O adultério
O adultério é pecado grave que destrói alianças, famílias e vidas. A Bíblia condena firmemente a infidelidade conjugal e chama à pureza, fidelidade e santidade no casamento.
A lei de Deus
Não adulterarás. Quem comete adultério destrói a própria alma. A Palavra de Deus é clara e direta sobre este pecado.
Jesus ensina
Quem olhar para uma mulher com intenção impura já adulterou no coração. Jesus elevou o padrão da pureza.
"જે કહેવામાં આવ્યું હતું એ તમે સાંભળ્યું છે કે ‘તું વ્યભિચાર ન કર.’ પરંતુ હું કહું છું કે, જે કોઈ સ્ત્રી તરફ કુદ્રષ્ટી કરે છે, તો તેણે તે સ્ત્રી સાથે તેના મનમાં વ્યભિચાર કરી ચૂકયો છે.
પરંતુ હું કહું છું કે, જે કોઈ પોતાની પત્નીને વ્યભિચારના કારણ વગર છૂટાછેડા આપે છે, તે તેને વ્યભિચાર કરાવવામાં કારણભૂત બને છે, અને જે કોઈ છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તે વ્યભિચાર કરે છે.
ખરાબ વિચારો, ખૂન, વ્યભિચાર, લંપટપણું, ચોરી, જૂઠી સાક્ષી અને નિંદા હૃદયમાંથી બહાર નીકળે છે.
તેમણે જવાબ આપ્યો, "જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રીને પરણે છે તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ તે પોતાના પતિને છૂટાછેડા આપીને બીજા પુરુષને પરણે, તો તે વ્યભિચાર કરે છે."
"જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને અન્ય સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર કરે છે, અને જે માણસ છૂટાછેડા અપાયેલી સ્ત્રી સાથે પરણે, તે વ્યભિચાર કરે છે."
અને ઈસુને કહ્યું, "ગુરુજી, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. મોશેએ નિયમશાસ્ત્રમાં અમને આજ્ઞા આપી છે કે આવી સ્ત્રીને પથ્થરે મારવી; હવે તમે શું કહો છો?" તેઓ તેમને સપડાવવા આ પ્રશ્નનો ઉપયોગ કરતા હતાં, જેથી તેમના પર આરોપ મૂકવાનું કારણ મળી આવે.
પણ ઈસુએ નીચા નમીને જમીન પર તેમની આંગળીથી લખવાં લાગ્યા. તેઓએ તેમને પ્રશ્ન પૂછયા કયાઁ, તેમણે ઊભા થઈને તેમને કહ્યું, "સારું, જેણે કદી પાપ ન કર્યું હોય તે પ્રથમ તેના પર પથ્થર નાખે." ફરીથી નીચાં વળીને તેમણે જમીન પર લખ્યું.
એ સમયે જેઓએ એ સાંભળ્યું તેઓ એક પછી એક દૂર જવા લાગ્યા, મોટાથી લઈને, જયાં સુધી એકલા ઈસુ સિવાય તે સ્ત્રી સાથે કોઈ ઊભુ ન હતું. ઈસુ ઊભા થયા અને તેને પૂછયું, "સ્ત્રી, તેઓ કયાં છે? શું તને કોઈએ દોષિત ઠરાવી?"
"તેણે કહ્યું!" કોઇએ નહિ, ગુરુજી,
ઈસુએ જાહેર કયુઁ, "હું પણ તને દોષિત ઠરાવતો નથી. જા, હવે જા અને પાપનું જીવન છોડી દે."
Armadilhas e consequências
Os lábios da mulher estranha destilam mel, mas o seu fim é amargo. Fuja da imoralidade — o adultério escraviza.
વ્યભિચારથી નાશો. માણસ જે બીજા બધા પાપ કરે છે તે શરીરની બહાર છે પણ જે કોઇ વ્યભિચારનું પાપ કરે છે તે પોતાના શરીરની વિરુધ્ધનું પાપ કરે છે.
હું તમને કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના પ્રમાણે વર્તશો નહિ. કેમકે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુધ્ધ ઇચ્છા કરે છે, તેઓ પરસ્પર વિરુધ્ધ છે; અને તેથી જે તમે ચાહો છો તે તમે કરતા નથી.
દેહના કામ તો ખુલ્લાં છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા અને મેલી વિદ્યા, વેરભાવ, ઝગડા, અદેખાઈ, ગુસ્સો, પોતાનું જ હિત સાધવાં માટેનાં પ્રયત્નો, કુસંપ, પક્ષાપક્ષી; જેમ મેં પહેલાં ચેતવ્યા તેમ જેઓ ઈર્ષાળું, દારૂડિયાપણું, ભોગવિલાસ અને બીજી એવી બાબતોમાં જીવે છે તેઓ ઈશ્વરના રાજ્યનો સહભાગી બનશે નહિ.
સવઁમાં લગ્નને માન યોગ્ય ગણો, અને બિછાનું શુધ્ધ રાખો, કેમકે ઈશ્વર વ્યભિચારી અને અનૈતિક લોકોનો ન્યાય કરશે.
તમે પવિત્ર થાઓ: અને વ્યભિચારથી દૂર રહો એવી ઈશ્વરની ઇચ્છા છે; અને તમારાંમાંના દરેકે પવિત્ર અને માનપૂર્વક પોતાના શરીરને કાબુમાં રાખવાનું શિખવું જોઈએ. જે મૂતિઁપૂજકો ઇશ્વરને નહિ જાણનારાં તેમની જેમ વિષયવાસનામાં ન જીવો;
ઓ તમે વ્યભિચારી લોકો! શું તમે નથી જાણતા કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે વેર છે? માટે જે કોઇ જગતનો મિત્ર થવા માંગે છે, તે ઇશ્વરનો વૈરી થાય છે.
મેં તેને અનૈતિકતાથી પસ્તાવો કરે માટે મેં તેને સમય આપ્યો, પરંતુ તેણે જાણ્યું નહિ. તેથી હું તેને પથારીવશ કરીશ અને તેની સાથે જેઓ વ્યભિચાર કરે છે તેઓ જો પોતાનાં પાપનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપતીમાં નાંખીશ.