A carne
A carne representa a natureza pecaminosa que milita contra o Espírito. A Bíblia ensina que os que pertencem a Cristo crucificaram a carne com suas paixões e desejos.
Carne versus Espírito
Os que são segundo a carne inclinam-se para as coisas da carne. O nascido da carne é carne; o nascido do Espírito é Espírito.
જે લોકો દૈહિક ઇચ્છાઓ પ્રમાણે જીવે છે તેઓ દૈહિક ઇચ્છાઓ પર મન લગાડે છે; પણ જે લોકો આત્મા પ્રમાણે જીવે છે તેઓ આત્માની ઇચ્છાઓ પર મન લગાડે છે. દેહથી દોરાતું મન તે મરણ છે; પણ આત્માથી દોરાતું મન તે જીવન અને શાંતિ છે. જે મન દૈહિક ઇચ્છાઓ દ્ઘારા નિંયત્રિત છે તે ઈશ્વર વિરોધી છે, તે ઈશ્વરના નિયમોને આધીન નથી. અને થઇ શકતું પણ નથી. જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.
પરંતુ જો, તમે, તમારાંમાં ઈશ્વરનો આત્મા વસે છે. તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઇને મસીહનો આત્મા નથી તે મસીહનો નથી.
એ માટે જેઓ મસીહ ઈસુમાં છે, તેઓને માટે હવે કોઈ શિક્ષા નથી. કેમકે મસીહ ઈસુમાં જીવનના આત્માના જે નિયમ છે તેણે તમને પાપ, અને મરણના નિયમથી મુક્ત કર્યા છે. કારણ કે દેહને લીધે નિયમ નિબઁળ હતો, તેથી કરી શક્યો નહિ. તે ઇશ્વરે પોતાના પુત્રને પાપી દેહના સ્વરૂપમાં પાપનું બલિદાન થવા માટે મોકલીને તેના દેહમાં પાપને દોષિત ઠરાવ્યો. જેથી, આપણામાં એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્માને પ્રમાણે જીવીએ છીએ, નિયમની ન્યાયની જરૂરિયાત સંપૂણઁ રીતે પુરી થાય.
જો તમે દેહ પ્રમાણે જીવશો, તો તમે મરશો; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાંખશો, તો તમે જીવશો.
કેમકે, જેઓ ઈશ્વરનાં આત્માથી દોરાય છે, તેઓ ઈશ્વરના દીકરા છે.
તેથી મને આ નિયમ કાયઁ કરતું દેખાય છે: હું સારું કરવાની ઇચ્છા રાખું છું, ત્યારે દુષ્ટતા મારી સાથે હોય છે. કેમકે મારા અંતઃકરણમાં હું ઇશ્વરનાં નિયમમાં આનંદ માનું છું. પણ હું મારામાં એક અલગ નિયમને કાયઁ કરતો જોઉં છું જે મારા મનનાં નિયમ સામે લડે છે અને મારામાં કામ કરતા પાપનાં નિયમનો કેદી બનાવે છે.
પણ જયારે આપણે દેહના રાજ્યમાં હતા, ત્યારે નિયમ વડે ઉત્તેજિત પાપી વાસનાઓ આપણામાં કામ કરતી હતી, જેથી આપણે મરણને માટે ફળ ઉપજાવિએ,
શરીર શરીરને જન્મ આપે છે, પણ આત્મા આત્માને જન્મ આપે છે.
આત્મા જીવન આપે છે. માંસથી કંઇ લાભ થતો નથી. જે વચનો મેં તમને કહ્યાં, તે આત્માથી ભરપૂર અને જીવન છે.
Vencer a carne
Andai no Espírito e não cumprireis os desejos da carne. Os que são de Cristo crucificaram a carne com suas paixões.
હું તમને કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના પ્રમાણે વર્તશો નહિ.
દેહના કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા અને મેલી વિદ્યા, વેરભાવ, ઝગડા, અદેખાઈ, ગુસ્સો, પોતાનું જ હિત સાધવાં માટેનાં પ્રયત્નો, કુસંપ, પક્ષાપક્ષી; જેમ મેં પહેલાં ચેતવ્યા તેમ જેઓ ઈર્ષાળું, દારૂડિયાપણું, ભોગવિલાસ અને બીજી એવી બાબતોમાં જીવે છે તેઓ ઈશ્વરના રાજ્યનો સહભાગી બનશે નહિ.
જેઓ મસીહ ઈસુના છે, તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુધ્ધાં ક્રૂસ પર જડી દીધા છે.
મારા ભાઈઓ અને બહેનો, તમને સ્વતંત્ર થવા માટે બોલાવવામાં આવ્યા હતાં પણ તમારી સ્વતંત્રતા શારીરિક વિષયવાસનાંને અથેઁ ન વાપરો; તેના કરતાં એકબીજાને નમ્રતાથી પ્રેમ કરો.
જે કોઈ પોતાના દેહને ખુશ કરવા માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; જે કોઈ આત્માને ખુશ કરવા માટે વાવશે, તે અનંતજીવન લણશે.
કેમકે જગતમાં જે બધું છે, દૈહિક ઈચ્છાઓ, આંખોની લાલસા, અને જીવવનો અહંકાર ઈશ્વર તરફથી નથી પણ તે તો જગત તરફથી આવે છે.
તેમનામાં તમે સુન્નતિ થયા જે સુન્નત માણસોના હાથે કરેલી નથી. મસીહ દ્રારા તમારી સુન્નત કરવામાં આવી ત્યારે શરીર દ્રારા સંચાલિત સંપૂણઁ સ્વભાવને દૂર કરવામાં આવ્યો હતો.
જાગતાં રહો, અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો. આત્મા તત્પર છે, પણ શરીર નિર્બળ છે."
ભાઈઓ અને બહેનો, હું તમને જણાવું છું કે, માંસ અને લોહી ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકશે નહિ, તેમજ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શક્તા નથી.