તેમના વસ્ત્રને જ સ્પર્શ કરું તો, પણ સાજી થઈશ." તરત જ તેનો રકતસ્ત્રાવ બંધ થયો અને તેને શરીરમાં ખાતરી થઈ કે તે સાજી થઈ છે.
અને ત્યાં એક સ્ત્રી હતી જેને બાર વર્ષથી લોહીવા હતો, પણ કોઇ તેને સાજી કરી શકયું ન હતું. તે તેમની પાછળ આવીને તે તેમના ઝભ્ભાની કીનારીને અડકી, અને તરત જ તેનો લોહીવા બંધ થયો.
ઈસુએ પૂછયું. "કોણે મને સ્પશઁ કયોઁ?"
જયારે બધાએ ના પાડી, ત્યારે પિતરે કહ્યું, "ગુરુજી! લોકો પડાપડી કરે છે અને ચગદી નાખે છે."
પણ ઈસુએ કહ્યું, "કોઈએ મને સ્પશઁ કયોઁ; હું જાણું છું કે મારામાંથી પરાક્રમ બહાર નીકળ્યું."
જયારે સ્ત્રીએ જાણ્યું કે હું અજાણી રહી નથી, ત્યારે ધ્રૂજીને આવીને તેમના પગે પડી. બધા લોકોની હાજરીમાં તેણે કહ્યું તે કેમ તેમને અડકી અને કેવી રીતે તરત સાજી થઈ. પછી તેમણે તેને કહ્યું, "દીકરી! તારા વિશ્વાસે તને સાજી કરી છે, શાંતિમાં જા."
Ressurreições
Jesus ressuscitou mortos — a filha de Jairo, o filho da viúva de Naim e Lázaro. Ele é Senhor sobre a morte.
ઈસુ મરેલી દીકરીને સજીવન કરે છે અને માંદી સ્ત્રીને સાજી કરે છે
જયારે તેઓ આ કહેતાં હતા, ત્યારે સભાસ્થાનના એક અધિકારીએ આવીને તેમને પગે પડીને કહ્યું, "મારી દીકરી હમણાં જ મરણ પામી છે. પણ આવીને તમારો હાથ તેના પર મુકો એટલે તે જીવતી થશે." ઈસુ ઊઠીને તેની સાથે ગયા, અને તેમના શિષ્યો પણ ગયાં.
ઈસુ સભાસ્થાનનાં અધિકારીના ઘરમાં પ્રવેશ્યાં અને ટોળાને કકળાટ કરતાં અને વાંસળી વગાડતા લોકોને જોયા. તેમણે કહ્યું, "બહાર જાવ, છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે." પણ તેઓએ તેમને હસી કાઢયાં. લોકોના ટોળાને બહાર મોકલવામાં આવ્યા પછી, તેઓ અંદર ગયા અને છોકરીને હાથથી પકડી, અને તે ઊઠી.
એટલામાં યહુદી સભાસ્થાનનો આગેવાન, યાઈરસ દોડતો આવ્યો, અને ઈસુની આગળ નમી પડયો. વ્યાકુળ હદયે તેણે આજીજી કરી, "મારી નાની દીકરી મરવાની અણી પર છે; મહેરબાની કરી આપ આવો અને તેના પર હાથ મૂકો કે તે સાજી થઈને જીવતી થાય." ઈસુ તેની સાથે ગયા અને.
મોટું ટોળું તેમની પાછળ જઈને તેમના પર પડાપડી કરી.
જયારે તેઓએ સભાસ્થાનનાં આગેવાનના ઘરમાં આવ્યા, ત્યારે ઈસુએ આવીને જોયું તો શોરબકોર મચી ગયો હતો. વિલાપ અને રડારોળ થઈ રહ્યાં હતાં. ઈસુએ ઘરમાં જઈને લોકોને કહ્યું, "આટલો બધો શોરબકોર અને વિલાપ શા માટે! છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે!" તેઓએ તેમને હસી કાઢયાં.
ઈસુએ બધાને બહાર કાઢયા, તેઓના ગયા પછી છોકરીનાં માતાપિતાને અને ત્રણ શિષ્યોને લઈને, જે ઓરડીમાં તે હતી ત્યાં તે ગયા. તેમણે તેનો હાથ પકડીને કહ્યું, "તાલીથાકૂમ!" જેનો અર્થ થાય છે, ("છોકરી, હું તને કહું છું, ઊઠ!"). તરત તે ઊભી થઈ અને ચાલવા લાગી. તેઓ જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયાં (તે છોકરી બાર વરસની હતી).
ઈસુએ કહ્યું, "તો શું, ત્યારે, આ પેઢીનાં માણસોને હું કોની સાથે સરખાવું? તેઓ કોના જેવા છે? તેઓ બાળકો જેવાં છે કે જેઓ બજારમાં બેસીને એકબીજાને બોલાવીને કહે છે કે:
" ‘અમે તમારા માટે વાજાં વગાડયાંં,
અને તમે નાચ્યાં નહિ,
અમે શોકગીતો ગાયાં,
પણ તમે રડયાં નહિ.’
કેમકે યોહાન બાપ્તિસ્ત રોટલી ખાતો કે દ્રાક્ષારસ પીતો ન હતો આવ્યો, અને તમે કહો છો કે, ‘તેને ભૂત વળગેલું છે.’ માણસનો દીકરો તો ખાતો પીતો આવ્યો, ‘અને તમે કહો છો કે તે તો ખાઉધરો અને દારૂ પીનારો, જકાતદારો અને પાપીઓનો મિત્ર!’ પણ જ્ઞાન પોતાના બાળકોથી સાચું સાબિત થાય છે."
પાપી સ્ત્રીથી ઇસુનો અભિષેક
જયારે એક ફરોશીએ ઈસુને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું ત્યારે તેઓ ફરોશીના ઘરે જઈને ટેબલે બેઠા. એક સ્ત્રી કે જે એ નગરમાં રહેતી હતી તે પાપી જીવન જીવતી હતી, ઈસુ ફરોશીનાં ઘરમાં ખાતા હતા, ત્યારે તે અતિમૂલ્યવાન અત્તરની શીશી લઈને ત્યાં આવી.
ત્યારે યાઈરસ નામે એક માણસ જે સભાસ્થાનનો આગેવાન ત્યાં આવ્યો, ઈસુના પગે પડીને તેમને પોતાના ઘરે આવવાં આજીજી કરી. કારણ કે બાર વર્ષની તેની એકની એક દીકરી મરવા પડી હતી.
જયારે ઈસુ જતાં હતાં ત્યારે ટોળાએ તેમની પર પડાપડી કરી.
જયારે ઈસુ હજી બોલતા હતા, એટલામાં જ સભાસ્થાનના આગેવાન યાઇરસના ઘરેથી કોઇ આવ્યું, તેણે કહ્યું, "તારી દીકરી મરણ પામી છે, હવે ઉપદેશકને તસ્દી આપવાની જરૂર નથી."
આ સાંભળીને ઈસુએ યાઈરસને કહ્યું, "ગભરાઈશ નહિ! કેવળ વિશ્વાસ રાખ, અને તે સાજી થશે."
જયારે તેઓ યાઈરસને ઘરે આવ્યા, ત્યારે તેમણે પિતર, યાકોબ, યોહાન અને દીકરીનાં માબાપ સિવાય બીજા કોઈને અંદર આવવાં દીધાં નહિ એટલા, લોકો તેને માટે વિલાપ અને રડારોળ કરતા હતાં, ઈસુએ કહ્યું, "રડવાનું બંધ કરો! તે મરી નથી ગઈ, પણ ઊંઘે છે."
