Maria
Maria, mãe de Jesus, é honrada nas Escrituras como a mulher escolhida por Deus para trazer ao mundo o Salvador. Sua fé, humildade e obediência são exemplo para todos os cristãos.
A escolhida de Deus
O anjo Gabriel anunciou a Maria que ela seria mãe do Filho do Altíssimo. Ela respondeu com fé: 'Faça-se em mim segundo a tua palavra.'
એલિસાબેતના ગભાઁવસ્થાના છઠ્ઠે મહિને, ઈશ્વરના ગાબ્રિયેલ દૂતને ગાલીલના નાઝરેથ શહેરમાં મોકલ્યો. કુમારિકાની સગાઈ દાવિદ કુળનાં યોસેફ નામે એક પુરુષ સાથે થઈ હતી, તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું, "સલામ, હે કૃપા પામેલી, પ્રભુ તારી સાથે છે."
પણ દૂતે તેને કહ્યું, "મરિયમ, ગભરાઈશ નહિ! તું ઈશ્વરથી કૃપા પામી છે. તને ગર્ભ રહેશે અને પુત્રને જન્મ આપશે. અને તું તેને ઈસુ કહેશે. અને તે મહાન બનશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે, અને ઈશ્વર પ્રભુ તેને તેના પિતા દાવિદનું રાજ્યાસન આપશે. અને તે સદાને માટે યાકોબનાં સંતાનો પર રાજ્ય કરશે, તેના રાજ્યનો અંત કદી આવશે નહિ."
ઈસુ મસીહના જન્મ વિષેની હકીકત આ મુજબ છે: તેમની માતા મરિયમની સગાઈ યોસેફ સાથે થઈ હતી પરંતુ તેમના મિલાપ થયા અગાઉ, તે પવિત્ર આત્માથી સગર્ભા થયેલી જણાઈ.
O Magnificat
Maria cantou: 'Minha alma engrandece ao Senhor!' Seu cântico exalta a misericórdia, o poder e a fidelidade de Deus.
અને મરિયમે કહ્યું:
"મારો જીવ પ્રભુનો મહિમા કરે છે
અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા હરખાય છે,
કેમકે તેમણે પોતાની દાસીની દીનાવસ્થા
પર દ્રષ્ટિ કરી છે.
હવેથી સઘળી પેઢીઓ મને ધન્ય કહેશે,
કેમકે પરાક્રમીએ મારે સારું,
મારા માટે મહાન કૃત્યો કર્યાં છે—તેનું નામ પવિત્ર છે.
જેઓ તેમની બીક રાખે છે, તેઓ પર પેઢી દર પેઢી તેની દયા રહે છે.
તેમણે પોતાના ભુજે પરાક્રમી કાયોઁ દેખાડયા છે
જેઓ પોતાના આંતરિક વિચારોમાં અભિમાની છે તેઓને તેણે વિખેરી નાંખ્યાં છે!
તેમણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી મૂક્યાં છે
અને દીન લોકોને ઊંચા કર્યા છે.
ભૂખ્યાઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે
અને ધનવાનોને ખાલી હાથે પાછા કાઢયાં છે.
દયા રાખવાનું સંભારીને,
તેમણે તેમના સેવક ઇઝરાયેલને સહાય કરી છે
જેમ તેણે આપણા પૂવઁજોને વચન આપ્યું હતું.
તેમ અબ્રાહમ અને તેના વંશજોને સદા માટે"
તેથી યોસેફ પણ ગાલીલ નાઝરેથ શહેરમાંથી યહૂદિયા દાવિદનાં શહેર બેથલેહેમ ગયો, કેમકે તે દાઉદનાં ઘરનો અને કુળમાંનો હતો. તે મરિયમ સાથે નોઘણીં કરાવવા ત્યાં ગયો, જેની સાથે તેની સગાઈ થઇ હતી, અને તે ગર્ભવતી હતી. જયારે તેઓ ત્યાં હતા, ત્યારે બાળકનો જન્મ થવાનો સમય થઇ ચૂકયો હતો. તેણે પોતાના પ્રથમજનિત પુત્રને જન્મ આપ્યો. તેણે તેને એક કપડાંમાં લપેટયો અને ગભાણમાં મૂકયો, કેમકે તેઓને માટે ધર્મશાળામાં જગા ન હતી.
