Legalidades
A Bíblia reconhece a necessidade de leis e governo civil. Os cristãos são chamados a obedecer às autoridades estabelecidas por Deus, enquanto mantêm a lealdade suprema a Cristo.
Submissão às autoridades
Toda autoridade é instituída por Deus. O cristão é chamado a respeitar as leis, pagar tributos e honrar quem governa.
ઉચ્ચ અધિકારીઓને આધીન
દરેક જણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું, કેમકે કે ઈશ્વરે જે સત્તા સ્થાપી છે તે સિવાય કોઇ સત્તા નથી. જે સત્તાઓ અસ્તિત્વમાં છે તે ઈશ્વરે સ્થાપી છે. તેથી જે કોઇ સત્તાની વિરુધ્ધ બળવો કરે છે તે ઇશ્વરે જે સ્થાપન કર્યુ છે તેની વિરુધ્ધ થાય છે, અને જેઓ એવુ કરે છે તેના પર શિક્ષા આવી પડશે. કારણ કે જેઓ સારા કામ કરે છે તેમને શાસકો ડરાવતા હોતા નથી. પણ જે ખોટું કરે છે તેમને ડરાવતા હોય છે. શું તમે અધિકારીઓના ડરથી મુક્ત રહેવા માગો છો? તો જે સાચુ છે તે કરો એટલે તમારા વખાણ થશે. કારણ કે જે અધિકારી છે તે તમારા ભલા માટે ઈશ્વરનો સેવક છે. પણ જો તમે ખોટું કરો છો, તો ડરો, કારણ કે શાસકો કારણ વિના તરવાર ઉપાડતા નથી. તેઓ ઇશ્વરના સેવકો છે અને ખોટું કરનાર પર તે કોપરૂપી બદલો લાવનાર છે. તેથી ફક્ત શિક્ષાની શક્યતાઓ ને કારણ જ નહિ પણ પ્રેરકબુધ્ધિને માટે પણ અધિકારીઓને આધીન રહેવું જોઈએ.
આ કારણ માટે તમે કર પણ ભરો છો. કારણ કે અધિકારીઓ ઈશ્વરના સેવકો છે. જેઓ પોતાનો પૂરો સમય શાસન માટે આપે છે. દરેકને તમારા દેવાનું આપો: જેને કરનો, તેને કર; જો આવક હોય, તેને આવક; જો માન હોય, તો માન; જો સન્માન હોય, તો સન્માન.
પ્રેમ કાયદાનું પાલન કરે છે
એકબીજા પર પ્રેમ રાખો એ સિવાય બીજું કોઈનું દેવું રાખશો નહિ. કારણ કે કોઇ બીજાઓ પર પ્રેમ રાખે છે તેણે નિયમનું પાલન કર્યુ છે.
અને વિદેશી લોકોમાં તમારા આચરણ સારા રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઇને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.
માનવીએ સ્થાપેલી દરેક સત્તાને પ્રભુને ખાતર આધીન રહો: રાજાને સવોઁપરી સમજીને તેને આધીન રહો; ખોટું કરનારાઓને શિક્ષા કરવા અને સારું કરનારાઓને માન આપવાં માટે તેમણે નિમેલા અધિકારીઓને તમે આધીન થાઓ.
તો અમને કહો કે તમારો શો અભિપ્રાય છે? કૈસરને શાહી કર ચૂકવવો એ યોગ્ય છે કે નહિ?"
પણ ઈસુ તેઓની દુષ્ટ ચાલાકી જાણીને કહ્યું, "ઓ ઢોંગીઓ, તમે મને કેમ ફસાવવાં માંગો છો? કર માટે વપરાતો એક સિક્કો મને બતાવો." તેઓ તેમની પાસે એક દિનાર લાવ્યા. અને તેમણે તેઓને પૂછયું, "આ છાપ કોની છે? અને કોના લેખ છે?"
તેઓએ જવાબ આપ્યો, "કૈસરનાં."
ત્યારે તેમણે તેમને કહ્યું, "તો જે કૈસરનું છે, તે કૈસરને પાછું આપો અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને."
Obrigações legais
Jesus cumpriu obrigações legais, pagou impostos e orientou seus seguidores a obedecer à lei sem comprometer a fé.
