Ascensão
A ascensão de Jesus ao céu é a coroação de sua obra redentora. Ele subiu à destra do Pai, de onde voltará com poder e glória para buscar os seus.
એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતાં જ તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને વાદળે તેમને તેઓની નજરથી છુપાવી દીધા.
તેઓ આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા હતા, તેવામાં તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલાં બે પુરુષોને તેમની બાજુમાં ઊભા રહેલાં જોયા. તેઓએ કહ્યું, "ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતાં કેમ ઊભા રહ્યા છો? આ જ ઈસુ, જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઇ લેવામાં આવ્યા છે, જેમ તમે તેમને સ્વગઁમાં જતાં જોયા તે જ રીતે તેઓ પાછા આવશે."
પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી, તેમને સ્વર્ગમાં ઊપર લઈ લેવામાં આવ્યા, ત્યાં ઈશ્વરના જમણે હાથે તે બિરાજમાન થયા.
ઈસુનું સ્વર્ગારોહણ
પછી તેઓ તેમને બેથાનિયા ની નજીક લઇ ગયા, તેમણે પોતાના હાથ ઊંચા કરીને તેઓને આશીર્વાદ આપ્યો. જયારે તેઓને આશીર્વાદ આપતાં હતાં, ત્યારે તેમણે તેઓને મૂકી દીધા અને આકાશમાં લઇ લેવામાં આવ્યા.
મારા પિતા ના ઘરમાં ઘણાં ઓરડાઓ છે, જો એમ ન હોત તો, હું તમને કહેત, હું તમારા માટે જગ્યા તૈયાર કરવા ત્યાં જાઉં છું.
હું તમને સાચે જ કહું છું કે: હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનાર પણ કરશે, અને તેઓ એના કરતાં પણ મોટા કામો કરશે, કારણ કે હું પિતા પાસે જાઉં છું.
હું, પિતા પાસેથી જગતમાં આવ્યો છું હવે હું જગત છોડી ને પિતા પાસે પાછો જાઉં છું."
ઈસુએ કહ્યું, "હજુ હું પિતા પાસે ચઢી ગયો નથી, માટે મને અડકીશ નહિ, પરંતુ મારા ભાઈઓ પાસે જા અને તેઓને કહે કે, ‘હું મારા પિતા અને તમારાં પિતા, મારા ઈશ્વર અને તમારાં ઈશ્વર પાસે ઉપર ચઢી જાઉં છું.’ "
ઈસુએ કહ્યું, "હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી જેણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું.
બધા પ્રશ્ન ઉપરાંત, એ રહસ્ય છે કે ઈશ્વરમય જીવન જીવવું એ મોટો મઁમ છે;
માનવદેહે તે પ્રગટ થયા,
આત્મા દ્રારા ન્યાયી ઠરાવાયાં,
દૂતો દ્રારા જોવામાં આવ્યા,
સર્વ પ્રજાઓમાં પ્રચાર કરવામાં આવ્યો,
એમનાં પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો,
અને મહિમામાં ઉપર લઈ લેવામાં આવ્યા.
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.