પણ મરિયમે આ સર્વ વાતો પોતાના મનમાં રાખી અને તે વિશે તે વિચાર કરતી.
પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો અને તેની માતા મરિયમને કહ્યું: "આ બાળક ઇઝરાયેલમાંના ઘણાંનાં પડવા તથા ઉઠવાનું અને જેની વિરુદ્ધ બોલવામાં આવશે તેની નિશાનીરૂપ થવા સારું ઠરાવેલો છે. જેથી ઘણાંનાં હૃદયોનાં વિચારો પ્રગટ થશે. અને વળી તરવાર તમારા પોતાના આત્માને પણ વીંધી નાંખશે."
જયારે તેમના માબાપે તેમને જોયા તેઓ આશ્ચર્ય પામ્યાં. તેમની માએ તેમને કહ્યું, "દીકરા! અમારી સાથે તેં આવું વર્તન શા માટે કર્યું? તારા પિતા અને હું ચિંતિત થઇને તારી શોધ કરી!"
તેમણે કહ્યું, "તમે શા માટે મારી શોધ કરી? શું તમને ખબર નથી કે મારે મારા પિતાનાં ઘરે હોવું જોઈએ?" પણ તે શું કહેવા માગતા હતા તે તેઓ સમજી શક્યાં નહિ.
પછી તે તેઓની સાથે નાઝરેથ પાછા ફર્યા અને તેઓને આધીન રહ્યા. તેમની માતાએ આ બધી વાતો તેના મનમાં રાખી.
Mãe fiel até o fim
Maria acompanhou Jesus desde o nascimento até a cruz. Ela estava entre os discípulos no Pentecostes, fiel em oração.
"જયારે દ્રાક્ષારસ ખૂટી પડયો." ઈસુનાં મા તેમને કહે છે, તેઓની પાસે દ્રાક્ષારસ નથી.
ઈસુએ જવાબ આપ્યો કે, બાઈ, "તમે મને કેમ સામીલ કરો છો? મારો સમય હજુ આવ્યો નથી."
તેમના માએ નોકરોને કહ્યું, "જે કંઇ તેઓ તમને કહે, તે કરો."
ક્રૂસની પાસે ઈસુની મા મરિયમ, અને તેમની માસી, કલોપાસની પત્ની મરિયમ અને મરિયમ માગદાલેણ ઊભાં હતાં. જયારે ઈસુએ પોતાની માને તથા જે શિષ્યને તેઓ પ્રેમ કરતા હતા તેઓને ત્યાં સાથે ઊભેલાં જોયાં, ત્યારે ઈસુએ તેને કહ્યું, "સ્ત્રી, અહીં તમારો દીકરો છે!" અને શિષ્યને કહ્યું, "અહીં તારી મા છે" ત્યાર પછી આ શિષ્ય તેને પોતાને ઘરે લઈ ગયો.
ઈસુ ત્યાં હતા ત્યારે તેમની મા અને ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ બહાર ઊભા હતા. તેમને બોલાવવા અંદર માણસ મોકલ્યું. ટોળું તેમની આસપાસ બેઠું હતુ અને તેઓએ તેમને કહ્યું, "તમારાંં મા અને ભાઈઓ બહાર આવ્યા છે અને તમને શોધે છે."
તેમણે કહ્યું, "મારી મા તથા મારા ભાઈઓ કોણ છે?"
લોકો તરફ ફરીને જેઓ તેમની આસપાસ બેઠા હતા તેમને કહ્યું, "આ રહ્યાં મારાં મા અને મારા ભાઈઓ! જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, તે જ મારા ભાઈ, બહેન અને માતા છે."
શું એ સુથારનો દીકરો નથી. શું તેમની માતાનું નામ મરિયમ નથી અને તેના ભાઈઓ યાકોબ, યોસેફ, સિમોન અને યહૂદા નથી? તેમની બધી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધુ કયાંથી?"
વળી ઈસુની મા મરિયમ, બીજી કેટલીક સ્ત્રીઓ તથા ઈસુના ભાઈઓ પણ ત્યાં હતાં, તેઓ બધા એક ચિતે પ્રાર્થનામાં લાગુ રહ્યાં.