તે મરી ગઇ છે એમ જાણીને તેઓએ તેમને હસી કાઢયા. પછી તેમણે તેનો હાથ પકડીને કહ્યું, "મારી દીકરી, ઊઠ!" તેનો આત્મા પાછો આવ્યો અને તે તરત ઊભી થઇ. પછી ઈસુએ તેઓને કહ્યું તેને કંઈક ખાવાનું આપો. તેના માબાપ અચરત થયા, પણ તેમણે તેઓને તાકીદ કરી કે જે થયું તે કોઇને કહેશો નહિ.
લાજરસનું મરણ
હવે લાઝરસ નામનો એક માણસ બિમાર હતો. તે મરિયમ અને તેની બહેન માર્થાનાં ગામ બેથાનિયા નો હતો. આ એ જ મરિયમ હતી, જેણે પ્રભુના પગ પર અતિમૂલ્યવાન અત્તર રેડીને પોતાના વાળથી તે લૂંછયા હતા. હવે તેનો ભાઈ લાઝરસ માંદો પડયો. તેથી બહેનોએ ઈસુ પર ખબર મોકલાવી, "પ્રભુ, જેને તમે પ્રેમ કરો છો તે માંદો છે."
જયારે તેમણે આ સાંભળ્યું ત્યારે ઈસુએ કહ્યું, "મરણ થાય એવી આ માંદગી નથી, પણ તે ઈશ્વરના મહિમાને માટે છે, તેથી ઈશ્વર પુત્રનો મહિમા થાય." હવે ઈસુ માર્થા તથા તેની બહેન અને લાઝરસ પર પ્રેમ રાખતાં હતા. તેથી જયારે ઈસુએ સાંભળ્યું કે લાઝરસ બિમાર છે ત્યારે તે જયાં હતા ત્યાં બે દિવસ વધારે રહ્યા. અને ત્યાર પછી તેના શિષ્યોને કહ્યું, "ચાલો, આપણે પાછા યહૂદિયા જઈએ."
તેઓએ કહ્યું, પણ "રાબ્બી, હજી થોડા સમય પહેલાં જ યહૂદીઓએ તમને પથ્થરે મારવાની કોશિશ કરતા હતા, અને તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?"
ઈસુએ જવાબ આપ્યો, "દિવસનાં બાર કલાક અજવાળું નથી હોતું? જે કોઇ દિવસે ચાલશે તે ઠોકર ખાશે નહિ, કેમકે તેઓ આ જગતનો પ્રકાશ જુએ છે. જયારે વ્યકિત રાત્રે ચાલે છે તે ઠોકર ખાય છે, કેમકે તેનાંમાં પ્રકાશ નથી."
તેમણે આ કહયાં પછી, તેઓ તેઓને કહેવા લાગ્યા કે "આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે. પણ હું તેને જગાડવા જાઉ છું."
તેમના શિષ્યોએ જવાબ આપ્યો, "પ્રભુ જો તે ઉંઘી ગયો હોય તો તે સાજો થશે" ઈસુ તો તેના મરણ વિશે કહેતા હતા, પણ તેમના શિષ્યોને લાગ્યું કે તેઓ સામાન્ય ઉંઘ વિશે કહે છે.
તેથી ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું, "લાઝરસ મરણ પામ્યો છે.
Domínio sobre a natureza
Jesus acalmou a tempestade, andou sobre as águas e multiplicou pães. A natureza obedece à voz do seu Criador.
ઈસુએ તોફાનને શાંત પાડયું
પછી ઈસુ હોડીમાં ગયા અને તેમના શિષ્યો તેમની પાછળ ગયા. એકાએક સરોવરમાં ભયંકર તોફાન આવ્યું, તેથી મોજાઓથી હોડી ઢંકાઈ જવા લાગી; પરંતુ ઈસુ ઊંઘતા હતા. શિષ્યો ગયા ને તેમને જગાડયાં, કહ્યું, "હે પ્રભુ! અમને બચાવો, અમે ડૂબીએ છીએ!"
તેમણે જવાબ આપ્યો, "તમે અલ્પવિશ્વાસીઓ!" આટલા બધા તમે કેમ ગભરાઈ ગયા છો? પછી તેમણે ઊભા થઈને પવન અને મોજાંને ધમકાવ્યાં અને સંપૂણઁ શાંતિ થઈ.
માણસોએ આશ્ચયઁ પામીને કહ્યું, "આ કેવાં પ્રકારનો માણસ છે? પવન અને મોજાઓ પણ તેનું માને છે!"
સાંજ પડી, ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, "આ સ્થળ ઉજજડ છે, અને હવે ઘણું મોડું થઇ ગયું છે. ટોળાને વિદાય કરો, જેથી તેઓ ગામોમાં જઈને પોતાને સારું ખોરાક ખરીદી લે."
ઈસુએ જવાબ આપ્યો, "તેઓને જવાની જરૂર નથી. તમે તેઓને કંઈક ખાવાનું આપો!"
તેઓએ જવાબ આપ્યો કે, અહીં અમારી પાસે તો માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.
તેમણે કહ્યું, "તે અહીં મારી પાસે લાવો." અને તેણે લોકોને ઘાસ પર બેસી જવા જણાવ્યું. તેમણે પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો, અને રોટલી ભાંગી. પછી તેમણે તે શિષ્યોને આપીને શિષ્યોએ લોકોને આપી. તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી. સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જેઓ જમ્યાં તેઓ લગભગ પાંચ હજાર પુરુષો હતા.
સવારના થોડા સમય પહેલાં સરોવર પર ચાલીને ઈસુ તેઓની પાસે જતા હતા.
ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, "આ લોકો પર મને દયા આવે છે; તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેઓની પાસે કંઈ ખાવાનું નથી. હું તેઓને ભૂખ્યાં મોકલવા માંગતો નથી, રખેને તેઓ રસ્તામાં નિર્ગત થઈ જાય."
તેમના શિષ્યોએ જવાબ આપ્યો, "તો આવાં ઉજજડ પ્રદેશમાં આટલા ટોળાને બસ થાય એટલી રોટલી ક્યાંંથી લાવીએ?"
ઈસુએ પૂછયું, "તમારી પાસે કેટલી રોટલી છે?"
તેઓએ જવાબ આપ્યો, "સાત, અને થોડી નાની માછલી."
તેમણે ટોળાને જમીન પર બેસી જવા કહ્યું. પછી તેમણે સાત રોટલી અને માછલી લઈને ઈશ્વરનો આભાર માન્યો, પછી તેમણે ભાંગીને શિષ્યોને આપી, અને તેઓએ લોકોને પીરસી. અને તેઓ બધા ખાયને ધરાયા. પછી શિષ્યોએ વધેલાં ટુકડાની સાત ભરેલી ટોપલીઓ ઉઠાવી. જેઓએ ખાધું તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષો હતા.
મંદિરનો કર
પછી ઈસુ અને તેમના શિષ્યો કપરનાહૂમ પહોંચ્યા, મંદિરનો કર વસૂલ કરનારાંઓએ પિતરની પાસે આવીને પૂછયું કે, "શું તમારાં ગુરુ મંદિરનો કર આપતાં નથી?"
પિતરે જવાબ આપ્યો, "હા, તે આપે છે."
જયારે પિતર ઘરમાં આવ્યો, ત્યારે ઈસુએ પહેલાં તેને પૂછયું, "સિમોન, તને શું લાગે છે? પૃથ્વીનાં રાજાઓ કોની પાસેથી દાણ અથવા કર લે છે? તેમના પોતાના છોકરાઓ પાસેથી કે બીજાઓ પાસેથી?"
પિતરે ઉત્તર આપ્યો, "બીજાઓ પાસેથી."
