Seguir a Jesus
Seguir a Jesus é o convite mais transformador da Bíblia. Jesus chamou pescadores, cobradores de impostos e pessoas comuns para deixar tudo e segui-lo. Esse chamado continua vivo hoje.
O chamado de Jesus
Jesus disse: 'Segue-me'. Esse convite simples e poderoso mudou a vida de pescadores, publicanos e pessoas comuns ao longo da história.
ઈસુએ તેઓને કહ્યું, "મારી પાછળ ચાલો અને હું તમને માણસોના પકડનારા બનાવી બહાર મોકલીશ." તરત પોતાની જાળો મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યાં.
જયારે ઈસુ ત્યાંથી જતા, તેમણે માથ્થી નામે એક માણસને જકાતનાકાએ બેઠેલો જોયો. તેમણે કહ્યું, "મારી પાછળ આવ." માથ્થી ઊભો થયો અને તેમની પાછળ ગયો.
બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યું. તેમણે ફિલિપને શોધીને કહ્યું, "મારી પાછળ આવ."
તેઓ રસ્તે ચાલતાં હતા, ત્યારે એક માણસે તેમને કહ્યું, "તમે જયાં જશો ત્યાં, હું તમારી પાછળ આવીશ."
ઈસુએ જવાબ આપ્યો, "શિયાળવાને બખોલ હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને પોતાનું માથું મૂકવાને જગ્યા નથી."
તેમણે બીજા માણસને કહ્યું મારી "પાછળ આવ," પણ તેણે જવાબ આપ્યો, "પ્રભુ પહેલાં મને જઈને મારા પિતાને દફનાવવા દો."
ઈસુએ તેને કહ્યું, "મૂએલાઓને તેઓના મૂએલાને દાટવા દો, પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર."
વળી બીજા એકે કહ્યું, "પ્રભુ હું તમારી પાછળ આવીશ પણ તે પહેલાં મારાંં ઘરનાંને છેલ્લી સલામ કરવા મને જવા દો."
ઈસુએ જવાબ આપ્યો, "હળ પર હાથ મૂકીને પાછળ જોનાર કોઇ પણ ઈશ્વરના રાજ્યમાં સેવા કરવા લાયક નથી."
O custo do discipulado
Seguir a Jesus exige renúncia. É preciso tomar a cruz diariamente, deixar tudo para trás e amar a Cristo acima de qualquer outro vínculo.
પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, "જે મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરીને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
"જે કોઈ મારી પાછળ આવવાં ચાહે પણ પોતાનાં માતા અને પિતા, પત્ની, અને બાળકો, ભાઈઓને, બહેનોને કે હા પોતાના જીવ નો પણ દ્વેષ નહિ કરે, તે મારો શિષ્ય થઈ શકતો નથી. વળી, જે કોઈ પોતાનો ક્રૂસ ઊંચકીને મારી પાછળ ચાલતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
ત્યારે પિતર બોલી ઊઠ્યો, "અમે તો બધું જ છોડી ને તમારી પાછળ આવ્યા છીએ,"
ઈસુએ જવાબ આપ્યો, "હું તમને સાચે જ કહું છું કે, જે કોઈએ મારે માટે અને સુસમાચારને માટે ઘર કે ભાઈઓ કે બહેનો કે માતા કે પિતા કે બાળકો કે ખેતરોનો ત્યાગ કયોઁ હશે, તે આ યુગમાં સો ગણાં ઘરો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અને ખેતરોને સતાવણી સુધ્ધાં તથા આવનાર યુગમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ. પરંતુ ઘણાં જેઓ પહેલાં તેઓ છેલ્લા, અને જેઓ છેલ્લા તેઓ પહેલાં થશે."
Caminhar com Cristo
Quem segue a Jesus não anda em trevas, mas tem a luz da vida. Ele nos convida a crescer nele e a servir como Ele serviu.
જયારે ઈસુએ લોકો સાથે ફરી વાત કરી, ત્યારે તેમણે કહ્યું, "હું જગતનું અજવાળું છું. જે કોઇ મારી પાછળ ચાલે છે, તે કદિ અંધકારમાં ચાલશે નહિ, પણ જીવનનું અજવાળું પામશે."
જે કોઈ મારી સેવા કરતો હોય તો મારી પાછળ ચાલે; અને હું જયાં છું, ત્યાં મારો સેવક પણ હશે. જે મારી સેવા કરે છે તેને મારા પિતા માન આપશે.
કારણ કે તમને તેને માટે બોલાવવામાં આવ્યા છે; કેમકે મસીહે પણ તમારા માટે સહન કયુઁ, અને તમને એક નમૂનો આપ્યો કે તમે તેને પગલે ચાલો.
"તેમણે કંઈ પાપ કર્યું નહિ,
અને તેમના મોંમા કદી કંઈ કપટ માલૂમ પડ્યું નહિ."
જયારે તેમણે તેમનું અપમાન કયુઁ, ત્યારે તેમણે બદલો વાળ્યો નહિ; જયારે તેમણે દુઃખ સહન કયુઁ ત્યારે તેમણે સામી ધમકી આપી નહિ; તેના બદલે તેમણે ન્યાય કરનારને સોંપી દીધા.
એના બદલે, પ્રેમથી સત્ય બોલીને, આપણે દરેક રીતે મસીહ જે શિર છે, તેનું પરિપકવ શરીર બનીને વૃધ્ધિ પામીએ.