Ressurreição
A ressurreição é o pilar da fé cristã. Se Cristo não ressuscitou, é vã a nossa fé. Mas Ele venceu a morte, e essa é a garantia da nossa própria ressurreição.
Cristo ressuscitou
O túmulo está vazio! Os anjos declararam: 'Ele não está aqui; ressuscitou!' A ressurreição de Cristo é o fato mais transformador da história.
દૂતે સ્ત્રીઓને કહ્યું, "ગભરાશો નહિ! કેમકે હું જાણું છું કે ક્રૂસે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી! તેમના કહયાં પ્રમાણે તેઓ ઉઠયા છે. આવો ને જુઓ, જયાં તેઓ સુતા હતા તે જગ્યાં જુઓ.
તેણે કહ્યું, "અચરત ન થાવ, ક્રૂસે જડાયેલાં નાઝરેથના ઈસુને તમે શોધો છો; તે સજીવન થયા છે; તે અહીં નથી, તે જગા જુઓ, જયાં તેમને મૂક્યાં હતા
તેઓ અહીં નથી, તેઓ સજીવન થયા છે. જયારે તેઓ ગાલીલમાં તમારી સાથે હતા ત્યારે તેમણે તમને કહ્યું હતું તે યાદ કરો: ‘માણસનો દીકરો પાપીઓના હાથમાં સોંપાશે, ક્રૂસે જડાવાય ને ત્રીજે દિવસે સજીવન થાય.’ "
છેલ્લે બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો, તે પણ અંદર ગયો, તેણે જોયું, અને વિશ્વાસ કયોઁ. તેઓ હજી પણ શાસ્ત્રમાંથી સમજી ન શક્યા કે, ઈસુએ મૃત્યુમાંથી સજીવન થવાનું હતું.
મને જે પ્રાપ્ત થયું તે મેં તમને પહેલેથીજ જણાવી દીધું છે કે: શાસ્ત્ર પ્રમાણે મસીહ આપણા પાપોને માટે મરણ પામ્યા; તેમને દફનાવવામાં આવ્યા; અને શાસ્ત્ર પ્રમાણે ત્રીજે દિવસે તેઓને સજીવન કરવામાં આવ્યા.
Ressurreição e vida eterna
Jesus disse: 'Eu sou a ressurreição e a vida.' Quem crê nele viverá, mesmo que morra. A morte foi derrotada na cruz e no túmulo vazio.
ઈસુએ તેને કહ્યું, "પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તે મરણ પામે તોપણ સજીવન થશે. અને જે કોઈ મારા પર વિશ્વાસ રાખીને જીવે છે તે કદી મરશે નહિ. શું તું એવો વિશ્વાસ કરે છે?"
કેમકે એક માણસ દ્રારા મરણ આવ્યું, માટે માણસ દ્રારા મૂએલાંનું પુનરુત્થાન પણ આવ્યું.
કેમકે આપણે માનીએ છીએ કે પ્રભુ ઈસુ મૃત્યુ પામ્યા અને સજીવન થયા, અને તેથી આપણે વિશ્વાસ કરીએ છીએ કે તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલાં છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે.
કેમકે મસીહનો પ્રેમ અમને ફરજ પાડે છે, કારણ કે આપણે ખાતરી કરીએ છીએ કે એક બધાંને માટે મૃત્યું પામ્યા, તેથી બધા મૃત્યું પામ્યા. અને તે બધા માટે મૃત્યું પામ્યા, જેથી જેઓ જીવે છે તેઓ હવેથી પોતાના માટે નહિ, પણ જે તેમના માટે મૃત્યું પામ્યા અને ફરી સજીવન થયાં તેમના માટે જીવે.