ઈસુએ તેને કહ્યું, "ત્યારે દીકરાઓ તો મુક્ત છે; તોપણ, આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ, તું સરોવર કાંઠે જઈને તારો ગલ નાંખ, પહેલી માછલી પકડાય તે લે, તેનું મોં ઉઘાડ અને તેમાંથી તને એક સિક્કા મળશે. તે લઈને તું તારો અને મારો કર તેઓને ચૂકવી દે."
ઈસુ અંજીરીને શ્રાપ આપે છે
વહેલી સવારે, જયારે ઈસુ શહેરે પાછા જતાં હતા, ત્યારે ઈસુ ભૂખ્યાં થયા. રસ્તાની બાજુએ એક અંજીરીને જોઈ, અને તેઓ તેની પાસે ગયા, પણ પાંદડાં વિના કાંઈ મળ્યું નહિ. પછી તેમણે તેને કહ્યું, "હવેથી તને કદી ફળ ન લાગો!" તરત જ અંજીરી સુકાઈ ગઈ.
જયારે શિષ્યોએ આ જોયું, ત્યારે તેઓ દંગ થઈ ગયા. તેઓએ પૂછયું, "અંજીરી આટલી જલ્દી કેવી રીતે સુકાઈ ગઈ?"
ઈસુએ જવાબ આપ્યો હું તમને સાચે જ કહું છું, "જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ના લાવો તો અંજીરની જે થયું તે તમે કરી શકશો એટલું જ નહિ, પણ જો તમે આ પહાડને કહી શકો છો, ‘જા, તું ઊચકાઇને સમૃદ્રમાં નંખા.’ અને તે પ્રમાણે થશે. જો તમે વિશ્વાસ રાખો તો તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગશો તો તે તમને મળશે."
પવનનું ભારે તોફાન આવ્યું, મોજાં હોડી પર ઉછળવા લાગ્યાં, હોડી પાણીથી ભરાઈને ડૂબવા લાગી. હોડીના પાછલાં ભાગમાં ઓશીકા પર માથું ટેકવી ઈસુ ઊંઘતા હતા. શિષ્યોએ મને જગાડયા ને તેમને કહ્યું, "ગુરુજી! જો અમે ડૂબીએ તો તેની તમને શું કાંઈ ચિંતા નથી?"
"તેઓ ઊઠયાં અને પવનને ધમકાવ્યો અને મોજાને કહ્યું, શાંત થા!" પછી તરત જ પવન બંધ થયો અને સંપૂર્ણ શાંતિ થઈ.
પછી તેમણે શિષ્યોને કહ્યું, "તમે શા માટે આટલા બધાં ગભરાઈ ગયા? શું હજીયે તમને વિશ્વાસ નથી?"
તેઓ ભયભીત થઈને એકબીજાને કહેવા લાગ્યા, "આ તે કોણ છે? પવન અને મોજા પણ તેમનું માને છે!"
સાંજ પડતાં પહેલાં શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, "આ સ્થળ ઉજજડ છે, વળી ઘણું મોડું થઈ ગયું છે. લોકોને મોકલો કે જેથી નજીકનાં આસપાસનાં ગામોમાં જઈને પોતાને સારું ખોરાક ખરીદી લે."
પણ તેમણે કહ્યું કે, "તમે તેઓને કંઈક ખાવાનું આપો!"
તેઓએ તેને કહ્યું, "તેમાં અડધા વર્ષથી વધુ વેતન લાગશે! શું આપણે જઈને રોટલી પાછળ આટલો ખર્ચ કરીએ અને તેમને ખાવા માટે આપીએ?"
તેમણે પૂછયું, "કે તમારી પાસે કેટલી રોટલી છે તે જઈને જુઓ."
તેઓએ તપાસ કરીને જણાવ્યું કે "પાંચ રોટલી ને બે માછલી છે."
પછી ઈસુએ તેઓને હુકમ કર્યો કે બધા લોકોને લીલા ઘાસ પર સમૂહમાં બેસાડો. તેથી તેઓ પચાસ પચાસ અને સો સોની પંગતમાં બેસી ગયા. ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો ને રોટલીનાં ટુકડા કર્યા અને તે ટુકડા તથા માછલી શિષ્યોને આપીને લોકોને પીરસવાં કહ્યું. તેઓ બધાએ ધરાઈને ખાધું, ભોજન પછી શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ભરીને માછલીઓમાંથી પણ કંઈ વધ્યું. ખાનારા પુરુષોની સંખ્યા પાંચ હજાર હતી.
પવન સામો હોવાને કારણે શિષ્યો હલેસા મારતા હેરાન થાય છે તે જોઈને, સવાર થતા પહેલાં ઈસુ સરોવર પર ચાલીને તેઓની તરફ ગયા. પણ જયારે તેઓએ તેમને સરોવર પર ચાલતાં જોયા, ને તેઓએ વિચાયુઁ કે તે કોઈ ભૂત છે. તેઓ ભયભીત બની ચીસો પાડી ઊઠયાં. કેમકે તેઓ સવઁ જોઈને ગભરાય ગયા. તરત જ ઈસુએ તેઓને કહ્યું,
"હિંમત રાખો, ગભરાશો નહિ! એ તો હું છું!" પછી તે તેઓની સાથે હોડીમાં ચઢી ગયા અને પવન બંધ થઈ ગયો. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
ઈસુ ચાર હજારને જમાડે છે
તે દિવસોમાં બીજી એક વિશાળ મેદની જમા થઈ હતી. તેઓની પાસે કાંઈ પણ ખાવાનું ન હતું, ત્યારે ઈસુએ તેમનાં શિષ્યોને બોલાવીને કહ્યું, "આ લોકો પર મને દયા આવે છે; ત્રણ દિવસથી તેઓ મારી સાથે છે, અને તેમની પાસે ખાવા માટે કંઈ નથી; જો હું તેઓને ભૂખ્યાં ઘરે વિદાય કરું, તો તેઓ માર્ગમાં જ નિર્ગત થઈ જશે; કેમકે તેઓમાનાં કેટલાક ઘણે દૂરથી આવ્યા છે."
તેમનાં શિષ્યોએ જવાબ આપ્યો, "આ ઉજ્જડ સ્થળે એટલી બધી રોટલી કયાંથી મળશે કે તેમને ખવડાવી શકીએ?"
ઈસુએ પૂછયું, "તમારી પાસે કેટલી રોટલી છે?"
તેઓએ જવાબ આપ્યો, "સાત."
તેમણે ટોળાને જમીન પર બેસી જવા કહ્યું; પછી તેમણે સાત રોટલી લીધી ને ઈશ્વરનો આભાર માન્યો, અને તે ભાંગીને અને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી, અને તેઓએ પીરસી. તેઓની પાસે થોડી નાની માછલી પણ હતી, ઈસુએ તેના પર આશીર્વાદ માગીને લોકોને પીરસવાં શિષ્યોને આપી. લોકો ખાઈને ઘરાયા. ત્યાર બાદ વધેલાં ટુકડાઓથી સાત ભરેલી ટોપલીઓ શિષ્યોએ ઉઠાવી. આશરે ચાર હજાર લોકો ત્યાં હાજર હતા, પછી તેમણે તેઓને વિદાય કર્યા.
ઈસુ મંદિરનાં આંગણાને શુદ્ઘ કરે છે
બીજે દિવસે જયારે તેઓ બેથાનિયાથી નીકળ્યાં પછી, ઈસુ ભૂખ્યાં થયા. થોડે દૂર તેમણે પુષ્કળ પાંદડાંથી છવાયેલી એક અંજીર જોઈ, કદાચ તેના પરથી ફળ મળે માટે જયારે તેઓ ત્યાં ગયા. ત્યારે પાંદડાં વિના કાંઈ મળ્યું નહિ, કારણ અંજીરની મોસમને હજી વાર હતી. પછી તેમણે ઝાડને કહ્યું, "હવે પછી તારા પરથી કદી કોઈ ફળ ન ખાઓ." અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું.
