O marido
A Bíblia define o papel do marido com clareza: amar a esposa como Cristo amou a Igreja, ser fiel, protetor e líder servo no lar.
Amar como Cristo amou
Maridos, amai vossas mulheres como Cristo amou a Igreja e se entregou por ela. O amor do marido deve ser sacrificial e incondicional.
જેમ મસીહે મંડળી પર પ્રેમ દર્શાવ્યો અને તેને માટે પોતાને આપી દીધા, તેમ પતિઓ તમે પત્નીઓ પર પ્રેમ રાખો.
તે જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીર પર, તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો. જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાને જ પ્રેમ કરે છે.
તે જ પ્રમાણે પતિઓએ જેમ પોતાના શરીર પર, તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખવો. જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે તે પોતાને જ પ્રેમ કરે છે. આખરે, કોઈ પોતાના શરીર પર દ્વેષ રાખતો નથી. પણ તેનું પાલન અને પોષણ કરીને તેની સંભાળ રાખે છે, જેમ મસીહ મંડળીને સારું કરે છે તેમ,
તોપણ દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે. પત્નીએ પોતાના પતિનું માન રાખવું.
એ માટે અરસપરસ જૂઠું બોલવાનું બંધ કરીને, દરેક પોતાના પાડોશીની સાથે સાચુ બોલો, કેમકે આપણે એકબીજાનાં અંગો છીએ. "તમારા ગુસ્સામાં પાપ ન કરો." તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો, અને શેતાનને પગપેસારો કરવા ન દો. જો કોઈ ચોરી કરતો હોય તો હવેથી તે ચોરી ન કરે, પણ તેને બદલે પોતાને હાથે કંઈક ઉપયોગી કામ કરવું, જેથી જેઓને જરૂર છે તેઓને મદદ કરવા માટે તારી પાસે કંઈક હોય.
તમારાં મુખમાંથી અપશબ્દો ન નીકળે પણ બીજાઓની જરૂરિયાત પ્રમાણે તેઓની ઉન્નતિને માટે ઉપયોગી વાત જ નીકળે, જેથી સાંભળનારાઓને લાભ થાય. ઈશ્વરના પવિત્ર આત્માને દુઃખી ન કરો, જેમનાં દ્રારા તમને ઉધ્ધારના દિવસને માટે મુદ્રાકિંત કરવામાં આવ્યા છે. દરેક પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, કચકચ, નિંદા અને દરેક પ્રકારની દુષ્ટતા દૂર કરો. પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ બનો, અને જેમ મસીહમાં ઈશ્વરે તમને માફી આપી. તેમ તમે પણ એકબીજાને માફ કરો.
પતિઓ, તમારી પત્નીઓ પ્રત્યે પ્રેમ કરો અને તેમની સાથે કઠોર ન બનો.
પત્નીઓ, જેમ પ્રભુમાં જેમ યોગ્ય છે તેમ તમારાં પતિઓને આધીન રહો,
પતિઓ, તમારી પત્નીઓ પ્રત્યે પ્રેમ કરો અને તેમની સાથે કઠોર ન બનો.
અને આ બધા ઉપરાંત પ્રેમ પહેરો, જે સંપૂણઁતા એકતામાં બાંધે છે.
Fidelidade conjugal
O casamento é honroso e o leito conjugal é santo. O marido deve ser fiel à esposa da sua juventude em pensamento e ação.
સવઁમાં લગ્નને માન યોગ્ય ગણો, અને બિછાનું શુધ્ધ રાખો, કેમકે ઈશ્વર વ્યભિચારી અને અનૈતિક લોકોનો ન્યાય કરશે.
પરંતુ હું કહું છું કે, જે કોઈ સ્ત્રી તરફ કુદ્રષ્ટી કરે છે, તો તેણે તે સ્ત્રી સાથે તેના મનમાં વ્યભિચાર કરી ચૂકયો છે.
પરંતુ હું કહું છું કે, જે કોઈ પોતાની પત્નીને વ્યભિચારના કારણ વગર છૂટાછેડા આપે છે, તે તેને વ્યભિચાર કરાવવામાં કારણભૂત બને છે, અને જે કોઈ છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તે વ્યભિચાર કરે છે.
