Alimento
O alimento é provisão de Deus para o corpo e a alma. Jesus disse: Eu sou o pão da vida. A Bíblia ensina a receber com gratidão, partilhar com generosidade e confiar no Provedor.
O pão da vida
Jesus disse: Eu sou o pão da vida. Quem vem a mim nunca terá fome. O alimento espiritual sacia plenamente.
ત્યારે ઈસુએ જાહેર કર્યુ, "જીવનની રોટલી હું છું. જે કોઈ મારી પાસે આવે છે તેને ફરી કદી ભૂખ લાગશે નહિ, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ લાગશે નહિ.
નાશવંત ખોરાક માટે કામ કરશો નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, કેમકે ઈશ્વર પિતાએ તેના પર મુદ્રા કરી છે."
ઈસુએ જવાબ આપ્યો, "એમ લખેલું છે: કે માણસ કેવળ રોટલીથી નહિ, પરંતુ ઈશ્વરના પ્રત્યેક વચન જે ઈશ્વરનાં મોંમાથી નિકળે છે તેથી જીવે છે."
જેઓ ન્યાયીપણા માટે ભૂખ્યા અને તરસ્યા છે તેઓ આશીવાઁદિત છે,
કેમકે તેઓ ધરાશે,
પણ પ્રથમ તમે તેના રાજ્યને અને તેના ન્યાયીપણાને શોધો, અને આ બધા વાનાં પણ અપાશે.
"તેથી હું તમને કહું છું કે તમારા જીવન વિષે ચિંતા ન કરો; તમે શું ખાશો ને પીશો; અથવા તમારા શરીર વિષે, તમે શું પહેરશો. શું ખોરાક કરતાં જીવન અને વસ્ત્રો કરતાં શરીર વધારે અધિક નથી?
જેમ નવું જન્મેલું બાળક શુધ્ધ આત્મિક દૂધ માટે ઝંખે છે, જેથી તમે તમારા તારણમાં વૃ્ધ્ધિ પામો.
Provisão divina
Deus provê alimento em abundância. Ele multiplica pães e peixes, enche os famintos e supre toda necessidade.
પાંચ રોટલી અને બે માછલી લઇને ઈસુએ આકાશ તરફ જોઇને તેમણે આભાર માનીને તેમનાં ટુકડાં કરીને આપી, પછી તેમણે લોકોને પીરસવાં માટે શિષ્યોને આપી. તેઓ બધાએ ધરાઈને ખાધું, અને શિષ્યોએ વધેલાં ટુકડાઓની બાર ટોપલીઓ ઉઠાવી.
હવે જેને, વાવવા માટે બી અને ખોરાકને માટે રોટલી આપે છે, તે તમારા બીજનો સંગ્રહ પણ પૂરો પાડશે અને વધારશે તે તમારા ન્યાયપણાના પાકને વધારશે.
Gratidão e moderação
Nada trouxemos para o mundo e nada levaremos. Tudo o que fizerdes, fazei para a glória de Deus — inclusive comer e beber.
કારણ કે આપણે આ દુનિયામાં કાંઈ જ લાવ્યાં નથી, અને આપણે તેમાંથી કાંઈ પણ લઈ જઈ શકતા પણ નથી. પણ જો આપણી પાસે ખોરાક તથા વસ્ત્રો હોય તો તેમાં આપણે સંતોષ માનવો જોઈએ.
તેથી, તમે ખાઓ કે પીઓ કે, જે કાંઈ કરો, તે બધું ઈશ્વરના મહિમાને માટે કરો.
તેઓ દરરોજ મંદિરનાં આંગણાંમાં નિયમિત એકઠા મળીને ઘેર ઘેર રોટલી ભાંગીને આનંદ તથા નિખાલસ મનથી ભોજન કરતા. ઈશ્વરની સ્તુતિ કરતા અને બધા લોકો તેમના પર પ્રસન્ન હતા, અને પ્રભુ દરરોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતા જતા હતા.
જુઓ, હું બારણાં આગળ ઊભો રહીને ખટખટાવ્યા કરું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ખોલશે તો હું અંદર આવીશ અને હું તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.
જે બધું જ ખાય છે તેઓએ નહિ ખાનારાને તુચ્છ ન ગણવાં અને જેઓ નથી ખાતાં તેમણે ખાનારનો ન્યાય ન કરવો, કારણ કે ઈશ્વરે તેઓને સ્વીકાર્યા છે.
તેથી, કોઇ પણ વ્યકિત તમારા ખાવાપીવા કે તહેવારો, ચંદ્ર, કે સાબ્બાથવારના દિવસને ધ્યાનમાં રાખીને તમારો ન્યાય ન કરે. આ તો આવનારી બાબતોનો પડછાયો છે; પણ વાસ્તવિકતા તો મસીહમાં જોવા મળે છે.