સવારમાં શિષ્યોએ રસ્તે જતાં, પેલી અંજીર જોઈ તે મૂળમાંથી સુકાઈ ગઈ હતી. તે પિતરે યાદ કરીને, ઈસુને કહ્યું, "ગુરુજી જુઓ! તમે જે અંજીરને શાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ."
ઈસુએ જવાબ આપ્યો, "ઈશ્વર પર વિશ્વાસ રાખો, હું સાચે જ કહું છું કે જો કોઈ આ પર્વતને કહે કે તે ‘ખસી જઈને સમુદ્રમાં નંખાય,’ અને મનમાં સંદેહ રાખ્યાં વગર એ વિશ્વાસ રાખશો તો જે તેમણે કહ્યું છે તે પ્રમાણે થશે જ, એ એમનાં માટે થશે. એ માટે હું તમને કહું છું તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગો છો, તે તમને મળી ચૂકયું છે એવો વિશ્વાસ રાખો, અને તે તમારું થશે. અને જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો, ત્યારે જો તમારે કોઈની વિરુદ્ધ કાંઈ હોય તો તેમને માફ કરો, જેથી આકાશમાંના તમારાં પિતા પણ તમારાં અપરાધ માફ કરે.
પ્રથમ શિષ્યોને ઈસુનું તેડું
એક વખત ઈસુ ગન્નેસરેતના સરોવર કાંઠે ઊભા હતા, લોકો તેમની આજુબાજુ ટોળા વળી ઈશ્વરનાં વચનો સાંભળતા હતા. માછીમારોએ બે હોડીઓને કિનારે લાંગરેલી તેમણે જોઈ, જેઓ પોતાની જાળો ધોતાં હતા. તેમાંની એક હોડી સિમોનની હતી, તેઓ તેના પર ચઢયો. અને તેને હોડી થોડે દૂર હંકારવા કહ્યું અને તેમણે બેસીને લોકોને હોડીમાંથી શિક્ષણ આપ્યું.
તેમના બોલી રહ્યા પછી, તેમણે સિમોનને કહ્યું, "હવે ઊંડા પાણીમાં લઈ જાઓ અને પકડવા માટે જાળ નાંખો."
સિમોને જવાબ આપ્યો, "માલીક! અમે આખી રાત ખૂબ જ મહેનત કરી અને કશું જ પકડાયું નથી, તોપણ, તમારાં કહેવાથી, હું જાળો નાંખીશ."
જયારે તેઓએ એમ કયું, ત્યારે તેમાં એટલી બધી માછલીઓ ભરાઈ કે તેમની જાળો તૂટવા લાગી. તેથી તેઓના સાથીઓ બીજી હોડીમાં હતાં તેઓને મદદ માટે ઇશારો કયોઁ અને તેઓ આવ્યા અને બંને હોડીઓ એટલી બધી ભરાઈ કે તેઓ ડુબવા લાગી.
જયારે સિમોન પિતરે આ જોયું, તે ઈસુના ઘુંટણે નમી પડયો અને બોલ્યો, "ઓ પ્રભુ, મારી પાસેથી દુર જાઓ, હું પાપી માણસ છું." માછલાંનો આટલો મોટો જથ્થો પકડયો તેથી પિતર અને તેના સાથીઓ અચરત થઈ ગયા. ઝબદીના દીકરા યાકોબ અને યોહાન સિમોનના ભાગીદારો હતા.
ત્યારે ઈસુએ પિતરને કહ્યું "ગભરાઈશ નહિ! હવેથી તું લોકોને પકડનાર થશે." તેથી તેઓ તેઓની હોડીને ખેચીને કાંઠા પર મુકી, બધું મૂકીને તેમની પાછળ ગયા.
ઈસુ તોફાન શાંત પાડે છે
એક દિવસે ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ચાલો આપણે સરોવરને પેલે પાર જઈએ તેથી તેઓ હોડીમાં બેઠાં અને નીકળ્યાં. જયારે તેઓ જતા હતા એટલામાં તેઓ ઊંઘી ગયા. ત્યારે સરોવર પર તોફાન આવ્યું, જેથી હોડી ભરાઈ ગઇ, અને તેઓ મોટા જોખમમાં આવી પડયાં.
શિષ્યો તેમની પાસે ગયા ને જગાડીને કહ્યું, "ગુરુજી! ગુરુજી! અમે ડુબી રહ્યા છીએ." તેમણે ઊઠીને.
પવનને અને મોજાને ધમકાવ્યા; તોફાન શમી ગયું અને બધું શાંત થઈ ગયું. પછી તેમણે તેમના શિષ્યોને કહ્યું, "તમારો વિશ્વાસ કયાં છે?"
તેઓ બી ને અચરત થયા અને એકબીજાને પૂછવાં લાગ્યા, "આ તે કોણ છે કે, પવન અને પાણીને આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે!"
ઈસુ તોફાન શાંત પાડે છે
એક દિવસે ઈસુએ તેના શિષ્યોને કહ્યું, ચાલો આપણે સરોવરને પેલે પાર જઈએ તેથી તેઓ હોડીમાં બેઠાં અને નીકળ્યાં. જયારે તેઓ જતા હતા એટલામાં તેઓ ઊંઘી ગયા. ત્યારે સરોવર પર તોફાન આવ્યું, જેથી હોડી ભરાઈ ગઇ, અને તેઓ મોટા જોખમમાં આવી પડયાં.
શિષ્યો તેમની પાસે ગયા ને જગાડીને કહ્યું, "ગુરુજી! ગુરુજી! અમે ડુબી રહ્યા છીએ." તેમણે ઊઠીને.
પવનને અને મોજાને ધમકાવ્યા; તોફાન શમી ગયું અને બધું શાંત થઈ ગયું. પછી તેમણે તેમના શિષ્યોને કહ્યું, "તમારો વિશ્વાસ કયાં છે?"
તેઓ બી ને અચરત થયા અને એકબીજાને પૂછવાં લાગ્યા, "આ તે કોણ છે કે, પવન અને પાણીને આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે!"
ઈસુ અશુધ્ધ આત્મા વળગેલાં માણસને સાજાપણું આપે છે
ગાલીલનું સરોવર ઓળંગીને તેઓ ગેરસાનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા.
સાંજ પડતાં પહેલાં શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, "ટોળાને મોકલો કે તેઓ નજીકનાં ગામોમાં જઈને આસપાસમાં પોતાને માટે ખાવાની અને રહેવાની વ્યવસ્થા કરે, કેમકે આપણે અહીં ઉજજડ સ્થળે છીએ."
તેમણે જવાબ આપ્યો, "તમે તેઓને કંઈક ખાવાનું આપો!"
તેઓએ જવાબ આપ્યો, "અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે, અમે જઈને એ સઘળાં ટોળા માટે ખાવાનું વેચાતું લાવીએ." (ત્યાં લગભગ પાંચ હજાર પુરુષો હતા.)
પણ તેમણે પોતાનાં શિષ્યોને કહ્યું, "લોકોને પચાસ પચાસની પંગતમાં બેસાડો." શિષ્યોએ તેમજ કયુઁ અને બધા બેસી ગયાં. પાંચ રોટલી અને બે માછલી લઇને ઈસુએ આકાશ તરફ જોઇને તેમણે આભાર માનીને તેમનાં ટુકડાં કરીને આપી, પછી તેમણે લોકોને પીરસવાં માટે શિષ્યોને આપી. તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી.
ઈસુ પાણીનો દ્રાક્ષારસ બનાવે છે
ત્રીજે દિવસે ગાલીલના કાનામાં લગ્ન હતું, ત્યાં ઈસુના મા હતા. અને ઈસુ અને તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ હતું. "જયારે દ્રાક્ષારસ ખૂટી પડયો." ઈસુનાં મા તેમને કહે છે, તેઓની પાસે દ્રાક્ષારસ નથી.
