O juízo final
O juízo final é a conclusão da história humana. Todos os seres humanos comparecerão diante do trono de Deus para o julgamento eterno — os salvos para a vida, os ímpios para a condenação.
O grande trono branco
Vi um grande trono branco e os mortos diante de Deus. Os livros foram abertos e cada um foi julgado segundo as suas obras.
પછી મેં એક શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર એક જણને બેઠેલો જોયો. તેમની હાજરીથી પૃથ્વી તથા આકાશ નાસી ગયાં, અને તેમના માટે કોઈ સ્થાન હતું નહિ. પછી મેં મૂએલાને, નાનાં તથા મોટાં સર્વને રાજ્યાસનની આગળ ઊભેલાં જોયા, અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. બીજું પુસ્તક ઊઘાડવામાં આવ્યું, જે જીવનનું પુસ્તક છે. તે પુસ્તકોમાં લખ્યાં પ્રમાણે મૂએલાઓનો તેમની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જે મૂએલા હતાં તેઓને પાછા આપ્યા, અને મરણે અને હાદેસે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછા આપ્યા, અને દરેક વ્યક્તિનો ન્યાય તેઓની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. પછી મરણ તથા હાદેસને અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા. અગ્નિની ખાઈ તે જ બીજું મરણ છે. જે કોઈનું નામ જીવનનાં પુસ્તકમાં નોંધાયેલું મળી આવ્યું નહિ તેઓને અગ્નિની ખાઈમાં નાંખવામાં આવ્યા.
"જુઓ! હું જલ્દી આવું છું! અને દરેક વ્યકતિને તેમની કરણીઓ પ્રમાણે બદલો ભરી આપવાનો મારી પાસે છે.
"જુઓ! હું જલ્દી આવું છું! અને દરેક વ્યકતિને તેમની કરણીઓ પ્રમાણે બદલો ભરી આપવાનો મારી પાસે છે. હું આલ્ફા તથા ઓમેગા છું, આરંભ તથા અંત છું અને પ્રથમ તથા છેલ્લો છું.
Preparação para o juízo
Deus estabeleceu um dia para julgar o mundo com justiça. Arrependei-vos, porque o juízo se aproxima e cada palavra será pesada.
કેમકે તેમણે એક દિવસ નિયુકત કયોઁ છે જયારે તેઓ પોતાના નિમેલા માણસ દ્વારા જગતનો અદલ ઈન્સાફ કરશે. એ વિશે તેમણે તેમને મૂએલાંમાંથી સજીવન કરીને બધાને એ વાતની સાબિતી આપી છે."
પણ હું તમને કહું છું કે: દરેકે હરેક નકામાં બોલેલા શબ્દ માટે તમારે ન્યાયના દિવસે જવાબ આપવો પડશે. કેમકે તારા શબ્દોથી તું ન્યાયી ઠરાવાશે અને તારા શબ્દોથી તું અન્યાયી ઠરાવાશે."
"જયારે માણસનો દીકરો પોતાના મહિમામાં સવઁ દૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના ગૌરવી રાજ્યાસન પર બિરાજશે. સવઁ દેશજાતીઓ તેની આગળ એકઠી કરવામાં આવશે, અને તે સર્વ લોકોને એકબીજાથી જુદી પાડીશ જેમ ઘેટાપાળક ઘેંટાંને બકરાંથી જુદાં પાડે છે, તે ઘેટાંને તેની જમણે અને બકરાંને તેની ડાબે રાખશે.
"જયારે માણસનો દીકરો પોતાના મહિમામાં સવઁ દૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના ગૌરવી રાજ્યાસન પર બિરાજશે. સવઁ દેશજાતીઓ તેની આગળ એકઠી કરવામાં આવશે, અને તે સર્વ લોકોને એકબીજાથી જુદી પાડીશ જેમ ઘેટાપાળક ઘેંટાંને બકરાંથી જુદાં પાડે છે, તે ઘેટાંને તેની જમણે અને બકરાંને તેની ડાબે રાખશે.
