Sexo
A Bíblia trata a sexualidade como um presente de Deus para o contexto do casamento. As Escrituras celebram a intimidade conjugal e orientam sobre pureza e santidade sexual.
A sexualidade no plano de Deus
Desde a criação, Deus projetou a intimidade sexual como expressão de amor entre marido e mulher, abençoando a união conjugal.
તેમણે જવાબ આપ્યો, "શું તમે નથી વાંચ્યું? કે આરંભથી જ ઉત્પન્ન કરનારે તેમને પુરુષ અને સ્ત્રીને બનાવ્યાં. અને કહ્યું; આ કારણને લીધે ‘પુરુષ પોતાના માબાપને છોડી દઈને પોતાની પત્નીને વળગી રહેશે, અને તેઓ બંને એક દેહ થશે.’ હવેથી તેઓ બે નહિ, પણ એક દેહ છે. માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."
A santidade na intimidade
O leito conjugal é honroso. A Bíblia celebra a alegria da intimidade dentro do casamento e orienta o casal ao amor e respeito mútuo.
સવઁમાં લગ્નને માન યોગ્ય ગણો, અને બિછાનું શુધ્ધ રાખો, કેમકે ઈશ્વર વ્યભિચારી અને અનૈતિક લોકોનો ન્યાય કરશે.
પતિએ પોતાની પત્ની પ્રત્યેની પોતાની લગ્નની ફરજ બજાવવી જોઈએ તે પ્રમાણે પત્નીએ તેના પતિ પ્રત્યે. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી પણ તેના પતિને સ્વાધીન થાય. એ જ પ્રમાણે પતિને પણ પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર નથી, તે તેની પત્નીને સ્વાધીન થાય.
પણ જો તમે સંયમ રાખી શકતા ન હો, તો તેઓ પરણે. બળવા કરતાં પરણવું વધારે સારું છે.
તમારાંં શરીરો મસીહના અવયવો છે એ શું તમે જાણતા નથી? તો શું હું મસીહનાં અંગોને વેશ્યાનાં અંગો બનાવું? ના કદી નહિ! જો કોઈ માણસ વેશ્યાની સાથે જોડાય છે તો તે એક દેહ બને છે, એ શું તમે નથી જાણતા? કેમકે કહે છે તેમ, "તેઓ બન્ને એક દેહ બની જશે." પણ જે કોઇ પ્રભુ સાથે જોડાય છે તે આત્મામાં તેમની સાથે એક થાય છે.
Pureza sexual
Deus nos chama à santificação e à fuga da imoralidade. O corpo do cristão é templo do Espírito Santo e deve ser tratado com honra.
વ્યભિચારથી નાશો. માણસ જે બીજા બધા પાપ કરે છે તે શરીરની બહાર છે પણ જે કોઇ વ્યભિચારનું પાપ કરે છે તે પોતાના શરીરની વિરુધ્ધનું પાપ કરે છે. શું તમે નથી જાણતા કે તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, જે તમારામાં રહે છે અને જે તમને ઈશ્વર તરફથી મળ્યું છે? તમે તમારા પોતાના નથી; તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. તેથી તમારા શરીર વડે ઈશ્વરને માન આપો.
તમે પવિત્ર થાઓ: અને વ્યભિચારથી દૂર રહો એવી ઈશ્વરની ઇચ્છા છે; અને તમારાંમાંના દરેકે પવિત્ર અને માનપૂર્વક પોતાના શરીરને કાબુમાં રાખવાનું શિખવું જોઈએ. જે મૂતિઁપૂજકો ઇશ્વરને નહિ જાણનારાં તેમની જેમ વિષયવાસનામાં ન જીવો;
પણ તમારાંમાં વ્યભિચાર, કોઇ પણ પ્રકારની મલિનતા અથવા લોભનો સહેજ પણ સંકેત ન હોવો જોઈએ, કારણ કે ઇશ્વરના પવિત્ર લોકો માટે આ યોગ્ય છે.
પરંતુ હું કહું છું કે, જે કોઈ સ્ત્રી તરફ કુદ્રષ્ટી કરે છે, તો તેણે તે સ્ત્રી સાથે તેના મનમાં વ્યભિચાર કરી ચૂકયો છે.
ચાલો આપણે તે દિવસનાં પ્રકાશને શોભે તે રીતે વતીઁએ, મોજશોખમાં કે દારૂ પીધામાં નહિ, વાસના અને વ્યભિચારમાં નહિ, ઝગડા અને ઈર્ષામાં નહિ.
પોતે જ્ઞાની છે એવો દાવો કર્યા છતાં પણ તેઓ મૂર્ખ બન્યા. અને અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે નાશવંત માનવી, પશુ, પક્ષી અને પેટે ચાલનારાં પ્રાણીઓનાં આકારની મૂર્તિઓ બનાવી.
તેથી ઈશ્વરે તેઓના હ્રદયની દુર્વાસના પ્રમાણે જાતીય અપવિત્રતાને સોંપી દીધા. જેથી તેઓ એકબીજા સાથે તેમના શરીરોને ભ્રષ્ટ કરે. તેઓએ ઈશ્વરના સત્યને બદલી તેઓએ જુઠાણાંને પસંદ કર્યું. તેઓએ સર્વનાં સર્જનહારની ભકિત કરવાને બદલે સર્જનહારે સર્જેલી વસ્તુઓની ભકિત કરી; જે સદાકાળ સ્તુતિપાત્ર છે. આમીન.
આના કારણે ઈશ્વરે તેઓને શરમજનક વાસનાઓને સોંપી દીધા. તેઓની સ્ત્રીઓ પણ કુદરતી જાતીય સબંધોને બદલે અસ્વભાવીક સબંધો બનાવ્યાં. એ જ રીતે પુરુષોએ પણ સ્ત્રીઓ સાથે કુદરતી જાતીય સંબંધથી જોડાવાને બદલે એકબીજા માટે વાસનાથી સળગી ઊઠયાં. માણસને માણસની વિરુધ્ધમાં શરમજનક કૃત્ય કરીને તેઓએ પોતાની ભૂલની સજા ભોગવી.