Filho de Deus
Jesus é o Filho de Deus — a revelação suprema do Pai. Nele habita toda a plenitude da divindade e por Ele temos acesso ao Pai, à salvação e à vida eterna.
A revelação do Filho
O Filho é o resplendor da glória de Deus. Quem vê o Filho vê o Pai. Jesus é a imagem perfeita do Deus invisível.
પુત્ર ઈશ્વરના મહિમાનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી નિભાવી રાખે છે; તેઓ પાપોનું પ્રાયશ્ચિત કરીને તેઓ સ્વર્ગમાં મહિમાની જમણી બાજુએ બિરાજમાન છે. તેથી, તેમને જે નામ વારસામાં મળ્યું છે તેટલે દરજ્જે તેઓને દૂતો કરતાં અત્યંત ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે.
શબ્દ સદેહ થઇને આપણામાં વસ્યાં, અમે તેમનો મહિમા જોયો, એક માત્ર પુત્રનો મહિમા જે પિતા તરફથી આવ્યો છે, તે કૃપા અને સત્યથી ભરપૂર.
ઈશ્વરને કદી કોઈએ જોયા નથી, પણ એક માત્ર પુત્ર જે પોતે ઈશ્વર છે અને પિતાની સાથે સૌથી નજીકનાં સબંધમાં છે; તેમણે તેમને ઓળખ્યાં છે.
ઈસુએ તેમના બચાવમાં કહ્યું, "મારા પિતા અત્યાર સુધી હંમેશા તેમના કાયોઁ કરે છે અને હું પણ કાયઁ કરું છું." એ માટે તેમને મારી નાખવા વધારે પ્રયત્ન કયોઁ. કેમકે તેમણે સાબ્બાથ ભંગ કર્યા હતો એટલું જ નહિ પણ તેઓ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન ગણે છે.
Confissão e fé
Tu és o Cristo, o Filho do Deus vivo! Quem confessa que Jesus é o Filho de Deus, Deus permanece nele.
જયારે ઈસુ કૈસરીયા ફિલિપ્પીના પ્રાંતમાં આવ્યા, તેમણે તેમના શિષ્યોને પૂછયું: "માણસનો દીકરો કોણ છે એ વિષે લોકો શું કહે છે?"
તેઓએ જવાબ આપ્યો, "કેટલાક કહે છે કે યોહાન બાપ્તિસ્ત; બીજા કહે છે કે એલિયા; ને બીજા કેટલાક યર્મિયા અથવા પ્રબોધકોમાંના એક."
પછી તેમણે તેઓને પૂછયું, "પણ હું કોણ છું એ વિશે તમે શું કહો છો?"
સિમોન પિતરે જવાબ આપ્યો, "તમે મસીહ, જીવંત ઈશ્વરના પુત્ર છો."
ઈસુએ બાપ્તિસ્મા લીધા પછી તરત તે પાણીમાંથી બહાર આવ્યા, તે સમયે આકાશ ઊઘડી ગયું અને તેમણે ઈશ્વરના આત્માને કબૂતરના રૂપમાં ઊતરતો અને પોતા પર આવતો જોયો. અને આકાશવાણી થઈ, "આ મારો પુત્ર છે, જેને હું પ્રેમ કરું છું, તેનાથી હું પ્રસન્ન છું."
ઈસુ ઈશ્વરપુત્ર છે. એવો વિશ્વાસ જે કરે છે, ઈશ્વર તેમનામાં રહે છે અને તેઓ ઈશ્વરમાં રહે છે.
ઈશ્વરે આ પ્રમાણે એમનો પ્રેમ પ્રગટ કયોઁ છે! તેમણે પોતાના એકનાએક દીકરાને આ જગતમાં મોકલ્યા, તેથી તેમનાથી આપણે જીવીએ. આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો એ નહિ પણ આપણા પાપોનું પ્રાયશ્ચિતના બલિદાન થવા માટે તેમણે પોતાના પુત્રને આપણા માટે મોકલ્યા એ સાચો પ્રેમ છે.
જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમકે શેતાન આરંભથી પાપ કર્યા કરે છે. પરંતુ શેતાનનાં કામોનો નાશ કરવા માટે જ ઈશ્વરના પુત્ર પ્રગટ થયા.
જેની પાસે પુત્ર છે તેમને જીવન છે, અને જેની પાસે ઈશ્વરનો પુત્ર નથી તેને જીવન નથી.
Vida no Filho
Deus enviou seu Filho ao mundo para que vivêssemos por Ele. O Filho dá vida, julga e reconcilia os pecadores com o Pai.
કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
કેમકે જેમ પિતા મૂએલાઓને ઊઠાડીને તેમને જીવન આપે છે, તેમજ પુત્ર પણ ચાહે તેમને જીવન આપે છે. વળી પિતા કોઇનો ન્યાય કરતા નથી પણ ન્યાય ચુકવવાનું સઘળું પુત્રને સોંપ્યું છે. જેથી દરેક જણ જેમ પિતાને તેમ પુત્રને પણ માન આપે, જે પુત્રને માન નથી આપતાં, તો તેને મોકલનાર પિતાને પણ માન નથી આપતાં.
હું તમને સાચે જ કહું છું કે: એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂકયો છે, કે જયારે મૂએલાંઓ ઈશ્વર પુત્રની વાણી સાંભળશે, અને જેઓ સાંભળશે તેઓ સજીવન થશે. કેમકે જેમ પિતાને પોતાનામાં જીવન છે, તેમ પુત્રને પણ પોતાનામાં જીવન આપ્યું છે.
જે બધાએ તેમના પર અંગીકાર કયોઁ, જેઓએ તેમના નામ પર વિશ્વાસ કયોઁ તેટલાં ને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો. બાળકો કુદરતી રીતે જન્મેલાં નહિ, કે માણસની ઇચ્છાથી નહિ, કે પતિની ઇચ્છાથી નહિ પરંતુ ઈશ્વરથી જન્મેલાં છે.
હું મસીહની સાથે વધસ્તંભે જડાયો છું. અને હું જીવતો નથી, પણ મારામાં મસીહ જીવે છે. હવે હું શરીરમાં જે જીવન છે તે તો ઈશ્વરપુત્ર પરના મારા વિશ્વાસથી છે, જેણે મારા પર પ્રેમ કર્યો અને પોતાનું સ્વાપણઁ કર્યુ.
પણ જયારે ઠરાવેલ યોગ્ય પૂણઁ સમય આવ્યો, ત્યારે ઈશ્વરે પોતાનો દીકરો, નિયમને આધીનતામાં સ્ત્રીથી જન્મેલ મોકલ્યો, એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે કે, જેથી આપણને દત્તકપુત્ર થવાનો હક્ક મળે. કેમકે આપણે તેનાં સંતાન છીએ, ઈશ્વરે પોતાના પુત્રનો આત્મા આપણા હૃદયોમાં મોકલ્યો છે, આત્મા કે જે અને હવે અબ્બા એટલે પિતા કહીને હાંક મારે છે.
કેમકે જયારે આપણે ઈશ્વરના દુશ્મન હતા, ત્યારે તેમના પુત્રનાં મરણ દ્વારા તેમની સાથે સમાધાન થયું તો સમાધાન પછી આપણે તેમના જીવન દ્વારા બચીશું તે કેટલુ વિશેષ ખાતરી ખાતરીપૂવઁક છે!