Conversão
A conversão é o ato de se voltar para Deus — arrependendo-se do pecado e abraçando a graça. É o início de uma vida nova, transformada pelo amor de Cristo.
Arrependei-vos
Arrependei-vos e convertei-vos para que os vossos pecados sejam apagados. A conversão começa com a mudança de mente e coração.
પસ્તાવો કરો અને પછી ઈશ્વર તરફ વળો જેથી તમારાંં પાપ ભૂંસી નાંખવામાં આવે, અને પ્રભુ તરફથી તાજગીના સમયો પ્રાપ્ત થાય.
પિતરે જવાબ આપ્યો, "પસ્તાવો કરો અને ઈસુ મસીહને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા લે, જેથી તમને પાપોની માફી મળે અને તમને પવિત્ર આત્માનું દાન પ્રાપ્ત થશે;
ભૂતકાળમાં ઈશ્વરે આવી અજ્ઞાનતા અવગણી ખરી. પણ હવે તે સવઁત્ર બધા લોકોને પસ્તાવો કરવાની આજ્ઞા કરે છે.
તે સમયથી ઈસુએ ઉપદેશ આપવાનો આરંભ કર્યો, "પસ્તાવો કરો, કેમકે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે."
પસ્તાવાની સાથે રહે તેવાં ફળ આપો.
"સમય આવી ચૂકયો છે, ઈશ્વરનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે. પસ્તાવો કરો, ને સુસમાચાર પર વિશ્વાસ કરો."
O amor de Deus converte
Céu se alegra por um pecador que se arrepende. Deus não deseja a morte do ímpio, mas que se converta e viva.
હું કહું છું કે એ જ પ્રમાણે નવ્વાણું ન્યાયી વ્યકિતને પસ્તાવાની અગત્યતા નથી તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તો તેને લીધે સ્વર્ગમાં ઘણો આનંદ થશે.
એ જ પ્રમાણે, હું તમને કહું છું, જયારે એક પાપી પસ્તાવો કરે છે, ત્યારે ઈશ્વરના દૂતોમાં આનંદ વ્યાપી જાય છે."
હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવવા માટે બોલાવવા આવ્યો છું."
વિલંબનો જેવો અથઁ કેટલાએક કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતાં નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પસ્તાવો કરે એવું ઇચ્છીને પ્રભુ તમારે માટે, ધીરજ રાખી રહ્યા છે.
Transformação
Voltai-vos para mim e sereis salvos! Rasgai o coração e não as vestes. A verdadeira conversão transforma o interior.
જેનાં પર હું પ્રેમ કરું છું તેને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.
તેથી જગતના સ્વભાવનું જે છે તેને મારી નાખો: વ્યભિચાર, અશુધ્ધતા, ભૂંડી વાસના અને લોભ ન રાખો, કે જે મૂર્તિપૂજા છે.
તમારાં શરીરનાં અવયવોને ભૂંડાઈનાં સાધન તરીકે પાપને ન સોંપો, પરંતુ મરણમાંથી સજીવન થયેલા એવા તમે પોતાને ઈશ્વરને સોંપાઈ જાઓ, તથા પોતાના અવયવોને ન્યાયપણાના સાધન તરીકે તેમને સોંપો.
ભાઈઓ અને બહેનો, જો કોઈ ભાઈ પાપ કરતાં પકડાય તો, તમે જેઓ આત્મિક છો તેઓએ નમ્રતાથી તેને પાછો લાવવો, નહિ તો તમે પણ પરિક્ષણમાં પડશો.
માટે સઘળી દુષ્ટતા દૂર કરો અને તમારાં હૃદયમાં રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શકિતમાન છે તેને નમ્રતાથી સ્વીકારો.