Sinais do fim dos tempos
A Bíblia descreve sinais que precederão a volta de Jesus. Guerras, falsos mestres, sinais cósmicos e a pregação do evangelho a todas as nações — tudo aponta para o fim dos tempos.
Sinais proféticos
Este evangelho do Reino será pregado em todo o mundo e então virá o fim. Os sinais dos últimos tempos já se manifestam.
અને રાજ્યનાં આ સુસમાચાર સાક્ષી તરીકે આખા જગતમાં સર્વ પ્રજાઓને પ્રગટ કરવામાં આવશે, અને પછી અંત આવશે.
"એ દિવસોની વિપત્તિ પછી તરત જ
" ‘સૂરજ અંધકારમય થઈ જશે,
અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ;
તારાઓ આકાશમાંથી ખરશે.
આકાશી મંડળો હલાવાશે.’
"જયારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, અને પૃથ્વી પરના સધળાં લોકો શોક કરશે. ત્યારે માણસના દીકરાને સામર્થ્ય અને મહિમાસહિત તેઓ આકાશના વાદળો પર આવતા નિહાળશો. રણશિંગડાનાં મોટાં અવાજ સાથે તે પોતાના દૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી તેમના પસંદ કરેલાંઓને એકત્ર કરશે.
"માટે જાગતાં રહો, કેમકે તમારાં પ્રભુ ક્યાં દિવસે આવવાના છે તે તમે જાણતા નથી. પણ આ સમજો, રાત્રીના કયાં સમયે ચોર આવવાનો છે એ જો ઘરધણી જાણતો હોત તો તે જાગતો રહીને ઘરમાં ચોરી થવા ન દેત. તેથી તમે પણ તૈયાર રહો, કેમકે માણસનો દીકરો તમે ધારતાં નહિ હોય એ સમયે આવશે.
અને મેં જે આજ્ઞાઓ તમને આપી તે સવઁ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને ખચીત હું જગતના અંત સુધી હંમેશા તમારી સાથે છું."
"પણ તે દિવસ કે ઘડી વિશે કોઈ જાણતું નથી, આકાશના દૂતો નહિ કે પુત્ર નહિ, પણ કેવળ પિતા જ."
Os últimos dias
Nos últimos dias virão tempos difíceis, homens amantes de si mesmos. Mas derramarei o meu Espírito sobre toda a carne.
પણ આ વાત ધ્યાનમાં રાખ તિમોથી, છેલ્લા દિવસો ભયંકર સમય આવશે. કેમકે માણસો સ્વાથીઁ, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગવિઁષ્ઠ, નિંદા કરનારા, માબાપનું સન્માન નહિ કરનારા, કૃતધ્ની, અધમીઁ, પ્રેમ વગરનાં, માફ નહિ કરનારા, અનીતિમાન, કઠોર, ક્રૂર, નિદઁય, સંયમ ન કરનારા, શુભ દ્રેષી, કપટી, ઉતાવળા, ઘમંડી, ઈશ્વર પર પ્રેમ રાખવા કરતા મોજશોખ પર પ્રેમ વધુ રાખનારાં, ભકિતભાવનો ડોળ ધારણ કરીને તેના સામથ્યઁનો સ્વીકાર કરતા નથી, આવા લોકો સાથે કોઈ સંબંધ રાખવો નહિ.
" ‘ઈશ્વર કહે છે કે,
છેલ્લા સમયમાં, હું સર્વ લોકો પર મારો આત્મા રેડી દઈશ.
તમારાં દીકરા-દીકરીઓ પ્રબોધ કરશે.
તમારાં જુવાનોને સંદર્શનો થશે,
તમારાં વૃધ્ધોને સ્વપ્નો આવશે.
તે દિવસોમાં હું મારા સેવકો, બન્ને પુરુષો તથા સ્ત્રીઓ પર,
મારો આત્મા રેડી દઈશ અને,
તેઓ પ્રબોધ કરશે.
હું ઉપર આકાશમાં અદભુત કૃત્ય તથા નિચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ,
લોહી, તથા
અગ્નિ અને ધુમાડાનાં ગોટેગોટા દેખાડીશ.
પ્રભુનો એ મહાન તથા ગૌરવી દિવસ આવે તે પહેલાં
સૂર્ય અંધકારમય અને
ચંદ્ર લોહી થઈ જશે.
અને જે કોઇ પ્રભુને નામે વિનંતી કરશે,
તે તારણ પામશે.’
Esperança e prontidão
O dia do Senhor virá como ladrão. Mas nós não somos das trevas — estejamos sóbrios, vigiliando e esperando.