ઈસુએ જવાબ આપ્યો કે, બાઈ, "તમે મને કેમ સામીલ કરો છો? મારો સમય હજુ આવ્યો નથી."
તેમના માએ નોકરોને કહ્યું, "જે કંઇ તેઓ તમને કહે, તે કરો."
હવે ત્યાં પથ્થરની છ કોઠીઓ હતી: યહૂદીઓનાં ધાર્મિક પ્રસંગોમાં તે ઉપયોગમાં લેવાતી હતી, દરેક કોઠીમાં આશરે સો લીટર પાણી સમાતું હતું.
ઈસુએ નોકરોને કહ્યું, "આ કોઠીઓ પાણીથી ભરી દો." તેથી તેઓએ તે છલોછલ ભરી દીધી.
પછી તેમણે તેમને કહ્યું, "હવે થોડું કાઢીને જમણના કારભારી પાસે લઇ જાઓ, તેઓએ તેમ કયુઁ,"
જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો. આ ક્યાંંથી આવ્યો તેની તેને ખબર ન હતી, પણ જે નોકરોએ પાણી કાઢયું હતું તેઓ જાણતા હતા, પછી તેમણે વરરાજાને બાજુમાં બોલાવ્યો. અને કહ્યું, "દરેક માણસ પ્રથમ ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે અને મહેમાનોએ સારી રીતે પીધા પછી હલકા પ્રકારનો આપે છે, પરંતુ તેં અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખ્યો છે!"
ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડયો, અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કયોઁ.
તેમણે તેમની કસોટી કરવા એ પૂછયું, કેમકે પોતે શું કરવાનાં હતા, તે મનમાં જાણતાં હતા.
ફિલિપે તેમને જવાબ આપ્યો, "પુરતી રોટલી ખરીદવા માટે અડધા વર્ષથી વધુ કમાણી જેટલું લાગે, જેથી દરેકને થોડું થોડું મળે."
બીજો તેમનો શિષ્ય સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા બોલી ઊઠયો, "અહીં જવની પાંચ રોટલી અને બે નાની માછલી સાથે એક છોકરો છે, પરંતુ આટલા બધા લોકોની વચ્યે કેમ પહોંચે?"
ઈસુએ કહ્યું, "લોકોને નીચે બેસાડો." તે જગ્યાએ ઘણું ઘાસ હતું, અને તેઓ બેસી ગયા (પુરુષો આશરે પાંચ હજાર હતા.) ત્યારે ઈસુએ રોટલી લઈને આભાર માન્યો અને બેઠેલાઓને વહેંચી આપી. જેટલી જોઇતી હતી તેટલી વહેચી, માછલી સાથે પણ તેમણે એમ જ કયુઁ.
જયારે તેઓ ખાયને ઘરાયા, ત્યારે તેમણે તેમના શિષ્યોને કહ્યું, "વધેલાં ટુકડા એકઠા કરી લો, કંઇ નકામું ન જાય, તેથી તેઓએ તે એકઠા કયાઁ." અને તે જવની પાંચ રોટલીમાંના જે છાડેલા કકડા જમનારાઓએ રહેવા દીધા હતા, તેઓની બાર ટોપલી ભરીને ભેગી કરી,
જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ-છ કિલોમીટર દૂર ગયા ત્યારે તેઓએ ઈસુને પાણી પર ચાલીને હોડી તરફ આવતાં જોયા. તેઓ બહુ ગભરાઈ ગયા. પણ તેમણે તેઓને કહ્યું, "ગભરાશો નહિ, એ તો હું છું." પછી તેઓ ઈસુને હોડીમાં લેવા માંગતા હતા, અને તેઓ જયાં જતા હતા તે કિનારે તરત હોડી આવી પહોંચી.
ઈસુ અને ચમત્કારીક રીતે માછલી પકડવી
ત્યાર પછી ઈસુ ફરીથી તેમના શિષ્યોને ગાલીલના સરોવર પાસે દેખાયા, તે આ રીતે બન્યું. સિમોન પિતર, થોમાસ (જે દીદીમસ કહેવાતો હતો તે), ગાલીલના કાનાનો નથાનિયેલ, ઝબદીના પુત્રો, અને બીજા બે શિષ્યો ભેગા થયા હતાં. સિમોન પિતરે તેઓને કહ્યું, "હું માછલાં પકડવા જાઉં છું." અને તેઓએ કહ્યું, "અમે તારી સાથે આવીએ છીએ." તેથી તેઓ ગયા અને હોડીમાં બેઠાં, પણ તે રાત્રે તેઓના હાથમાં કાંઈ આવ્યું નહિ.
વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા, પણ તે ઈસુ છે તે શિષ્યો ઓળખી શક્યાં નહિ.
તેમણે તેઓને બોલાવ્યા, "મિત્રો, તમારી પાસે કાંઈ માછલી છે?"
તેઓએ જવાબ આપ્યો, "ના."
તેમણે કહ્યું, "તમારી જાળ હોડીની જમણી બાજુએ નાંખો અને તમને કંઇક મળશે." જયારે તેમણે એમ કર્યું ત્યારે ઘણી બધી માછલીઓ પકડાઈ તેથી તેઓ જાળને ખેંચી પણ શક્યાં નહિ.
ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે, "એ તો પ્રભુ છે!" જેવું સિમોન પિતરે તેને એવું કહેતા સાંભળ્યો કે એ તો પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેરી લીધો (કેમકે તે ઉઘાડો હતો) ને પાણીમાં કૂદી પડયો. બીજા શિષ્યો હોડીમાં માછલીઓથી ભરેલી જાળ ખેંચતા તેમની પાછળ ગયા, કેમકે તેઓ કિનારાથી બહુ દુર ન હતા, લગભગ નેવું મીટર દુર હતા. જયારે તેઓ કિનારે ઉતયાઁ ત્યારે તેઓએ ત્યાં સળગતાં કોલસાનો અગ્નિ જોયો, તેના પર માછલી અને રોટલી હતા.
ઈસુએ તેમને કહ્યું, "તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો." તેથી સિમોન પિતર હોડીમાં પાછો ચઢીને કિનારે જાળ ખેંચી લાવ્યો, તેમાં એકસો ત્રેપન મોટી માછલીઓ ભરેલી હતી પણ આટલી બધી માછલીઓ હોવા છતાં જાળ ફાટી ગઈ નહિ.
Libertações
Jesus expulsou demônios com autoridade. Os espíritos impuros não resistiam à sua palavra e saíam imediatamente.
અધિકારીનો વિશ્વાસ
જયારે ઈસુ કપરનાહૂમ આવ્યા, ત્યારે એક સૂબેદારે ઈસુ પાસે આવીને મદદ માંગી. તેણે કહ્યું "પ્રભુ, મારો નોકર ઘરમાં લકવાનાં દર્દથી ઘણો પીડાય છે અને પથારીવશ છે."
ઈસુએ તેને કહ્યું, "શું હું આવીને તેને સાજો કરું?"
પછી અધિકારીએ જવાબ આપ્યો, "પ્રભુ, તમે મારા છાપરા તળે આવો એવો હું યોગ્ય નથી, પણ શબ્દ કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. કારણ કે હું મારા અધિકારીઓના હાથ નીચે છું, મારી નીચે સૈનિકો છે. હું આને કહું કે, ‘જાઓ!’ અને તે જાય છે અને પેલાને કહું કે ‘આવો!’ અને તે આવે છે. હું મારા નોકરને કહું છું કે ‘આ કર!’ અને તે તે કરે છે."
