Pecado
O pecado é a realidade que separa a humanidade de Deus. Mas a Bíblia também revela a solução: o sangue de Cristo que nos purifica e a graça que nos liberta de toda condenação.
A universalidade do pecado
Todos pecaram e carecem da glória de Deus. Não há justo, nem sequer um. O pecado entrou no mundo por um homem, mas a graça veio por Jesus.
કારણ કે સઘળાંએ પાપ કર્યું છે અને સઘળાં ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે.
કારણ કે સઘળાંએ પાપ કર્યું છે અને સઘળાં ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે. અને મસીહ ઈસુથી થયેલા ઉધ્ધાર દ્રારા તેમની કૃપાથી બધા વિનામુલ્ય ન્યાયી ઠરે છે.
તેથી નિયમશાસ્ત્રના કાર્યોથી કોઈ પણ વ્યકિત ઈશ્વરની દ્રષ્ટિમાં ન્યાયી ઠરશે નહિ; પણ નિયમશાસ્ત્ર દ્વારા આપણને પાપ વિશે જ્ઞાન થાય છે. વિશ્વાસથી ન્યાયપણું.
કેમકે પાપનું વેતન મરણ છે, પરંતુ આપણા પ્રભુ મસીહ ઈસુની મારફતે ઈશ્વર તરફથી મળતું કૃપાદાન અનંતજીવન છે.
પણ જેઓ કોઈ પાપ કરે છે તેઓ નિયમોનો ભંગ કરે છે; પાપ એ જ નિયમભંગ છે.
Liberdade da condenação
Não há condenação para os que estão em Cristo Jesus. Ele nos libertou da lei do pecado e da morte para vivermos em novidade de vida.
એ માટે જેઓ મસીહ ઈસુમાં છે, તેઓને માટે હવે કોઈ શિક્ષા નથી. કેમકે મસીહ ઈસુમાં જીવનના આત્માના જે નિયમ છે તેણે તમને પાપ, અને મરણના નિયમથી મુક્ત કર્યા છે.
તમારાં નાશવંત શરીર પર પાપને રાજ ન કરવા દો; જેથી તમે તેની દુર્વાસનાઓને આધીન ન થાઓ. તમારાં શરીરનાં અવયવોને ભૂંડાઈનાં સાધન તરીકે પાપને ન સોંપો, પરંતુ મરણમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપાઈ જાઓ, તથા પોતાના અવયવોને ન્યાયપણાના સાધન તરીકે તેમને સોંપો. હવેથી પાપ તમારાં પર રાજ કરશે નહિ, કેમકે તમે નિયમને આધીન નથી, પરંતુ કૃપાને આધીન છો.
તો શું? આપણે પાપ કરીએ કેમકે આપણે નિયમ હેઠળ નહિ પણ કૃપા હેઠળ છે? ના, કદી નહિ! શું તમે નથી જાણતા કે, જયારે તમે પોતાને કોઇને આજ્ઞાકીંત ગુલામ તરીકે સોંપો છો, ત્યારે તમે જેની આજ્ઞા પાળો છો તેના તમે ગુલામ છો, કદાચ તમે પાપનાં ગુલામ છો, જે મૃત્યું તરફ દોરી લઇ જાય છે અથવા આજ્ઞાપાલનના, જે તમને ન્યાયપણા તરફ દોરી લઇ જાય છે. તમે પહેલાં પાપનાં ગુલામ હતા, પરંતુ ઈશ્વરનો આભાર માનો કે હવે તમે તેમના શિક્ષણનો હ્રદયપૂર્વક સ્વીકાર કયોઁ છે. આથી તમે પાપની ગુલામીમાંથી મુક્ત બનીને ન્યાયીપણાનાં ગુલામ બન્યા છો.
તો શું? આપણે પાપ કરીએ કેમકે આપણે નિયમ હેઠળ નહિ પણ કૃપા હેઠળ છે? ના, કદી નહિ!
આપણે જાણીયે છીએ કે નિયમ આત્મિક છે; પણ હું દૈહિક છું, અને પાપને ગુલામ તરીકે વેચાયેલો છું! હું જે કરું છું તે હું સમજી શકતો નથી, હું જે કરવા ઈચ્છું છું તે હું કરી શકતો નથી, પરંતુ જે હું ધિક્કારું છું તે જ હું કરું છું. અને જો હું જે કરવા માગતો નથી તે કરું છું, તો હું સ્વીકારુ છું કે નિયમ સારો છે. તો હવે જે તે કરે છે તે હું પોતે નથી, પણ મારામાં રહેલું પાપ છે તે જ તે કરે છે.
ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે જે પાપ કરે છે તે પાપનો ગુલામ છે.
Confissão e perdão
Se confessarmos os nossos pecados, Deus é fiel e justo para nos perdoar e purificar de toda injustiça. A confissão liberta a alma.
જો આપણે કહીએ કે આપણામાં પાપ નથી, તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી. પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવા અને આપણને દરેક ભૂંડાઈથી શુધ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવા અને આપણને દરેક ભૂંડાઈથી શુધ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
તેથી જો આપણે તેમની સંગતમાં છીએ એવો દાવો કરીને છતાં અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ, અને સત્યથી વતઁતા નથી;
Vencendo o pecado
Cristo nos resgatou e nos restaurou. Devemos mortificar as obras da carne, fugir do pecado e prosseguir em santidade.
"ક્રૂસ પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા." જેથી આપણે પાપનાં સંબંધમાં મૃત્યુ પામીને ન્યાયપણાં માટે જીવીએ; તેમના ઘાથી આપણે સાજા થયા છે.
તે એક પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે, કારણ કે તે પોતાના લોકોને તેઓના પાપમાંથી તારશે."
આપણે તેનામાં ઇશ્વરનાં ન્યાયીપણારૂપ થઈએ, માટે જેણે પાપ જાણ્યું ન હતું તેને તેમણે આપણે માટે પાપરૂપ કયાઁ.
તેમ મસીહે પણ ઘણા લોકોનાં પાપ દૂર કરવા માટે એક જ વાર બલિદાન આપ્યું; અને તે બીજી વાર પણ પ્રગટ થશે, પાપ વેઠવા માટે નહિ, પરંતુ જેઓ તેમની રાહ જુએ છે તેમના માટે તારણ લાવવાં માટે.
જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમકે શેતાન આરંભથી પાપ કર્યા કરે છે. પરંતુ શેતાનનાં કામોનો નાશ કરવા માટે જ ઈશ્વરના પુત્ર પ્રગટ થયા.
આપણે જાણીએ છીએ કે જે કોઈ ઇશ્વરથી જન્મેલો છે તે પાપ કયાઁ કરતો નથી; પણ ઇશ્વરથી જે જન્મયો છે તેને તે સુરક્ષિત રાખે છે અને દુષ્ટ તેને નુકશાન કરી શકતો નથી.
તેથી જગતના સ્વભાવનું જે છે તેને મારી નાખો: વ્યભિચાર, અશુધ્ધતા, ભૂંડી વાસના અને લોભ ન રાખો, કે જે મૂર્તિપૂજા છે.
પણ તમારાંમાં વ્યભિચાર, કોઇ પણ પ્રકારની મલિનતા અથવા લોભનો સહેજ પણ સંકેત ન હોવો જોઈએ, કારણ કે ઇશ્વરના પવિત્ર લોકો માટે આ યોગ્ય છે.
અંધકારના નિષ્ફળ કામોનાં સોબતીઓ ન થાઓ, પણ ઊલટું તેઓને ખુલ્લાં પાડો. આજ્ઞાભંગ કરનારાઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે તેનું વર્ણન કરવું એ પણ શરમ ઉપજાવે એવું છે.
"તમારા ગુસ્સામાં પાપ ન કરો." તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો,
Responsabilidade e restauração
O pecado tem consequências, mas Deus restaura o arrependido. Devemos corrigir uns aos outros com mansidão e cobrir o pecado com amor.
ભાઈઓ અને બહેનો, જો કોઈ ભાઈ પાપ કરતાં પકડાય તો, તમે જેઓ આત્મિક છો તેઓએ નમ્રતાથી તેને પાછો લાવવો, નહિ તો તમે પણ પરિક્ષણમાં પડશો.
ભાઈઓ અને બહેનો, જો કોઈ ભાઈ પાપ કરતાં પકડાય તો, તમે જેઓ આત્મિક છો તેઓએ નમ્રતાથી તેને પાછો લાવવો, નહિ તો તમે પણ પરિક્ષણમાં પડશો. એકબીજાનો ભાર ઊંચકો, અને એમ મસીહનો નિયમ સંપૂણઁ પાળશો.
