Nascimento de Jesus
O nascimento de Jesus é o evento que divide a história. O Verbo se fez carne e habitou entre nós. Deus enviou seu Filho ao mundo para nos salvar e nos reconciliar consigo.
O Verbo se fez carne
Jesus não nasceu por acaso — sua encarnação foi planejada antes da fundação do mundo. Ele se esvaziou e assumiu a forma humana por amor.
એકબીજા સાથેના તમારા સબંધોમાં મસીહ ઈસુનાં જેવું મન રાખો:
જે પોતે ઈશ્વર હોવા છતાં,
તેમણે ઈશ્વર સાથે સમાનતાને પોતાના લાભ માટે ઉપયોગમાં લેવા ઇચ્છયું નહિ;
તેના બદલે તેમણે પોતાને ખાલી કર્યા,
તેમણે દાસનું રૂપ ધારણ કયુઁ,
અને તેઓ માણસની સમાનતામા આવ્યા,
અને તેઓ દેખાવમાં માણસના જેવા બન્યા,
અને પોતાને નમ્ર કયાઁ,
મરણને આધીન થયા,
ક્રૂસના મરણને.
પણ જયારે ઠરાવેલ યોગ્ય પૂણઁ સમય આવ્યો, ત્યારે ઈશ્વરે પોતાનો દીકરો, નિયમને આધીનતામાં સ્ત્રીથી જન્મેલ મોકલ્યો, એ હેતુથી કે જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે કે, જેથી આપણને દત્તકપુત્ર થવાનો હક્ક મળે.
એ બાળકો માંસ અને લોહીનાં બનેલાં છે, માટે તેઓ પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયાં; કે જેથી તેઓ પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો નાશ કરે; અને જીવન પર્યંત મૃત્યુના ભયને લીધે ગુલામ જેવી દશામાં જીવતાંઓનો છુટકારો કરે.
તેથી તેમને સઘળી બાબતોમાં પોતાનાં ભાઈઓના જેવા થવું જોઇતું હતું, જેથી તેઓ લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઇશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.
કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
O anúncio e o nascimento
O nascimento de Jesus foi anunciado por anjos, precedido por sinais e recebido com adoração pelos pastores e pelos magos do oriente.
ઈસુ મસીહના જન્મ વિષેની હકીકત આ મુજબ છે: તેમની માતા મરિયમની સગાઈ યોસેફ સાથે થઈ હતી પરંતુ તેમના મિલાપ થયા અગાઉ, તે પવિત્ર આત્માથી સગર્ભા થયેલી જણાઈ.
પણ તેણે આ વાતનો વિચાર કયાઁ પછી, પ્રભુના એક દૂતે સ્વપ્નમાં તેને દશઁન આપીને કહ્યું કે, "યોસેફ, દાવિદના દીકરા! મરિયમને તારી પત્ની તરીકે ઘરે લઈ જવા ગભરાઈશ નહિ; કારણ કે, તેને જે ગર્ભ રહેલો છે, તે પવિત્ર આત્માથી છે. તે એક પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે, કારણ કે તે પોતાના લોકોને તેઓના પાપમાંથી તારશે."
એ બધુ એ માટે થયું કે પ્રબોધક દ્વારા પ્રભુએ જે કહેલું તે પુરું થાય: "જુઓ કુમારિકા સગર્ભા થશે, ને પુત્રને જનમ આપશે અને તેઓ તેને ઈમ્માનુએલ કહેશે." (એટલે "ઈશ્વર આપણી સાથે છે.")
જયારે યોસેફ જાગ્યો, ત્યારે તેણે દૂતના આદેશનું પાલન કર્યું, અને તે મરિયમને તેની પત્ની તરીકે ઘરે તેડી લાવ્યો. પરંતુ મરિયમને પુત્રનો પ્રસવ ન થયો ત્યાં સુધી યોસેફે તેને જાણી નહિ. અને તેણે તેનું નામ ઈસુ પાડયું.