ત્યારે ઈસુ તે સાંભળીને નવાઈ પામ્યા, "પાછળ આવતાં લોકોને તેમણે કહ્યું, હું તમને સાચે જ કહું છું કે, આટલો મોટો વિશ્વાસ મને ઇઝરાયેલમાં પણ જડયો નથી. હું તમને કહું છું કે ઘણાં લોકો પૂવઁથી અને પશ્વિમથી આવશે અને સ્વર્ગના રાજ્યમાં અબ્રાહમ, ઇસહાક અને યાકોબની સાથે પવઁમા બેસશે, પણ રાજયની પ્રજાને બહાર ફેકી દેવામાં આવશે, અંધકારમાં, જયાં રડવું અને દાંત પીસવું થશે."
પછી ઈસુએ અધિકારીને કહ્યું, "જા, જેવો તારો વિશ્વાસ છે તેવું જ તને થાઓ." અને તે જ ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો.
અશુધ્ધ આત્મા વળગેલા બે માણસોને ઈસુ સાજા કરે છે
જયારે તેઓ સરોવરનાં સામે કિનારે ગદરાનીના પ્રદેશમાં પહોંચ્યા, અશુધ્ધ આત્મા વળગેલાં બે માણસો કબરોમાંથી નિકળતા તેમને મળ્યાં. તેઓ એવા ભયાનક હતા કે તે માગેઁ થઈને કોઈ જઈ શક્તું ન હતું. "ઈશ્વરપુત્ર, તમારે અમારી સાથે શું જોઈએ છે? તેઓએ બૂમ પાડી, નિયત સમય પહેલાં અમને પીડા દેવાને તમે અહીં આવ્યા છો શું?"
ત્યાંથી થોડે દૂર ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું. અશુધ્ધ આત્માઓએ ઈસુને આજીજી કરી, "જો તમે અમને કાઢી મૂકવાનાં જ હો તો અમને ભૂંડોનાં ટોળામાં મોકલો."
તેમણે તેઓને કહ્યું, "જાઓ!" એટલે તેઓ બહાર નીકળીને ભૂંડોમાં પેઠાં અને આખું ટોળું સરોવરમાં ધસી પડયું અને પાણીમાં ડૂબી મર્યુ. પેલા ભૂંડ ચરાવનારાં નાઠાં, શહેરમાં જઈને તે બધું તેઓએ કહી જણાવ્યું, અને અશુધ્ધ આત્મા વળગેલાઓને શું થયું તે પણ કહ્યું. ત્યારે આખું નગર ઈસુને મળવા માટે બહાર આવ્યું, અને જયારે તેઓએ તેમને જોયા. તેઓએ તેમને વિનંતી કરી અમારી પ્રદેશમાંથી જતા રહો.
ત્યાંથી તેઓ બહાર જતાં, એક માણસ જેનામાં અશુધ્ધ આત્મા હોવાથી તે બોલી શકતો ન હતો તેને ઈસુની પાસે લાવવામાં આવ્યો. જયારે અશુધ્ધ આત્માને કાઢવામાં આવ્યો, ત્યારે જે મૂંગો માણસ હતો તે બોલ્યો, ટોળાએ અચંબો પામીને કહ્યું, "ઇઝરાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી."
ઈસુ અને બાલઝબૂલ
પછી તેઓ અશુધ્ધ આત્મા વળગેલા એક માણસ કે જે અંધ અને મૂંગો હતો તેને તેમની પાસે લાવ્યાં, અને ઈસુએ તેને સાજો કયોઁ, એટલે એ દેખતો અને બોલતો થઇ શકયો.
કનાની સ્ત્રીનો વિશ્વાસ
એ વિસ્તારમાંથી નીકળીને ઈસુ તૂર અને સિદોન પ્રદેશમાં ગયા. એક કનાની સ્ત્રીએ તેમની પાસે આવીને બૂમ પાડી, "ઓ પ્રભુ! દાવિદનાં દીકરા! મારા પર દયા કરો, મારી દીકરીને અશુધ્ધ આત્મા વળગેલો છે અને તે સખત પીડાય છે."
ઈસુએ તેને કશો જ જવાબ આપ્યો નહિ. તેથી તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરી, "તેને વિદાય કરો, કારણ કે તે આપણી પાછળ બૂમો પાડયા કરે છે."
તેમણે જવાબ આપ્યો કે, "ફકત ઇઝરાયેલનાં ખોવાયેલાં ઘેટાં પાસે મને મોકલવામાં આવ્યો છે."
તે સ્ત્રીએ આવીને ઈસુને પગે પડીને કહ્યું. "પ્રભુ! મને મદદ કરો!"
તેમણે જવાબ આપ્યો, "છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાંખવી એ યોગ્ય નથી!"
તેણે કહ્યું, "હા, પ્રભુ, એ તો છે કૂતરાં પણ પોતાના માલીકના ટેબલ પરથી જે ટુકડા પડે છે તે ખાય છે."
ત્યારે ઈસુએ તેને કહ્યું, "બાઈ, તારો વિશ્વાસ મોટો છે! તારી માંગણી પૂરી કરવામાં આવે છે." અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ.
ઈસુ અશુધ્ધ આત્મા વળગેલાં છોકરાને સાજો કરે છે
જયારે તેઓ ટોળા પાસે આવ્યા, ત્યારે એક માણસ ઈસુની આગળ આવીને ઘુંટણે પડયો, તેણે કહ્યું "પ્રભુ! મારા દીકરા પર દયા કરો, તેને વાઈનું દરદ છે ને તે ઘણો પીડાય છે. તે વારંવાર અગ્નિમાં, અને પાણીમાં પડે છે. હું તેને તમારાં શિષ્યો પાસે લાવ્યો પણ તેઓ તેને સાજો કરી શક્યાં નહિ."
ઈસુએ જવાબ આપ્યો, "ઓ અડીયલ, અને અવિશ્વાસી પેઢી!" ઈસુએ જવાબ આપ્યો, "હું કયાં સુધી તમારી સાથે રહીશ? કયાં સુધી હું તમારું સહીશ, છોકરાંને અહીં મારી પાસે લાવો." ઈસુએ અશુધ્ધ આત્માને ધમકાવ્યો ને તે છોકરામાંથી બહાર આવ્યો. અને તે ઘડીએ તે સાજો થયો.
અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ સભાસ્થાનમાં હતો, તે બૂમો પાડીને કહેવા લાગ્યો. "ઓ નાઝરેથના ઈસુ, અમારે ને તારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો; એ હું જાણું છું કે તમે ઈશ્વરના પવિત્ર છો!"
ઈસુએ તેને ધમકાવ્યો, "ચૂપ રહે, તેનામાંથી બહાર નીકળી જા." અશુધ્ધ આત્માએ તે માણસને જમીન પર પછાડીને જોરથી ચીસ પાડીને તે તેનામાંથી બહાર નીકળી ગયો.
અશુધ્ધ આત્મા વળગેલા માણસને સાજાપણું
તેઓ સરોવરને સામે કિનારે ગેરસાનીઓના પ્રદેશમાં ગયા. ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે કબરોમાંથી અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળવા આવ્યો. તે કબરોમાં રહેતો હતો, તેને કોઇ સાંકળોથી પણ બાંધી શકતો ન હતો. કેમકે તેને ઘણીવાર હાથ-પગમાં સાંકળો તથા બેડીઓથી બાંધવામાં આવ્યો હતો, પણ તે સાંકળો અને બેડીઓ તોડી નાંખતો. કોઈ તેને વશ રાખી શક્તું નહોતું. તે રાતદિવસ કબરોમાં તથા પહાડોમાં ચીસો પાડતો, પથ્થરોથી પોતાને ઘાયલ કરતો.
ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો, અને તેમની આગળ ઘૂંટણે પડયો તેણે ભયંકર ચીસ પાડીને કહ્યું, "ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના પુત્ર! તમારે અને મારે શું? ઈશ્વરની ખાતર મને પીડા ન દો." ઈસુએ તે અશુધ્ધ આત્માને ધમકાવતાં કહ્યું, "આ માણસમાંથી બહાર નીકળ."
ઈસુએ પૂછયું, "તારું નામ શું છે?"
અશુધ્ધ આત્માએ જવાબ આપ્યો, "મારું નામ સેના છે, કારણ અમે અનેક છીએ." તેણે ઈસુને વારંવાર વિનંતી કરીને કહ્યું, અમને આ જગ્યાથી કાઢી ન મૂકો.
ત્યાં પહાડની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરી રહ્યું હતું. અશુધ્ધ આત્માએ આજીજી કરી, "અમને તે ભૂંડોનાં ટોળામાં પેસવા દો કે અમે તેઓમાં જઈએ." ઈસુએ તેઓને જવા દીધા, તેથી અશુધ્ધ આત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠાં, અને લગભગ બે હજાર ભૂંડોનું આખું ટોળું સરોવરમાં ધસી પડયું અને ડુબી ગયું.
પેલા ભૂંડ ચરાવનારાં નાઠાં, શહેરમાં જઈને તે બધું તેઓએ કહી જણાવ્યું, અને ગામડાંમાં નાસી ગયા અને તે જોવાને માટે લોકો ઊમટી પડયાં.
પણ તમે કહો છો, ‘કે જો કોઇ જાહેર કરે છે કે તેના માતાપિતાને મદદ કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મેં ઈશ્વરને કુરબાન (એટલે ઇશ્વરને સમઁપણ) કરી દીધું છે.’ તો તમે તેના માતાપિતાને સારું કંઈ કરવા દેતા નથી. આ પ્રમાણે તમારાં રિતરીવાજોને ચાલુ રાખવા તમે ઈશ્વરની આ આજ્ઞા રદ કરો છો, અને એવા અનેક કામો તમે કરો છો."
ફરી ઈસુએ ટોળાને બોલાવીને કહ્યું, "તમે સઘળાં મારું સાંભળો અને સમજો. બહારથી વ્યક્તિમા જઈને કંઈ તેમને અશુધ્ધ કરી શક્તું નથી, પણ વ્યક્તિમાંથી જે નીકળે છે તે જ તેમને અશુદ્ધ કરે છે.
સિરોફોનિશિયન સ્ત્રીની વિશ્વાસ
પછી ગાલીલથી નીકળીને ઈસુ તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા, તેઓ ઘરમાં ગયા અને એ વાત કોઈ ન જાણે એવું તે ઈચ્છતા હતાં, પણ તે પોતાની હાજરી ગુપ્ત ન રાખી શકયા. હકીકતમાં, એક સ્ત્રી જેની નાની દીકરીને અશુધ્ધ આત્મા વળગ્યો હતો, જેવું તેણે ઈસુ વિશે સાંભળ્યું કે તરત આવીને તે તેમના પગ આગળ પડી. તે સ્ત્રી ગ્રીક હતી, ને સિરિયાના ફિનીકિયામાં જન્મી હતી. તેણે પોતાની દીકરીમાંથી અશુધ્ધ આત્મા કાઢવા ઈસુને વિનંતી કરી.
તેમણે તેને કહ્યું, "પ્રથમ છોકરાંને જેટલું જોઈએ તેટલું ખાવા દો! છોકરાંની રોટલી લઈને કૂતરાંને ફેંકવી યોગ્ય નથી!"
તેણે ઉત્તર આપ્યો, "ગુરુજી, કૂતરાં પણ ટેબલ નીચે પડેલા છોકરાનાં વધેલાં ટૂકડા ખાય છે."
ઈસુએ કહ્યું, "તેં સારો જવાબ આપ્યો છે. જા, તેનામાંથી અશુધ્ધ આત્મા નીકળી ગયો છે."
તે ઘરે ગઈ ત્યારે તેની દીકરી પથારીમાં સૂતેલી હતી ને તેનામાંથી અશુધ્ધ આત્મા નીકળી ગયો હતો.
ટોળામાંથી એક માણસે જવાબ આપ્યો, "ગુરુજી, મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો આત્મા વળગ્યો હોવાથી તે બોલી શકતો નથી. એ જયારે તેને પકડે છે, ત્યારે તેને જમીન પર પછાડે છે, તે મોંમાંથી ફીણ કાઢે છે, તે દાંત પીસે છે, ને તે નબળો થતો જાય છે; મેં તમારાં શિષ્યોને આત્મા કાઢવા વિનંતી કરી પણ તેઓ કાઢી ન શક્યા."
ઈસુએ જવાબ આપ્યો, "ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાંં સુધી તમારી સાથે રહીશ? હું કયાં સુધી ધીરજ રાખું? છોકરાંને મારી પાસે લાવો!"
તેઓ છોકરાંને તેમની પાસે લાવ્યાં, ઈસુને જોતાં તરત જ અશુધ્ધ આત્માએ છોકરાંને ભયંકર રીતે મરડી નાંખ્યો, તે નીચે પડી ગયો અને આળોટવા તથા મોંમાથી ફીણ કાઢવાં લાગ્યો.
ઈસુએ છોકરાનાં પિતાને પૂછયું, "એને કેટલાં સમયથી આવું થાય છે?" તેણે કહ્યું:
"નાનપણથી જ." "તેણે તેને ઘણીવાર મારી નાંખવાં તે એને અગ્નિમાં કે પાણીમાં નાંખી દે છે, જો તમારાંથી કાંઈ થઈ શકે એમ હોય તો દયા કરી અમને મદદ કરો!"
ઈસુએ કહ્યું, "જો કાંઈ થઈ શકે તો? જે વિશ્વાસ કરે છે તેને સઘળું શકય છે."
તરત છોકરાંનો પિતા બોલી ઊઠયો, "મને વિશ્વાસ છે, મારો અવિશ્વાસ દૂર કરવા માટે મારી સહાય કરો."
જયારે ઈસુએ ટોળાને દોડતું આવતું જોઈને તેમણે અશુધ્ધ આત્માને ધમકાવ્યો. "ઓ બહેરાં મૂંગા આત્મા, હું તને હુકમ કરું છું, કે તેમાંથી બહાર નીકળ અને ફરી કદી તેનામાં પ્રવેશ કરીશ નહિ."
ત્યારે આત્માએ ચીસ પાડી, છોકરાને મરડી નાંખ્યો અને તે હિંસક રીતે તેનામાંથી નીકળી ગયો. છોકરો મૂએલાં જેવો થઈને ત્યાં પડી રહ્યો, લોકોએ કહ્યું કે તે "મરી ગયો છે." પરંતુ ઈસુએ હાથ પકડીને તેને પગ પર ઊભો કયોઁ અને તે ઊભો થયો.
ઈસુ ઘણાંને સાજા કરે છે
સભાસ્થાનમાંથી નીકળીને ઈસુ સિમોનના ઘરે ગયા. હવે સિમોનની સાસુ સખત તાવથી પીડાતી હતી, અને તેઓએ ઈસુને તેને મદદ કરવા કહ્યું. તેઓએ તેમની આગળ નમીને તાવને ધમકાવ્યો અને તાવ ઊતરી ગયો. તે તરત ઊભી થઈ અને તેમની સેવા કરવા લાગી.