પ્રભુના વચન પ્રમાણે અમે તમને કહીએ છીએ કે પ્રભુના આગમન સમયે જેઓ જીવંત હશે તેઓ ચોકકસપણે ઊંઘી ગયેલાઓની અગાઉ જનાર નથી. કેમકે પ્રભુ પોતે ગર્જનાસહિત, પ્રમુખદૂતના પોકાર સહિત અને ઈશ્વરના રણશિંગડાંનાં અવાજ સાથે સ્વર્ગમાંથી ઊતરશે અને જેઓ મસીહમાં મૃત્યુ પામ્યા છે તેઓ પ્રથમ સજીવન થશે. ત્યાર પછી, આપણામાંનાં જેઓ જીવતાં અને બાકી રહેલાં છે તેઓ પ્રભુને મળવાં માટે તેમની સાથે વાદળોમાં ઊચકાઇ જઈશું; અને એમ આપણે સદા પ્રભુની સાથે રહીશું. તો આ વચનો વડે તમે એકબીજાને ઉત્તેજન આપો.
માટે આપણે બીજાઓની જેમ ઊંઘીએ નહિ પણ જાગૃત અને સાવધ રહીએ. કેમકે ઊંઘનારા રાત્રે ઊંઘે છે ને દારૂડિયા રાત્રે દારૂ પીએ છે. પરંતુ આપણે તો દિવસનાં છીએ, માટે સાવધ રહો, વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. કેમકે ઈશ્વરે આપણને કોપને માટે નહિ, પણ આપણા પ્રભુ ઈસુ મસીહ મારફતે આપણું તારણ થાય એ માટે પસંદ કર્યા છે.
"અતિશય ખાનપાનથી તથા જીવનની ચિંતાથી તમારાંં મન જડ ન થઈ જાય માટે સાવધાન રહો, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓંચિતો આવી પડે. કારણ કે એ દિવસ આખી પૃથ્વી પરનાં સવઁ વસનારા લોકો પર આવી પડશે. હંમેશા જાગતાં રહો, અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ."
પરંતુ વહાલાં મિત્રો, આ એક વાત ભૂલશો નહિ પ્રભુની નજરમાં એક દિવસ હજાર વર્ષોના જેવો, અને હજાર વરસો એક દિવસનાં જેવાં છે. વિલંબનો જેવો અથઁ કેટલાએક કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતાં નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પસ્તાવો કરે એવું ઇચ્છીને પ્રભુ તમારે માટે, ધીરજ રાખી રહ્યા છે.
પણ પ્રભુનો દિવસ ચોરની માફક આવશે. ત્યારે ગર્જનાસહિત આકાશો અદ્રશ્ય થઈ જશે; ને તત્વો અગ્નિથી નાશ પામશે, અને પૃથ્વી તથા તેમાં જે કાંઈ છે તે સર્વ બાળી નાખવામાં આવશે.
આ રીતે બધું જ નાશ પામશે, તો તમારે કેવાં લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ. પ્રભુના આગમનના એ દિવસની તમે આતુરતાથી રાહ જુઓ અને તેમના આવવાનું જલદી થાય એવા પ્રયત્ન કરો. તે દિવસે આકાશોને બાળી નાંખશે અને તત્વો બળીને પીગળી જશે. પણ, આપણે તેમના વચન પ્રમાણે નવાં આકાશ અને નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ જયાં કેવળ ન્યાયીપણું જ વસે છે.
સાંભળો, હું તમને એક રહસ્ય ક્હું છું! આપણે બધા ઊંઘીશું નહિ, પણ આપણે રૂપાંતર પામીશું, એક ક્ષણમાં, આંખના પલકારામાં, છેલ્લું રણશિંગડું વાગતાં, કેમકે રણશિંગડું વાગશે, અને મૂએલા અવિનાશી થઈને ઊઠશે, અને આપણું રૂપાંતર થશે.
પછી મેં "નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં," કારણ કે પ્રથમનાં આકાશ તથા પ્રથમની પૃથ્વી જતાં રહ્યાં હતાં, અને હવે સમુદ્ર રહ્યો ન હતો. અને મેં પવિત્ર નગર, નવા યરુશાલેમને ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી નીચે આવતું જોયું, જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. રાજ્યાસન પરથી મેં એક મોટો પોકાર સાંભળ્યો, "જુઓ, ઈશ્વરનું નિવાસસ્થાન હવે લોકોની મધ્યે છે. તે તેઓની સાથે રહેશે, તેઓ તેમના લોક થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહેશે અને તેમનો ઈશ્વર થશે. તે તેઓની આંખોનાં દરેક આંસુ લૂંછી નાંખશે. હવે પછી મરણ, દુઃખ, વિલાપ કે વેદના થશે નહિ. કેમકે તે બધું જુનું સદાને માટે જતું રહ્યું છે."