કારણ કે જો આપણે તેનાં મરણની સમાનતામા તેમની સાથે એકરૂપ થયા. તો તેમના પુનરુત્થાનની સમાનતામા આપણે એકરૂપ થઇશુ. આપણે જાણીએ છીએ કે આપણું જુનું માણસપણું ક્રૂસે જડાયું જેથી આપણું શરીર પાપનાં અંકુશમાં ન રહે અને આપણે પાપની ગુલામીમાં ન રહીએ
Nossa esperança futura
A ressurreição de Cristo garante nossa esperança viva. O Deus de paz trouxe dos mortos o grande Pastor das ovelhas para nossa salvação.
જીવંત આશા માટે ઈશ્વરની સ્તુતિ થાઓ
આપણા પ્રભુ ઈસુ મસીહના પિતા અને ઈશ્વરની સ્તુતિ થાઓ! તેમની અપાર દયાથી ઈસુ મસીહના મૃત્યુમાંથી પુનરુત્થાન દ્રારા આપણને જીવંત આશામાં નવો જન્મ આપ્યો છે,
અને આ પાણીનાં બાપ્તિસ્માનું પ્રતિક છે જે તમને પણ હમણાં બચાવે છે, જે શરીર પરથી ગંદકી દૂર કરવાને બદલે, ઈશ્વર પ્રત્યેના શુધ્ધ હ્રદયની પ્રતિજ્ઞાને દશાઁવે છે. તે ઈસુ મસીહના પુનરુત્થાન દ્વારા તમને બચાવે છે.
આશીઁવાદ અને અંતિમ શુભેચ્છાઓ
હવે શાંતિનો ઈશ્વર, જેણે ઘેંટાના મહાન પાળક આપણ પ્રભુ ઈસુને સાર્વકાલિક કરારને પોતાના રકતથી મરણમાંથી પાછા લાવ્યા, તમને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે સર્વ સારા કામથી તૈયાર કરો, અને ઈશ્વરને પસંદ પડે તેવું જીવન મસીહ ઈસુ વડે જીવો; તેમને સર્વકાળ મહિમા હો. આમીન.
હું મસીહને ઓળખવાં માગું છું, હા, તેમનાં પુનરુત્થાનનાં સામથ્યઁને તથા તેમનાં દુઃખોના ભાગિયાપણાંને જાણું, એટલે તેમના મરણને અનુરૂપ થાઉ;
પ્રથમ પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય અને પવિત્ર છે. તેઓના પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા મસીહના યાજકો બનશે અને તેમની સાથે એક હજાર વર્ષ સુધી રાજ કરશે.
પછી મેં મૂએલાને, નાનાં તથા મોટાં સર્વને રાજ્યાસનની આગળ ઊભેલાં જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. બીજું પુસ્તક ઊઘાડવામાં આવ્યું, જે જીવનનું પુસ્તક છે. તે પુસ્તકોમાં લખ્યાં પ્રમાણે મૂએલાઓનો તેમની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જે મૂએલા હતાં તેઓને પાછા આપ્યા, અને મરણે અને હાદેસે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછા આપ્યા, અને દરેક વ્યક્તિનો ન્યાય તેઓની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો.
પરંતુ ઈશ્વરે આજ સુધી મારી સહાય કરી છે. તેથી હું અહીં ઊભા રહીને નાનાં મોટાં સર્વને સાક્ષી આપું છું. પ્રબોધકો તથા મોશેએ જે કહ્યું છે તે સિવાય બીજું કંઈ હું કહેતો નથી. એટલે મસીહ દુઃખ સહન કરશે, મરણમાંથી સજીવન થનાર પ્રથમ પોતાના લોકોને અને બિનયહૂદીઓને પ્રકાશનો સંદેશો આપે."
"આપણે યરુશાલેમ જઈએ છીએ અને માણસના દીકરાને મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોના હાથમાં સોંપી દેવામાં આવશે. તેઓ તેને મૃત્યુદંડ ફરમાવશે. પછી તેઓ તેની મશ્કરી કરવાને, કોરડા મારાવવાને અને વધસ્તંભ પર જડવાને વિદેશીઓનાં હાથમાં સોંપી દેશે. ત્રીજા દિવસે તે સજીવન થશે."