"ત્યારે રાજા તેની જમણી તરફનાંઓને કહેશે, ‘મારા પિતાનાં આશીર્વાદિતો આવો! જગતની ઉત્પતિ પહેલાં તમારાં માટે તૈયાર કરેલ છે તેનો વારસો લો. કારણ, હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કંઈક ખાવા આપ્યું; હું તરસ્યો હતો, ત્યારે કંઈક પીવાને આપ્યું; હું અજાણ્યો હતો, ત્યારે તમે મને અંદર આવકાયોઁ; મને કપડાંની જરૂર હતી, ત્યારે તમે મને કપડાં પહેરાવ્યાં; હું માંદો હતો, ત્યારે મારી ખબર લીધી, હું જેલમાં હતો, ત્યારે તમે મારી મુલાકાત લેવા આવ્યા.’
"ત્યારે ન્યાયીઓ તેને જવાબ આપશે, ‘પ્રભુ! અમે ક્યાંરે તમને ભૂખ્યાં જોઈને ખવડાવ્યું અથવા તરસ્યા જાણીને તમને પીવાને કંઈક આપ્યું; ક્યાંરે અમે તમને અજાણ્યા જોઈને અંદર આવકાયાઁ; ને કપડાંની જરૂર હતી, ત્યારે કપડાં પહેરાવ્યાં? અને ક્યાંરે અમે તમને બીમાર જોયા અથવા જેલમાં જોઈને તમારી મુલાકાત લીધી?’
"ત્યારે રાજા જવાબ આપશે હું તમને સાચે જ કહું છું કે, ‘જે કાંઈ આ મારાં નાનાં ભાઈઓ અને બહેનોમાંનાં એક માટે કર્યું તે, તમે મારા માટે કયુઁ.’
"પછી તેમની ડાબી તરફનાંઓને કહેશે, ‘મારી આગળથી દૂર જાઓ, ઓ શાપિતો! શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરેલાં અનંત અગ્નિમાં; કેમકે હું ભૂખ્યો હતો, અને તમે મને ખાવાને કંઈ આપ્યું નહિ; અને તરસ્યો હતો, અને તમે મને પીવાને કંઈ આપ્યું નહિ; હું અજાણ્યો હતો, અને તમે મને અંદર આવકાર્યો નહિ; મારે કપડાંની જરુર હતી, ત્યારે તમે મને કપડાં પહેરાવ્યાં નહિ; હું બીમાર અને જેલમાં હતો, ત્યારે તમે મારી મુલાકાત લીધી નહિ.’
"ત્યારે તેઓ પણ જવાબ દેશે, ‘ઓ પ્રભુ, અમે ક્યાંરે તમને ભૂખ્યાં, કે તરસ્યા, અજાણ્યા કે ઉઘાડાં, માંદા કે જેલમાં જોઈને તમારી સહાય ન કરી?’
"તે જવાબ આપશે, હું તમને સાચે જ કહું છું કે ‘આ નાનાંઓમાંના એકને તમે કયુઁ નહિ તે મને કયુઁ નહિ.’
"ત્યારે તેઓ અનંતકાળની શિક્ષામાં જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં."
Segurança em Cristo
Quem crê no Filho tem a vida eterna e não entra em juízo. O amor de Deus é nosso refúgio diante do juízo vindouro.
કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે.
કેમકે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કયોઁ કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, એ માટે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેનો નાશ ન થાય પણ તે અનંતજીવન પામે. જગતને દોષિત ઠરાવવા માટે નહિ પણ તેમનાથી જગતનો ઉધ્ધાર થાય, માટે ઈશ્વરે પોતાના દીકરાને જગતમાં મોકલ્યા. જે કોઈ તેમના પર વિશ્વાસ કરતો નથી તે દોષિત ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે દોષિત ઠરી ચૂક્યો છે. કેમકે ઇશ્વરના એકાંકીજનીત દીકરાનાં નામ પર તેણે વિશ્વાસ કયોઁ નહિ. સજા માટેનું કારણ આ છે કે: જગતમાં પ્રકાશ આવ્યા છતાં પણ લોકોએ પ્રકાશ કરતા અંધકારને ચાહ્યો, કેમકે તેઓનાં કામ ભૂંડા હતાં.
