Milagres
Os milagres manifestam o poder soberano de Deus. Desde a criação até os sinais de Jesus e dos apóstolos, Deus intervém sobrenaturalmente na história para revelar sua glória e amor.
O Deus dos milagres
Para Deus nada é impossível. Ele abriu o mar, fez cair fogo do céu e ressuscitou mortos. Seu poder não tem limites.
ઈસુએ તેઓની સામે જોઈને કહ્યું, "માણસોને તો એ અશક્ય છે. પણ ઈશ્વરને સર્વ શકય છે."
ઈસુએ તેઓની સામે જોઈને કહ્યું, "માણસોને તો એ અશક્ય છે. પણ ઈશ્વરને સર્વ શકય છે."
કેમકે ઈશ્વરનું વચન નકામું નહિ થશે."
Milagres pela fé
Se tiverdes fé como um grão de mostarda, movereis montanhas. A fé é a chave que acessa o poder miraculoso de Deus.
તેમણે જવાબ આપ્યો, "કેમકે તમારો વિશ્વાસ થોડો છે. હું તમને સાચે જ કહું છું, જો તમારો વિશ્વાસ રાઈના બી જેટલો નાનો હોય, તો તમે આ પર્વતને કહી શકો છો કે, ‘અહીંથી ત્યાં ખસી જા!’ તો તે ખસી જશે! તમારા માટે કશું જ અશક્ય નહિ હોય.
ઈસુએ જવાબ આપ્યો હું તમને સાચે જ કહું છું, "જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ના લાવો તો અંજીરની જે થયું તે તમે કરી શકશો એટલું જ નહિ, પણ જો તમે આ પહાડને કહી શકો છો, ‘જા, તું ઊચકાઇને સમૃદ્રમાં નંખા.’ અને તે પ્રમાણે થશે.
ઈસુએ કહ્યું, "જો કાંઈ થઈ શકે તો? જે વિશ્વાસ કરે છે તેને સઘળું શકય છે."
ઈસુએ તેઓ તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, "માણસને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નહિ, ઈશ્વરને સર્વ શકય છે."
ઈસુએ જવાબ આપ્યો, "માણસો માટે જે અશક્ય છે, તે ઈશ્વર માટે શકય છે."
તેઓના અવિશ્વાસને લીધે તેઓએ ત્યાં ઘણાં ચમત્કાર ન કર્યા.
Sinais e prodígios
Os apóstolos realizaram sinais e maravilhas em nome de Jesus. Os dons do Espírito incluem a operação de milagres e a fé sobrenatural.
"ઇઝરાયેલી માણસો, તમે આ સાંભળો: ઈશ્વરે પસંદ કરેલાં નાઝરેથના ઈસુ મારફતે જે મહાન ચમત્કારો કરાવીને સર્વ લોકો આગળ એ સ્પષ્ટ કર્યું કે, તે ઈશ્વરના પસંદ કરેલાં છે, તમે એ જાણો છો,
તેઓએ પ્રાર્થના કયાઁ પછી, જે જગ્યાએ, તેઓ એકઠા મળ્યાં હતા, તે હાલ્યું તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિમતપૂર્વક પ્રગટ કરવા લાગ્યા.
વળી ઈશ્વરે પાઉલથી અસાધારણ ચમત્કારો કયાઁ. એટલે સુધી કે હાથરૂમાલ અને વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લઇ જતાં ને તેમને અડકાડતા ને તેઓના રોગ દુર થતા અને અશુધ્ધ આત્મા તેઓમાંથી નીકળી જતા.
મેં તમારામાં સાચા પ્રેષિતના ગુણ દશાઁવવા સતત પ્રયાસ કયોઁ, જેમાં ચમત્કારો, ચિહ્નો અને અજાયબીઓ વડે મહાન કાર્ય કર્યા.
અને ઈશ્વરે મંડળીમાં સૌથી પહેલાં પ્રેષિતો, બિજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી ચમત્કાર કરનારાઓ, અને પછી સાજાપણું આપનારાઓ, મદદગારો, અધિકારીઓ અને અન્યભાષા બોલનારાઓ.
આત્માથી એક જણને ડહાપણની વાતો આપેલી છે, એ જ આત્માથી બીજાને જ્ઞાનની વાતો, બિજાને એ જ આત્માથી વિશ્વાસનું દાન, કોઈને એ જ આત્માથી માંદાઓને સાજાં કરવાનું દાન; કેટલાકને ચમત્કારો કરવાનું પરાક્રમ, કેટલાકને પ્રબોધનું, અને કેટલાકને આત્માઓની પારખ કરવાનું દાન, વળી તે કેટલાકને વિવિધ ભાષાઓ બોલવાનું, અને કેટલાકને ભાષાંતર કરવાનું દાન બક્ષે છે.