"જો તારો ભાઈ કે બહેન પાપ કરે તો જઈને તેમની ભૂલ બતાવો, તે માત્ર તમારા બે વચ્યે હોય, જો તેઓ તારું સાંભળે તો તેં તેઓ પર વિજય મેળવ્યો છે.
"જો તારો ભાઈ કે બહેન પાપ કરે તો જઈને તેમની ભૂલ બતાવો, તે માત્ર તમારા બે વચ્યે હોય, જો તેઓ તારું સાંભળે તો તેં તેઓ પર વિજય મેળવ્યો છે.
"મારા પર વિશ્વાસ કરનાર, આ નાનાંઓમાંના એકને જો કોઈ ઠોકર ખવડાવે, તો એના કરતાં એવું કરનારને ગળે જો ઘંટીનું મોટું પડ બંધાય અને તે સમુદ્રમાં ફેંકાય તો તે તેને માટે સારું છે.
"શા માટે તમારા ભાઈની આંખમાંના તણખલાને જુઓ છો અને પોતાની આંખમાંનો ભારોટિયો જોતાં નથી?
માટે જો તમે બીજા લોકો તમારી વિરુધ કરેલાં પાપ તેઓને માફ કરશો, તો તમારો સ્વર્ગીય પિતા પણ તમને માફ કરશે.
તમે નિરોગી થાઓ માટે એકબીજાની આગળ તમારાંં પાપ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થનામાં સામર્થ્ય હોય છે અને અસરકારક હોય છે.
માટે જો કોઈ ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તો તેને પાપ લાગે છે.
ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારાં હાથ શુ્ધ્ધ કરો, અને ઓ બે મનવાળા, તમે તમારાંં હૃદયોને શુધ્ધ કરો.
ઓ તમે વ્યભિચારી લોકો! શું તમે નથી જાણતા કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે વેર છે? માટે જે કોઇ જગતનો મિત્ર થવા માંગે છે, તે ઇશ્વરનો વૈરી થાય છે.
સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે, મારા ભાઈઓ અને બહેનો, આવું તો ન જ થવું જોઈએ
વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો, કેમકે પ્રેમ પાપનાં પુંજને ઢાંકી દે છે.
Fuga do pecado
Bem-aventurado o que não anda no conselho dos ímpios. O caminho do justo é guardado pelo Senhor, e sua Palavra nos protege da queda.
સારો માણસ પોતાના સારા હૃદયનાં ભંડારમાંથી સારું કાઢે છે, અને દુષ્ટ માણસ પોતાનાં દુષ્ટ હૃદયનાં ભંડારમાંથી ભૂડું કાઢે છે; કારણ કે હૃદયનાં ભરપૂરીપણામાંથી મોં બોલે છે.
શું તમે નથી જાણતા કે દુષ્ટ લોકોને ઈશ્વરના રાજ્યમાં વારસો મળશે નહિ? છેતરાતા નહિ: લંપટો, મૂર્તિપૂજકો, વ્યભિચારીઓ, સજાતીય સંબંધ ધરાવનારાઓ, ચોરી, લોભ કરનારાં, દારૂડિયા, નિંદાખોરો અને લુંટ કરનારાઓનો ભાગ ઈશ્વરના રાજ્યમાં નથી.
પિલાત ફરી એક વાર બહાર આવ્યો અને ત્યાં ભેગા થયેલા યહૂદીઓને કહ્યું, "જુઓ, હું તેને તમારી પાસે બહાર લાવું છું, જેથી તમને ખબર પડે કે મને તેનામાં કોઈ દોષ માલૂમ પડતો નથી." જયારે કાંટાનો મુગટ અને જાંબુડિયો ઝભ્ભો પહેરેલા ઈસુ બહાર આવ્યા, ત્યારે પિલાતે તેઓને કહ્યું, "અહીં, તે માણસ છે!"
તેમને જોતાં જ મુખ્ય યાજકો તથા તેમના અધિકારીઓએ બૂમ પાડીને કહેવા લાગ્યા, "ક્રૂસે જડો! ક્રૂસે જડો!"
પણ પિલાતે જવાબ આપ્યો, "તમે તેને લઈ જઈને ક્રૂસે જડો, મને તો એનામાં કોઈ દોષ દેખાતો નથી."
જો તમે કોઈનાં પાપ માફ કરશો, તો તેમના પાપ માફ થાય છે; જો તમે તેમને માફ ના કરો, તો તેમના પાપ માફ થતા નથી."