પણ હું તમને સાચે જ કહું છું કે મારું જવું તે તમારાં હિતમાં છે જયાં સુધી હું નહિ જાઉં, ત્યાં સુધી સહાયક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જઉ તો તેને હું તમારી પાસે મોકલી દઈશ. જયારે તે આવશે, ત્યારે તે જગતને તેના પાપ વિશે, ન્યાયપણા અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવશે. પાપ વિશે, કેમકે લોકો મારાંમાં વિશ્વાસ કરતાં નથી; ન્યાયીપણા વિશે; કેમકે હું પિતા પાસે જઈ રહ્યો છું અને હવે પછી તમે મને જોશો નહિ; ન્યાયચુકાદા વિશે; કેમકે આ જગતના અધિકારીઓ દોષિત ઠયાઁ છે.
અને આપણા પ્રત્યેનો ઈશ્વરનો જે પ્રેમ છે તે આપણે જાણીએ છીએ.
ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઇશ્વરમાં રહે છે, અને ઈશ્વર તેમનામાં રહે છે. તેથી પ્રેમ આપણામાં સંપૂણઁ થયો છે કે, ન્યાયકાળે આપણને હિંમત રહે; કેમકે આપણે આ જગતમાં ઈસુ જેવા છીએ. પ્રેમમાં બીક નથી. પણ સંપૂર્ણ પ્રેમ બીકને દૂર કરે છે, કેમકે બીકને શિક્ષા સાથે સંબંધ છે. અને જે બીક રાખે છે તે પ્રેમમાં સંપૂણઁ થયો નથી.
કેમકે દરેકે શરીરમાં રહીને જે ભલાં કે ભૂંડાં કામ કર્યા હશે તે પ્રમાણે બદલો પામવાને આપણા સવઁને મસીહનાં ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે.
મેં પ્રગટ કરેલી સુસમાચાર પ્રમાણે ઈશ્વર ઈસુ મસીહ મારફત માણસનાં ગુપ્ત કામોનો ન્યાય કરશે તે દિવસે બનશે.
જેમ માણસને એક જ વાર મરવાનું અને પછી તેનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, તેમ મસીહે પણ ઘણા લોકોનાં પાપ દૂર કરવા માટે એક જ વાર બલિદાન આપ્યું; અને તે બીજી વાર પણ પ્રગટ થશે, પાપ વેઠવા માટે નહિ, પરંતુ જેઓ તેમની રાહ જુએ છે તેમના માટે તારણ લાવવાં માટે.
કેમકે, "થોડા સમય પછી,
જે આવે છે તે જલ્દી આવશે,
અને વિલંબ નહિ કરે."
અને,
"પણ મારો ન્યાયી વિશ્વાસથી જીવશે.
જો તે પાછો હઠી જાય
તો તેથી મને આનંદ થશે નહિ."
પરંતુ આપણે પાછા હઠી જનારામાંનાં નાશ પામનાર લોકો જેવા નથી, પણ જેમને વિશ્વાસ અને તારણ છે તેમના જેવા છે.
માટે આપણે બીજાઓની જેમ ઊંઘીએ નહિ પણ જાગૃત અને સાવધ રહીએ. કેમકે ઊંઘનારા રાત્રે ઊંઘે છે ને દારૂડિયા રાત્રે દારૂ પીએ છે. પરંતુ આપણે તો દિવસનાં છીએ, માટે સાવધ રહો, વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. કેમકે ઈશ્વરે આપણને કોપને માટે નહિ, પણ આપણા પ્રભુ ઈસુ મસીહ મારફતે આપણું તારણ થાય એ માટે પસંદ કર્યા છે.