પણ દૂતે તેને કહ્યું, "મરિયમ, ગભરાઈશ નહિ! તું ઈશ્વરથી કૃપા પામી છે. તને ગર્ભ રહેશે અને પુત્રને જન્મ આપશે. અને તું તેને ઈસુ કહેશે. અને તે મહાન બનશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે, અને ઈશ્વર પ્રભુ તેને તેના પિતા દાવિદનું રાજ્યાસન આપશે. અને તે સદાને માટે યાકોબનાં સંતાનો પર રાજ્ય કરશે, તેના રાજ્યનો અંત કદી આવશે નહિ."
તેથી યોસેફ પણ ગાલીલ નાઝરેથ શહેરમાંથી યહૂદિયા દાવિદનાં શહેર બેથલેહેમ ગયો, કેમકે તે દાઉદનાં ઘરનો અને કુળમાંનો હતો. તે મરિયમ સાથે નોઘણીં કરાવવા ત્યાં ગયો, જેની સાથે તેની સગાઈ થઇ હતી, અને તે ગર્ભવતી હતી. જયારે તેઓ ત્યાં હતા, ત્યારે બાળકનો જન્મ થવાનો સમય થઇ ચૂકયો હતો. તેણે પોતાના પ્રથમજનિત પુત્રને જન્મ આપ્યો. તેણે તેને એક કપડાંમાં લપેટયો અને ગભાણમાં મૂકયો, કેમકે તેઓને માટે ધર્મશાળામાં જગા ન હતી.
પણ દૂતે તેઓને કહ્યું, "બીહો માં! હું સુસમાચાર લાવ્યો છું, અને તે સર્વને લોકોને માટે આનંદનું કારણ થશે: આજે દાવિદના નગરમાં તમારે માટે એક તારનાર જન્મ્યાં છે. તે મસીહા, પ્રભુ છે. તમારે માટે એ નિશાની થશે: તમને એક બાળક કપડાંમાં લપેટેલો ગભાણમાં સૂતેલો મળશે."
જયારે દૂતો તેઓને મુકીને આકાશમાં ગયાં, ત્યારે ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું, "ચાલો, આપણે બેથલેહેમ જઈએ અને આ જે બન્યું છે તે જોઈએ, જે વિશે પ્રભુએ આપણને કહ્યું છે."
તેથી તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યોસેફને તથા બાળકને શોધી કાઢયાં, જે ગભાણમાં સૂતેલો હતો. જયારે તેઓએ તેને જોયો, ત્યારે બાળક વિશે જે વચન કહેવામાં આવ્યું હતું, તે બધું તેઓએ જાહેર કયુઁ. ઘેટાંપાળકોએ તેઓને જે કહ્યું, અને તેથી બધા સાંભંળનારાઓ આશ્ચર્ય પામ્યાં.
O Rei que veio servir
Jesus nasceu para ser Rei, e todo aquele que é da verdade ouve a sua voz. Os magos o adoraram e ofereceram seus tesouros.
પિલાતે કહ્યું, "તો પછી તું રાજા છે?"
ઈસુએ જવાબ આપ્યો, "તું કહે છે કે હું રાજા છું, એ માટે હું જન્મ્યો છું અને જગતમાં સત્ય વિશે સાક્ષી આપવાને આવ્યો છું. જે કોઇ સત્યનાં પક્ષનો છે તે મારું સાંભળે છે."
તેઓએ રાજાને સાંભળીને પછી તેઓ પોતાને માગેઁ ચાલી નીકળ્યાં. અને જે તારો ઉગ્યો ત્યારે તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલ્યો અને જયાં સુધી તે બાળક હતું ત્યાં તેની ઉપર થંભ્યો! જયારે તેઓએ તારાને જોયો ત્યારે તેઓના આનંદનો પાર રહ્યો નહિ. ઘરે આવીને તેઓએ બાળકને તેની માતા મરિયમની પાસે જોયા, અને તેઓએ તેમને પગે પડી તેમનું ભજન કર્યું પછી તેમણે પોતાની જોણ્ણી છોડી ને બક્ષિસ તરીકે સોનું, લોબાન અને બોળનાં અર્પણ કર્યાં. સ્વપ્નમાં ચેતવણી મળી કે હેરોદ પાસે પાછા જવું નહિ, તેથી તેઓ બીજા માર્ગે થઈને વતનમાં પાછાં ગયાં.