Morte de Jesus
A morte de Jesus é o sacrifício supremo do amor de Deus. Na cruz, o Cordeiro de Deus carregou os pecados do mundo, satisfez a justiça divina e abriu o caminho da salvação para todos.
O sacrifício na cruz
Jesus disse: 'Está consumado!' Na cruz, Ele cumpriu toda a lei, pagou o preço do pecado e reconciliou a humanidade com Deus.
પાછળથી ઈસુએ જાણ્યું કે હવે સઘળું પૂરું થઇ ગયું છે, અને જેથી શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે તેમણે કહ્યું, "મને તરસ લાગી છે." કડવો સરકો ભરેલું વાસણ ત્યાં હતું, તેથી તેઓએ તેમાં વાદળી બોળીને ઝૂફાના છોડની ડાળી પર બાંધીને તેઓએ તેમના હોઠ આગળ ધરી. જયારે તેમણે પીણું પીધું, પછી ઈસુએ કહ્યું, "સંપૂર્ણ થયું." તેની સાથે, તેમણે પોતાનું માથું નમાવીને આત્મા છોડયો.
જયારે સૈનિકોએ ઈસુને ક્રૂસે જડયાંં, તેઓએ તેમનાં કપડાં લીધાં અને તેને ચાર ભાગમાં વહેંચી લીધા, દરેક માટે એક, આંતરવસ્ત્ર છોડી ને. આ ઝભ્ભો સિલાઇ વગરનો હતો, ઉપરથી નીચે સુધી એક જ ભાગમાં વણેલો હતો.
તેઓએ એકબીજાને કહ્યું, "આપણે તેને ફાડીએ નહિ, પણ ચિઠ્ઠી નાખીને નક્કી કરીએ કે તે કોને મળશે."
આ એટલા માટે બન્યું કે શાસ્ત્રવચન પૂર્ણ થાય:
"તેઓએ મારા કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં અને
મારા વસ્ત્રો માટે ચિઠ્ઠીઓ નાંખી,
તેથી સૈનિકોએ આ પ્રમાણે કર્યું."
ક્રૂસની પાસે ઈસુની મા મરિયમ, અને તેમની માસી, કલોપાસની પત્ની મરિયમ અને મરિયમ માગદાલેણ ઊભાં હતાં. જયારે ઈસુએ પોતાની માને તથા જે શિષ્યને તેઓ પ્રેમ કરતા હતા તેઓને ત્યાં સાથે ઊભેલાં જોયાં, ત્યારે ઈસુએ તેને કહ્યું, "સ્ત્રી, અહીં તમારો દીકરો છે!" અને શિષ્યને કહ્યું, "અહીં તારી મા છે" ત્યાર પછી આ શિષ્ય તેને પોતાને ઘરે લઈ ગયો.
જયારે તેઓ ખોપરી નામની જગાએ આવ્યા, ત્યાં તેમને ગુનેગારોની સાથે ક્રૂસે જડવામાં આવ્યા, એક તેમની જમણી અને બીજો તેમની ડાબે. ઈસુએ કહ્યું. "હે પિતા, તેઓને માફ કરો કેમકે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે." અને તેઓએ ચિઠ્ઠીઓ નાખીને તેમનાં કપડાં વહેંચી લીધા.
લોકો જોતાં ઊભા હતા, અને અધિકારીઓ મશ્કરી કરતાં કહેતા હતા કે, "તેણે બીજાઓને બચાવ્યાં, જો તે ઈશ્વરનો મસીહ, તેનો પસંદ કરેલો હોય, તો તે પોતાને બચાવે."
સૈનિકોએ પણ આવીને તેમની મશ્કરી કરી. તેઓએ તેમને પીવાં કડવો સરકો ધર્યો, અને કહ્યું, "જો તું યહૂદીઓનો રાજા હોય તો તું પોતાને જ બચાવ."
તેમના પર એક લેખીત સુચના લગાવેલી હતી કે:
આ યહૂદીઓનો રાજા છે.
તેમાંના એક ગુનેગાર કે જે ત્યાં લટકાવવામાં આવ્યો હતો, તેમની મશ્કરી કરતા કહ્યું: "શું! તું મસીહ નથી? તો તું પોતાને અને અમને બચાવ!"
પણ બીજા ગુનેગારે તેને ધમકાવ્યો, "શું તું ઈશ્વરથી ડરતો નથી? તેણે કહ્યું, તું તે જ શિક્ષા નથી ભોગવતો? આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, આપણે આપણા પોતાના કામોનું ફળ ભોગવી રહ્યા છીએ. પણ આ માણસે કશું જ ખોટું કર્યું નથી."
પછી તેણે કહ્યું, "હે ઈસુ! તમે તમારાં રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો."
ઈસુએ તેને જવાબ આપ્યો, "હું તને સાચે જ કહું છું કે: આજે તું મારી સાથે પારાદૈસમાં હોઈશ."
