O que é bom
O que é bom vem de Deus. A Bíblia celebra a bondade divina e nos convida a discernir, praticar e desfrutar tudo o que é bom — porque toda boa dádiva vem do Pai das luzes.
તો પછી, નિયમશાસ્ત્ર પવિત્ર છે, અને આજ્ઞા પવિત્ર, ન્યાયી અને હિતકારક છે.
આ જગતના રૂપનું તમે અનુકરણ ન કરો, પરંતુ તમારા મનથી નવીનતા દ્ગારા રૂપાંતર પામો. જેથી તમે ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા જાણી શકો.
તેથી તમારું જે સારું છે તે વિશે ભૂંડુ બોલાય તેવું ન થવા દો.
ભજનસેવા માટે સૂચનો
સૌ પ્રથમ, હું તમને વિનંતી કરું છું કે, સર્વ માણસોને માટે પ્રાર્થના, આજીજી અને આભારસ્તુતિ કરવામાં આવે, રાજાઓને માટે અને બીજા સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરાં ભકિતભાવથી અને પવિત્રતામાં શાંત અને સ્વસ્થ જીવન ગુજારીએ. કેમકે ઈશ્વર આપણા તારનારની નજરમાં તે સારું છે.
કારણ કે ઈશ્વરે જે કંઈ બનાવેલું છે તે સર્વ સારું છે, જો આભારસ્તુતિ સાથે તેનો સ્વીકાર કરવામાં આવે તો કંઈ પણ નકારવા જેવું નથી. કેમકે તે ઇશ્વરના શબ્દ અને પ્રાથઁનાથી પવિત્ર કરવામાં આવે છે.
દરેક ઉત્તમ તથા સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને તે સ્વગીઁય પ્રકાશનાં પિતા પાસેથી આવે છે, જે પડછાયાની જેમ બદલાતા નથી.
"મીઠું તો સારું છે પણ તે તેને ખારાશ ગુમાવી દે તો તે શાથી ખારું કરી શકાશે? તમારાં પોતામાં મીઠું રાખો, અને એકબીજા સાથે શાંતિમાં રહો."
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.