Esperar no Senhor
Esperar no Senhor é ato de fé e confiança. A Bíblia promete que os que esperam em Deus renovam as forças, recebem direção e experimentam a fidelidade divina no tempo certo.
Renovar as forças
Os que esperam no Senhor renovam as forças. Sobem como águias, correm e não se cansam, caminham e não se fatigam.
Espera paciente
Esperei com paciência no Senhor e Ele se inclinou para mim. Confie nele e descanse — Ele agirá no tempo certo.
Confiança e perseverança
Confie no Senhor de todo o coração. Sede pacientes na tribulação — o Senhor é fiel e cumprirá todas as suas promessas.
એટલું જ નહિ પણ મુશ્કેલીઓમાં પણ આપણે આનંદ કરીએ છીએ. કેમકે આપણે જાણીએ છીએ કે મુશ્કેલીઓ ધીરજ ઉત્પન્ન કરે છે; ધીરજથી, ચારિત્ર્યને, અને ચારિત્ર્યથી આશા ઉત્પન્ન થાય છે.
અને તેમના મહિમાવંત સામર્થ્યથી ભરપૂર થાઓ. જેથી તમે પૂણઁ ધીરજ અને સહનશીલતા ધરાવો,
ભાઈઓ અને બહેનો, પ્રભુનાં આગમન સુધી ધીરજથી રાખો. જુઓ. ખેડૂત ખેતરમાં થનાર મૂલ્યવાન પાકની કેવી રાહ જુએ છે, પાનખર અને વસંત ઋતુના વરસાદની ધીરજપૂવઁક રાહ જુએ છે. તમે પણ ધીરજ રાખો અને દ્રઢ રહો, કેમકે પ્રભુનું આગમન નજીક છે.
જેમ તમે જાણો છો તેમ, જેઓએ સહન કર્યું તેઓને ધન્ય ગણીએ છીએ, અને તમે અયૂબની સહનતા વિશે સાંભળ્યું છે અને પ્રભુએ આખરે શું કયુઁ તે જોયું છે, પ્રભુ દયા અને કરુણાથી ભરપૂર છે.
હવે તમે સત્યનું પાલન કરીને પોતાને શુધ્ધ કયાઁ છે, જેથી તમને એકબીજા માટે નિષ્ઠાવાન પ્રેમ રહે, એકબીજાને આગ્રહથી નિખાલસ પ્રેમ કરો. કેમકે તમે વિનાશી બીજથી નહિ પણ અવિનાશીથી, ઈશ્વરના જીવંત તથા સાર્વકાલિક રહેનાર વચન વડે, તમને નવો જન્મ આપવામાં આવ્યો છે. કેમકે,
"સઘળાં લોકો ઘાસ જેવા છે.
અને તેઓનું સઘળું ગૌરવ ઘાસના ફૂલ જેવું છે.
ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે.
પણ પ્રભુના સુસમાચારનું વચન સદાકાળ ટકે છે."
અને જે વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે તે જ છે.
વિલંબનો જેવો અથઁ કેટલાએક કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતાં નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પસ્તાવો કરે એવું ઇચ્છીને પ્રભુ તમારે માટે, ધીરજ રાખી રહ્યા છે.
"તે સમયે સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું હશે, જેઓ પોતાના દીવા લઈને વરને મળવા ગઈ. તેઓમાં પાંચ મૂર્ખ હતી અને પાંચ બુધ્ધિવંતી હતી. મુખીઁઓએ પોતાના દીવા લિધા પણ તેમની સાથે કોઈ તેલ લીધું નહોતું; જો કે બુધ્ધિવંતીઓએ પોતાના દીવાઓ સાથે કુપ્પીમાં તેલ લીધું. વરને આવતાં વાર લાગી, અને તેઓ સર્વ ઝોકાં ખાઈને ઊંઘી ગઈ.
"મધરાતે પોકાર પડયો કે: ‘અહીંયા વરરાજા છે! તેમને મળવા બહાર આવો.’
"પછી સવઁ કુમારિકાઓ ઊઠીને પોતાના દીવાઓ તૈયાર કયાઁ. અને મુખીઁઓએ બુધ્ધિવંતીઓને કહ્યું તમારા તેલ માંથી અમને થોડું આપો અમારા દીવા હોલવાઈ જાય છે.
"ના તેમણે જવાબ આપ્યો, ‘તમને તથા અમને પૂરતું થઈ રહે એટલું નથી, માટે તમે વેચનાઓની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો.’
"પણ જયારે તેઓ તેલ વેચાતું લેવાં ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા. જે કુમારિકાઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ, અને બારણું બંધ કરી દેવામાં આવ્યું.
"પછી બીજાઓ પણ આવ્યા ને તેઓએ કહ્યું, ‘પ્રભુ! પ્રભુ! અમારે માટે બારણું ખોલો.’
"પણ તેણે જવાબ આપ્યો, હું તમને સાચે જ કહું છું કે ‘હું તમને ઓળખતો નથી.’
"માટે જાગતાં રહો, કારણ કે તે દિવસ કે તે ઘડી તમે જાણતા નથી.