ઈસુએ કહ્યું, "તેને મના ન કરો!" કારણ કે મારે નામે ચમત્કાર કરનાર બીજી જ પળે મારું ભૂંડુ બોલનાર હોઈ શકે નહિ. જે કોઈ આપણી વિરુધ્ધ નથી તે આપણા પક્ષનો છે.
Milagres de cura e provisão
A oração da fé salvará o enfermo. Deus provê, cura e intervém quando clamamos a Ele com fé genuína.
વિશ્વાસથી કરેલી પ્રાર્થના બિમાર વ્યક્તિને સાજો કરશે; પ્રભુ તેને ઉઠાડશે, જો તેણે પાપ કયાઁ હશે તો તેને માફ કરવામાં આવશે. તમે નિરોગી થાઓ માટે એકબીજાની આગળ તમારાંં પાપ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થનામાં સામર્થ્ય હોય છે અને અસરકારક હોય છે.
એલિયા આપણા જેવો જ માણસ હતો. છતાં વરસાદ વરસે નહિ એવી તેણે આગ્રહથી પ્રાર્થના કરી, અને સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ પડયો નહિ. ફરીથી તેણે પ્રાર્થના કરી, અને આકાશમાંથી વરસાદ પડયો, અને પૃથ્વીએ પોતાનો પાક ઉગાડ્યો.
પાંચ રોટલી અને બે માછલી લઇને ઈસુએ આકાશ તરફ જોઇને તેમણે આભાર માનીને તેમનાં ટુકડાં કરીને આપી, પછી તેમણે લોકોને પીરસવાં માટે શિષ્યોને આપી. તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી.
ઈસુએ સાબ્બાથવારે એક સભાસ્થાનમાં શીખવતા હતા. અને ત્યાં એક સ્ત્રી ત્યાં હતી જે અઢાર વષઁથી અપંગ હતી. અને તે વાંકી વળી ગઈ હતી અને ટટ્ટાર રહી શકતી ન હતી. જયારે ઈસુએ તેને જોઈ, ત્યારે તેમણે તેને આગળ બોલાવીને કહ્યું, "સ્ત્રી, તું તારી માંદગીમાંથી મુકત થઈ ગઈ છે," પછી તેમણે તેનાં પર હાથ મુકયાં અને તરત જ તે ટટ્ટાર થઇ અને ઈશ્વરની સ્તુતિ કરી.
ઈસુએ સાબ્બાથવારે સાજી કરી હતી માટે સભાસ્થાનનાં આગેવાન ગુસ્સે ભરાયા, અને લોકોને કહ્યું, "કામ કરવા માટે છ દિવસ છે, એ દિવસોમાં તમે આવો અને સાજા થાઓ, પણ સાબ્બાથવારે નહિ."
પ્રભુએ તેમને જવાબ આપ્યો, "તમે દંભીઓ! તમારામાંનો દરેક પોતાના બળદ અથવા ગધેડાને ગમાણમાંથી છોડી ને સાબ્બાથવારે પાણી પીવાં માટે નથી લઈ જતા? તો શું આ સ્ત્રી, જે અબ્રાહમની પુત્રી છે જેને શેતાને અઢાર વર્ષ સુધી બાંધી રાખી હતી, તેને સાબ્બાથવારે બંધનમાંથી મુક્ત ન કરવી જોઈએ?"
જયારે તેમણે આ કહ્યું, ત્યારે તેમના બધા વિરોધીઓ શરમિંદા થયા. પણ તેમણે જે અદભુત કૃત્ય કયાઁ તેનાથી બધા લોકો ખુશ થઈ ગયા.
ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડયો, અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કયોઁ.
પછી લોકોએ ઈસુએ કરેલાં ચમત્કાર જોઈને તેઓ કહેવા લાગ્યા, "ખરેખર, જે જગતમાં આવનાર પ્રબોધક તે આ જ છે."
ત્યારે ઈસુએ તેને કહ્યું, "કેમકે તે મને જોયો છે માટે તેં વિશ્વાસ કર્યો છે, પરંતુ જેઓએ જોયા વગર વિશ્વાસ કયોઁ છે તેઓને ધન્ય છે."
ઈસુએ પોતાના શિષ્યોની હાજરીમાં બીજા ઘણાં ચમત્કારો કયાઁ, જે આ પુસ્તકમાં નોંધેલા નથી. પણ આ એટલા માટે લખવામાં આવ્યું છે કે, ઈસુ તે જ મસીહ, ઈશ્વરપુત્ર છે એવો વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો.
