Aceitar Jesus
Aceitar Jesus é a decisão mais importante da vida. Quem o recebe como Senhor e Salvador recebe vida eterna, perdão completo e a presença permanente do Espírito Santo.
જે બધાએ તેમના પર અંગીકાર કયોઁ, જેઓએ તેમના નામ પર વિશ્વાસ કયોઁ તેટલાં ને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો.
કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
ઈસુએ જવાબ આપ્યો કે, "હું માર્ગ, સત્ય તથા જીવન છું, મારા વિના પિતા પાસે કોઈ આવતું નથી.
જો તમે તમારાંં મોં થી કબૂલ કરો કે "ઈસુ પ્રભુ છે," અને તમારાંં હૃદયમાં વિશ્વાસ કરો કે પ્રભુએ તેમને મરણમાંથી સજીવન કર્યા છે, તો તમે તારણ પામશો,
કેમકે પાપનું વેતન મરણ છે, પરંતુ આપણા પ્રભુ મસીહ ઈસુની મારફતે ઈશ્વર તરફથી મળતું કૃપાદાન અનંતજીવન છે.
અને જે કોઇ પ્રભુને નામે વિનંતી કરશે,
તે તારણ પામશે.’
પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે;
બીજા કોઇથી તારણ નથી, કેમકે જેથી આપણું તારણ થાય એવું બિજું કોઇ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી."
તેઓએ જવાબ આપ્યો, "પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ તો તારું તથા તારા ઘરનાં બધાનું તારણ થશે."
પણ જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવા અને આપણને દરેક ભૂંડાઈથી શુધ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
જુઓ, હું બારણાં આગળ ઊભો રહીને ખટખટાવ્યા કરું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ખોલશે તો હું અંદર આવીશ અને હું તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.