બપોરે, ત્રણ વાગ્યા સુધી સમગ્ર ભૂમિ પર અંધકાર છવાઈ રહ્યો. અને બપોરે ત્રણ વાગ્યે ઈસુએ મોટો ઘાંટો પાડીને કહ્યું, "એલોઈ, એલોઈ, લામા શબક્થની, એટલે મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ તજી દીધો છે?"
એ જ ક્ષણે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી બે ભાગમાં ચિરાઈ ગયો. ધરતી કાંપી ને, ખડકો ફાટી ગયા અને કબરો ઊઘડી ગઈ. મૃત્યુ પામેલાં ઘણા મૃત્યુ પામેલા પવિત્ર લોકોના શરીરો સજીવન કરવામાં આવ્યા. ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોને દેખાયા.
જયારે સુબેદાર અને તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ અને જે કંઇ બન્યું હતું તે જોયું, ત્યારે તેઓ ગભરાય ગયાં અને કહ્યું, "સાચે જ એ ઈશ્વરપુત્ર હતા!"
O amor que se entrega
Ninguém tem maior amor do que aquele que dá a vida pelos amigos. Deus prova seu amor em que Cristo morreu por nós quando ainda éramos pecadores.
પોતાના મિત્રોને માટે પ્રાણ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઇનો નથી.
કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
કેમકે જયારે આપણે ઈશ્વરના દુશ્મન હતા, ત્યારે તેમના પુત્રનાં મરણ દ્વારા તેમની સાથે સમાધાન થયું તો સમાધાન પછી આપણે તેમના જીવન દ્વારા બચીશું તે કેટલુ વિશેષ ખાતરી ખાતરીપૂવઁક છે!
તેથી આપણે પ્રેમ શું છે તે જાણીએ: ઈસુ મસીહે પોતાનું જીવન આપણા વતી આપ્યું, અને આપણે પણ ભાઈઓ અને બહેનો માટે જીવન આપવું જોઈએ.
તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, અને તે કેવળ આપણા જ નહિ પરંતુ સમગ્ર જગતનાં પાપનું.
અને તેઓ દેખાવમાં માણસના જેવા બન્યા,
અને પોતાને નમ્ર કયાઁ,
મરણને આધીન થયા,
ક્રૂસના મરણને.
Morte e ressurreição
Jesus morreu e ressuscitou, e a morte não mais tem domínio sobre Ele. Pelo batismo, participamos de sua morte e ressurreição.
કેમકે આપણે જાણીએ છીએ કે, મસીહ મરણમાંથી સજીવન થયા અને ફરી મરણ પામનાર નથી; મરણનો હવે તેમના પર કોઈ અધિકાર નથી. જે મૃત્યુ તેઓ પામ્યા, તેઓ બધા પાપ માટે એક જ વાર મૃત્યુ પામ્યા; પણ જે જીવન તેઓ જીવે છે તે ઈશ્વર માટે જીવે છે.
શું તમે નથી જાણતાં કે જેઓ મસીહ ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સવઁ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યાં. તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેથી મસીહ પિતાનાં દ્ગારા મૃત્યુમાંથી સજીવન થયા. તેમ આપણે પણ નવું જીવન જીવીએ.
જેમ માણસને એક જ વાર મરવાનું અને પછી તેનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, તેમ મસીહે પણ ઘણા લોકોનાં પાપ દૂર કરવા માટે એક જ વાર બલિદાન આપ્યું; અને તે બીજી વાર પણ પ્રગટ થશે, પાપ વેઠવા માટે નહિ, પરંતુ જેઓ તેમની રાહ જુએ છે તેમના માટે તારણ લાવવાં માટે.
"ઇઝરાયેલી માણસો, તમે આ સાંભળો: ઈશ્વરે પસંદ કરેલાં નાઝરેથના ઈસુ મારફતે જે મહાન ચમત્કારો કરાવીને સર્વ લોકો આગળ એ સ્પષ્ટ કર્યું કે, તે ઈશ્વરના પસંદ કરેલાં છે, તમે એ જાણો છો, આ માણસને ઈશ્વરની યોજના અને પૂર્વજ્ઞાન પ્રમાણે તમને સોંપવામાં આવ્યા હતા, અને તમે દુષ્ટ માણસોની મદદથી તેમને ક્રૂસે જડાવીને ખિલ્લા મારીને મારી નાંખ્યાં; પણ ઈશ્વરે તેમને મરણની વેદનામાંથી છોડાવીને સજીવન કર્યા. કેમકે મૃત્યુ તેમને બંધનમાં રાખી શકે એ અશક્ય હતું.
"હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ. ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે.
કારણ કે જયારે તમે આ રોટલી ખાઓ છો ત્યારે અને આ પ્યાલામાંથી પીઓ છો ત્યારે તમે પ્રભુના આવતા સુધી તેમનું મરણ પ્રગટ કરો છો.