છેલ્લે બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો, તે પણ અંદર ગયો, તેણે જોયું, અને વિશ્વાસ કયોઁ. તેઓ હજી પણ શાસ્ત્રમાંથી સમજી ન શક્યા કે, ઈસુએ મૃત્યુમાંથી સજીવન થવાનું હતું.
Discernimento nos sinais
A Bíblia alerta contra falsos milagres e sinais enganosos. Devemos provar os espíritos e não seguir sinais que desviam de Deus.
પછી મેં જોયું તો અજગરના મુખમાંથી, દુષ્ટ પશુનાં મુખમાંથી, તથા જૂઠા પ્રબોધકોનાં મુખમાંથી દેડકાના જેવા ત્રણ દુષ્ટ આત્માઓ બહાર નીકળી આવ્યા. તે ચમત્કાર કરનાર ભૂતોના આત્માઓ છે, અને તેઓ આખી પૃથ્વીનાં રાજાઓ સાથે બહાર ગયા જેથી તેઓ બધા સર્વશકિતમાન ઈશ્વરના મહાન દિવસે ઈશ્વર વિરુદ્ધ લડાઈ કરવા માટે એકત્ર થાય.
પછી કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના પંડિતોએ તેમને કહ્યું, "ગુરુજી, અમને તમારી પાસેથી કોઈ નિશાની જોવી છે."
તેમણે જવાબ આપ્યો, "દુષ્ટ અને વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પરંતુ યોના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ અપાશે નહિ. જેમ યોના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીનાં પેટમાં રહ્યો હતો, તેમજ માણસનો દીકરો પણ ત્રણ દિવસ અને ત્રણ રાત પૃથ્વીનાં પેટાળમાં રહીશ.
પછી ઈસુ તે નગરો પર દોષ મુકવાં લાગ્યા, કે જેમાં તેમના મોટાં ભાગનાં ચમત્કારો કરવામાં આવ્યા હતા, કારણ કે તેઓએ પસ્તાવો કયોઁ નહિ. "ઓ ખોરાજીન! તને અફસોસ, હે બેથસૈદા તને અફસોસ! કારણ કે જે ચમત્કારો મેં તમારામાં કર્યા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો, તેમણે ટાટ તથા રાખમાં બેસીને ક્યાંરનોય પસ્તાવો કર્યા હોત! પણ હું તમને કહું છું કે, ન્યાયના દિવસે તમારા કરતા તૂર અને સિદોનના હાલ સહેલ થશે. અને ઓ, કપરનાહૂમ, શું તું આકાશમાં ઉચું કરાશે? ના, તું હાદેસ સુધી નીચું જશે, તારામાં જે અદભુત ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે આજ સુધી હયાત હોત. પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તમારા કરતા સદોમનાં હાલ સહેલ થશે."
A criação como milagre
O próprio corpo humano é milagre de Deus. Toda a criação testifica do poder e da sabedoria do Criador.
એ બધુ એ માટે થયું કે પ્રબોધક દ્વારા પ્રભુએ જે કહેલું તે પુરું થાય: "જુઓ કુમારિકા સગર્ભા થશે, ને પુત્રને જનમ આપશે અને તેઓ તેને ઈમ્માનુએલ કહેશે." (એટલે "ઈશ્વર આપણી સાથે છે.")
પણ જયારે તેઓએ તેમને સરોવર પર ચાલતાં જોયા, ને તેઓએ વિચાયુઁ કે તે કોઈ ભૂત છે. તેઓ ભયભીત બની ચીસો પાડી ઊઠયાં. કેમકે તેઓ સવઁ જોઈને ગભરાય ગયા. તરત જ ઈસુએ તેઓને કહ્યું,
"હિંમત રાખો, ગભરાશો નહિ! એ તો હું છું!"
આ સાંભળીને ઈસુએ યાઈરસને કહ્યું, "ગભરાઈશ નહિ! કેવળ વિશ્વાસ રાખ, અને તે સાજી થશે."
જયારે તેઓ જૈતુન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યા, ત્યારે શિષ્યોનું આખું ટોળું ઈસુએ કરેલાં અદભુત ચમત્કારો તેઓએ જોયા હતા તે સઘળા યાદ કરીને આનંદથી મોટે ઘાંટે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા:
"પ્રભુને નામે જે રાજા આવે છે તેમને ધન્ય છે!"
"સ્વગઁમાં શાંતિ અને પરમઊંચામાં મહિમા હો!"
એ વાતો કહી રહ્યા પછી, તેઓના દેખતાં જ તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને વાદળે તેમને તેઓની નજરથી છુપાવી દીધા.
હું જમીન પર પડી ગયો અને મેં એક વાણી મને કહેતી સાંભળી, ‘શાઉલ! શાઉલ! તું શા માટે મને સતાવે છે?’