જયારે ઈસુ કાંઠે ઊતર્યા, ત્યારે શહેરમાં અશુધ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો, ઘણાં લાંબા સમયથી આ માણસ કપડાં પહેરતો ન હતો. અને ઘરમાં રહેતો ન હતો પણ કબરોમાં રહેતો હતો. જયારે તેણે ઈસુને જોતાં તે બૂમ પાડીને તેમના પગે પડ્યો અને મોટે ઘાંટે બોલ્યો, "ઓ પરાત્પર! ઈશ્વરના પુત્ર! મારે ને તમારે શું? હું આજીજી કરું છું કે મને પીડા ન આપો." કેમકે ઈસુએ અશુધ્ધ આત્માને તે માણસમાંથી નીકળી જવાનો હુકમ કર્યા હતો. વારંવાર તે તેને વળગતો હતો, સાંકળોથી તેના હાથ અને પગ બાંધતા અને ચોકીમાં રાખતા, તેણે તેની સાંકળો તોડી નાખીને અશુદ્ધ આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઇ જતો.
ઈસુએ તેને પૂછયું, "તારું નામ શું છે?"
તેણે જવાબ આપ્યો, "સેના." કારણ કે તેનામાં ઘણાં અશુધ્ધ આત્મા ગયા હતા. અને તેમણે ઈસુને વારંવાર વિનંતી કરી કે, અમને ઊંડાણમાં જવાનો હુકમ ન કરો.
હવે ત્યાં ભૂંડોનું એક મોટું ટોળું ત્યાં પાસે પહાડની બાજુએ ચરતું હતું. અશુધ્ધ આત્માઓએ ઈસુને આજીજી કરી કે અમને ભૂંડોમાં પેસવાં દો. તેમણે તેઓને રજા આપી. જયારે માણસમાંથી અશુધ્ધ આત્મા નીકળીને ભૂંડોમાં પેઠાં અને આખું ટોળું નીચે સરોવરમાં ધસી પડ્યું ને ડુબી ગયું.
જે થયું તે જોઇને ચરાવનારાં દોડયા, અને શહેરમાં તથા ગામમાં તે જાહેર કયુઁ. અને જે બન્યું તે જોવા માટે લોકો ગયા. જયારે તેઓ ઈસુ પાસે આવ્યા, ત્યારે પેલા અશુધ્ધ આત્મા વળગેલાં માણસે વસ્ત્ર પહેરેલો તથા સંપૂર્ણ સ્વસ્થ થયેલો અને ઈસુના પગ પાસે બેઠેલો જોયો. અને તેઓ ભયભીત થઈ ગયા.
"હું તમને સાચે જ કહું છું કે, જેઓ અહીં ઊભા રહેલાં છે તેઓમાંથી કેટલાક ઈશ્વરનું રાજ્ય જોશે નહિ ત્યાં સુધી મરણ પામશે નહિ."
રૂપાંતર
એ વાતો કહ્યાંના લગભગ આઠ દિવસ પછી, પિતર, યાકોબ તથા યોહાનને લઈને પ્રાર્થના કરવા માટે પર્વત પર ગયા. જયારે તેઓ પ્રાર્થના કરતા હતા, ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્રો વીજળીના ચમકારા જેવા ઉજળાં થઈ ગયાં. બે માણસો, મોશે અને એલિયા ભવ્ય મહીમામાં ઈસુની સાથે વાત કરતા દેખાયા. તેઓએ તેમની વિદાય વિશે વાત કરી, કે જે તે યરુશાલેમમાં પુરું થવાનું હતું.
પિતર અને તેના સાથીઓ ઊંઘથી ઘેરાયેલા હતા, પણ જયારે તેઓ જાગી ઊઠયાં ત્યારે તેઓએ તેમને મહિમામાં જોયા, અને તેમની સાથે ઊભેલા બે માણસો જોયા. જયારે માણસો ઈસુ પાસેથી વિદાય થતા હતા, પિતરે ઈસુને કહ્યું, "ગુરૂજી! આપણે અહીં રહીએ તો એ સારું છે! જો તમે ચાહો તો, હું ત્રણ તંબુ બાંધુ; એક તમારે માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે." (પોતે શું બોલતો હતો તે તે સમજતો ન હતો.)
ટોળામાંથી એક માણસ બોલી ઊઠ્યો, "ગુરુજી! હું તમને વિનંતી કરું છું કે મારા દીકરાને જુઓ, કેમકે તે મારો એકનો એક દીકરો છે. આત્મા તેને પકડીને મરડી નાખે છે; અને એકાએક બુમો પાડે છે; તે તેને એવો મરડીને ફેકી દે છે જેથી તેના મોંમાંથી ફીણ કાઢે છે. તે તેને ભાગ્યે જ છોડે છે અને તેનો નાશ કરે છે. મેં તમારાં શિષ્યોને એ કાઢવા માટે વિનંતી કરી પણ તેઓ તેને કાઢી શક્યાં નહિ."
ઈસુએ જવાબ આપ્યો "ઓ અડીયલ અને અવિશ્વાસી પેઢી! હું કયાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ!"
વળી જયારે તે છોકરો આવતો હતો, ત્યાર અશુધ્ધ આત્માએ તેને જમીન પર પછાડીને મરડી નાંખ્યો, પણ ઈસુએ અશુધ્ધ આત્માને ધમકાવ્યો, અને છોકરાને સાજો કર્યો ને તેના પિતાને પાછો સોંપ્યો. અને તેઓ સઘળાં ઈશ્વરના મહાપરાક્રમથી અચરત પામ્યા. જયારે તેમણે જે જે કયું હતું તે સવઁ જોઈને અચરત પામ્યા, ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું.
ઈસુ અને બાલઝબૂલ
ઈસુ મૂંગા અશુધ્ધ આત્માને કાઢતા હતા, જયારે અશુધ્ધ આત્મા નીકળ્યો, ત્યારે મૂંગો માણસ બોલવાં લાગ્યો, અને ટોળું અચંબો પામ્યું.
અને તેઓમાંના એકે પ્રમુખ યાજકના નોકરનો જમણો કાન કાપી નાંખ્યો.
પણ ઈસુએ જવાબ આપ્યો, "આટલું બસ છે." અને માણસના કાનને સ્પર્શ કરીને તેને સાજો કયોઁ.
યોહાનના સંદેશાવાહક ગયા પછી, ઈસુએ લોકોને યોહાન સંબંધી ટોળાને કહેવા લાગ્યા, "અરણ્યમાં તમે શું જોવા ગયા? શું પવનથી હાલતાં ઘાસને? જો ના તો, તમે બહાર શું જોવા ગયા? શું સારા વસ્ત્ર પહેરેલાં માણસને? ના, જેઓ મૂલ્યવાન વસ્ત્રો પહેરે છે તેમને અથવા રાજમહેલમાં એશઆરામ ભોગવે છે તેમને. પણ તમે શું જોવા બહાર ગયા? પ્રબોધકને? હા, હું તમને કહું છું, પ્રબોધક કરતાં અધિક છે તેને. તે એ જ છે કે, જેનાં વિશે લખેલું છે કે:
" ‘હું તમારી આગળ મારો સંદેશાવાહક મોકલીશ,
જે તમારી આગળ તમારો માર્ગ તૈયાર કરશે.’
હું તમને કહું છું કે સ્ત્રીઓથી જેઓ જન્મ્યાં છે, તેઓમાં યોહાન કરતાં કોઇ મહાન થયો નથી; તોપણ, ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે તે તેના કરતાં મોટો છે."
જકાતકારો સહિત ઘણાં લોકોએ, જયારે ઈસુની આ વાત સાંભળી ત્યારે તેઓએ સ્વીકાયુઁ કે ઈશ્વરનો માગઁ સાચો હતો, કેમકે તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. પરંતુ ફરોશીઓ તથા નિયમશાસ્ત્રના પંડિતોઓએ પોતાના માટેનો ઈશ્વરનો હેતુંનો નકાર કયોઁ, કેમકે તેઓ યોહાનથી બાપ્તિસ્મા પામ્યા ન હતા.