મંદિરનો કર
પછી ઈસુ અને તેમના શિષ્યો કપરનાહૂમ પહોંચ્યા, મંદિરનો કર વસૂલ કરનારાંઓએ પિતરની પાસે આવીને પૂછયું કે, "શું તમારાં ગુરુ મંદિરનો કર આપતાં નથી?"
પિતરે જવાબ આપ્યો, "હા, તે આપે છે."
જયારે પિતર ઘરમાં આવ્યો, ત્યારે ઈસુએ પહેલાં તેને પૂછયું, "સિમોન, તને શું લાગે છે? પૃથ્વીનાં રાજાઓ કોની પાસેથી દાણ અથવા કર લે છે? તેમના પોતાના છોકરાઓ પાસેથી કે બીજાઓ પાસેથી?"
પિતરે ઉત્તર આપ્યો, "બીજાઓ પાસેથી."
ઈસુએ તેને કહ્યું, "ત્યારે દીકરાઓ તો મુક્ત છે; તોપણ, આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ, તું સરોવર કાંઠે જઈને તારો ગલ નાંખ, પહેલી માછલી પકડાય તે લે, તેનું મોં ઉઘાડ અને તેમાંથી તને એક સિક્કા મળશે. તે લઈને તું તારો અને મારો કર તેઓને ચૂકવી દે."
"જે તમને કોર્ટમાં લઈ જાય તે તમારાંં વિરોધીની સાથે જલદી સમાધાન કરી લો, તમે હજુ રસ્તામાં સાથે હો ત્યારે તે કરો, અને તમારો વિરોધી તમને ન્યાયાઘીશ ને સોંપી દે અને ન્યાયાઘીશ તમને અધિકારીના હાથમાં સોંપી દે અને તમને જેલમાં પૂરી દેવામાં આવે. હું તમને સાચે જ કહું છું કે છેલ્લો દંડ પૂરેપૂરો ચૂકવશો નહિ ત્યાં સુધી તું બહાર નહિ આવે.
મારી ખાતર રાજ્યકતાઁઓની અને રાજાઓની આગળ તેઓને તથા વિદેશીઓની આગળ સાક્ષી તરીકે રજૂ કરવામાં આવશે. પણ જયારે તેઓ તમને પકડે, ત્યારે શું બોલવું ને કેવી રીતે બોલવું એની ચિંતા કરશો નહિ, શું બોલવું તે સમયે તમને આપવામાં આવશે,
ઈસુનો જન્મ
એ દિવસોમાં કૈસર ઓગસ્તસે ફરમાન બહાર પાડયું કે સમગ્ર રોમન વિશ્વની વસ્તી ગણતરી કરવામાં આવે. આ પ્રથમ વસ્તી ગણતરી હતી તે સમયે કુરેનિયસ સિરીયાનો રાજ્યપાલ હતો. અને નામ નોંધાવવા માટે દરેક વ્યકિત પોતાના શહેરમાં ગયાં.
તેથી યોસેફ પણ ગાલીલ નાઝરેથ શહેરમાંથી યહૂદિયા દાવિદનાં શહેર બેથલેહેમ ગયો, કેમકે તે દાઉદનાં ઘરનો અને કુળમાંનો હતો. તે મરિયમ સાથે નોઘણીં કરાવવા ત્યાં ગયો, જેની સાથે તેની સગાઈ થઇ હતી, અને તે ગર્ભવતી હતી.
Perspectiva divina
As nações são como uma gota no balde diante de Deus. Ele abre portas que nenhuma lei pode fechar.
કારણ કે એક મહાન અને કાયઁ સફળ થાય એવું દ્રાર મારે સારું ઉઘાડવામાં આવ્યું છે, અને વિરોધીઓ પણ એટલા જ છે.
પિલાતે કહ્યું, "શું તું મારી સાથે વાત કરવા નથી માંગતો? તને ખબર નથી કે મારી પાસે તમને મુક્ત કરવાનો કે ક્રૂસે જડાવાનો અધિકાર છે?"
ઈસુએ જવાબ આપ્યો, "જો ઉપરથી તને અધિકાર ન અપાયો હોત, તો તને મારા પર કોઇ અધિકાર ન હોત. તેથી જેણે મને તેને સોંપ્યો છે તેનું પાપ વિશેષ છે."
Este artigo te tocou? Faça uma oração!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.