હવેથી તેઓ બે નહિ, પણ એક દેહ છે. માટે જેને ઈશ્વરે જેમને જોડયાં છે, તેમને કોઈએ છૂટાં ન પાડવાં."
પતિએ પોતાની પત્ની પ્રત્યેની પોતાની લગ્નની ફરજ બજાવવી જોઈએ તે પ્રમાણે પત્નીએ તેના પતિ પ્રત્યે. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી પણ તેના પતિને સ્વાધીન થાય. એ જ પ્રમાણે પતિને પણ પોતાના શરીર પર સંપૂર્ણ અધિકાર નથી, તે તેની પત્નીને સ્વાધીન થાય.
એકબીજાથી અલગ ન થાવ, સિવાય કે પરસ્પર સંમતીથી અને થોડા સમય માટે, જેથી તમે પ્રાથઁનામાં પોતાને સમપિઁત કરી શકો છો. પછી ફરીથી ભેગા થાઓ જેથી શેતાન તમારા પર પોતાના પરના નિયંત્રણના કારણે તમને લલચાવે નહિ.
હવે પરણેલાઓને હું આજ્ઞા આપું છું (હું તો નહિ પણ પ્રભુ) પતિ પોતાની પત્નીથી અલગ ન થાય. પરંતુ જો થાય તો, તે અપરિણીત રહે અથવા તેના પતિ સાથે સમાધાન કરે. અને પતિ પોતાની પત્નીને છૂટાછેડા ન આપે.
બાકીનાને હું આ કહું છું (હું નહિ પણ પ્રભુ): જો કોઇ ભાઈને અવિશ્વાસી પત્ની છે અને તે તેની સાથે રહેવા માગે છે તો તે તેને છૂટાછેડા આપે નહિ.
વ્યભિચારથી નાશો. માણસ જે બીજા બધા પાપ કરે છે તે શરીરની બહાર છે પણ જે કોઇ વ્યભિચારનું પાપ કરે છે તે પોતાના શરીરની વિરુધ્ધનું પાપ કરે છે.
Convivência com sabedoria
O marido sábio vive com a esposa com entendimento, dando-lhe honra como co-herdeira da graça. A união conjugal reflete Cristo e a Igreja.
પતિઓ, એ જ રીતે તમારી પત્નિઓને નબળું પાત્ર સમજીને તેની સાથે સમજણપૂવઁક રહો, અને તેની સાથે જીવનની કૃપાના સહવારસ તરીકે માન આપો, જેથી તમારી પ્રાથઁનાઓમાં અવરોધ ન આવે.
સ્વાર્થી મહત્વાકાંક્ષા કે વ્યથઁ અભિમાનથી કંઈ ન કરો. તેના બદલે, નમ્ર ભાવથી પોતના કરતાં બીજાઓને ઉત્તમ ગણવાં, તમારાં પોતાના હિત પર નહિ, પણ બીજાઓનાં હિત પર લક્ષ રાખો.
સાવધ રહો કે તમે ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો. પરંતુ હંમેશાં એકબીજાનું અને સર્વનું ભલું કરવા કોશિશ કરો.
અવિશ્વાસીઓ સાથે અઘટિત સંબંધ ન રાખો. કેમકે ન્યાયીપણાને અન્યાયપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધારાની જોડે શું સંગત હોય?
પ્રેમ ધીરજવાન છે, પ્રેમ કરુણાળુ છે, તે અદેખાઈ રાખતો નથી, બડાશ મારતો નથી કે અભિમાન કરતો નથી. તે બીજાઓનું અપમાન કરતો નથી, પોતાનું જ હિત જોતો નથી, તે સહેલાયથી ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી, ખોટા કાયોઁનો કોઇ હિસાબ રાખતો નથી. પ્રેમ દુષ્ટતામાં આનંદ માનતો નથી, પરંતુ સત્યમાં હર્ષ પામે છે. તે હંમેશા સાચવે છે, હંમેશા વિશ્વાસ રાખે છે, હંમેશા આશા રાખે છે, હંમેશા સહન કરે છે.